શુક્રવાર, 31 મે, 2024

(અંધ)ભગત સાહેબ સાથે ચર્ચા

 


આજે મારા એક વડીલ કહી શકાય એવા પરમમિત્ર (અંધ)ભગતસાહેબ સાથે ચર્ચા થઇ. એમને મને છેલ્લે જયશ્રી રામ કહીને અલવિદા કર્યું..!! કોઇપણ બાબત ફેક્ટચેક કર્યા વગર ન સ્વીકારવું એની હું હવે સ્વાભાવિક પ્રેક્ટીસ કરી રહ્યો છું! ..એટલે કોઈ બાબતને લઈને કૈક વાત થાય એટલે હું મને આવડે એવું સત્ય વડીલ સમક્ષ રજુ કરું! ..અંતે ભગતસાહેબ ‘હિંદુ-મુસ્લિમ’ ‘હિંદુરાષ્ટ્ર’ અને ‘લવજેહાદ’ પર ઉતરી આવે!

વોટ્સેપ યુનીવર્સીટી દ્વારા બ્રેઈનવોશ થયેલા ઘણા જડબુદ્ધિ ઝોમ્બીઓથી સમાજ ખદબદી રહ્યો છે! ..અને એમાંય ઉંમર વધવાની સાથે બુદ્ધિની વિચારશક્તિનું વાયરીંગ પણ હવે જામ થઇ ચુક્યું હોય એટલે અપરિવર્તનશીલ વૃધ્ધો મોટેભાગે સત્ય ન સમજી શકે કે ન સ્વીકારી શકે એવા બની ચુક્યા હોય છે! ‘પોતાને બધી જ ખબર છે અને તમને કઈ ખબર નથી’ ની જડ માનસિકતા સાથે સત્ય ન સમજે ન સમજવા માંગે.. નજર સામે દેખાતી બાબતને પણ ન સ્વીકારવું એ વૃદ્ધતાની નિશાની છે! આ બાબત કદાચ એમને ખટકી ગઈ.. અને જયશ્રીરામ કહીને અલવિદા કર્યું!

સાચું કહું તો મને કોઈ ફર્ક નથી પડ્યો આ બાબતનો! ઉલટાનું સારું થયું.. એવું લાગ્યું! ..કેમ કે જે પરીવર્તન સ્વીકારતા નથી એવા નેગેટીવ લોકોથી જેટલા દુર રહી શકાય એટલા દુર જ રહેવું યોગ્ય છે! હા.. ફર્ક એ વાતનો પડ્યો છે મારો માંહ્યલો મને જ સવાલ પૂછે છે કે બીજાને બદલવાવાળો હું કોણ? મારે શા માટે બીજાને બદલવાની કોશિશ કરવી જોઈએ? શું હું જે વિચારું છું એ સત્ય જ અંતિમ છે?? પોસીબલ છે કે એ ખોટું પણ હોય??  ..તો આનો ઉપાય શું??

..લોકો જેમ છે એમ જ રહેવા દો! મારું કામ મારા બાળકનું ભવિષ્ય સુધારવા માટે જે પણ કઈ કરી શકાય એ કરવાનું છે.. મૃત્યુની નજીક પહોચેલા બુધ્ધાઓને બદલવાનો શો મતલબ??

-યજ્ઞેશ રાજપુત

લ.તા. ૩૧.૫.૨૪  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો