ગુરુવાર, 29 જુલાઈ, 2021

શિષ્યવૃત્તિ

શિષ્યવૃત્તિ (આર્તનાદ ભાગ ૨)
(છેક સુધી વાંચવા વિનંતી)
*****

"લો, આ બોનફાઇડ લઇ જાઓ, અને સદામનું આધારકાર્ડ બનાવવાનું છે. ગામની ઝોનલ ઓફિસે ૨૫-૩૦ રૂપિયા લેશે અને તમને બનાવી આપશે." મેં ધોરણ ૧ માં નવા દાખલ થયેલા સદામની મમ્મીને કહ્યું.

"ઇતને મેં બન તો જાયેગાના?? કિ જ્યાદા પૈસે લગેન્ગે??" રોજ માત્ર ૨૦૦-૩૦૦ કમાતા હોય અને ૭-૮ સભ્યોવાળા પરિવારનું માંડ ઘર ચાલતું હોય એવા સદામના મમ્મી પૈસાની ચિંતા કરી આવો સવાલ પૂછે એ સ્વાભાવિક હતું. 

"ઇતને હી લેંગે.. અગર આપ પ્રાઇવેટમેં બનાઓગે, તો જ્યાદા પૈસે લગતે હૈ." મેં એમને થોડું ચિડાઈને કહ્યું, કારણ કે ધો.૧ ના મારા વર્ગમાં કુલ ૬૦ બાળકોમાંથી લગભગ ૮૦℅ બાળકોના આધારકાર્ડ અને બેંક એકાઉન્ટના ફોર્મ ભરીને મારે એમને આપવાના હતા. અત્યારે હું પોતે લગભગ ૪-૫ વાલીઓથી ઘેરાયેલો હતો. 

"નઈ, ઉસમેં ક્યાં હૈ? મેરે તીન બચ્ચે યહાઁ પઢતે હૈ.. સબકે આધારકાર્ડ નિકલવાને કે હૈ.. તો ખબર પડે ને, કિ કિતને પૈસે લગેન્ગે.. ઇસલિયે પુછા." સદામની મમ્મીએ ચોખવટ કરી.

"સુબહ જલ્દી જાના.. ઝોનલ ઑફિસમેં રોજ કે સિર્ફ ૩૦ લોગો કે હી આધારકાર્ડ નિકલતે હૈ.. ઔર હા, સદ્દામ કો સાથ લેતે જાના, ઉસકી ઉન્ગલીઓકી છાપ લગેગી." મેં જરૂરી સૂચનાઓ ઝડપથી આપી એમને રવાના કર્યા.

ગામડાઓમાં સરકારીશાળા જ સર્વસ્વ હોય, એટલે મોટા-નાના બધા એ જ શાળામાં ભણે! (જો કે ગામડામાં પણ હવે તંત્રની મહેરબાનીથી ખાનગી શાળાનું દુષણ ઘુસી ચૂક્યું છે!) પણ શહેરોમાં દર એક કિલોમીટરે દુકાનોમાં પણ ખાનગી શાળાઓ ચાલતી હોય છે! વળી, આવી શાળાઓ 'દેખાડામાં' માનતા અને 'કહેવાતા' સમૃદ્ધ હોય એવા બાળકોને જ એડમિશન આપે, એટલે અભણ અને મજૂર વર્ગમાંથી આવતા જેમને મન 'રોજની કમાઈ'નું વધુ મહત્વ છે, એવાં વાલીઓ પોતાના બાળકોને સરકારી મ્યુનિસિપાલીટી સ્કૂલમાં દાખલ કરતા હોય છે. (સમૃદ્ધ અને સાક્ષર વાલીઓના બાળકોના એડમિશન મ્યુનિસિપલ સરકારી શાળામાં એવરેજ માત્ર ૨% થી ૧૦℅!!)
*****

૨ દિવસ પછી સદ્દામ શાળાએ આવ્યો! મેં પૂછ્યું, "ક્યાં હતો ૨ દિવસ??"

"વો આપને જો કાગઝ દીયેલા ને.. આધારકાર્ડ કે લીયે.. વહાં ગયેલે.." સદામની મમ્મીએ કહ્યું.

"બન ગયા આધારકાર્ડ?? વો પ્રિન્ટ લાયે?" એક બાળકનું આધારકાર્ડ બન્યાના ઉત્સાહમાં મેં પૂછ્યું.

"નહીં.. દો દિન સલિંગ ગયે, લેકિન વહાં બહોત બડી લંબી લાઈન લગતી હૈ.. ઔર ફિર ઇસકે પપ્પાકો ભી સુબહ કામ પે જાના હોતા હૈ.. તો એક દિન મૈને ભી કામ પે રજા રખ્ખી.. લેકિન વહાં વો બોલતે હૈ, પુરાવા લાઓ.. અબ પુરાવા કહાં સે લાએ.. હમ તો ભાડે સે રહેતે હૈ.."

"..તો ભાડા કરાર બનવા લો ના." મેં કહ્યું.

"અબ મકાનમાલિક કહાં ભાડા કરાર કરને દેતે હૈ? માન લો કર ભી દિયા, તો ફિર ૧૧ મહિને મેં મકાન ખાલી કરના પડતા હૈ.. વારેઘડીએ મકાન ખાલી કરને મેં બહોત તકલીફ પડતી હૈ.."

"આજ નહીં તો કલ, આધારકાર્ડ બનવાના તો પડેગા હી ના?? પ્રાઇવેટમે બનવા લો.." આ વાતચીત ચાલતી હતી એ દરમિયાન એક વાલીએ તરત જ કહ્યું, "પાંચસો રૂપિયે લેતે હૈ.. પ્રાઇવેટવાલે! આપકો તો સિર્ફ બોલના હૈ.. લેકિન ૨-૩ બચ્ચે હો તો એક-દો હજાર કહાં સે લાયે??"

હું ચૂપ થઈ ગયો!

થોડીવાર પછી મેં ધીમેથી કહ્યું, "કુછ ભી કરો, આધારકાર્ડ ઔર બેંક એકાઉન્ટ નહીં હોગા તો શિષ્યવૃત્તિ કે પૈસે નહીં આયેંગે."
******

૧૫-૧૬ દિવસ પછી સદામના મમ્મી સદામનું આધારકાર્ડ લઈને હાજર થયા! મેં પૂછ્યું, "કૈસે નિકલા?"

"૨૦૦૦ રૂપયે લગ ગયે.. તીન બચ્ચો કા આધારકાર્ડ નિકલવાને મેં..!" 

સદામની મમ્મીની આંખોમાં પોતાની 'રોજની કમાઈ'ના અમુક દિવસો પડ્યા, અને અંદાજે ૨૦૦૦ રૂપિયાથી ઘરમાં જે ખાડો પડ્યો, એની વેદના સ્પષ્ટ દેખાય છે!! (સાચું કહું તો એક શિક્ષક તરીકે જ્યારે હું આવી વેદનામયી આંખો કે ચહેરો જોઉં છું, ત્યારે મને સરકાર અને તંત્ર પર ગુસ્સો આવે છે. પોતાની એ.સી. ઓફિસોમાંથી આદેશો છોડતા પહેલાં એ લોકો આવા નાના માણસોનો બિલકુલ વિચાર નહીં કરતા હોય?!! આ ફરિયાદ તો ઈશ્વરને પણ છે!!)

"અબ બેંક એકાઉન્ટ ભી ખુલવા લો.. 'શાયદ' યહાં પૈસે નહીં લગેન્ગે. તુમ્હારા એક ફોટો ઔર સદામ કે દો ફોટો લગેન્ગે." મેં કહ્યું.

"સદામ કે ફોટો પડવાને પડેન્ગે.. દો દિન બાદ દૂગી"
*******

૨ દિવસ પછી સદામના મમ્મીએ મને ફોટા આપ્યા એટલે મેં એમને 'ઝીરો' પૈસાથી બેંક એકાઉન્ટ ખુલે એનું ફોર્મ ભરી આપ્યું. બે દિવસ પછી એ પાછા મારી પાસે આવ્યા..

"આપ તો બોલતે થે કુછ પૈસે નહીં લગેન્ગે, વો બેંકવાલે ખાતા ખુલવાને કે લિયે ૧૦૦૦ રૂપયે માંગતે હૈ.. અબ મૈં હજાર રૂપયે કહાં સે લાઉ??" 

હું શોકડ થઈ ગયો! તરત જ એ બેનને અમારા આચાર્ય  પાસે લઈ ગયો. મેં આખી બીના જણાવી એમને કહ્યું, "હવે આ બેનને ત્રણ બાળકો છે, તો ખાતા ખોલાવવા માટે ૩૦૦૦ રૂપિયા ક્યાંથી લાવે બોલો??"

અમારા આચાર્યબેન તંત્રએ માંગેલા 'આંકડાઓમાં' વ્યસ્ત હતા! એ બોલ્યા, "જેટલું થાય એટલું કરો."

મેં સદામની મમ્મીને કહ્યું, "ખાતું ખૂલે તો ખોલાવો.. ના ખુલે તો વાંધો નહીં." (બેંકવાળાઓને દંડવાવાળું કોઈ જ નથી!! અંધેરી નગરી છે આ!! હદયનો આર્તનાદ છે આ!!)
******

શિષ્યવૃત્તિનું ખાતું 'ઝીરો' પૈસાથી ખોલવાનું હોવા છતાં આ બેંકવાળાઓ જે રીતે નાના માણસોને હેરાન કરે છે, એ અસહ્ય છે. જ્યારે બાળક પાસે આધારકાર્ડ કે બેંક એકાઉન્ટ નથી હોતું, ત્યારે એક પણ અધિકારી એ સાંભળવા તૈયાર નથી કે શા માટે નથી? કેટલા બધા પ્રોબ્લેમ છે વાલીઓના? આવા બધા દૌડા કરે તો એમની 'રોજની કમાઈ' ગુમાવે છે. ભાડેથી રહે છે. પોતાના પણ પુરાવા હોતા નથી. (શા માટે નથી?.. એ પાછો અલગ મુદ્દો છે!) માત્ર એક બાળક હોય તો હજુ એ પહોંચે પણ ૩-૪ હોય તો ક્યાં જાય? એમાંય વળી લાંબી લાઈનો, અને ધક્કા પર ધક્કા!! બાળકોની નિશાળમાં ગેરહાજરી વધે! વાલીઓ ઘણીવખત તો બાળકને શાળાએ મોકલવાનું જ બંધ કરી દે! ..અને વિચારે, આના કરતાં બાળકને પોતાની સાથે મજૂરીએ લઇ જવું વધુ સારું!! શુ તમે વિચારી શકો.. ક્રિમિનલો મોટેભાગે અભાવોમાં રહેતા લોકો જ શા માટે હોય છે?? ..અને એક્ચ્યુઅલ ક્રિમિનલ કોણ??
******

૧૫ દિવસ પછી સદામના મમ્મી ઉપરની ચિઠ્ઠી લઈને મને આપી! હું એ આપને શેર કરું છું. ખાસ જોશો કે બેંકવાળાએ કેટલા રૂપિયાથી ખાતું ખોલી આપ્યું છે?!!

 *અહીં ખાસ નોંધ લેશો કે સદામને નિમિત્ત બનાવી મેં સમગ્ર વાલીવર્ગની વેદના વર્ણવી છે. કારણ કે આવું કદાચ આખા ગુજરાતના બાળકો અને વાલીઓ સાથે થતું જ હશે, એમાં કોઈ શંકા નથી!!*

-યજ્ઞેશ રાજપૂત
 (આર્તનાદ ભાગ ૨)

ગુરુવાર, 1 જુલાઈ, 2021

..લાગે છે 'મેચ્યોરિટી'નું સૉફ્ટવેર અપડેટ થયું છે!!

હું કોઈ કવિ નથી.. કે નથી આ કોઈ કવિતા..
આ તો સ્ટ્રેટ ટુ હાર્ટ છે..!!
..લાગે છે 'મેચ્યોરિટી'નું સૉફ્ટવેર અપડેટ થયું છે!!
*****

પહેલાં.. જે પેજ ભરી-ભરીને લખાતું.. 
એ હવે બે લીટીમાં પતી જાય છે!! 
..લાગે છે 'મેચ્યોરિટી'નું સૉફ્ટવેર અપડેટ થયું છે!!

પહેલાં.. કશુંક જોઈને દિલમાં બળતરા થતી.. 
હવે ઠંડુ પાણી રેડી દઉં છું!!
..લાગે છે 'મેચ્યોરિટી'નું સૉફ્ટવેર અપડેટ થયું છે!!

પહેલાં.. કશુંક નવું કરવાં દોડધામ થતી..
હવે થોડો આરામ કરી લઉં છું!!
..લાગે છે 'મેચ્યોરિટી'નું સૉફ્ટવેર અપડેટ થયું છે!!

પહેલાં.. દરેક ચીજને બાળકની નજરે જોતો..
હવે 'દુનિયા'ની નજરે જોઉં છું!!
..લાગે છે 'મેચ્યોરિટી'નું સૉફ્ટવેર અપડેટ થયું છે!!

પહેલાં.. વગર વિચારે કૂદી પડતો..
હવે ઊંડાઈ માપી લઉં છું!!
..લાગે છે 'મેચ્યોરિટી'નું સૉફ્ટવેર અપડેટ થયું છે!!

પહેલાં.. કશુંક બદલવાની રાહ પકડતો..
હવે ખુદને જ બદલવાની કોશિશ કરું છું!!
..લાગે છે 'મેચ્યોરિટી'નું સૉફ્ટવેર અપડેટ થયું છે!!

પહેલાં.. દંભીઓની ભીડમાં મૂંઝાતો મુરઝાતો..
હવે ધર્મનું નામ જ 'સગવડીયો' છે.. એ જોઈને હસી લઉં છું!!
..લાગે છે 'મેચ્યોરિટી'નું સૉફ્ટવેર અપડેટ થયું છે!!

પહેલાં.. દેશદાઝમાં માત્ર લોહી ઉકળતું..
હવે તો હદય પણ ઉકળે છે..!!
..લાગે છે 'મેચ્યોરિટી'નાં સૉફ્ટવેરમાં અહીં જ કયાંક 'એરર' આવી છે!!

******

-યજ્ઞેશ રાજપુત
 લ.તા.૨.૭.૨૧

બુધવાર, 30 જૂન, 2021

શૈક્ષણિક સંવાદ

https://m.facebook.com/story.php?story_fbid=3005111419597067&id=100002947160151

"શૈક્ષણિક સંવાદ" (ફેસબુકમાં અમુક ફોટા કેવી રીતે વાંચવા.. એ સમજાવતી વખતે આ સંવાદ થયો!)

મને એવું લાગે છે કે આ સંવાદ 'વર્તમાન'માં જેમની સાથે થવો જોઈએ, એ સૌ આ વાસ્તવિકતા જાણતાં હોવાં છતાં કશું કરી શકતાં નથી! ..એટલે શું ખબર..? કદાચ 'ભવિષ્ય'ની સાથે સંવાદ કરવાથી આપણી 'એજ્યુકેશન સિસ્ટમ'માં કશુંક ચેન્જ આવે..!! 

***********

એક યુવાન અને એક વૃદ્ધ દાદા પડોશી હતાં. એ બંનેએ ઘરનાં આંગણામાં ફૂલછોડ વાવ્યા. દાદા પોતાનાં ફુલછોડને બહુ ન સાચવે.. ખાતર-પાણીયે બે-ત્રણ દિવસે આપે, ક્યારેક ન પણ આપે! એટલે એમનાં બગીચાના ફૂલ બહુ મોટાં અને સુંદર ન હતા. જ્યારે પેલો યુવાન ફુલછોડની ખૂબ કાળજી રાખે. દરરોજ ખાતર પાણી આપે. એનાં બગીચાના ફૂલ ખૂબ જ મોટાં અને સુંદર હતા.

એક દિવસ વાવાઝોડું આવ્યું. યુવાનના બગીચાના બધાં જ છોડ ઉખડી ગયા, જ્યારે દાદાનાં બગીચાના છોડ બચી ગયા. યુવાને આ જોઈ દાદાને પૂછ્યું, "તમે તો ફુલછોડની એટલી કાળજીયે નહોતાં રાખતા, છતાંય બચી ગયા.. જ્યારે મારા ફુલછોડને હું ખૂબ સાચવતો, છતાંય તૂટી ગયા, ઉખડી ગયા? આવું કેમ થયું?"

દાદાએ કહ્યું, "તમારી જનરેશનની આજ તો ખામી છે કે તમે ફુલછોડને એટલું બધું ખાતર-પાણી આપો છો કે એનાં મૂળિયાં ઊંડે સુધી જતાં જ નથી, એટલે સામાન્ય વાવાઝોડામાંય ઉખડી જાય છે! હું રોજ ખાતર-પાણી નહતો આપતો, એટલે મારા ફૂલછોડે પોતાને સર્વાઈવ કરવા પોતાનાં મૂળિયાં છેક જમીનમાં ઊંડે સુધી મોકલ્યા અને આ વાવાઝોડામાં બચી ગયા!"

************

શાળા નક્કી કરતી વખતે મોટાં ભાગના પેરેન્ટ્સ પોતાનાં બાળકને કોઈ તકલીફ ન પડે એવી શાળાઓ ધ્યાનમાં લે છે! ..ઇવન શાળાઓ પણ હવે પેરેન્ટ્સને આંજી દેવા એમનાં બાળકને કોઈ તકલીફ ન પડે એટલે શાળામાં મળતી ફેસિલિટીની જ એડવર્તાઇઝ કરે છે. કોઈપણ તકલીફ વગર ભણતું બાળક 'સુંદર મોટાં ફૂલ' જેવું તો બને  છે, પણ જીવનની મુશ્કેલી સામે ટકી શકતું નથી. બે-પાંચ કિમિ દૂર શાળા હોય તોય વેન બંધાવી દેતાં વાલીઓ અને આપણી શિક્ષણ સંસ્થાઓ, મારાં મતે, આપણાં દેશને એક ખોખલી પેઢી ભેટ ધરી રહ્યાં હોય એવું લાગે! મેં નજરે જોયું છે કે સહેજ નાણાંકીય સ્થિતિ સારી થતાં વેંત જ વાલી પોતાનાં બાળકને ખાનગી શાળામાં મૂકે છે! કોઈ વિષયમાં સહેજ ઓછાં માર્ક આવે, કે પછી એ વિષય જ ન આવડે તો આપણી શિક્ષણ પદ્ધતિ એવાં બાળકને 'ડોબું' સાબિત કરે છે. 

***************

મારાં વર્ગમાં સચિન તેંડુલકર ભણે છે, એ ક્રિકેટ સારું રમે છે. મારાં વર્ગમાં અમિતાભ બચ્ચન પણ ભણે છે, એ એક્ટિંગ સારી કરે છે. મારા વર્ગમાં કોકિલકંઠી લતા મંગેશકર પણ છે, એ ખૂબ સુંદર ગાય છે. મારા વર્ગમાં એક અબ્દુલ કલામ પણ છે, એ હંમેશા કંઈક નવું વિચારે છે. મારાં વર્ગમાં દારાસિંઘ પણ છે, એ હંમેશા લડવા તત્પર રહે છે. મારા વર્ગમાં એક સરદાર પટેલ પણ છે, એ આખા વર્ગને સારું લીડ કરે છે. અને હા.. વિવેકાનંદ તો રહી જ ગયો, કે જે ઉત્તમ સ્પીચ આપે છે. શકુન્તલાદેવી પણ છે, જે ગણિત સારું કરે છે. મોહનદાસ પણ છે, જે કોઈપણ પરિસ્થિતિમાં સાચું જ બોલે છે. એક સ્ટીવન સ્પીલબર્ગ પણ છે, જે નાટક જ કરતો હોય છે. એક દશરથ માંઝી પણ છે, જે ધૂની મિજાજનો છે. એક ડૉ. બાબાસાહેબ પણ છે, જે ખૂબ હોંશિયાર છે. એક ડિઝાઈનર મનીષ પણ છે, જેને ફેશનની સેન્સ છે. એક ૪૦૦-૫૦૦ કિમિ ચાલતો મજૂર પણ છે, જે ક્યારેય થાકતો નથી. એક મધર ટેરેસા પણ છે, જે પોતાનાં દરેક ભાઈ-બહેન પર કરુણામય છે. એક શૅફ સંજીવ પણ છે, જે સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. એક રવીન્દ્રનાથ ટાગોર પણ છે, જે સુંદર કવિતા લખે છે. એક વિજય માલ્યા પણ છે, જે બધાને છેતરે છે, ચોરી કરે છે. આ બધાની પોતાની આગવી સ્ટાઇલ છે, છટા છે, આવડત છે. એક લિયોનાર્દ વિન્સી પોતાની કલ્પનાઓને રંગો વડે બતાવે છે. આ સિવાય એવાં ઘણાં બાળકો છે, કે જેની શક્તિઓની તો મને પણ ખબર નથી!

હવે પરીક્ષા આવે છે.. એ બધાં બાળકોની! હું એમને પેપર આપું છું. પરીક્ષામાં પુછાયું છે..
પ્ર.૧   E = mc2 સમજાવો.
પ્ર.૨   (a+b) (a-b) = ? 
પ્ર.૩   ફલાણી યોજનાઓ વિશે લખો.
પ્ર.૪   ગ્લોબલ વોર્મિગ કેવી રીતે ઘટાડશો?
પ્ર.૫   અલંકાર-છંદનું ઉદાહરણ આપો.
પ્ર.૬  Write essay on "Importance of ENGLISH."
પ્ર.૭   ઔરંગઝેબની ઉદારતાઓ જણાવો.
પ્ર.૮   સજીવની રચના સમજાવો.
પ્ર.૯   લોકશાહી એટલે શું?
પ્ર.૧૦ "મલ્ટીનેશનલ કંપની અને આર્થિક પ્રગતિ" નોંધ લખો.

ત્રણ કલાક 'આવડે એવી ઊલટી' કર્યા પછી મારા વર્ગનું પર્ફોર્મન્સ નબળું દેખાય છે. આ પરફોર્મન્સથી હું તો નિરાશ છું જ, સાથે સાથે  બાળક, પેરેન્ટ્સ અને આખો સમાજ નિરાશ થાય છે. મારા વર્ગના અમુક બાળકોએ ખૂબ સારું પરફોર્મન્સ પણ આપ્યું છે. આવાં 'ટોપર' બાળકો જ્યારે જીવન સ્ટાર્ટ કરે છે, ત્યારે આ સવાલોનું કોઈ જ મહત્વ ન રહેતાં 'ટોપરાં'ની જેમ છીણાય છે, અને એમાંથી એકાદ 'આત્મહત્યા' પણ કરે છે! નાનપણથી જ મારાં માર્ક્સ વધુ આવે એવું વિચારતો બાળક મોટો થઈને સ્વાર્થી બને છે. સંવેદના ન શીખતું બાળક બીજાનાં દુઃખને સમજી શકતો નથી, અને પોતાનાં ફાયદા માટે ખોટું કરતાં અચકાતો નથી. ઘરડાં ઘર ભરાતાં જાય છે. અમીર-ગરીબની ખાઈ મોટી થતી જાય છે. સમાનતા, સ્વતંત્રતા, પ્રામાણિકતા બધું જ 'ટૂંકનોંધો'માં જ રહી જાય છે. સુવિચારો દીવાલ પર શોભે છે. આત્મ સમ્માન ગીરવે મુકાય છે, ખુશામત ખોરી શરૂ થાય છે. 'ખોટું કરવું' એ સત્ય બને છે. ગુંડાઓ પૂજાય છે. 

મેં પરીક્ષા વખતે બાળકને ગમે તે ચોપડી ખોલી એવું પૂછ્યું, "આ વાંચ તો.." .......એનાં કરતાં એમ પૂછ્યું હોત.. કે, "બેટા, આ બે પુંઠ્ઠા વચ્ચેનું છોડ.. તને શું આવડે છે, એ તું બતાવ.. આના આધારે તું હોંશિયાર કે નબળો, એ નક્કી થશે.."

....તો કદાચ મારા વર્ગનું દરેક બાળક પોતાની શક્તિઓ પિછાણીને 'આત્મનિર્ભર' બની શક્યું હોત! વર્ગમાં પોતાની આવડતનો ડંકો વગાડનાર વિશ્વમાં ડંકો વગાડવા સજ્જ બન્યું હોત! બધાં ને બધું આવડવું જરૂરી નથી એવું વાલીઓ સમજતા હોત..! બીજું બધું છોડો.. કમસે કમ પોતાની શક્તિઓ પર ગર્વ કરતું બાળક "આત્મહત્યા" તો ન જ કરતું! 'આત્મનિર્ભર' અને 'આત્મસમ્માન' શબ્દ સમજતા હોત! પોતાને સમજતું બાળક બીજાને સમજી શકત! ઘરડાઘર ન ભરાતાં! માર્કસનું મહત્વ ન રહેતા પરમાર્થનું વિચારત! ખુશામતખોરીની જગ્યાએ સાચાંને સાચું અને ખોટાને ખોટું કહેતાં શીખત! સિંહ ભલે ન બનત, પણ ઘેટુંય ન બનત! 

કદાચ મારા વાક્યો ઓવર હોઈ શકે, પણ ક્યાંક તો સત્ય હશે જ! તક્ષશિલા, વલભી અને નાલંદા જેવી 'વન' નંબરની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો ભારતમાં ભૂતકાળમાં હતી, અને હવે? પ્રથમ પચાસમાંય આવવા ફાંફા મારવા પડે, તો સમજો.. ભારતનો ભૂતકાળ ભવ્ય હતો, કેમકે શિક્ષણ પ્રણાલી સ્વદેશી હતી! માર્ક્સ વાળી.. અને વાદી નહિ! ખાટલે મોટી ખોડ.. 'એજ્યુકેશન સિસ્ટમ'માં છે, અને આપણે શોધીએ છીએ..??!! ક્યાં..??!!

***********

"તક્ષશિલા, વલભી અને નાલંદા જેવી વિદ્યાપીઠો વિદેશી આક્રમણ સામે જ્યારે તૂટતી હતી, ત્યારે એ સમયના/રાજ્યના રાજાઓ/લોકો શુ કરતાં હશે??"
.
.
"મારે શું?? આનો જવાબ આપીને મને શું મળવાનું?? તે હું જવાબ આપું?? જેને શોધવું હોય એ શોધે."

મંગળવાર, 19 જાન્યુઆરી, 2021

કાચની બરનીની વાર્તા

⭕MOTIVATION⭕

एक प्रोफ़ेसर कक्षा में आये और उन्होंने छात्रों से कहा कि वे 
आज जीवन का एक महत्वपूर्ण पाठ पढाने वाले हैं ...

उन्होंने अपने साथ लाई एक काँच की बडी बरनी ( जार ) टेबल पर रखा और उसमें 
टेबल टेनिस की गेंदें डालने लगे और तब तक डालते रहे जब तक कि उसमें एक भी गेंद समाने की जगह नहीं बची ... 
उन्होंने छात्रों से पूछा - क्या बरनी पूरी भर गई ? हाँ ... 
आवाज आई ... 
फ़िर प्रोफ़ेसर साहब ने छोटे - छोटे कंकर उसमें भरने शुरु किये धीरे - धीरे बरनी को हिलाया तो काफ़ी सारे कंकर उसमें जहाँ जगह खाली थी , समा गये , 
फ़िर से प्रोफ़ेसर साहब ने पूछा , क्या अब बरनी भर गई है , छात्रों ने एक बार फ़िर हाँ ... कहा 
अब प्रोफ़ेसर साहब ने रेत की थैली से हौले - हौले उस बरनी में रेत डालना शुरु किया , वह रेत भी उस जार में जहाँ संभव था बैठ गई , अब छात्र अपनी नादानी पर हँसे ... 
फ़िर प्रोफ़ेसर साहब ने पूछा , क्यों अब तो यह बरनी पूरी भर गई ना ? हाँ 
.. अब तो पूरी भर गई है .. सभी ने एक स्वर में कहा .. 

सर ने टेबल के नीचे से 
चाय के दो कप निकालकर उसमें की चाय जार में डाली , चाय भी रेत के बीच स्थित 
थोडी सी जगह में सोख ली गई ... 

प्रोफ़ेसर साहब ने गंभीर आवाज में समझाना शुरु किया 

इस काँच की बरनी को तुम लोग अपना जीवन समझो .... 

टेबल टेनिस की गेंदें सबसे महत्वपूर्ण भाग अर्थात भगवान , परिवार , बच्चे , मित्र , स्वास्थ्य और शौक हैं , 

छोटे कंकर मतलब तुम्हारी नौकरी , कार , बडा़ मकान आदि हैं , और 

रेत का मतलब और भी छोटी - छोटी बेकार सी बातें , मनमुटाव , झगडे़ है .. 

अब यदि तुमने काँच की बरनी में सबसे पहले रेत भरी होती तो टेबल टेनिस की गेंदों और कंकरों के लिये जगह ही नहीं बचती , या 
कंकर भर दिये होते तो गेंदें नहीं भर पाते , रेत जरूर आ सकती थी ... 
ठीक यही बात जीवन पर लागू होती है ... 

यदि तुम छोटी - छोटी बातों के पीछे पडे़ रहोगे 
और अपनी ऊर्जा उसमें नष्ट करोगे तो तुम्हारे पास मुख्य बातों के लिये अधिक समय 
नहीं रहेगा ... 

मन के सुख के लिये क्या जरूरी है ये तुम्हें तय करना है । अपने 
बच्चों के साथ खेलो , बगीचे में पानी डालो , सुबह पत्नी के साथ घूमने निकल जाओ , 
घर के बेकार सामान को बाहर निकाल फ़ेंको , मेडिकल चेक - अप करवाओ ... 
टेबल टेनिस गेंदों की फ़िक्र पहले करो , वही महत्वपूर्ण है ... पहले तय करो कि क्या जरूरी है 
... बाकी सब तो रेत है .. 
छात्र बडे़ ध्यान से सुन रहे थे .. 

अचानक एक ने पूछा , सर लेकिन आपने यह नहीं बताया 
कि " चाय के दो कप " क्या हैं ? 

प्रोफ़ेसर मुस्कुराये , बोले .. मैं सोच ही रहा था कि अभी तक ये सवाल किसी ने क्यों नहीं किया ... 
इसका उत्तर यह है कि , जीवन हमें कितना ही परिपूर्ण और संतुष्ट लगे , लेकिन 
अपने खास मित्र के साथ दो कप चाय पीने की जगह हमेशा होनी चाहिये । 

( अपने खास मित्रों और निकट के व्यक्तियों को यह विचार तत्काल बाँट दो .. मैंने अभी - अभी यही किया

રવિવાર, 3 જાન્યુઆરી, 2021

કોવિડ ડ્યુટીના 6 મહિના

આજે શાળામાં શિક્ષક વાઇઝ કોને કેટલી કોવિડ 19 ડ્યુટી કરી એના કુલ દિવસો મંગાવ્યા.. 21 માર્ચ લોકડાઉન થી અત્યારસુધીના..

મારા 163 દિવસ ડ્યુટીનાં થયા.. (હજુયે આ ડ્યુટી ચાલુ જ છે! હવે અલમોસ્ટ 6 મહિના થશે!)

🥴🥴🥴

મનમાં શાંતિ એ વાતનીય ખરી કે શાળા બંધ હોવા છતાં આ સમય દરમિયાન જ્યારે જ્યારે જેટલો સમય મળ્યો એ સમયમાં મારા શિક્ષકત્વને શોભે એવા હોમલર્નિંગ વીડિયો બનાવ્યા છે..😊😊

કુલ રિલીઝ થયેલા હોમલર્નિંગ વીડિયોની સંખ્યા 69!!

🤗🤗

128 gb ની મેમરીવાળા ફોનમાં અત્યારે માત્ર 10 gb બાકી છે.. 54 gb ના કુલ મળીને અંદાજે 100 જેટલા વીડિયો ફોનમાં જ પડ્યા છે.. *જેને યુટ્યૂબ પર રિલીઝ કરવાના હજુયે બાકી છે..* 20 gb જેટલો ડેટા એડિટિંગ કરવાનો બાકી છે.. 😊😊 જેઓ મને પર્સનલી ઓળખે છે.. અને મારી ચેનલને *subscribe* કરેલી છે એઓ જાણે છે કે લગભગ છેલ્લા ચાર મહિનાથી રેગ્યુલરલી અઠવાડિયે 4 દિવસ મારા વીડિયો રોજમરોજ રિલીઝ કરી રહ્યો છું.. હજુયે એ આશા છે કે બધા જ વીડિયો રિલીઝ કરી શકીશ..

વીડિયો બનાવવા માટે તૈયારી કરવી, શૂટિંગ કરવું, એડિટિંગ કરવું.. અને સાથે સાથે કોવિડ ડ્યુટી પ્લસ સ્કૂલના વાલી સંપર્કથી માંડીને એકાઉન્ટ ભેગા કરવા અને પુસ્તકો બાળકોના ઘેર ઘેર પહોંચાડવા સુધીના નાના-મોટા કામ પણ ખરાં! ..અને ફેમિલીમેન પણ ખરો! મારા પત્નીજી, જે પોતે પણ શિક્ષક છે, એની મદદ વગર આ બધું શક્ય નથી! એને તો મારા કરતાં પણ કામ વધી જાય.. કેમ કે ઉચ્ચ પ્રાઇમરીમાં, એમાંય મેથ્સ-સાયન્સના શિક્ષક હોવાથી ઘર, સ્કૂલ, એકમ કસોટી અને કોવિડ ડ્યુટીનુય કામ ખરું! (એને 93 દિવસ આજની તારીખે થયાં.. હજુયે ડ્યુટી ચાલુ છે!)

..અને વ્હાલી ડાહી દીકરી તન્વીને કેમ ભુલાય! દરરોજ એક કલાક એની સાથે કોઈને કોઈ વાતની ચર્ચા થાય એ લટકામાં! 👍👍🤗🤗

બાય ધ વે, અમે હવે નિશાચર બની ચુક્યા છીએ!! 🥱🥱🙇‍♂️🙇‍♂️ રાતનાં બારેક વાગે અમારી રાત પડે છે..!! ..અને સવારનો સમય બદલાયો નથી.😊😊

*ઘરે શીખીએ પ્રવૃત્તિઓ અને હોમલર્નિંગ માટે નીચેની લિંક પર ક્લિક કરો*

https://youtube.com/user/rajputyagnesh

સોમવાર, 21 ડિસેમ્બર, 2020

IAS-IPS-UPSC-GPSC જેવી પરિક્ષાઓના 'બબૂચક' સવાલો વિશે..

*આજે જ શાળામાં આ વાત થયેલી, કે UPSC-GPSC જેવી પરીક્ષાઓમાં નાની ઉંમરે પાસ થનારી વ્યક્તિઓને કેવાં પ્રશ્નો પૂછવામાં આવે છે?? એ નીચે વાંચો.. આ પ્રશ્નો અને પ્રાંત અધિકારી બનવા વચ્ચે કોઈ તાલમેલ હોય એવું લાગે છે ખરું??.. ઘણાંખરાં ટ્રીકી પ્રશ્નો અકબર-બીરબલ ટાઇપની વાર્તાઓ જેવાં હોય એવું લાગે કે નહિ??*

*અને જસ્ટ વિચારો.. કે કોઈ વ્યક્તિ પોતાની વાકપટુતા અને પુસ્તકિયા જ્ઞાનની મદદથી મગજમાં ભરેલી માહિતીઓથી આવી કોઈ પરીક્ષા પાસ કરીને કોઈ મોટો અધિકારી બનીને કોઈ પ્રાંત ચલાવે.. તો એની આ વાક પટુતા અને પ્રાંત ચલાવવાના અનુભવ વચ્ચે કોઈ સંબંધ ખરો?? આવી વાકપટુતાથી પરીક્ષાઓ પાસ કરીને પ્રાંત અધિકારી બનતો વ્યક્તિ જે-તે પ્રાંતના ગ્રાઉન્ડ લેવલે શુ તકલીફો હોય એ શું જાણે?? ..અને આવા વ્યક્તિઓ કોઈ લેભાગુ રાજકારણીઓની કારણ વિનાની મહેચ્છાઓને પૂર્ણ કરવા વર્ષોનાં અનુભવી ફિલ્ડ વર્કરોને ધન્ધે લગાડે કે નહિ??* 

આ લેખનો મૂળ સોર્સ નીચેની લિંક પરથી લેવામાં આવ્યો છે:👇👇

https://gujaratilekh.com/how-peacock-born/

કયા ફળને પાકવામાં બે વર્ષ લાગે છે? IAS ઇન્ટરવ્યુના અજબ સવાલના ગજબ જવાબ જરૂર જાણો. મિત્રો, આઈએએસ અથવા આઈપીએસ બનવા માટે ફક્ત યુપીએસસી પરીક્ષા પાસ કરવી જરૂરી નથી. પ્રી, મેઇન્સ પરીક્ષા પાસ કર્યા પછી સૌથી મોટી લડાઈ ઉમેદવારે ઇન્ટરવ્યૂમાં લડવાની હોય છે. ઇન્ટરવ્યૂના ટ્રિકી સવાલોમાં ઘણા ઉમેદવાર ફેલ થઈ જાય છે. 

સવાલ : એક છોકરીને જોઈ વ્યક્તિએ કહ્યું તેની માતાના પિતા મારા સસરા છે, તો બંને વચ્ચે શું સંબંધ થયો?

જવાબ : બાપ-દીકરી.

સવાલ : એક ફોટાને જોઈ રોહિતે કહ્યું – તે મારા ભાઈના પિતાની એકમાત્ર દીકરીનો દીકરો છે. રોહિતનો ફોટાવાળા વ્યક્તિ સાથે કયો સંબંધ છે?

જવાબ : મામા-ભાણેજ.

સવાલ : કાળું મૃત્યુ કોને કહેવામાં આવે છે?

જવાબ : પ્લેગ નામની બીમારીને. યુરોપના ઇતિહાસનો એક અધ્યાય છે, જેમાં 7.5 થી 20 કરોડ લોકોના મૃત્યુ થયા હતા. તેની શરૂઆત 1346 થી 1353 માં થઈ હતી. લગભગ 10 વર્ષની અંદર કરોડો લોકો આ કાળી બીમારીને કારણે મૃત્યુ પામ્યા હતા.

સવાલ : એક સ્વસ્થ મનુષ્યના શરીરમાં કેટલું લોહી હોય છે?

જવાબ : એક સ્વસ્થ મનુષ્યના શરીરમાં લગભગ વજનના 7% જેટલું લોહી હોય છે. આ રીતે એક સ્વસ્થ માણસ જેનું વજન 70-80 કિલો હોય તો તેના શરીરમાં લગભગ 5 થી 5.5 લીટર લોહી હોય છે.

સવાલ : માછલી ખાધા પછી દૂધ કેમ નહિ પીવું જોઈએ?

જવાબ : માછલી ખાધા પછી રોજ દૂધ પીવાથી Leukoderma થઈ શકે છે, આ તે બીમારી છે જેનાથી શરીરમાં સફેદ દાખ, ફોલ્લીઓ પડી જાય છે. એટલે માછલી ખાધા પછી દૂધ, દહીંનું સેવન કરવાની ના પાડવામાં આવે છે.

સવાલ : ક્યા દિવસમાં ફક્ત 40 મિનિટની રાત હોય છે?

જવાબ : નોર્વેમાં ફક્ત 40 મિનિટની રાત હોય છે. એટલા માટે તેને country of midnight sun કહેવામાં આવે છે.

સવાલ : તે શું છે જે આવ્યા પછી સતત વધ્યા કરે છે?

જવાબ : લાલચ. એક વાર કોઈને લાલચ આવી જાય તો તે વધ્યા જ કરે છે.

સવાલ : મોર ઈંડા નથી આપતા તો તેના બચ્ચા કેવી રીતે જન્મે છે?

જવાબ : માદા મોર ઈંડા આપે છે, નર મોર નહિ.

સવાલ : કયા દેશના લોકો કુતરાનું દૂધ પણ પીવે છે?

જવાબ : ઇન્ટરનેટ પર રહેલી જાણકારી અનુસાર મોનો દેશના લોકો કુતરાનું દૂધ પીવે છે. મોનો દેશમાં મૂળ અમેરિકાના લોકો છે. જોકે, કુતરાનું દૂધ પીવું ખોટું માનવામાં આવે છે.

સવાલ : ચા પીધા પછી પાણી કેમ નહિ પીવું જોઈએ?

જવાબ : ચા પીધા પછી પાણી પીવાથી પાચન ખરાબ થઈ જાય છે. બીજું દાંતમાં પાયરિયા રોગની પણ શક્યતા થઈ જાય છે. ગરમ ચા ઉપર ઠંડુ પાણી પીવું નુકશાનકારક છે, તેનાથી પેટ ખરાબ થઈ શકે છે.

સવાલ : ઇન્ટરવ્યૂમાં ઉમેદવાર માટે એક કપ કોફી લાવવાનો આદેશ આપવામાં આવ્યો. કોફી આવી અને તેને ઉમેદવારની સામે મુકવામાં આવી. પછી ઉમેદવારને પૂછવામાં આવ્યું, what is before you?

જવાબ : ઉમેદવારે કહ્યું T comes before U. વર્ણમાળામાં ‘ટી’ એ ‘યુ’ પહેલા આવે છે.

સવાલ : સમોસાને અંગ્રેજીમાં શું કહે છે?

જવાબ : Curry Puff Rissole.

સવાલ : એક વ્યક્તિને જોઈ સુમિતે અનિલને કહ્યું – તે મારા દાદાના પૌત્રના પિતાના પિતાનો જમાઈ છે. જણાવો તે વ્યક્તિ સુમિતના કોણ થાય?

જવાબ : ફુવા.

સવાલ : એવી કઈ વસ્તુ છે જે પાણી પિતા જ મરી જાય છે?

જવાબ : તરસ.

સવાલ : પોતાના હાથેથી બનાવેલી કઈ વસ્તુ માણસ હવામાં ઉડાવી દે છે?

જવાબ : પતંગ.

સવાલ : તે શું છે જેને લોકો કોર્ટ કચેરી કે પોલીસ સ્ટેશન દરેક જગ્યાએ ખાવાનું કહેવામાં આવે છે?

જવાબ : કસમ.

સવાલ : કયા ફૂલને પાકવામાં 2 વર્ષ લાગે છે?

જવાબ : રેફલીસિયા ફૂલ, તે મલેશિયા અને ઇન્ડોનેશિયામાં મળી આવતું એક આશ્ચર્યજનક પરજીવી છોડ છે, જેનું ફૂલ વનસ્પતિ જગતના દરેક છોડના ફૂલોથી મોટું, લગભગ 14 મીટર વ્યાસનું હોય છે અને તેનું વજન 10 કિલોગ્રામ હોઈ શકે છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

રવિવાર, 29 નવેમ્બર, 2020

"હેલો.. હું આરોગ્યભવનથી બોલું છું.."

"હેલો.. હું આરોગ્યભવનથી બોલું છું.."

************

હાલ કોવિડ-૧૯ અંતર્ગત આરોગ્ય ભવન ખાતે  કામગીરી ચાલુ છે. પેશન્ટને ગવર્નમેન્ટ કોલિંગ કરવાનું કામ છે. રોજનાં પોઝિટિવ આવેલાં વ્યક્તિઓને કોલિંગ કરીને કરંટ હેલ્થ સ્ટેટ્સ, સ્ટીકર, હોસ્પિટલનું નામ સહિતની આઠેક કોલમની ડિટેલ્સ ભરવાની હોય છે. દિવાળી અને બેસતાંવર્ષ જેવાં તહેવારના દિવસો અને રવિવાર સહિત એકેય દિવસની રજા મળ્યા વગર લોકોને ફોન કરવાની આ કામગીરી ખરેખર શારીરિક અને માનસિક બંને રીતે થકવી દેનારી છે.. કેમ કે ફોન સાથે અને અવનવી પ્રકૃતિ ધરાવતા લોકો સાથે ડીલ કરવાનું છે! રોજના આશરે ૧૫૦ થી ૨૦૦ (અત્યારસુધીનો સૌથી મોટો આંકડો ૨૧૭!! જો કેસ વધે તો આ આંકડો પણ વધી શકે!!) વ્યક્તિઓને કોલ કરવામાં પાંચથી છ કલાક અને ક્યારેક તો સાત કલાક પણ સતત કોલિંગ ચાલે છે. ફોનના ખતરનાક વેવ્સ   સ્વભાવે ચીડિયાપણું લાવવા કાફી છે..!! ..અને લોકોનાં અવનવાં જવાબો અને વાતો મારાં જેવાં સેન્સિટિવ વ્યક્તિઓને ચોક્કસ માનસિક અસર કરે, જાડી ચામડીવાળા હોય તો કોઈ ફરક ન પડે! કામ પૂરું થયા પછી એકાદ-બે કલાક કોઈ ન બોલાવે તો મજા પડે એવું ફીલ થયાં કરે!!

આટલાં દિવસોથી આ ગવર્નમેન્ટ કોલિંગનું કામ કરવાનાં અનુભવથી લોકોનાં વર્તન બાબતે મનમાં કેટલીક ધારણાઓ બંધાઈ છે.. જે ૭૦% સુધી હવે સાચી પડે છે!

(૧) ભગવાનની કોલર ટ્યુન ધરાવતાં ૬૦% લોકો એક જ વખતનાં કોલથી ફોન રિસીવ નથી કરતાં.. એવરેજ ત્રણ વખત કોલ કરવો પડે છે..અને બાકીનાં ૪૦% લોકોએ બધું ભગવાન પર જ છોડી દીધું હોય છે.

(૨) ૫૦% થી વધુ કોલિંગ ૪૦-૬૦+ ની આસપાસની વયનાં લોકોનું છે. 

(૩) મોટેભાગે દિવસનાં પહેલાં પાંચમાંથી ત્રણ કોલ કાં તો ઇનવેલીડ હોય છે, કાં તો કોઈ ઉપાડતું નથી, કાં તો વ્યસ્ત હોય છે અને કાં તો રોંગ નંબર હોય છે. (મરફી નો લૉ, અહીં પણ કામ કરે છે.. જો કોલ રિસીવ થાય તો લાગટ રિસીવ થાય.. અને ના થાય તો લાગટ ન થાય!!)

(૪) ૭૦ થી ૮૦% લોકો સારી રીતે વાત કરે છે, પણ બાકીનાં લોકોનું વર્તન એટલું બેહૂદુ હોય છે કે જાણે મારે અને એમને બાપે માર્યા વેર ના હોય!!??

(૫) આશરે ૧૦% મો.નં. રોંગ નં હોય છે.. અને આ ૧૦% લોકોમાંથી ૫૦% લોકો એટલી અસભ્ય અને ગંદી ગાળો સુધ્ધા આપી દેતાં હોય છે, કે મારે તરત જ ફોન મૂકી દેવો પડે! વળી ધમકી ય આપે! (આરોગ્ય ભવનનું સિયુજી સિમકાર્ડ છે. વળી હું પોતે સરકારી કર્મચારી.. અને એથીય વધુ મારો સ્વભાવ આવાં ગાળો આપતાં અને અસભ્ય વાતો કરનારાં લોકોને વળતો જવાબ આપવા સક્ષમ હોવા છતાં આવાં લોકોને હું કોઈજ જવાબ આપ્યા વગર ફોન જ મૂકી દઉં છું.)

(૬) પેશન્ટના રોંગ મો. નં. છેક આસામ, આંધ્ર પ્રદેશ પણ લાગતાં હોય છે.. ઓડિસી, આસામી, કન્નડ, તમિલ, તેલુગુ કે મલયાલમ જેવી ભાષાઓ મને એકસરખી જ લાગતી હોય એટલે એ લોકો શુ બોલે એ ન સમજાય, એટલે સૌથી ખરાબ અનુભવ (હિન્દી ભાષા સમજી શકવાને કારણે) યુપી-રાજસ્થાન-એમપી અને આપણાં ગુજરાતનાં હોય એવું લાગે!

(૭) સૌથી સરસ રીતે વાત મિલિટરી હોસ્પિટલમાં દાખલ આપણાં સૈનિકો/આર્મીવાળા કરે છે. 

(૮) મને ડોક્ટર સમજીને રડી-રડીને પોતાની અને રિલેટિવની ચિંતા કરનારા લોકો ઓછાં નથી. મને એમની ચિંતા એમની વાતોમાંય દેખાય છે, અને હું એમની ચિંતા દૂર કરવા એમની સાથે વધુ સારી રીતે વાત કરવા સિવાય બીજું કશું કરી શકતો નથી.

(૯) બીએસએનએલ, એઝ યુઝવલ, સક્ષમ હોવાં છતાં મોટેભાગે આઉટ ઓફ કવરેજ રહે છે. (કોલિંગ વખતે ટું.. ટું.. થયા કરે!!)

(૧૦) ૨૦-૨૫ વર્ષની મોટાભાગની યુવતીઓ ખૂબ જ 'લેઝી' રીતે ઊંઘમાંથી ઉઠી હોય એવી રીતે જ જવાબ આપે, જ્યારે આટલી જ ઉંમરનાં મોટાભાગનાં યુવાનો મને ગુસ્સામાં પૂછે કે, ''હું કેવી રીતે પોઝિટિવ આવ્યો?? મને તો શરદી-ખાંસી કાંઈ નથી.''

(૧૧) "મારો પોઝિટિવ-નેગેટિવ વાળો રિપોર્ટ મને નથી મળ્યો, મારે ક્યાંથી લેવાનો??" આ સવાલ સૌથી વધુ લોકો પૂછે છે.

(૧૨) ડોસા/ડોશીમાંથી કોઈ એક હોસ્પિટલમાં દાખલ થયાં હોય તો ઘરમાં એકલાં પડી ગયેલાં ડોસા/ડોશી બીજાની ખૂબ જ ચિંતા કરે, અને એવાં સવાલો પૂછે કે આપણે એમની વાતોમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ અનુભવી શકીએ.

(૧૩) મોટાં-મોટાં હોર્ન/વાહનો અને બજારમાંથી આવતા અવાજો ફોન પર સંભળાતા હોવાં છતાં એવું કહેવાવાળા ઓછાં નથી કે, "હું તો ઘરે હોમ કોરાંટાઇન છું.. ઉપરનાં માળે!!"

(૧૪) "ઓ સાહેબ.. મારાં ઘરે કોઈ સ્ટીકર-વિકર લગાવવા આવતાં નહિ હોં.. આજુબાજુવાળા/મકાનમાલિક અમને રહેવા નહિ દે. પછી અમારે ક્યાં રહેવા જવું??"

(૧૫) પીજી હોસ્ટેલનું સરનામું ધરાવતા ૬૦ થી ૭૦% ડૉ. મોબાઈલ ધારકો ફોન ઉપાડતા નથી અથવા તો ઇનવેલીડ હોય છે. ડૉ. હોય તેવાં મોબાઈલ નં. ધારકો કોઈ હોટલમાં આઇસોલેટ હોય તો તરત જ ફોન ઉપાડે છે.

(૧૬) "હું મીડિયામાં છું.. હું લોકલ પોલિટીશિયનને ઓળખું છું.. હું આ ડોક્ટરને ઓળખું છું/પોતે જ ડોકટર છું.. હું વિદેશમાં હતો/જવાનો છું." આ ટાઇપની ઓળખ આપી "મારાં ઘરમાં હજુ કોઈ ડોકટર આવ્યા નથી/સેનિટાઈઝ કરવા આવ્યા નથી/હોસ્પિટલમાંથી કોઈ માહિતી મળતી નથી.." ની ફરિયાદ પણ કરતાં હોય છે. 

(૧૭) ૫૦% થી વધુ લોકો શોર્ટ એન્ડ સ્વીટ એકદમ સભ્યતાથી ફોન પર વાત કરે છે. જ્યારે અમુક કારણ વગર તાણી-તુસીને ચોળીને ચીકણું કરી રાઈનો પહાડ બનાવી 'બધું જ સ્ટેબલ છે' એવું કહે!!

(૧૮) "મારાં .....(રિલેટિવ) મરી ગયા પછી તમે ફોન કરો છો??" એવું ગુસ્સાથી બોલવાવાળા ઓછાં નથી. (એકે તો એવું કહેલું કે.. "તમે બધાંએ ભેગાં મળીને મારી માં ને મારી નાંખી.. હું તમારાં બધાં પર કેસ કરવાનો છું.")

(૧૯) "આજના જ દિવસે મને આ બાબતે પૂછવાવાળા તમે ચોથા/પાંચમા વ્યક્તિ છો.. એટલે બસ મારે બધાને આ જ કહે-કહે કરવાનું??" ..અને આનો બિલકુલ વિરોધાભાસ.. "મારા એક રિલેટિવ માટે તમે ચાર-પાંચ લોકો પૂછપરછ કરો છો.. જોરદાર કહેવાય.. બહુ સરસ.." આવાં બે પ્રકારના સ્ટેટમેન્ટ બેક ટુ બેક સાંભળવા પણ મળ્યા છે/મળે છે.

(૨૦) હજુ કૈક રહી જ જતું હશે, જે જ્યારે અનુભવાશે ત્યારે કોમેન્ટમાં લખતો રહીશ.. 

************

24×7 હેલ્પલાઈનમાં અને કોલ સેન્ટરમાં કામ કરતાં લોકો પ્રત્યે સહાનુભૂતિ કેળવી શકું છું. ક્યારેક કોઈ વાતે મારાં તરફથી એમને જો કોઈ વાતે અપમાન થયું હોય તો એવાં અજાણ્યા લોકો મને માફ કરે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.

લ.તા. 29.11.20

https://m.facebook.com/story.php?story_fbid=3441372419304296&id=100002947160151