સોમવાર, 21 ડિસેમ્બર, 2020

IAS-IPS-UPSC-GPSC જેવી પરિક્ષાઓના 'બબૂચક' સવાલો વિશે..

*આજે જ શાળામાં આ વાત થયેલી, કે UPSC-GPSC જેવી પરીક્ષાઓમાં નાની ઉંમરે પાસ થનારી વ્યક્તિઓને કેવાં પ્રશ્નો પૂછવામાં આવે છે?? એ નીચે વાંચો.. આ પ્રશ્નો અને પ્રાંત અધિકારી બનવા વચ્ચે કોઈ તાલમેલ હોય એવું લાગે છે ખરું??.. ઘણાંખરાં ટ્રીકી પ્રશ્નો અકબર-બીરબલ ટાઇપની વાર્તાઓ જેવાં હોય એવું લાગે કે નહિ??*

*અને જસ્ટ વિચારો.. કે કોઈ વ્યક્તિ પોતાની વાકપટુતા અને પુસ્તકિયા જ્ઞાનની મદદથી મગજમાં ભરેલી માહિતીઓથી આવી કોઈ પરીક્ષા પાસ કરીને કોઈ મોટો અધિકારી બનીને કોઈ પ્રાંત ચલાવે.. તો એની આ વાક પટુતા અને પ્રાંત ચલાવવાના અનુભવ વચ્ચે કોઈ સંબંધ ખરો?? આવી વાકપટુતાથી પરીક્ષાઓ પાસ કરીને પ્રાંત અધિકારી બનતો વ્યક્તિ જે-તે પ્રાંતના ગ્રાઉન્ડ લેવલે શુ તકલીફો હોય એ શું જાણે?? ..અને આવા વ્યક્તિઓ કોઈ લેભાગુ રાજકારણીઓની કારણ વિનાની મહેચ્છાઓને પૂર્ણ કરવા વર્ષોનાં અનુભવી ફિલ્ડ વર્કરોને ધન્ધે લગાડે કે નહિ??* 

આ લેખનો મૂળ સોર્સ નીચેની લિંક પરથી લેવામાં આવ્યો છે:👇👇

https://gujaratilekh.com/how-peacock-born/

કયા ફળને પાકવામાં બે વર્ષ લાગે છે? IAS ઇન્ટરવ્યુના અજબ સવાલના ગજબ જવાબ જરૂર જાણો. મિત્રો, આઈએએસ અથવા આઈપીએસ બનવા માટે ફક્ત યુપીએસસી પરીક્ષા પાસ કરવી જરૂરી નથી. પ્રી, મેઇન્સ પરીક્ષા પાસ કર્યા પછી સૌથી મોટી લડાઈ ઉમેદવારે ઇન્ટરવ્યૂમાં લડવાની હોય છે. ઇન્ટરવ્યૂના ટ્રિકી સવાલોમાં ઘણા ઉમેદવાર ફેલ થઈ જાય છે. 

સવાલ : એક છોકરીને જોઈ વ્યક્તિએ કહ્યું તેની માતાના પિતા મારા સસરા છે, તો બંને વચ્ચે શું સંબંધ થયો?

જવાબ : બાપ-દીકરી.

સવાલ : એક ફોટાને જોઈ રોહિતે કહ્યું – તે મારા ભાઈના પિતાની એકમાત્ર દીકરીનો દીકરો છે. રોહિતનો ફોટાવાળા વ્યક્તિ સાથે કયો સંબંધ છે?

જવાબ : મામા-ભાણેજ.

સવાલ : કાળું મૃત્યુ કોને કહેવામાં આવે છે?

જવાબ : પ્લેગ નામની બીમારીને. યુરોપના ઇતિહાસનો એક અધ્યાય છે, જેમાં 7.5 થી 20 કરોડ લોકોના મૃત્યુ થયા હતા. તેની શરૂઆત 1346 થી 1353 માં થઈ હતી. લગભગ 10 વર્ષની અંદર કરોડો લોકો આ કાળી બીમારીને કારણે મૃત્યુ પામ્યા હતા.

સવાલ : એક સ્વસ્થ મનુષ્યના શરીરમાં કેટલું લોહી હોય છે?

જવાબ : એક સ્વસ્થ મનુષ્યના શરીરમાં લગભગ વજનના 7% જેટલું લોહી હોય છે. આ રીતે એક સ્વસ્થ માણસ જેનું વજન 70-80 કિલો હોય તો તેના શરીરમાં લગભગ 5 થી 5.5 લીટર લોહી હોય છે.

સવાલ : માછલી ખાધા પછી દૂધ કેમ નહિ પીવું જોઈએ?

જવાબ : માછલી ખાધા પછી રોજ દૂધ પીવાથી Leukoderma થઈ શકે છે, આ તે બીમારી છે જેનાથી શરીરમાં સફેદ દાખ, ફોલ્લીઓ પડી જાય છે. એટલે માછલી ખાધા પછી દૂધ, દહીંનું સેવન કરવાની ના પાડવામાં આવે છે.

સવાલ : ક્યા દિવસમાં ફક્ત 40 મિનિટની રાત હોય છે?

જવાબ : નોર્વેમાં ફક્ત 40 મિનિટની રાત હોય છે. એટલા માટે તેને country of midnight sun કહેવામાં આવે છે.

સવાલ : તે શું છે જે આવ્યા પછી સતત વધ્યા કરે છે?

જવાબ : લાલચ. એક વાર કોઈને લાલચ આવી જાય તો તે વધ્યા જ કરે છે.

સવાલ : મોર ઈંડા નથી આપતા તો તેના બચ્ચા કેવી રીતે જન્મે છે?

જવાબ : માદા મોર ઈંડા આપે છે, નર મોર નહિ.

સવાલ : કયા દેશના લોકો કુતરાનું દૂધ પણ પીવે છે?

જવાબ : ઇન્ટરનેટ પર રહેલી જાણકારી અનુસાર મોનો દેશના લોકો કુતરાનું દૂધ પીવે છે. મોનો દેશમાં મૂળ અમેરિકાના લોકો છે. જોકે, કુતરાનું દૂધ પીવું ખોટું માનવામાં આવે છે.

સવાલ : ચા પીધા પછી પાણી કેમ નહિ પીવું જોઈએ?

જવાબ : ચા પીધા પછી પાણી પીવાથી પાચન ખરાબ થઈ જાય છે. બીજું દાંતમાં પાયરિયા રોગની પણ શક્યતા થઈ જાય છે. ગરમ ચા ઉપર ઠંડુ પાણી પીવું નુકશાનકારક છે, તેનાથી પેટ ખરાબ થઈ શકે છે.

સવાલ : ઇન્ટરવ્યૂમાં ઉમેદવાર માટે એક કપ કોફી લાવવાનો આદેશ આપવામાં આવ્યો. કોફી આવી અને તેને ઉમેદવારની સામે મુકવામાં આવી. પછી ઉમેદવારને પૂછવામાં આવ્યું, what is before you?

જવાબ : ઉમેદવારે કહ્યું T comes before U. વર્ણમાળામાં ‘ટી’ એ ‘યુ’ પહેલા આવે છે.

સવાલ : સમોસાને અંગ્રેજીમાં શું કહે છે?

જવાબ : Curry Puff Rissole.

સવાલ : એક વ્યક્તિને જોઈ સુમિતે અનિલને કહ્યું – તે મારા દાદાના પૌત્રના પિતાના પિતાનો જમાઈ છે. જણાવો તે વ્યક્તિ સુમિતના કોણ થાય?

જવાબ : ફુવા.

સવાલ : એવી કઈ વસ્તુ છે જે પાણી પિતા જ મરી જાય છે?

જવાબ : તરસ.

સવાલ : પોતાના હાથેથી બનાવેલી કઈ વસ્તુ માણસ હવામાં ઉડાવી દે છે?

જવાબ : પતંગ.

સવાલ : તે શું છે જેને લોકો કોર્ટ કચેરી કે પોલીસ સ્ટેશન દરેક જગ્યાએ ખાવાનું કહેવામાં આવે છે?

જવાબ : કસમ.

સવાલ : કયા ફૂલને પાકવામાં 2 વર્ષ લાગે છે?

જવાબ : રેફલીસિયા ફૂલ, તે મલેશિયા અને ઇન્ડોનેશિયામાં મળી આવતું એક આશ્ચર્યજનક પરજીવી છોડ છે, જેનું ફૂલ વનસ્પતિ જગતના દરેક છોડના ફૂલોથી મોટું, લગભગ 14 મીટર વ્યાસનું હોય છે અને તેનું વજન 10 કિલોગ્રામ હોઈ શકે છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.