મંગળવાર, 19 જાન્યુઆરી, 2021

કાચની બરનીની વાર્તા

⭕MOTIVATION⭕

एक प्रोफ़ेसर कक्षा में आये और उन्होंने छात्रों से कहा कि वे 
आज जीवन का एक महत्वपूर्ण पाठ पढाने वाले हैं ...

उन्होंने अपने साथ लाई एक काँच की बडी बरनी ( जार ) टेबल पर रखा और उसमें 
टेबल टेनिस की गेंदें डालने लगे और तब तक डालते रहे जब तक कि उसमें एक भी गेंद समाने की जगह नहीं बची ... 
उन्होंने छात्रों से पूछा - क्या बरनी पूरी भर गई ? हाँ ... 
आवाज आई ... 
फ़िर प्रोफ़ेसर साहब ने छोटे - छोटे कंकर उसमें भरने शुरु किये धीरे - धीरे बरनी को हिलाया तो काफ़ी सारे कंकर उसमें जहाँ जगह खाली थी , समा गये , 
फ़िर से प्रोफ़ेसर साहब ने पूछा , क्या अब बरनी भर गई है , छात्रों ने एक बार फ़िर हाँ ... कहा 
अब प्रोफ़ेसर साहब ने रेत की थैली से हौले - हौले उस बरनी में रेत डालना शुरु किया , वह रेत भी उस जार में जहाँ संभव था बैठ गई , अब छात्र अपनी नादानी पर हँसे ... 
फ़िर प्रोफ़ेसर साहब ने पूछा , क्यों अब तो यह बरनी पूरी भर गई ना ? हाँ 
.. अब तो पूरी भर गई है .. सभी ने एक स्वर में कहा .. 

सर ने टेबल के नीचे से 
चाय के दो कप निकालकर उसमें की चाय जार में डाली , चाय भी रेत के बीच स्थित 
थोडी सी जगह में सोख ली गई ... 

प्रोफ़ेसर साहब ने गंभीर आवाज में समझाना शुरु किया 

इस काँच की बरनी को तुम लोग अपना जीवन समझो .... 

टेबल टेनिस की गेंदें सबसे महत्वपूर्ण भाग अर्थात भगवान , परिवार , बच्चे , मित्र , स्वास्थ्य और शौक हैं , 

छोटे कंकर मतलब तुम्हारी नौकरी , कार , बडा़ मकान आदि हैं , और 

रेत का मतलब और भी छोटी - छोटी बेकार सी बातें , मनमुटाव , झगडे़ है .. 

अब यदि तुमने काँच की बरनी में सबसे पहले रेत भरी होती तो टेबल टेनिस की गेंदों और कंकरों के लिये जगह ही नहीं बचती , या 
कंकर भर दिये होते तो गेंदें नहीं भर पाते , रेत जरूर आ सकती थी ... 
ठीक यही बात जीवन पर लागू होती है ... 

यदि तुम छोटी - छोटी बातों के पीछे पडे़ रहोगे 
और अपनी ऊर्जा उसमें नष्ट करोगे तो तुम्हारे पास मुख्य बातों के लिये अधिक समय 
नहीं रहेगा ... 

मन के सुख के लिये क्या जरूरी है ये तुम्हें तय करना है । अपने 
बच्चों के साथ खेलो , बगीचे में पानी डालो , सुबह पत्नी के साथ घूमने निकल जाओ , 
घर के बेकार सामान को बाहर निकाल फ़ेंको , मेडिकल चेक - अप करवाओ ... 
टेबल टेनिस गेंदों की फ़िक्र पहले करो , वही महत्वपूर्ण है ... पहले तय करो कि क्या जरूरी है 
... बाकी सब तो रेत है .. 
छात्र बडे़ ध्यान से सुन रहे थे .. 

अचानक एक ने पूछा , सर लेकिन आपने यह नहीं बताया 
कि " चाय के दो कप " क्या हैं ? 

प्रोफ़ेसर मुस्कुराये , बोले .. मैं सोच ही रहा था कि अभी तक ये सवाल किसी ने क्यों नहीं किया ... 
इसका उत्तर यह है कि , जीवन हमें कितना ही परिपूर्ण और संतुष्ट लगे , लेकिन 
अपने खास मित्र के साथ दो कप चाय पीने की जगह हमेशा होनी चाहिये । 

( अपने खास मित्रों और निकट के व्यक्तियों को यह विचार तत्काल बाँट दो .. मैंने अभी - अभी यही किया

રવિવાર, 3 જાન્યુઆરી, 2021

કોવિડ ડ્યુટીના 6 મહિના

આજે શાળામાં શિક્ષક વાઇઝ કોને કેટલી કોવિડ 19 ડ્યુટી કરી એના કુલ દિવસો મંગાવ્યા.. 21 માર્ચ લોકડાઉન થી અત્યારસુધીના..

મારા 163 દિવસ ડ્યુટીનાં થયા.. (હજુયે આ ડ્યુટી ચાલુ જ છે! હવે અલમોસ્ટ 6 મહિના થશે!)

🥴🥴🥴

મનમાં શાંતિ એ વાતનીય ખરી કે શાળા બંધ હોવા છતાં આ સમય દરમિયાન જ્યારે જ્યારે જેટલો સમય મળ્યો એ સમયમાં મારા શિક્ષકત્વને શોભે એવા હોમલર્નિંગ વીડિયો બનાવ્યા છે..😊😊

કુલ રિલીઝ થયેલા હોમલર્નિંગ વીડિયોની સંખ્યા 69!!

🤗🤗

128 gb ની મેમરીવાળા ફોનમાં અત્યારે માત્ર 10 gb બાકી છે.. 54 gb ના કુલ મળીને અંદાજે 100 જેટલા વીડિયો ફોનમાં જ પડ્યા છે.. *જેને યુટ્યૂબ પર રિલીઝ કરવાના હજુયે બાકી છે..* 20 gb જેટલો ડેટા એડિટિંગ કરવાનો બાકી છે.. 😊😊 જેઓ મને પર્સનલી ઓળખે છે.. અને મારી ચેનલને *subscribe* કરેલી છે એઓ જાણે છે કે લગભગ છેલ્લા ચાર મહિનાથી રેગ્યુલરલી અઠવાડિયે 4 દિવસ મારા વીડિયો રોજમરોજ રિલીઝ કરી રહ્યો છું.. હજુયે એ આશા છે કે બધા જ વીડિયો રિલીઝ કરી શકીશ..

વીડિયો બનાવવા માટે તૈયારી કરવી, શૂટિંગ કરવું, એડિટિંગ કરવું.. અને સાથે સાથે કોવિડ ડ્યુટી પ્લસ સ્કૂલના વાલી સંપર્કથી માંડીને એકાઉન્ટ ભેગા કરવા અને પુસ્તકો બાળકોના ઘેર ઘેર પહોંચાડવા સુધીના નાના-મોટા કામ પણ ખરાં! ..અને ફેમિલીમેન પણ ખરો! મારા પત્નીજી, જે પોતે પણ શિક્ષક છે, એની મદદ વગર આ બધું શક્ય નથી! એને તો મારા કરતાં પણ કામ વધી જાય.. કેમ કે ઉચ્ચ પ્રાઇમરીમાં, એમાંય મેથ્સ-સાયન્સના શિક્ષક હોવાથી ઘર, સ્કૂલ, એકમ કસોટી અને કોવિડ ડ્યુટીનુય કામ ખરું! (એને 93 દિવસ આજની તારીખે થયાં.. હજુયે ડ્યુટી ચાલુ છે!)

..અને વ્હાલી ડાહી દીકરી તન્વીને કેમ ભુલાય! દરરોજ એક કલાક એની સાથે કોઈને કોઈ વાતની ચર્ચા થાય એ લટકામાં! 👍👍🤗🤗

બાય ધ વે, અમે હવે નિશાચર બની ચુક્યા છીએ!! 🥱🥱🙇‍♂️🙇‍♂️ રાતનાં બારેક વાગે અમારી રાત પડે છે..!! ..અને સવારનો સમય બદલાયો નથી.😊😊

*ઘરે શીખીએ પ્રવૃત્તિઓ અને હોમલર્નિંગ માટે નીચેની લિંક પર ક્લિક કરો*

https://youtube.com/user/rajputyagnesh

સોમવાર, 21 ડિસેમ્બર, 2020

IAS-IPS-UPSC-GPSC જેવી પરિક્ષાઓના 'બબૂચક' સવાલો વિશે..

*આજે જ શાળામાં આ વાત થયેલી, કે UPSC-GPSC જેવી પરીક્ષાઓમાં નાની ઉંમરે પાસ થનારી વ્યક્તિઓને કેવાં પ્રશ્નો પૂછવામાં આવે છે?? એ નીચે વાંચો.. આ પ્રશ્નો અને પ્રાંત અધિકારી બનવા વચ્ચે કોઈ તાલમેલ હોય એવું લાગે છે ખરું??.. ઘણાંખરાં ટ્રીકી પ્રશ્નો અકબર-બીરબલ ટાઇપની વાર્તાઓ જેવાં હોય એવું લાગે કે નહિ??*

*અને જસ્ટ વિચારો.. કે કોઈ વ્યક્તિ પોતાની વાકપટુતા અને પુસ્તકિયા જ્ઞાનની મદદથી મગજમાં ભરેલી માહિતીઓથી આવી કોઈ પરીક્ષા પાસ કરીને કોઈ મોટો અધિકારી બનીને કોઈ પ્રાંત ચલાવે.. તો એની આ વાક પટુતા અને પ્રાંત ચલાવવાના અનુભવ વચ્ચે કોઈ સંબંધ ખરો?? આવી વાકપટુતાથી પરીક્ષાઓ પાસ કરીને પ્રાંત અધિકારી બનતો વ્યક્તિ જે-તે પ્રાંતના ગ્રાઉન્ડ લેવલે શુ તકલીફો હોય એ શું જાણે?? ..અને આવા વ્યક્તિઓ કોઈ લેભાગુ રાજકારણીઓની કારણ વિનાની મહેચ્છાઓને પૂર્ણ કરવા વર્ષોનાં અનુભવી ફિલ્ડ વર્કરોને ધન્ધે લગાડે કે નહિ??* 

આ લેખનો મૂળ સોર્સ નીચેની લિંક પરથી લેવામાં આવ્યો છે:👇👇

https://gujaratilekh.com/how-peacock-born/

કયા ફળને પાકવામાં બે વર્ષ લાગે છે? IAS ઇન્ટરવ્યુના અજબ સવાલના ગજબ જવાબ જરૂર જાણો. મિત્રો, આઈએએસ અથવા આઈપીએસ બનવા માટે ફક્ત યુપીએસસી પરીક્ષા પાસ કરવી જરૂરી નથી. પ્રી, મેઇન્સ પરીક્ષા પાસ કર્યા પછી સૌથી મોટી લડાઈ ઉમેદવારે ઇન્ટરવ્યૂમાં લડવાની હોય છે. ઇન્ટરવ્યૂના ટ્રિકી સવાલોમાં ઘણા ઉમેદવાર ફેલ થઈ જાય છે. 

સવાલ : એક છોકરીને જોઈ વ્યક્તિએ કહ્યું તેની માતાના પિતા મારા સસરા છે, તો બંને વચ્ચે શું સંબંધ થયો?

જવાબ : બાપ-દીકરી.

સવાલ : એક ફોટાને જોઈ રોહિતે કહ્યું – તે મારા ભાઈના પિતાની એકમાત્ર દીકરીનો દીકરો છે. રોહિતનો ફોટાવાળા વ્યક્તિ સાથે કયો સંબંધ છે?

જવાબ : મામા-ભાણેજ.

સવાલ : કાળું મૃત્યુ કોને કહેવામાં આવે છે?

જવાબ : પ્લેગ નામની બીમારીને. યુરોપના ઇતિહાસનો એક અધ્યાય છે, જેમાં 7.5 થી 20 કરોડ લોકોના મૃત્યુ થયા હતા. તેની શરૂઆત 1346 થી 1353 માં થઈ હતી. લગભગ 10 વર્ષની અંદર કરોડો લોકો આ કાળી બીમારીને કારણે મૃત્યુ પામ્યા હતા.

સવાલ : એક સ્વસ્થ મનુષ્યના શરીરમાં કેટલું લોહી હોય છે?

જવાબ : એક સ્વસ્થ મનુષ્યના શરીરમાં લગભગ વજનના 7% જેટલું લોહી હોય છે. આ રીતે એક સ્વસ્થ માણસ જેનું વજન 70-80 કિલો હોય તો તેના શરીરમાં લગભગ 5 થી 5.5 લીટર લોહી હોય છે.

સવાલ : માછલી ખાધા પછી દૂધ કેમ નહિ પીવું જોઈએ?

જવાબ : માછલી ખાધા પછી રોજ દૂધ પીવાથી Leukoderma થઈ શકે છે, આ તે બીમારી છે જેનાથી શરીરમાં સફેદ દાખ, ફોલ્લીઓ પડી જાય છે. એટલે માછલી ખાધા પછી દૂધ, દહીંનું સેવન કરવાની ના પાડવામાં આવે છે.

સવાલ : ક્યા દિવસમાં ફક્ત 40 મિનિટની રાત હોય છે?

જવાબ : નોર્વેમાં ફક્ત 40 મિનિટની રાત હોય છે. એટલા માટે તેને country of midnight sun કહેવામાં આવે છે.

સવાલ : તે શું છે જે આવ્યા પછી સતત વધ્યા કરે છે?

જવાબ : લાલચ. એક વાર કોઈને લાલચ આવી જાય તો તે વધ્યા જ કરે છે.

સવાલ : મોર ઈંડા નથી આપતા તો તેના બચ્ચા કેવી રીતે જન્મે છે?

જવાબ : માદા મોર ઈંડા આપે છે, નર મોર નહિ.

સવાલ : કયા દેશના લોકો કુતરાનું દૂધ પણ પીવે છે?

જવાબ : ઇન્ટરનેટ પર રહેલી જાણકારી અનુસાર મોનો દેશના લોકો કુતરાનું દૂધ પીવે છે. મોનો દેશમાં મૂળ અમેરિકાના લોકો છે. જોકે, કુતરાનું દૂધ પીવું ખોટું માનવામાં આવે છે.

સવાલ : ચા પીધા પછી પાણી કેમ નહિ પીવું જોઈએ?

જવાબ : ચા પીધા પછી પાણી પીવાથી પાચન ખરાબ થઈ જાય છે. બીજું દાંતમાં પાયરિયા રોગની પણ શક્યતા થઈ જાય છે. ગરમ ચા ઉપર ઠંડુ પાણી પીવું નુકશાનકારક છે, તેનાથી પેટ ખરાબ થઈ શકે છે.

સવાલ : ઇન્ટરવ્યૂમાં ઉમેદવાર માટે એક કપ કોફી લાવવાનો આદેશ આપવામાં આવ્યો. કોફી આવી અને તેને ઉમેદવારની સામે મુકવામાં આવી. પછી ઉમેદવારને પૂછવામાં આવ્યું, what is before you?

જવાબ : ઉમેદવારે કહ્યું T comes before U. વર્ણમાળામાં ‘ટી’ એ ‘યુ’ પહેલા આવે છે.

સવાલ : સમોસાને અંગ્રેજીમાં શું કહે છે?

જવાબ : Curry Puff Rissole.

સવાલ : એક વ્યક્તિને જોઈ સુમિતે અનિલને કહ્યું – તે મારા દાદાના પૌત્રના પિતાના પિતાનો જમાઈ છે. જણાવો તે વ્યક્તિ સુમિતના કોણ થાય?

જવાબ : ફુવા.

સવાલ : એવી કઈ વસ્તુ છે જે પાણી પિતા જ મરી જાય છે?

જવાબ : તરસ.

સવાલ : પોતાના હાથેથી બનાવેલી કઈ વસ્તુ માણસ હવામાં ઉડાવી દે છે?

જવાબ : પતંગ.

સવાલ : તે શું છે જેને લોકો કોર્ટ કચેરી કે પોલીસ સ્ટેશન દરેક જગ્યાએ ખાવાનું કહેવામાં આવે છે?

જવાબ : કસમ.

સવાલ : કયા ફૂલને પાકવામાં 2 વર્ષ લાગે છે?

જવાબ : રેફલીસિયા ફૂલ, તે મલેશિયા અને ઇન્ડોનેશિયામાં મળી આવતું એક આશ્ચર્યજનક પરજીવી છોડ છે, જેનું ફૂલ વનસ્પતિ જગતના દરેક છોડના ફૂલોથી મોટું, લગભગ 14 મીટર વ્યાસનું હોય છે અને તેનું વજન 10 કિલોગ્રામ હોઈ શકે છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

રવિવાર, 29 નવેમ્બર, 2020

"હેલો.. હું આરોગ્યભવનથી બોલું છું.."

"હેલો.. હું આરોગ્યભવનથી બોલું છું.."

************

હાલ કોવિડ-૧૯ અંતર્ગત આરોગ્ય ભવન ખાતે  કામગીરી ચાલુ છે. પેશન્ટને ગવર્નમેન્ટ કોલિંગ કરવાનું કામ છે. રોજનાં પોઝિટિવ આવેલાં વ્યક્તિઓને કોલિંગ કરીને કરંટ હેલ્થ સ્ટેટ્સ, સ્ટીકર, હોસ્પિટલનું નામ સહિતની આઠેક કોલમની ડિટેલ્સ ભરવાની હોય છે. દિવાળી અને બેસતાંવર્ષ જેવાં તહેવારના દિવસો અને રવિવાર સહિત એકેય દિવસની રજા મળ્યા વગર લોકોને ફોન કરવાની આ કામગીરી ખરેખર શારીરિક અને માનસિક બંને રીતે થકવી દેનારી છે.. કેમ કે ફોન સાથે અને અવનવી પ્રકૃતિ ધરાવતા લોકો સાથે ડીલ કરવાનું છે! રોજના આશરે ૧૫૦ થી ૨૦૦ (અત્યારસુધીનો સૌથી મોટો આંકડો ૨૧૭!! જો કેસ વધે તો આ આંકડો પણ વધી શકે!!) વ્યક્તિઓને કોલ કરવામાં પાંચથી છ કલાક અને ક્યારેક તો સાત કલાક પણ સતત કોલિંગ ચાલે છે. ફોનના ખતરનાક વેવ્સ   સ્વભાવે ચીડિયાપણું લાવવા કાફી છે..!! ..અને લોકોનાં અવનવાં જવાબો અને વાતો મારાં જેવાં સેન્સિટિવ વ્યક્તિઓને ચોક્કસ માનસિક અસર કરે, જાડી ચામડીવાળા હોય તો કોઈ ફરક ન પડે! કામ પૂરું થયા પછી એકાદ-બે કલાક કોઈ ન બોલાવે તો મજા પડે એવું ફીલ થયાં કરે!!

આટલાં દિવસોથી આ ગવર્નમેન્ટ કોલિંગનું કામ કરવાનાં અનુભવથી લોકોનાં વર્તન બાબતે મનમાં કેટલીક ધારણાઓ બંધાઈ છે.. જે ૭૦% સુધી હવે સાચી પડે છે!

(૧) ભગવાનની કોલર ટ્યુન ધરાવતાં ૬૦% લોકો એક જ વખતનાં કોલથી ફોન રિસીવ નથી કરતાં.. એવરેજ ત્રણ વખત કોલ કરવો પડે છે..અને બાકીનાં ૪૦% લોકોએ બધું ભગવાન પર જ છોડી દીધું હોય છે.

(૨) ૫૦% થી વધુ કોલિંગ ૪૦-૬૦+ ની આસપાસની વયનાં લોકોનું છે. 

(૩) મોટેભાગે દિવસનાં પહેલાં પાંચમાંથી ત્રણ કોલ કાં તો ઇનવેલીડ હોય છે, કાં તો કોઈ ઉપાડતું નથી, કાં તો વ્યસ્ત હોય છે અને કાં તો રોંગ નંબર હોય છે. (મરફી નો લૉ, અહીં પણ કામ કરે છે.. જો કોલ રિસીવ થાય તો લાગટ રિસીવ થાય.. અને ના થાય તો લાગટ ન થાય!!)

(૪) ૭૦ થી ૮૦% લોકો સારી રીતે વાત કરે છે, પણ બાકીનાં લોકોનું વર્તન એટલું બેહૂદુ હોય છે કે જાણે મારે અને એમને બાપે માર્યા વેર ના હોય!!??

(૫) આશરે ૧૦% મો.નં. રોંગ નં હોય છે.. અને આ ૧૦% લોકોમાંથી ૫૦% લોકો એટલી અસભ્ય અને ગંદી ગાળો સુધ્ધા આપી દેતાં હોય છે, કે મારે તરત જ ફોન મૂકી દેવો પડે! વળી ધમકી ય આપે! (આરોગ્ય ભવનનું સિયુજી સિમકાર્ડ છે. વળી હું પોતે સરકારી કર્મચારી.. અને એથીય વધુ મારો સ્વભાવ આવાં ગાળો આપતાં અને અસભ્ય વાતો કરનારાં લોકોને વળતો જવાબ આપવા સક્ષમ હોવા છતાં આવાં લોકોને હું કોઈજ જવાબ આપ્યા વગર ફોન જ મૂકી દઉં છું.)

(૬) પેશન્ટના રોંગ મો. નં. છેક આસામ, આંધ્ર પ્રદેશ પણ લાગતાં હોય છે.. ઓડિસી, આસામી, કન્નડ, તમિલ, તેલુગુ કે મલયાલમ જેવી ભાષાઓ મને એકસરખી જ લાગતી હોય એટલે એ લોકો શુ બોલે એ ન સમજાય, એટલે સૌથી ખરાબ અનુભવ (હિન્દી ભાષા સમજી શકવાને કારણે) યુપી-રાજસ્થાન-એમપી અને આપણાં ગુજરાતનાં હોય એવું લાગે!

(૭) સૌથી સરસ રીતે વાત મિલિટરી હોસ્પિટલમાં દાખલ આપણાં સૈનિકો/આર્મીવાળા કરે છે. 

(૮) મને ડોક્ટર સમજીને રડી-રડીને પોતાની અને રિલેટિવની ચિંતા કરનારા લોકો ઓછાં નથી. મને એમની ચિંતા એમની વાતોમાંય દેખાય છે, અને હું એમની ચિંતા દૂર કરવા એમની સાથે વધુ સારી રીતે વાત કરવા સિવાય બીજું કશું કરી શકતો નથી.

(૯) બીએસએનએલ, એઝ યુઝવલ, સક્ષમ હોવાં છતાં મોટેભાગે આઉટ ઓફ કવરેજ રહે છે. (કોલિંગ વખતે ટું.. ટું.. થયા કરે!!)

(૧૦) ૨૦-૨૫ વર્ષની મોટાભાગની યુવતીઓ ખૂબ જ 'લેઝી' રીતે ઊંઘમાંથી ઉઠી હોય એવી રીતે જ જવાબ આપે, જ્યારે આટલી જ ઉંમરનાં મોટાભાગનાં યુવાનો મને ગુસ્સામાં પૂછે કે, ''હું કેવી રીતે પોઝિટિવ આવ્યો?? મને તો શરદી-ખાંસી કાંઈ નથી.''

(૧૧) "મારો પોઝિટિવ-નેગેટિવ વાળો રિપોર્ટ મને નથી મળ્યો, મારે ક્યાંથી લેવાનો??" આ સવાલ સૌથી વધુ લોકો પૂછે છે.

(૧૨) ડોસા/ડોશીમાંથી કોઈ એક હોસ્પિટલમાં દાખલ થયાં હોય તો ઘરમાં એકલાં પડી ગયેલાં ડોસા/ડોશી બીજાની ખૂબ જ ચિંતા કરે, અને એવાં સવાલો પૂછે કે આપણે એમની વાતોમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ અનુભવી શકીએ.

(૧૩) મોટાં-મોટાં હોર્ન/વાહનો અને બજારમાંથી આવતા અવાજો ફોન પર સંભળાતા હોવાં છતાં એવું કહેવાવાળા ઓછાં નથી કે, "હું તો ઘરે હોમ કોરાંટાઇન છું.. ઉપરનાં માળે!!"

(૧૪) "ઓ સાહેબ.. મારાં ઘરે કોઈ સ્ટીકર-વિકર લગાવવા આવતાં નહિ હોં.. આજુબાજુવાળા/મકાનમાલિક અમને રહેવા નહિ દે. પછી અમારે ક્યાં રહેવા જવું??"

(૧૫) પીજી હોસ્ટેલનું સરનામું ધરાવતા ૬૦ થી ૭૦% ડૉ. મોબાઈલ ધારકો ફોન ઉપાડતા નથી અથવા તો ઇનવેલીડ હોય છે. ડૉ. હોય તેવાં મોબાઈલ નં. ધારકો કોઈ હોટલમાં આઇસોલેટ હોય તો તરત જ ફોન ઉપાડે છે.

(૧૬) "હું મીડિયામાં છું.. હું લોકલ પોલિટીશિયનને ઓળખું છું.. હું આ ડોક્ટરને ઓળખું છું/પોતે જ ડોકટર છું.. હું વિદેશમાં હતો/જવાનો છું." આ ટાઇપની ઓળખ આપી "મારાં ઘરમાં હજુ કોઈ ડોકટર આવ્યા નથી/સેનિટાઈઝ કરવા આવ્યા નથી/હોસ્પિટલમાંથી કોઈ માહિતી મળતી નથી.." ની ફરિયાદ પણ કરતાં હોય છે. 

(૧૭) ૫૦% થી વધુ લોકો શોર્ટ એન્ડ સ્વીટ એકદમ સભ્યતાથી ફોન પર વાત કરે છે. જ્યારે અમુક કારણ વગર તાણી-તુસીને ચોળીને ચીકણું કરી રાઈનો પહાડ બનાવી 'બધું જ સ્ટેબલ છે' એવું કહે!!

(૧૮) "મારાં .....(રિલેટિવ) મરી ગયા પછી તમે ફોન કરો છો??" એવું ગુસ્સાથી બોલવાવાળા ઓછાં નથી. (એકે તો એવું કહેલું કે.. "તમે બધાંએ ભેગાં મળીને મારી માં ને મારી નાંખી.. હું તમારાં બધાં પર કેસ કરવાનો છું.")

(૧૯) "આજના જ દિવસે મને આ બાબતે પૂછવાવાળા તમે ચોથા/પાંચમા વ્યક્તિ છો.. એટલે બસ મારે બધાને આ જ કહે-કહે કરવાનું??" ..અને આનો બિલકુલ વિરોધાભાસ.. "મારા એક રિલેટિવ માટે તમે ચાર-પાંચ લોકો પૂછપરછ કરો છો.. જોરદાર કહેવાય.. બહુ સરસ.." આવાં બે પ્રકારના સ્ટેટમેન્ટ બેક ટુ બેક સાંભળવા પણ મળ્યા છે/મળે છે.

(૨૦) હજુ કૈક રહી જ જતું હશે, જે જ્યારે અનુભવાશે ત્યારે કોમેન્ટમાં લખતો રહીશ.. 

************

24×7 હેલ્પલાઈનમાં અને કોલ સેન્ટરમાં કામ કરતાં લોકો પ્રત્યે સહાનુભૂતિ કેળવી શકું છું. ક્યારેક કોઈ વાતે મારાં તરફથી એમને જો કોઈ વાતે અપમાન થયું હોય તો એવાં અજાણ્યા લોકો મને માફ કરે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.

લ.તા. 29.11.20

https://m.facebook.com/story.php?story_fbid=3441372419304296&id=100002947160151

શુક્રવાર, 30 ઑક્ટોબર, 2020

*...આખરે દીકરી પોતાનાં જન્મ પહેલાં એનાં પિતાને પોતાની પાસે બોલાવીને જ જંપી!!*

*...આખરે દીકરી પોતાનાં જન્મ પહેલાં એનાં પિતાને પોતાની પાસે બોલાવીને જ જંપી!!*

(આજની તારીખે અહીં અમદાવાદમાં હાજર થયો, એનાં ૭ વર્ષ પૂરાં થયાં હોવાની યાદમાં આ લેખ એ દરેક મિત્રોને સમર્પિત, કે જેઓ પોતાનાં વતનમાં આવવાની રાહ જોઈ રહ્યા છે.)

***********

તા.21.3.2012 ને વેળાકોટ પ્રા. શાળામાં નોકરીને 5 વર્ષ પૂરાં થયાં ને હદયમાં આનંદ થયો.. હાશ.. 2500 વાળા પાંચ વર્ષ પૂરાં થયાં..!!

********

માંડ માંડ આ વર્ષો પસાર થયેલાં.. અભાવોનાં વર્ષો હતા એ.. અને દોઢ મહિના પછી પહેલો ફૂલ પગાર 18.5.12 એ બેંકમાં જમાં થયો.. ત્યારની એ ફીલિંગ્સ હજુયે અનુભવી શકું છું! હવે ફૂલ પગારવાળી પાછલી જિંદગી જીવનસાથી અને કુટુંબ સાથે શાંતિથી વિતે એવી 'મહેચ્છાઓ' હજુ આકાર લઈ રહી હતી ત્યાં જ એક અઠવાડિયા પછી તા. 25.5.12 એ ગાંધીનગરથી ફોન આવ્યો, "હલો.. તમને ઓર્ડર મળે કે ના મળે, ગાંધીનગર આવી જજો.."

અમે તા.28.5.12 એ ગાંધીનગર પહોંચ્યા, ને પત્નીશ્રી ને નોકરીનો ઓર્ડર મળ્યો, એ પણ અમદાવાદ કોર્પોરેશનમાં! 
નોકરી મળ્યાની ખુશી અનુભવું કે પત્નીજીથી હવે અલગ રહેવાનું દુઃખ અનુભવું, એ ન સમજી શક્યો! બધી 'મહેચ્છા'ઓને 'ફ્લશ' કરીને ભારે હદયે પત્નીજીને અમદાવાદ મૂકીને પાછો ફર્યો. 

એવો ફૂલ પગાર શુ કામનો કે જેને વાપરવાવાળી જ ન હોય??!! મારું શરીર અહીં હોય, ને મન અમદાવાદમાં હોય! આંખો કેલેન્ડરમાં રજાના દિવસોની રાહ જોતી હોય..! રજા એક દિવસની હોય, બે દિવસની હોય કે પછી અઠવાડિયાની.. ભાગુ અમદાવાદ! અત્યારસુધીની 5 વર્ષની નોકરીમાં વર્ષાન્તે જે 'સી.એલ.' વાપર્યા વગર જતી રહેતી એ હવે ખૂટવા મંડી! કોડીનાર-ગાંધીનગરની એસ.ટી. બસોના ડ્રાઈવર-કંડકટર હવે ઓળખવા મંડેલા! વેલાકોટ થી અમદાવાદ પહોંચતા ૧૨ કલાક થઈ જતાં. મારા પછી બસમાં ચડતા લોકોને વચ્ચેના સ્ટેશનોએ મારા કરતાં વહેલાં ઉતરતા જોઈ એમની ઈર્ષ્યા થતી! હદય પ્રાર્થના કરતું કે કાશ.. બદલી કેમ્પ થાય અને મારો વારો અમદાવાદમાં આવે.. અને હું પણ આવી રીતે છેલ્લી વખત બસમાં બેસું.. મારો બધો સામાન લઈ અમદાવાદ જવા..!! ..પણ બદલી કેમ્પના ફોર્મ છેક ડિસેમ્બરમાં ભરાતા.. માંડ માંડ છ મહિના પસાર થયા ને અંતે ડિસેમ્બર આવ્યો..! 

બદલીનું ફોર્મ ભર્યું.. એકસો વખત ફોર્મ ચેક કર્યું હશે કે રખેને ક્યાંય કોઇ ભૂલ રહી જાય અને ફોર્મ રિજેક્ટ થાય, તો તો હું મરી જ જાઉં ને?? હજાર વખત તાલુકે પુછાવરાવ્યું કે ફોર્મ અમદાવાદ પહોંચી તો ગયું હશે ને?? ક્યાંક વચ્ચે ગેરવલ્લે તો નહી જતું રહે ને? ક્યાંક ફોર્મ લઈ જતી ગાડીને વચ્ચે એક્સીડેન્ટ ન થઈ જાય??!! ભગવાન પરની શ્રદ્ધા ઓલરેડી હતી તો ખરાં જ, પણ હતી એનાં કરતાં વધી ગઈ! ભગવાનને કરવાની પ્રાર્થના પણ ગોખાઈ ગઈ! બસ..  હવે ટ્રાન્સફરની જ રાહ જોવાતી હતી! 

એવામાં સમાચાર મળ્યા કે.. હું હજુ એક બંધનમાં બંધાવાનો હતો.. માત્ર પત્નીજી જ નહિ, પણ હવે એક નાનકડું 'બાઉં' પણ દુનિયામાં આવવાની તૈયારી કરી રહ્યું હતું.. અને હવે એ પણ મારી રાહ જોતું હતું.. કે હું ક્યારે અમદાવાદ હંમેશ માટે આવું?? 

2013 ના ઉનાળુ વેકેશને મારતે ઘોડે (સોરી.. બાઈકે!) અમદાવાદ ગયો.. વેકેશનના 35 દિવસ પછી પાછાં ફરતી વખતે અમરેલી પહોંચ્યો ને ચાલુ બાઈકે 'આંખો' ચાલુ થઈ!! ...શું કરું કાંઈ સમજાતું ન હતું!! અહીં ૪૦૦ કિમિ દૂર હું એકલો, અને ત્યાં ૪૦૦ કિમિ દૂર મારા પત્નીજી એકલાં!

***********

ખૂબ ઈચ્છા હતી કે આ સમયે પત્નીજી ભારતીય અધ્યાત્મને વાંચે અને સમજે! છેલ્લા દસેક વર્ષથી મારા ઘરે નિયમિત 'સફારી' આવે છે.. એમાં મારાં પત્નીજી માત્ર છેલ્લું જ પાનું વાંચે.. કે જે 'ગણિત'નું હોય!! હવે જેમને માત્ર ગણિત જ ગમતું હોય, એ ભારતીય અધ્યાત્મ તો કેમ વાંચે?? હું રવિવારની રજાની રાહ જોતો..

રવિવારની સવાર પડે એટલે ફોન ચાલુ થાય.. તે છેક સાંજે મુકાય! આ દરમિયાન ભારતીય ધાર્મિક-આધ્યાત્મિક પુસ્તકોનું હું ખુદ વાંચન કરતો અને મારાં પત્નીજી ફોન પર સાંભળતા.. હું મને આવડે એવું અર્થઘટન કરી સમજાવતો. (ઉદાહરણ તરીકે, જુઓ.. આ લિંક.. https://youtu.be/Ltiuv2vE74c )

...એવામાં એક ખુશીનાં સમાચાર મળ્યા! એક મહિના પછી તા.13.7.13નાં રોજ મારાં નામે એક પત્ર આવ્યો.. અમદાવાદ કોર્પોરેશનમાંથી! એક અઠવાડિયા પછી તા.19.7.13નાં રોજ અમદાવાદ સ્કૂલબોર્ડનો ટ્રાન્સફર કૅમ્પ હતો, જેમાં મારે હાજર રહેવાનું હતું! હું ખુશીનો માર્યો, 19 મી તારીખે કેમ્પમાં પહોંચ્યો, અને રંગે-ચંગે મારા હાથમાં એક અઠવાડિયામાં અમદાવાદમાં હાજર થવાનો ઓર્ડર મળ્યો. 

********

"ન જાણ્યું જાનકીનાથે, કાલે શું થવાનું છે??"

..બધું બરાબર જ થાય તો જિંદગી શાની?? હું પાછો વેલાકોટ પહોંચ્યો, ત્યાં મિત્ર જગદીશ ડાંગરે એક ખરાબ સમાચાર આપ્યા.. બદલીનાં નવા નિયમાનુસાર જો શાળામાં 10 ટકા કરતાં વધુ શિક્ષકોની ઘટ હોય તો કોઈનેય છુટા કરવાના ન હતાં!! માર્યા ઠાર.. 

હું ડરતો-ડરતો જૂનાગઢ જિલ્લા મથકે પહોંચ્યો.. અને મારાં આશ્ચર્ય વચ્ચે મને જિલ્લામાંથી છૂટાં થયાનો ઓર્ડર મળી ગયો!! બસ.. હવે તાલુકે છૂટો થઈશ અને પછી અમદાવાદ!!

બીજાં દિવસે હું તાલુકા મથકે ગયો. ત્યાંના સાહેબે જાણે મારી સાથે 'બાપે માર્યા વેર..' હોય એમ વર્તન કરી મને કાઢી મુક્યો! ..અને કહ્યું, "જ્યારે તમારી શાળામાં પૂરેપૂરો સ્ટાફ હશે તો જ તમે છુટા થશો." 

હું તો રડવા જેવો થઈ ગયો..! કારણ  કે અમારી શાળામાં પૂરેપૂરો સ્ટાફ ત્યારે જ થાય જ્યારે 1 થી 5 માં હજુ વધુ 2 શિક્ષકોની ભરતી થાય! ..ખોટું નહિ કહું, પણ હું જે ગામની શાળામાં હતો, ત્યાં ભાગ્યે જ કોઈ આવવા તૈયાર થતું.. આવતું તો પણ સજામાં અથવા તો છેલ્લાં વિકલ્પે, જ્યારે બીજી કોઈ જગ્યા જ ન બચી હોય ત્યારે!! કદાચ પૂરેપૂરો સ્ટાફ થાય તો પણ સિનિયોરિટી મુજબ એક જ શિક્ષક છૂટો થાય એમ હતું, જ્યારે મારો નંબર ત્રીજો હતો!! ટૂંકમાં કહું તો.. હવે તો કોઈ 'ચમત્કાર' જ મને અમદાવાદ હાજર કરી શકે એમ હતું!!

***********

હું પાછો એક વખત જિલ્લાએ ગયો.. વિનંતી કરી..  ત્યાંથી પણ કાઢી મૂકાયો! વળતામાં મારા નામ-જોગ એક લેટર જિલ્લામથકે થી તાલુકા મથકે થયો.. અને તાલુકા મથકેથી પે-સેન્ટરે.. અને ત્યાંથી શાળામાં, કે.. "જ્યાં સુધી પૂરેપૂરો સ્ટાફ વેલાકોટ પ્રા. શાળામાં ન થાય, અને સિનિયોરિટી મુજબ મારો વારો ન આવે ત્યાં સુધી મને છૂટો ન કરવો!!"

હું સખત ડિપ્રેસડ થઈ ગયો! ઘરે આવીને રડ્યો.. કારણ કે અમદાવાદના રસ્તાઓ પણ ન જાણતાં પત્નીજી, સગર્ભા અવસ્થામાં આ શહેરમાં એકલાં ભાડે રહેતાં હતાં, અને હું અહીં કશું કરી શકું એમ ન હતો! એ ચિંતા સખત થતી કે આ દરમિયાન ન કરે ઈશ્વરને કાંઈ તબિયત ગરબડ થાય તો તાત્કાલિક કેમ છેક વેલાકોટથી અહીં પહોંચવું?? 

હું વધુને વધુ 'ચૂપ' થઈ ગયો! 

...આ દરમિયાન જ્યારે પણ રજા આવે ત્યારે પત્નીજી સાથે આખો દિવસ ભારતીય અધ્યાત્મની પુસ્તકોની ફોન પર ચર્ચા ચાલુ રાખી.. અને એક દિવસ 'કર્મનો સિદ્ધાંત' પુસ્તક હાથમાં આવ્યું!! સાવ નાનકડી એવી આ પુસ્તિકાની ચર્ચાએ મને વિચારતો કરી મૂક્યો!! આખો ઓગષ્ટ આ પુસ્તકની ચર્ચા પત્નીજી સાથે ચાલી. સમગ્ર ચર્ચાને અંતે એક નિષ્કર્ષ પર આવ્યો, "જો કર્મ બાકી હોય તો જ્યાં સુધી એ પૂરું ન થાય ત્યાં સુધી એ તમારો પીછો છોડતું નથી."

..અને નિરાશા ખંખેરીને હું મારા શિક્ષક તરીકેના કાર્યમાં લાગી ગયો! હું અને બસ મારો વર્ગ.. બાળકોને શિક્ષણ આપવા સિવાયનું દરેક કર્મ મેં વર્જિત ગણ્યું!! ..આખરે મારે અમદાવાદ જવા મારો વેલાકોટનો 'કામનો ક્વોટા' પૂરો કરવો હતો!

'કર્મનો સિદ્ધાંત' પછી 'ભગવદગીતા'નો વારો હતો.. એક પછી એક અધ્યાય પૂર્ણ થતાં ગયા!! ફોન પર અધ્યાત્મની ચર્ચા જેમ-જેમ આગળ વધતી ગઈ એમ એમ ડિપ્રેશન ગાયબ થતું ગયું! 'કર્મયોગ', 'ભક્તિયોગ' અને 'જ્ઞાનયોગ'માં હું 'કર્મયોગી' જ બની શકું એમ હતો! ડિપ્રેશન થોડું ઓછું થતાં હું મારા સ્ટાફમિત્રો સાથે ફરી ક્રિકેટ રમવા લાગ્યો હતો! મને ક્રિકેટ રમતાં ઓછું આવડે, છતાંય એક ઈચ્છા રાખેલી, કે હું એક 'સિક્સ' મારું, કે જે ક્યારેય નહોતો મારી શક્યો, હંમેશા 'આઉટ' જ થઈ જાઉં!

અહીં અમદાવાદમાં નાનું 'બાઉં' પણ આવવાની તડામાર તૈયારીઓ કરી રહ્યું હતું.. મેં પત્નીજીને એક વાત કહી, "જો આવનારું 'બાઉં' એનાં નસીબમાં એવું લખાવીને આવ્યું હશે કે એનાં આવતાં પહેલાં હું ત્યાં આવીશ, તો હું ગમે તે રીતે અહીંથી છૂટો થઈને ત્યાં આવીશ, અને જો નસીબમાં એવું નહિ હોય, તો આપણે ગમે તેટલાં ધમપછાડા કરીએ.. હું ત્યાં નહિ આવી શકું!" 

હું દર શનિવારે બપોરે/રાતે બસમાં અમદાવાદ જવા બેસતો, અને માત્ર ૧૨ કલાક અમદાવાદમાં કાઢીને પાછો સોમવારે પાછો વેલાકોટમાં આવી જતો! 

*******

વર્ષ ૨૦૧૧ માં ધો.૧ લીધું ત્યારે એક સંકલ્પ કરેલો, 'આ બાળકોને હું એવું શિક્ષણ આપીશ કે તેઓ જ્યારે ધો.૩ ની પહેલી વખત લેખિત પરીક્ષા આપશે ત્યારે તેઓ તેમની જાતે જ નામ-નંબર સહિતનું આખું પેપર લખશે.. હું એમને કોઈ જ જાતની મદદ નહિ કરું!!' 

ઓક્ટોબર આવ્યો, ને સત્રાંત પરીક્ષાઓ ચાલુ થઈ! પહેલી જ વખત લેખિત પરીક્ષા આપતાં ધો.૩ ના બાળકોએ ખૂબ જ સુંદર રીતે જાતે જ પેપર લખ્યા.. નામ-નંબર સહિત! મને સંતોષ થયો.

સમગ્ર સત્રાંત પરીક્ષા પૂરી થયાં બાદ હજુ શાળા સમય પૂરો થવાને થોડો સમય બાકી હોઈ અમે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું.. હું જે ટીમમાં હતો એ ટીમ હારવાની નક્કી જ હતું, અને બેટિંગમાં મારો વારો આવ્યો. સામેની ટીમના કપ્તાન શિક્ષક મિત્ર જગદીશભાઈ સારું ક્રિકેટ રમતાં, અને હું મોટાભાગે એમની સ્પિન બોલિંગમાં જ આઉટ થતો. હું આગળ વધ્યો.. અને આંખો મીંચીને બેટ ફેરવ્યું, 'સિક્સ' લાગી ગઈ!!.. મારી ટીમે બુમો પાડી.. આ લખતી વખતે ય હું રોમાંચિત છું!! 

...કદાચ મારો આ જ 'કામનો ક્વોટા' બાકી રહી ગયો હતો..!! જે પૂરો થયો.. 

બીજાં દિવસથી બે દિવસની શિક્ષક તાલીમ શરૂ થતી હતી.. અને પછી દિવાળી વેકેશન!!

*********

તા.૨૯.૧૦.૧૩ શિક્ષક તાલીમનો બીજો દિવસ.. જાણવા મળ્યું કે માત્ર આ વખત પૂરતું સરકારે ૧૦% ની જગ્યાએ ૫૦% સ્ટાફને છુટા કરવાનો નિર્ણય લીધો છે. 

બે વાગે અમારાં આચાર્ય ગોપાલસાહેબ આવીને કહે, "ચલો મારી સાથે.. તમને પે-સેન્ટરના આચાર્ય બોલાવે છે."

હું આચાર્ય સાથે ઓફિસમાં ગયો, તો પે-સેન્ટરના આચાર્ય કહે, "તાત્કાલિક તાલુકે જાઓ.. તમને છુટા કરવાના છે."

જરૂરી કાગળિયા લઈને હું તાલુકે ગયો.. ત્યાંના મને જોઈને ભડકતા સાહેબે પાછી રોન કાઢી, "હું તમને છુટાં ન કરી શકું." 

આ સાંભળીને હું પાછો ગભરાયો! મેં દલીલ કરી કહ્યું, "અમારા પે-સેન્ટરના આચાર્યે તો મને એમ કહ્યું કે મને તાલુકે છુટાં કરવાના છે.."

એ સાહેબ અહંકારથી અને ગુસ્સાથી ઊભાં થઈને અંદરની મોટાં સાહેબની ઓફિસમાં ગયાં, હું પણ પાછળ પાછળ ગયો! પેલાંએ મને છૂટો ન કરવા માટે માંડીને બધી વાત કરી, ત્યાં તો પેલાં મોટાં સાહેબનો જોરથી અવાજ આવ્યો.. "છુટાં કરો આ ભાઈને.." 

એ સાહેબ બહાર આવ્યા, ને મારાં છુટાં થવાનાં કાગળો પર સહી કરી નાંખી! ...હું તાલુકેથી છૂટી તરત પે-સેન્ટરે આવ્યો. ગોપાલસાહેબની મૈત્રીક ભલામણથી પે-સેન્ટર આચાર્યે પાંચ વાગી ગયા હોવાં છતાં વધુ સમય રોકાઈને મારાં છુટાં થવાના કાગળો પર સહી કરી.. અને બીજા દિવસે.. એટલે કે આજની તારીખે ૩૦.૧૦.૧૩ એ, બરાબર સાત વર્ષ પહેલાં.. અહીં અમદાવાદમાં હાજર થવા ૨૯ ની સાંજે તાત્કાલિક બસમાં બેઠો..!

હું અહીં ૩૦.૧૦.૧૩ એ હાજર થયો.. બીજાં દિવસથી એટલે કે ૩૧ તારીખથી દિવાળી વેકેશન પડતું હતું!! 

....અને બેસતાં વર્ષે એટલે કે, મારાં અહીં હાજર થયાને બરાબર પાંચમાં દિવસે તા.૪-૧૧-૧૩ એ 'તન્વી'નો જન્મ થયો!!

...આખરે દીકરી પોતાનાં જન્મ પહેલાં એનાં પિતાને પોતાની પાસે બોલાવીને જ જંપી!!

**********

"માંડ માંડ છુટાં થયાની ફાઇલ" નામથી એક ફાઇલ મેં મારા કબાટમાં સંઘરી રાખી છે! જેમાં અમે કેટ-કેટલાં કાગળીયાઓ કરેલાં.. એની સમગ્રતયા એક એક કોપી સંઘરી રાખી છે.

**********
લ.તા. ૩૦.૧૦.૨૦

ગધા ઓર ગધેકી માં કી મઝાર

किसी मज़ार पर एक फकीर रहते थे।सैकड़ों भक्त उस मज़ार पर आकर दान-दक्षिणा चढ़ाते थे। 

उन भक्तों में एक बंजारा भी था।

वह बहुत गरीब था...

फिर भी, नियमानुसार आकर माथा टेकता...

फकीर की सेवा करता...

और...

फिर अपने काम पर जाता...

उसका कपड़े का व्यवसाय था l
कपड़ों की भारी पोटली कंधों पर लिए सुबह से लेकर शाम तक गलियों में फेरी लगाता, कपड़े बेचता।

एक दिन उस फकीर को उस पर दया आ गई, उसने अपना गधा उसे भेंट कर दिया।

अब तो बंजारे की आधी समस्याएं हल हो गईं। वह सारे कपड़े गधे पर लादता और जब थक जाता तो खुद भी गधे पर बैठ जाता।

यूं ही कुछ महीने बीत गए...

एक दिन गधे की मृत्यु हो गई।

बंजारा बहुत दुखी हुआ, उसने उसे उचित स्थान पर दफनाया, उसकी कब्र बनाई और फूट-फूट कर रोने लगा।

समीप से जा रहे किसी व्यक्ति ने जब यह दृश्य देखा, तो सोचा जरूर किसी संत की मज़ार होगी। तभी यह बंजारा यहां बैठकर अपना दुख रो रहा है।
यह सोचकर उस व्यक्ति ने कब्र पर माथा टेका और अपनी मन्नत हेतु वहां प्रार्थना की कुछ पैसे चढ़ाकर वहां से चला गया।

कुछ दिनों के उपरांत ही उस व्यक्ति की कामना पूर्ण हो गई। उसने खुशी के मारे सारे गांव में डंका बजाया कि अमुक स्थान पर एक पूर्ण फकीर की मज़ार है। वहां जाकर जो अरदास करो वह पूर्ण होती है।मनचाही मुरादे बख्शी जाती हैं वहां।

उस दिन से उस कब्र पर भक्तों का तांता लगना शुरू हो गया।

दूर-दराज से भक्त अपनी मुरादे बख्शाने वहां आने लगे। बंजारे की तो चांदी हो गई, बैठे-बैठे उसे कमाई का साधन मिल गया था।

एक दिन वही फकीर जिन्होंने बंजारे को अपना गधा भेंट स्वरूप दिया था वहां से गुजर रहे थे। 

उन्हें देखते ही बंजारे ने उनके चरण पकड़ लिए और बोला, "आपके गधे ने तो मेरी जिंदगी बना दी। जब तक जीवित था तब तक मेरे रोजगार में मेरी मदद करता था और मरने के बाद मेरी जीविका का साधन बन गया है।"

फकीर हंसते हुए बोले, "बच्चा! जिस मज़ार पर तू नित्य माथा टेकने आता था, वह मज़ार इस गधे की मां की थी।"

बस यूंही चल रहा है Incredible India!

ચાણક્યની વાર્તા

એકવાર ચાણક્યના એક શિષ્યને થોડીક હવા ભરાઈ ગઈને એણે જાહેર કરી દીધું કે હવે તલવારબાજીમાં મારો કોઈ મુકાબલો ના કરી શકે ,ખુદ ચાણક્ય પણ નહિ ,.

એમાં તો લોકોના અને ચંદ્રગુપ્તના આગ્રહ અને કુતુહલને લઈને ચાણક્ય અને પેલા ચેલા વચ્ચે મુકાબલો નક્કી પણ થઇ ગયો ,.

હવે ચાણક્યને એ ખ્યાલ કે આપણે આ ચેલુંને તલવારબાજીમાં બધું શીખવાડી દીધું છે ,પાછું એમાય ચેલો જુવાનજોધ હાન્ઢયા જેવો છે અને આપણને ઉમર થઇ ગઈ છે, ચેલાને હરાવવો અઘરો છે ,..

કરવું શું ?

વિચારીને ચાણક્યએ એક માણસને કહ્યું કે હું મુકાબલામાં મારી તલવાર બે ઇંચ વધુ લાંબી રાખવાનો છું ,.એ માણસે બીજાને અને બીજાએ ત્રીજાને ,.. એમ કરતા-કરતા ચેલા પાસે વાત પહોચી ત્યાં બે ઈંચનું બે ફૂટ થઇ ગયું,.

મુકાબલાનો દિવસ આવ્યો અને ચેલો બે ફૂટ વધુ લાંબી તલવાર લઈને મેદાનમાં ઉતર્યો ,અને ચાણક્ય રેગ્યુલર તલવાર લઈને ઉતર્યા ,. ચેલુંની તલવારનો વજન જ એવો થઇ ગયો કે એ ચપળતાથી તલવાર ફેરવી જ ના શક્યો અને હાર્યો ,..

એનું ઘમંડ ઉતર્યું ,ચાણક્યએ એને માફ કર્યો અને આ બે ઇંચ-બે ફૂટના પાઠમાંથી કૈક શીખવા કહ્યું .,,,

સ્ટેટ્સ સોર્સ: કાનજીભાઈ