સોમવાર, 21 ડિસેમ્બર, 2020

IAS-IPS-UPSC-GPSC જેવી પરિક્ષાઓના 'બબૂચક' સવાલો વિશે..

*આજે જ શાળામાં આ વાત થયેલી, કે UPSC-GPSC જેવી પરીક્ષાઓમાં નાની ઉંમરે પાસ થનારી વ્યક્તિઓને કેવાં પ્રશ્નો પૂછવામાં આવે છે?? એ નીચે વાંચો.. આ પ્રશ્નો અને પ્રાંત અધિકારી બનવા વચ્ચે કોઈ તાલમેલ હોય એવું લાગે છે ખરું??.. ઘણાંખરાં ટ્રીકી પ્રશ્નો અકબર-બીરબલ ટાઇપની વાર્તાઓ જેવાં હોય એવું લાગે કે નહિ??*

*અને જસ્ટ વિચારો.. કે કોઈ વ્યક્તિ પોતાની વાકપટુતા અને પુસ્તકિયા જ્ઞાનની મદદથી મગજમાં ભરેલી માહિતીઓથી આવી કોઈ પરીક્ષા પાસ કરીને કોઈ મોટો અધિકારી બનીને કોઈ પ્રાંત ચલાવે.. તો એની આ વાક પટુતા અને પ્રાંત ચલાવવાના અનુભવ વચ્ચે કોઈ સંબંધ ખરો?? આવી વાકપટુતાથી પરીક્ષાઓ પાસ કરીને પ્રાંત અધિકારી બનતો વ્યક્તિ જે-તે પ્રાંતના ગ્રાઉન્ડ લેવલે શુ તકલીફો હોય એ શું જાણે?? ..અને આવા વ્યક્તિઓ કોઈ લેભાગુ રાજકારણીઓની કારણ વિનાની મહેચ્છાઓને પૂર્ણ કરવા વર્ષોનાં અનુભવી ફિલ્ડ વર્કરોને ધન્ધે લગાડે કે નહિ??* 

આ લેખનો મૂળ સોર્સ નીચેની લિંક પરથી લેવામાં આવ્યો છે:👇👇

https://gujaratilekh.com/how-peacock-born/

કયા ફળને પાકવામાં બે વર્ષ લાગે છે? IAS ઇન્ટરવ્યુના અજબ સવાલના ગજબ જવાબ જરૂર જાણો. મિત્રો, આઈએએસ અથવા આઈપીએસ બનવા માટે ફક્ત યુપીએસસી પરીક્ષા પાસ કરવી જરૂરી નથી. પ્રી, મેઇન્સ પરીક્ષા પાસ કર્યા પછી સૌથી મોટી લડાઈ ઉમેદવારે ઇન્ટરવ્યૂમાં લડવાની હોય છે. ઇન્ટરવ્યૂના ટ્રિકી સવાલોમાં ઘણા ઉમેદવાર ફેલ થઈ જાય છે. 

સવાલ : એક છોકરીને જોઈ વ્યક્તિએ કહ્યું તેની માતાના પિતા મારા સસરા છે, તો બંને વચ્ચે શું સંબંધ થયો?

જવાબ : બાપ-દીકરી.

સવાલ : એક ફોટાને જોઈ રોહિતે કહ્યું – તે મારા ભાઈના પિતાની એકમાત્ર દીકરીનો દીકરો છે. રોહિતનો ફોટાવાળા વ્યક્તિ સાથે કયો સંબંધ છે?

જવાબ : મામા-ભાણેજ.

સવાલ : કાળું મૃત્યુ કોને કહેવામાં આવે છે?

જવાબ : પ્લેગ નામની બીમારીને. યુરોપના ઇતિહાસનો એક અધ્યાય છે, જેમાં 7.5 થી 20 કરોડ લોકોના મૃત્યુ થયા હતા. તેની શરૂઆત 1346 થી 1353 માં થઈ હતી. લગભગ 10 વર્ષની અંદર કરોડો લોકો આ કાળી બીમારીને કારણે મૃત્યુ પામ્યા હતા.

સવાલ : એક સ્વસ્થ મનુષ્યના શરીરમાં કેટલું લોહી હોય છે?

જવાબ : એક સ્વસ્થ મનુષ્યના શરીરમાં લગભગ વજનના 7% જેટલું લોહી હોય છે. આ રીતે એક સ્વસ્થ માણસ જેનું વજન 70-80 કિલો હોય તો તેના શરીરમાં લગભગ 5 થી 5.5 લીટર લોહી હોય છે.

સવાલ : માછલી ખાધા પછી દૂધ કેમ નહિ પીવું જોઈએ?

જવાબ : માછલી ખાધા પછી રોજ દૂધ પીવાથી Leukoderma થઈ શકે છે, આ તે બીમારી છે જેનાથી શરીરમાં સફેદ દાખ, ફોલ્લીઓ પડી જાય છે. એટલે માછલી ખાધા પછી દૂધ, દહીંનું સેવન કરવાની ના પાડવામાં આવે છે.

સવાલ : ક્યા દિવસમાં ફક્ત 40 મિનિટની રાત હોય છે?

જવાબ : નોર્વેમાં ફક્ત 40 મિનિટની રાત હોય છે. એટલા માટે તેને country of midnight sun કહેવામાં આવે છે.

સવાલ : તે શું છે જે આવ્યા પછી સતત વધ્યા કરે છે?

જવાબ : લાલચ. એક વાર કોઈને લાલચ આવી જાય તો તે વધ્યા જ કરે છે.

સવાલ : મોર ઈંડા નથી આપતા તો તેના બચ્ચા કેવી રીતે જન્મે છે?

જવાબ : માદા મોર ઈંડા આપે છે, નર મોર નહિ.

સવાલ : કયા દેશના લોકો કુતરાનું દૂધ પણ પીવે છે?

જવાબ : ઇન્ટરનેટ પર રહેલી જાણકારી અનુસાર મોનો દેશના લોકો કુતરાનું દૂધ પીવે છે. મોનો દેશમાં મૂળ અમેરિકાના લોકો છે. જોકે, કુતરાનું દૂધ પીવું ખોટું માનવામાં આવે છે.

સવાલ : ચા પીધા પછી પાણી કેમ નહિ પીવું જોઈએ?

જવાબ : ચા પીધા પછી પાણી પીવાથી પાચન ખરાબ થઈ જાય છે. બીજું દાંતમાં પાયરિયા રોગની પણ શક્યતા થઈ જાય છે. ગરમ ચા ઉપર ઠંડુ પાણી પીવું નુકશાનકારક છે, તેનાથી પેટ ખરાબ થઈ શકે છે.

સવાલ : ઇન્ટરવ્યૂમાં ઉમેદવાર માટે એક કપ કોફી લાવવાનો આદેશ આપવામાં આવ્યો. કોફી આવી અને તેને ઉમેદવારની સામે મુકવામાં આવી. પછી ઉમેદવારને પૂછવામાં આવ્યું, what is before you?

જવાબ : ઉમેદવારે કહ્યું T comes before U. વર્ણમાળામાં ‘ટી’ એ ‘યુ’ પહેલા આવે છે.

સવાલ : સમોસાને અંગ્રેજીમાં શું કહે છે?

જવાબ : Curry Puff Rissole.

સવાલ : એક વ્યક્તિને જોઈ સુમિતે અનિલને કહ્યું – તે મારા દાદાના પૌત્રના પિતાના પિતાનો જમાઈ છે. જણાવો તે વ્યક્તિ સુમિતના કોણ થાય?

જવાબ : ફુવા.

સવાલ : એવી કઈ વસ્તુ છે જે પાણી પિતા જ મરી જાય છે?

જવાબ : તરસ.

સવાલ : પોતાના હાથેથી બનાવેલી કઈ વસ્તુ માણસ હવામાં ઉડાવી દે છે?

જવાબ : પતંગ.

સવાલ : તે શું છે જેને લોકો કોર્ટ કચેરી કે પોલીસ સ્ટેશન દરેક જગ્યાએ ખાવાનું કહેવામાં આવે છે?

જવાબ : કસમ.

સવાલ : કયા ફૂલને પાકવામાં 2 વર્ષ લાગે છે?

જવાબ : રેફલીસિયા ફૂલ, તે મલેશિયા અને ઇન્ડોનેશિયામાં મળી આવતું એક આશ્ચર્યજનક પરજીવી છોડ છે, જેનું ફૂલ વનસ્પતિ જગતના દરેક છોડના ફૂલોથી મોટું, લગભગ 14 મીટર વ્યાસનું હોય છે અને તેનું વજન 10 કિલોગ્રામ હોઈ શકે છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

રવિવાર, 29 નવેમ્બર, 2020

"હેલો.. હું આરોગ્યભવનથી બોલું છું.."

"હેલો.. હું આરોગ્યભવનથી બોલું છું.."

************

હાલ કોવિડ-૧૯ અંતર્ગત આરોગ્ય ભવન ખાતે  કામગીરી ચાલુ છે. પેશન્ટને ગવર્નમેન્ટ કોલિંગ કરવાનું કામ છે. રોજનાં પોઝિટિવ આવેલાં વ્યક્તિઓને કોલિંગ કરીને કરંટ હેલ્થ સ્ટેટ્સ, સ્ટીકર, હોસ્પિટલનું નામ સહિતની આઠેક કોલમની ડિટેલ્સ ભરવાની હોય છે. દિવાળી અને બેસતાંવર્ષ જેવાં તહેવારના દિવસો અને રવિવાર સહિત એકેય દિવસની રજા મળ્યા વગર લોકોને ફોન કરવાની આ કામગીરી ખરેખર શારીરિક અને માનસિક બંને રીતે થકવી દેનારી છે.. કેમ કે ફોન સાથે અને અવનવી પ્રકૃતિ ધરાવતા લોકો સાથે ડીલ કરવાનું છે! રોજના આશરે ૧૫૦ થી ૨૦૦ (અત્યારસુધીનો સૌથી મોટો આંકડો ૨૧૭!! જો કેસ વધે તો આ આંકડો પણ વધી શકે!!) વ્યક્તિઓને કોલ કરવામાં પાંચથી છ કલાક અને ક્યારેક તો સાત કલાક પણ સતત કોલિંગ ચાલે છે. ફોનના ખતરનાક વેવ્સ   સ્વભાવે ચીડિયાપણું લાવવા કાફી છે..!! ..અને લોકોનાં અવનવાં જવાબો અને વાતો મારાં જેવાં સેન્સિટિવ વ્યક્તિઓને ચોક્કસ માનસિક અસર કરે, જાડી ચામડીવાળા હોય તો કોઈ ફરક ન પડે! કામ પૂરું થયા પછી એકાદ-બે કલાક કોઈ ન બોલાવે તો મજા પડે એવું ફીલ થયાં કરે!!

આટલાં દિવસોથી આ ગવર્નમેન્ટ કોલિંગનું કામ કરવાનાં અનુભવથી લોકોનાં વર્તન બાબતે મનમાં કેટલીક ધારણાઓ બંધાઈ છે.. જે ૭૦% સુધી હવે સાચી પડે છે!

(૧) ભગવાનની કોલર ટ્યુન ધરાવતાં ૬૦% લોકો એક જ વખતનાં કોલથી ફોન રિસીવ નથી કરતાં.. એવરેજ ત્રણ વખત કોલ કરવો પડે છે..અને બાકીનાં ૪૦% લોકોએ બધું ભગવાન પર જ છોડી દીધું હોય છે.

(૨) ૫૦% થી વધુ કોલિંગ ૪૦-૬૦+ ની આસપાસની વયનાં લોકોનું છે. 

(૩) મોટેભાગે દિવસનાં પહેલાં પાંચમાંથી ત્રણ કોલ કાં તો ઇનવેલીડ હોય છે, કાં તો કોઈ ઉપાડતું નથી, કાં તો વ્યસ્ત હોય છે અને કાં તો રોંગ નંબર હોય છે. (મરફી નો લૉ, અહીં પણ કામ કરે છે.. જો કોલ રિસીવ થાય તો લાગટ રિસીવ થાય.. અને ના થાય તો લાગટ ન થાય!!)

(૪) ૭૦ થી ૮૦% લોકો સારી રીતે વાત કરે છે, પણ બાકીનાં લોકોનું વર્તન એટલું બેહૂદુ હોય છે કે જાણે મારે અને એમને બાપે માર્યા વેર ના હોય!!??

(૫) આશરે ૧૦% મો.નં. રોંગ નં હોય છે.. અને આ ૧૦% લોકોમાંથી ૫૦% લોકો એટલી અસભ્ય અને ગંદી ગાળો સુધ્ધા આપી દેતાં હોય છે, કે મારે તરત જ ફોન મૂકી દેવો પડે! વળી ધમકી ય આપે! (આરોગ્ય ભવનનું સિયુજી સિમકાર્ડ છે. વળી હું પોતે સરકારી કર્મચારી.. અને એથીય વધુ મારો સ્વભાવ આવાં ગાળો આપતાં અને અસભ્ય વાતો કરનારાં લોકોને વળતો જવાબ આપવા સક્ષમ હોવા છતાં આવાં લોકોને હું કોઈજ જવાબ આપ્યા વગર ફોન જ મૂકી દઉં છું.)

(૬) પેશન્ટના રોંગ મો. નં. છેક આસામ, આંધ્ર પ્રદેશ પણ લાગતાં હોય છે.. ઓડિસી, આસામી, કન્નડ, તમિલ, તેલુગુ કે મલયાલમ જેવી ભાષાઓ મને એકસરખી જ લાગતી હોય એટલે એ લોકો શુ બોલે એ ન સમજાય, એટલે સૌથી ખરાબ અનુભવ (હિન્દી ભાષા સમજી શકવાને કારણે) યુપી-રાજસ્થાન-એમપી અને આપણાં ગુજરાતનાં હોય એવું લાગે!

(૭) સૌથી સરસ રીતે વાત મિલિટરી હોસ્પિટલમાં દાખલ આપણાં સૈનિકો/આર્મીવાળા કરે છે. 

(૮) મને ડોક્ટર સમજીને રડી-રડીને પોતાની અને રિલેટિવની ચિંતા કરનારા લોકો ઓછાં નથી. મને એમની ચિંતા એમની વાતોમાંય દેખાય છે, અને હું એમની ચિંતા દૂર કરવા એમની સાથે વધુ સારી રીતે વાત કરવા સિવાય બીજું કશું કરી શકતો નથી.

(૯) બીએસએનએલ, એઝ યુઝવલ, સક્ષમ હોવાં છતાં મોટેભાગે આઉટ ઓફ કવરેજ રહે છે. (કોલિંગ વખતે ટું.. ટું.. થયા કરે!!)

(૧૦) ૨૦-૨૫ વર્ષની મોટાભાગની યુવતીઓ ખૂબ જ 'લેઝી' રીતે ઊંઘમાંથી ઉઠી હોય એવી રીતે જ જવાબ આપે, જ્યારે આટલી જ ઉંમરનાં મોટાભાગનાં યુવાનો મને ગુસ્સામાં પૂછે કે, ''હું કેવી રીતે પોઝિટિવ આવ્યો?? મને તો શરદી-ખાંસી કાંઈ નથી.''

(૧૧) "મારો પોઝિટિવ-નેગેટિવ વાળો રિપોર્ટ મને નથી મળ્યો, મારે ક્યાંથી લેવાનો??" આ સવાલ સૌથી વધુ લોકો પૂછે છે.

(૧૨) ડોસા/ડોશીમાંથી કોઈ એક હોસ્પિટલમાં દાખલ થયાં હોય તો ઘરમાં એકલાં પડી ગયેલાં ડોસા/ડોશી બીજાની ખૂબ જ ચિંતા કરે, અને એવાં સવાલો પૂછે કે આપણે એમની વાતોમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ અનુભવી શકીએ.

(૧૩) મોટાં-મોટાં હોર્ન/વાહનો અને બજારમાંથી આવતા અવાજો ફોન પર સંભળાતા હોવાં છતાં એવું કહેવાવાળા ઓછાં નથી કે, "હું તો ઘરે હોમ કોરાંટાઇન છું.. ઉપરનાં માળે!!"

(૧૪) "ઓ સાહેબ.. મારાં ઘરે કોઈ સ્ટીકર-વિકર લગાવવા આવતાં નહિ હોં.. આજુબાજુવાળા/મકાનમાલિક અમને રહેવા નહિ દે. પછી અમારે ક્યાં રહેવા જવું??"

(૧૫) પીજી હોસ્ટેલનું સરનામું ધરાવતા ૬૦ થી ૭૦% ડૉ. મોબાઈલ ધારકો ફોન ઉપાડતા નથી અથવા તો ઇનવેલીડ હોય છે. ડૉ. હોય તેવાં મોબાઈલ નં. ધારકો કોઈ હોટલમાં આઇસોલેટ હોય તો તરત જ ફોન ઉપાડે છે.

(૧૬) "હું મીડિયામાં છું.. હું લોકલ પોલિટીશિયનને ઓળખું છું.. હું આ ડોક્ટરને ઓળખું છું/પોતે જ ડોકટર છું.. હું વિદેશમાં હતો/જવાનો છું." આ ટાઇપની ઓળખ આપી "મારાં ઘરમાં હજુ કોઈ ડોકટર આવ્યા નથી/સેનિટાઈઝ કરવા આવ્યા નથી/હોસ્પિટલમાંથી કોઈ માહિતી મળતી નથી.." ની ફરિયાદ પણ કરતાં હોય છે. 

(૧૭) ૫૦% થી વધુ લોકો શોર્ટ એન્ડ સ્વીટ એકદમ સભ્યતાથી ફોન પર વાત કરે છે. જ્યારે અમુક કારણ વગર તાણી-તુસીને ચોળીને ચીકણું કરી રાઈનો પહાડ બનાવી 'બધું જ સ્ટેબલ છે' એવું કહે!!

(૧૮) "મારાં .....(રિલેટિવ) મરી ગયા પછી તમે ફોન કરો છો??" એવું ગુસ્સાથી બોલવાવાળા ઓછાં નથી. (એકે તો એવું કહેલું કે.. "તમે બધાંએ ભેગાં મળીને મારી માં ને મારી નાંખી.. હું તમારાં બધાં પર કેસ કરવાનો છું.")

(૧૯) "આજના જ દિવસે મને આ બાબતે પૂછવાવાળા તમે ચોથા/પાંચમા વ્યક્તિ છો.. એટલે બસ મારે બધાને આ જ કહે-કહે કરવાનું??" ..અને આનો બિલકુલ વિરોધાભાસ.. "મારા એક રિલેટિવ માટે તમે ચાર-પાંચ લોકો પૂછપરછ કરો છો.. જોરદાર કહેવાય.. બહુ સરસ.." આવાં બે પ્રકારના સ્ટેટમેન્ટ બેક ટુ બેક સાંભળવા પણ મળ્યા છે/મળે છે.

(૨૦) હજુ કૈક રહી જ જતું હશે, જે જ્યારે અનુભવાશે ત્યારે કોમેન્ટમાં લખતો રહીશ.. 

************

24×7 હેલ્પલાઈનમાં અને કોલ સેન્ટરમાં કામ કરતાં લોકો પ્રત્યે સહાનુભૂતિ કેળવી શકું છું. ક્યારેક કોઈ વાતે મારાં તરફથી એમને જો કોઈ વાતે અપમાન થયું હોય તો એવાં અજાણ્યા લોકો મને માફ કરે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.

લ.તા. 29.11.20

https://m.facebook.com/story.php?story_fbid=3441372419304296&id=100002947160151

શુક્રવાર, 30 ઑક્ટોબર, 2020

*...આખરે દીકરી પોતાનાં જન્મ પહેલાં એનાં પિતાને પોતાની પાસે બોલાવીને જ જંપી!!*

*...આખરે દીકરી પોતાનાં જન્મ પહેલાં એનાં પિતાને પોતાની પાસે બોલાવીને જ જંપી!!*

(આજની તારીખે અહીં અમદાવાદમાં હાજર થયો, એનાં ૭ વર્ષ પૂરાં થયાં હોવાની યાદમાં આ લેખ એ દરેક મિત્રોને સમર્પિત, કે જેઓ પોતાનાં વતનમાં આવવાની રાહ જોઈ રહ્યા છે.)

***********

તા.21.3.2012 ને વેળાકોટ પ્રા. શાળામાં નોકરીને 5 વર્ષ પૂરાં થયાં ને હદયમાં આનંદ થયો.. હાશ.. 2500 વાળા પાંચ વર્ષ પૂરાં થયાં..!!

********

માંડ માંડ આ વર્ષો પસાર થયેલાં.. અભાવોનાં વર્ષો હતા એ.. અને દોઢ મહિના પછી પહેલો ફૂલ પગાર 18.5.12 એ બેંકમાં જમાં થયો.. ત્યારની એ ફીલિંગ્સ હજુયે અનુભવી શકું છું! હવે ફૂલ પગારવાળી પાછલી જિંદગી જીવનસાથી અને કુટુંબ સાથે શાંતિથી વિતે એવી 'મહેચ્છાઓ' હજુ આકાર લઈ રહી હતી ત્યાં જ એક અઠવાડિયા પછી તા. 25.5.12 એ ગાંધીનગરથી ફોન આવ્યો, "હલો.. તમને ઓર્ડર મળે કે ના મળે, ગાંધીનગર આવી જજો.."

અમે તા.28.5.12 એ ગાંધીનગર પહોંચ્યા, ને પત્નીશ્રી ને નોકરીનો ઓર્ડર મળ્યો, એ પણ અમદાવાદ કોર્પોરેશનમાં! 
નોકરી મળ્યાની ખુશી અનુભવું કે પત્નીજીથી હવે અલગ રહેવાનું દુઃખ અનુભવું, એ ન સમજી શક્યો! બધી 'મહેચ્છા'ઓને 'ફ્લશ' કરીને ભારે હદયે પત્નીજીને અમદાવાદ મૂકીને પાછો ફર્યો. 

એવો ફૂલ પગાર શુ કામનો કે જેને વાપરવાવાળી જ ન હોય??!! મારું શરીર અહીં હોય, ને મન અમદાવાદમાં હોય! આંખો કેલેન્ડરમાં રજાના દિવસોની રાહ જોતી હોય..! રજા એક દિવસની હોય, બે દિવસની હોય કે પછી અઠવાડિયાની.. ભાગુ અમદાવાદ! અત્યારસુધીની 5 વર્ષની નોકરીમાં વર્ષાન્તે જે 'સી.એલ.' વાપર્યા વગર જતી રહેતી એ હવે ખૂટવા મંડી! કોડીનાર-ગાંધીનગરની એસ.ટી. બસોના ડ્રાઈવર-કંડકટર હવે ઓળખવા મંડેલા! વેલાકોટ થી અમદાવાદ પહોંચતા ૧૨ કલાક થઈ જતાં. મારા પછી બસમાં ચડતા લોકોને વચ્ચેના સ્ટેશનોએ મારા કરતાં વહેલાં ઉતરતા જોઈ એમની ઈર્ષ્યા થતી! હદય પ્રાર્થના કરતું કે કાશ.. બદલી કેમ્પ થાય અને મારો વારો અમદાવાદમાં આવે.. અને હું પણ આવી રીતે છેલ્લી વખત બસમાં બેસું.. મારો બધો સામાન લઈ અમદાવાદ જવા..!! ..પણ બદલી કેમ્પના ફોર્મ છેક ડિસેમ્બરમાં ભરાતા.. માંડ માંડ છ મહિના પસાર થયા ને અંતે ડિસેમ્બર આવ્યો..! 

બદલીનું ફોર્મ ભર્યું.. એકસો વખત ફોર્મ ચેક કર્યું હશે કે રખેને ક્યાંય કોઇ ભૂલ રહી જાય અને ફોર્મ રિજેક્ટ થાય, તો તો હું મરી જ જાઉં ને?? હજાર વખત તાલુકે પુછાવરાવ્યું કે ફોર્મ અમદાવાદ પહોંચી તો ગયું હશે ને?? ક્યાંક વચ્ચે ગેરવલ્લે તો નહી જતું રહે ને? ક્યાંક ફોર્મ લઈ જતી ગાડીને વચ્ચે એક્સીડેન્ટ ન થઈ જાય??!! ભગવાન પરની શ્રદ્ધા ઓલરેડી હતી તો ખરાં જ, પણ હતી એનાં કરતાં વધી ગઈ! ભગવાનને કરવાની પ્રાર્થના પણ ગોખાઈ ગઈ! બસ..  હવે ટ્રાન્સફરની જ રાહ જોવાતી હતી! 

એવામાં સમાચાર મળ્યા કે.. હું હજુ એક બંધનમાં બંધાવાનો હતો.. માત્ર પત્નીજી જ નહિ, પણ હવે એક નાનકડું 'બાઉં' પણ દુનિયામાં આવવાની તૈયારી કરી રહ્યું હતું.. અને હવે એ પણ મારી રાહ જોતું હતું.. કે હું ક્યારે અમદાવાદ હંમેશ માટે આવું?? 

2013 ના ઉનાળુ વેકેશને મારતે ઘોડે (સોરી.. બાઈકે!) અમદાવાદ ગયો.. વેકેશનના 35 દિવસ પછી પાછાં ફરતી વખતે અમરેલી પહોંચ્યો ને ચાલુ બાઈકે 'આંખો' ચાલુ થઈ!! ...શું કરું કાંઈ સમજાતું ન હતું!! અહીં ૪૦૦ કિમિ દૂર હું એકલો, અને ત્યાં ૪૦૦ કિમિ દૂર મારા પત્નીજી એકલાં!

***********

ખૂબ ઈચ્છા હતી કે આ સમયે પત્નીજી ભારતીય અધ્યાત્મને વાંચે અને સમજે! છેલ્લા દસેક વર્ષથી મારા ઘરે નિયમિત 'સફારી' આવે છે.. એમાં મારાં પત્નીજી માત્ર છેલ્લું જ પાનું વાંચે.. કે જે 'ગણિત'નું હોય!! હવે જેમને માત્ર ગણિત જ ગમતું હોય, એ ભારતીય અધ્યાત્મ તો કેમ વાંચે?? હું રવિવારની રજાની રાહ જોતો..

રવિવારની સવાર પડે એટલે ફોન ચાલુ થાય.. તે છેક સાંજે મુકાય! આ દરમિયાન ભારતીય ધાર્મિક-આધ્યાત્મિક પુસ્તકોનું હું ખુદ વાંચન કરતો અને મારાં પત્નીજી ફોન પર સાંભળતા.. હું મને આવડે એવું અર્થઘટન કરી સમજાવતો. (ઉદાહરણ તરીકે, જુઓ.. આ લિંક.. https://youtu.be/Ltiuv2vE74c )

...એવામાં એક ખુશીનાં સમાચાર મળ્યા! એક મહિના પછી તા.13.7.13નાં રોજ મારાં નામે એક પત્ર આવ્યો.. અમદાવાદ કોર્પોરેશનમાંથી! એક અઠવાડિયા પછી તા.19.7.13નાં રોજ અમદાવાદ સ્કૂલબોર્ડનો ટ્રાન્સફર કૅમ્પ હતો, જેમાં મારે હાજર રહેવાનું હતું! હું ખુશીનો માર્યો, 19 મી તારીખે કેમ્પમાં પહોંચ્યો, અને રંગે-ચંગે મારા હાથમાં એક અઠવાડિયામાં અમદાવાદમાં હાજર થવાનો ઓર્ડર મળ્યો. 

********

"ન જાણ્યું જાનકીનાથે, કાલે શું થવાનું છે??"

..બધું બરાબર જ થાય તો જિંદગી શાની?? હું પાછો વેલાકોટ પહોંચ્યો, ત્યાં મિત્ર જગદીશ ડાંગરે એક ખરાબ સમાચાર આપ્યા.. બદલીનાં નવા નિયમાનુસાર જો શાળામાં 10 ટકા કરતાં વધુ શિક્ષકોની ઘટ હોય તો કોઈનેય છુટા કરવાના ન હતાં!! માર્યા ઠાર.. 

હું ડરતો-ડરતો જૂનાગઢ જિલ્લા મથકે પહોંચ્યો.. અને મારાં આશ્ચર્ય વચ્ચે મને જિલ્લામાંથી છૂટાં થયાનો ઓર્ડર મળી ગયો!! બસ.. હવે તાલુકે છૂટો થઈશ અને પછી અમદાવાદ!!

બીજાં દિવસે હું તાલુકા મથકે ગયો. ત્યાંના સાહેબે જાણે મારી સાથે 'બાપે માર્યા વેર..' હોય એમ વર્તન કરી મને કાઢી મુક્યો! ..અને કહ્યું, "જ્યારે તમારી શાળામાં પૂરેપૂરો સ્ટાફ હશે તો જ તમે છુટા થશો." 

હું તો રડવા જેવો થઈ ગયો..! કારણ  કે અમારી શાળામાં પૂરેપૂરો સ્ટાફ ત્યારે જ થાય જ્યારે 1 થી 5 માં હજુ વધુ 2 શિક્ષકોની ભરતી થાય! ..ખોટું નહિ કહું, પણ હું જે ગામની શાળામાં હતો, ત્યાં ભાગ્યે જ કોઈ આવવા તૈયાર થતું.. આવતું તો પણ સજામાં અથવા તો છેલ્લાં વિકલ્પે, જ્યારે બીજી કોઈ જગ્યા જ ન બચી હોય ત્યારે!! કદાચ પૂરેપૂરો સ્ટાફ થાય તો પણ સિનિયોરિટી મુજબ એક જ શિક્ષક છૂટો થાય એમ હતું, જ્યારે મારો નંબર ત્રીજો હતો!! ટૂંકમાં કહું તો.. હવે તો કોઈ 'ચમત્કાર' જ મને અમદાવાદ હાજર કરી શકે એમ હતું!!

***********

હું પાછો એક વખત જિલ્લાએ ગયો.. વિનંતી કરી..  ત્યાંથી પણ કાઢી મૂકાયો! વળતામાં મારા નામ-જોગ એક લેટર જિલ્લામથકે થી તાલુકા મથકે થયો.. અને તાલુકા મથકેથી પે-સેન્ટરે.. અને ત્યાંથી શાળામાં, કે.. "જ્યાં સુધી પૂરેપૂરો સ્ટાફ વેલાકોટ પ્રા. શાળામાં ન થાય, અને સિનિયોરિટી મુજબ મારો વારો ન આવે ત્યાં સુધી મને છૂટો ન કરવો!!"

હું સખત ડિપ્રેસડ થઈ ગયો! ઘરે આવીને રડ્યો.. કારણ કે અમદાવાદના રસ્તાઓ પણ ન જાણતાં પત્નીજી, સગર્ભા અવસ્થામાં આ શહેરમાં એકલાં ભાડે રહેતાં હતાં, અને હું અહીં કશું કરી શકું એમ ન હતો! એ ચિંતા સખત થતી કે આ દરમિયાન ન કરે ઈશ્વરને કાંઈ તબિયત ગરબડ થાય તો તાત્કાલિક કેમ છેક વેલાકોટથી અહીં પહોંચવું?? 

હું વધુને વધુ 'ચૂપ' થઈ ગયો! 

...આ દરમિયાન જ્યારે પણ રજા આવે ત્યારે પત્નીજી સાથે આખો દિવસ ભારતીય અધ્યાત્મની પુસ્તકોની ફોન પર ચર્ચા ચાલુ રાખી.. અને એક દિવસ 'કર્મનો સિદ્ધાંત' પુસ્તક હાથમાં આવ્યું!! સાવ નાનકડી એવી આ પુસ્તિકાની ચર્ચાએ મને વિચારતો કરી મૂક્યો!! આખો ઓગષ્ટ આ પુસ્તકની ચર્ચા પત્નીજી સાથે ચાલી. સમગ્ર ચર્ચાને અંતે એક નિષ્કર્ષ પર આવ્યો, "જો કર્મ બાકી હોય તો જ્યાં સુધી એ પૂરું ન થાય ત્યાં સુધી એ તમારો પીછો છોડતું નથી."

..અને નિરાશા ખંખેરીને હું મારા શિક્ષક તરીકેના કાર્યમાં લાગી ગયો! હું અને બસ મારો વર્ગ.. બાળકોને શિક્ષણ આપવા સિવાયનું દરેક કર્મ મેં વર્જિત ગણ્યું!! ..આખરે મારે અમદાવાદ જવા મારો વેલાકોટનો 'કામનો ક્વોટા' પૂરો કરવો હતો!

'કર્મનો સિદ્ધાંત' પછી 'ભગવદગીતા'નો વારો હતો.. એક પછી એક અધ્યાય પૂર્ણ થતાં ગયા!! ફોન પર અધ્યાત્મની ચર્ચા જેમ-જેમ આગળ વધતી ગઈ એમ એમ ડિપ્રેશન ગાયબ થતું ગયું! 'કર્મયોગ', 'ભક્તિયોગ' અને 'જ્ઞાનયોગ'માં હું 'કર્મયોગી' જ બની શકું એમ હતો! ડિપ્રેશન થોડું ઓછું થતાં હું મારા સ્ટાફમિત્રો સાથે ફરી ક્રિકેટ રમવા લાગ્યો હતો! મને ક્રિકેટ રમતાં ઓછું આવડે, છતાંય એક ઈચ્છા રાખેલી, કે હું એક 'સિક્સ' મારું, કે જે ક્યારેય નહોતો મારી શક્યો, હંમેશા 'આઉટ' જ થઈ જાઉં!

અહીં અમદાવાદમાં નાનું 'બાઉં' પણ આવવાની તડામાર તૈયારીઓ કરી રહ્યું હતું.. મેં પત્નીજીને એક વાત કહી, "જો આવનારું 'બાઉં' એનાં નસીબમાં એવું લખાવીને આવ્યું હશે કે એનાં આવતાં પહેલાં હું ત્યાં આવીશ, તો હું ગમે તે રીતે અહીંથી છૂટો થઈને ત્યાં આવીશ, અને જો નસીબમાં એવું નહિ હોય, તો આપણે ગમે તેટલાં ધમપછાડા કરીએ.. હું ત્યાં નહિ આવી શકું!" 

હું દર શનિવારે બપોરે/રાતે બસમાં અમદાવાદ જવા બેસતો, અને માત્ર ૧૨ કલાક અમદાવાદમાં કાઢીને પાછો સોમવારે પાછો વેલાકોટમાં આવી જતો! 

*******

વર્ષ ૨૦૧૧ માં ધો.૧ લીધું ત્યારે એક સંકલ્પ કરેલો, 'આ બાળકોને હું એવું શિક્ષણ આપીશ કે તેઓ જ્યારે ધો.૩ ની પહેલી વખત લેખિત પરીક્ષા આપશે ત્યારે તેઓ તેમની જાતે જ નામ-નંબર સહિતનું આખું પેપર લખશે.. હું એમને કોઈ જ જાતની મદદ નહિ કરું!!' 

ઓક્ટોબર આવ્યો, ને સત્રાંત પરીક્ષાઓ ચાલુ થઈ! પહેલી જ વખત લેખિત પરીક્ષા આપતાં ધો.૩ ના બાળકોએ ખૂબ જ સુંદર રીતે જાતે જ પેપર લખ્યા.. નામ-નંબર સહિત! મને સંતોષ થયો.

સમગ્ર સત્રાંત પરીક્ષા પૂરી થયાં બાદ હજુ શાળા સમય પૂરો થવાને થોડો સમય બાકી હોઈ અમે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું.. હું જે ટીમમાં હતો એ ટીમ હારવાની નક્કી જ હતું, અને બેટિંગમાં મારો વારો આવ્યો. સામેની ટીમના કપ્તાન શિક્ષક મિત્ર જગદીશભાઈ સારું ક્રિકેટ રમતાં, અને હું મોટાભાગે એમની સ્પિન બોલિંગમાં જ આઉટ થતો. હું આગળ વધ્યો.. અને આંખો મીંચીને બેટ ફેરવ્યું, 'સિક્સ' લાગી ગઈ!!.. મારી ટીમે બુમો પાડી.. આ લખતી વખતે ય હું રોમાંચિત છું!! 

...કદાચ મારો આ જ 'કામનો ક્વોટા' બાકી રહી ગયો હતો..!! જે પૂરો થયો.. 

બીજાં દિવસથી બે દિવસની શિક્ષક તાલીમ શરૂ થતી હતી.. અને પછી દિવાળી વેકેશન!!

*********

તા.૨૯.૧૦.૧૩ શિક્ષક તાલીમનો બીજો દિવસ.. જાણવા મળ્યું કે માત્ર આ વખત પૂરતું સરકારે ૧૦% ની જગ્યાએ ૫૦% સ્ટાફને છુટા કરવાનો નિર્ણય લીધો છે. 

બે વાગે અમારાં આચાર્ય ગોપાલસાહેબ આવીને કહે, "ચલો મારી સાથે.. તમને પે-સેન્ટરના આચાર્ય બોલાવે છે."

હું આચાર્ય સાથે ઓફિસમાં ગયો, તો પે-સેન્ટરના આચાર્ય કહે, "તાત્કાલિક તાલુકે જાઓ.. તમને છુટા કરવાના છે."

જરૂરી કાગળિયા લઈને હું તાલુકે ગયો.. ત્યાંના મને જોઈને ભડકતા સાહેબે પાછી રોન કાઢી, "હું તમને છુટાં ન કરી શકું." 

આ સાંભળીને હું પાછો ગભરાયો! મેં દલીલ કરી કહ્યું, "અમારા પે-સેન્ટરના આચાર્યે તો મને એમ કહ્યું કે મને તાલુકે છુટાં કરવાના છે.."

એ સાહેબ અહંકારથી અને ગુસ્સાથી ઊભાં થઈને અંદરની મોટાં સાહેબની ઓફિસમાં ગયાં, હું પણ પાછળ પાછળ ગયો! પેલાંએ મને છૂટો ન કરવા માટે માંડીને બધી વાત કરી, ત્યાં તો પેલાં મોટાં સાહેબનો જોરથી અવાજ આવ્યો.. "છુટાં કરો આ ભાઈને.." 

એ સાહેબ બહાર આવ્યા, ને મારાં છુટાં થવાનાં કાગળો પર સહી કરી નાંખી! ...હું તાલુકેથી છૂટી તરત પે-સેન્ટરે આવ્યો. ગોપાલસાહેબની મૈત્રીક ભલામણથી પે-સેન્ટર આચાર્યે પાંચ વાગી ગયા હોવાં છતાં વધુ સમય રોકાઈને મારાં છુટાં થવાના કાગળો પર સહી કરી.. અને બીજા દિવસે.. એટલે કે આજની તારીખે ૩૦.૧૦.૧૩ એ, બરાબર સાત વર્ષ પહેલાં.. અહીં અમદાવાદમાં હાજર થવા ૨૯ ની સાંજે તાત્કાલિક બસમાં બેઠો..!

હું અહીં ૩૦.૧૦.૧૩ એ હાજર થયો.. બીજાં દિવસથી એટલે કે ૩૧ તારીખથી દિવાળી વેકેશન પડતું હતું!! 

....અને બેસતાં વર્ષે એટલે કે, મારાં અહીં હાજર થયાને બરાબર પાંચમાં દિવસે તા.૪-૧૧-૧૩ એ 'તન્વી'નો જન્મ થયો!!

...આખરે દીકરી પોતાનાં જન્મ પહેલાં એનાં પિતાને પોતાની પાસે બોલાવીને જ જંપી!!

**********

"માંડ માંડ છુટાં થયાની ફાઇલ" નામથી એક ફાઇલ મેં મારા કબાટમાં સંઘરી રાખી છે! જેમાં અમે કેટ-કેટલાં કાગળીયાઓ કરેલાં.. એની સમગ્રતયા એક એક કોપી સંઘરી રાખી છે.

**********
લ.તા. ૩૦.૧૦.૨૦

ગધા ઓર ગધેકી માં કી મઝાર

किसी मज़ार पर एक फकीर रहते थे।सैकड़ों भक्त उस मज़ार पर आकर दान-दक्षिणा चढ़ाते थे। 

उन भक्तों में एक बंजारा भी था।

वह बहुत गरीब था...

फिर भी, नियमानुसार आकर माथा टेकता...

फकीर की सेवा करता...

और...

फिर अपने काम पर जाता...

उसका कपड़े का व्यवसाय था l
कपड़ों की भारी पोटली कंधों पर लिए सुबह से लेकर शाम तक गलियों में फेरी लगाता, कपड़े बेचता।

एक दिन उस फकीर को उस पर दया आ गई, उसने अपना गधा उसे भेंट कर दिया।

अब तो बंजारे की आधी समस्याएं हल हो गईं। वह सारे कपड़े गधे पर लादता और जब थक जाता तो खुद भी गधे पर बैठ जाता।

यूं ही कुछ महीने बीत गए...

एक दिन गधे की मृत्यु हो गई।

बंजारा बहुत दुखी हुआ, उसने उसे उचित स्थान पर दफनाया, उसकी कब्र बनाई और फूट-फूट कर रोने लगा।

समीप से जा रहे किसी व्यक्ति ने जब यह दृश्य देखा, तो सोचा जरूर किसी संत की मज़ार होगी। तभी यह बंजारा यहां बैठकर अपना दुख रो रहा है।
यह सोचकर उस व्यक्ति ने कब्र पर माथा टेका और अपनी मन्नत हेतु वहां प्रार्थना की कुछ पैसे चढ़ाकर वहां से चला गया।

कुछ दिनों के उपरांत ही उस व्यक्ति की कामना पूर्ण हो गई। उसने खुशी के मारे सारे गांव में डंका बजाया कि अमुक स्थान पर एक पूर्ण फकीर की मज़ार है। वहां जाकर जो अरदास करो वह पूर्ण होती है।मनचाही मुरादे बख्शी जाती हैं वहां।

उस दिन से उस कब्र पर भक्तों का तांता लगना शुरू हो गया।

दूर-दराज से भक्त अपनी मुरादे बख्शाने वहां आने लगे। बंजारे की तो चांदी हो गई, बैठे-बैठे उसे कमाई का साधन मिल गया था।

एक दिन वही फकीर जिन्होंने बंजारे को अपना गधा भेंट स्वरूप दिया था वहां से गुजर रहे थे। 

उन्हें देखते ही बंजारे ने उनके चरण पकड़ लिए और बोला, "आपके गधे ने तो मेरी जिंदगी बना दी। जब तक जीवित था तब तक मेरे रोजगार में मेरी मदद करता था और मरने के बाद मेरी जीविका का साधन बन गया है।"

फकीर हंसते हुए बोले, "बच्चा! जिस मज़ार पर तू नित्य माथा टेकने आता था, वह मज़ार इस गधे की मां की थी।"

बस यूंही चल रहा है Incredible India!
किसी मज़ार पर एक फकीर रहते थे।सैकड़ों भक्त उस मज़ार पर आकर दान-दक्षिणा चढ़ाते थे। 

उन भक्तों में एक बंजारा भी था।

वह बहुत गरीब था...

फिर भी, नियमानुसार आकर माथा टेकता...

फकीर की सेवा करता...

और...

फिर अपने काम पर जाता...

उसका कपड़े का व्यवसाय था l
कपड़ों की भारी पोटली कंधों पर लिए सुबह से लेकर शाम तक गलियों में फेरी लगाता, कपड़े बेचता।

एक दिन उस फकीर को उस पर दया आ गई, उसने अपना गधा उसे भेंट कर दिया।

अब तो बंजारे की आधी समस्याएं हल हो गईं। वह सारे कपड़े गधे पर लादता और जब थक जाता तो खुद भी गधे पर बैठ जाता।

यूं ही कुछ महीने बीत गए...

एक दिन गधे की मृत्यु हो गई।

बंजारा बहुत दुखी हुआ, उसने उसे उचित स्थान पर दफनाया, उसकी कब्र बनाई और फूट-फूट कर रोने लगा।

समीप से जा रहे किसी व्यक्ति ने जब यह दृश्य देखा, तो सोचा जरूर किसी संत की मज़ार होगी। तभी यह बंजारा यहां बैठकर अपना दुख रो रहा है।
यह सोचकर उस व्यक्ति ने कब्र पर माथा टेका और अपनी मन्नत हेतु वहां प्रार्थना की कुछ पैसे चढ़ाकर वहां से चला गया।

कुछ दिनों के उपरांत ही उस व्यक्ति की कामना पूर्ण हो गई। उसने खुशी के मारे सारे गांव में डंका बजाया कि अमुक स्थान पर एक पूर्ण फकीर की मज़ार है। वहां जाकर जो अरदास करो वह पूर्ण होती है।मनचाही मुरादे बख्शी जाती हैं वहां।

उस दिन से उस कब्र पर भक्तों का तांता लगना शुरू हो गया।

दूर-दराज से भक्त अपनी मुरादे बख्शाने वहां आने लगे। बंजारे की तो चांदी हो गई, बैठे-बैठे उसे कमाई का साधन मिल गया था।

एक दिन वही फकीर जिन्होंने बंजारे को अपना गधा भेंट स्वरूप दिया था वहां से गुजर रहे थे। 

उन्हें देखते ही बंजारे ने उनके चरण पकड़ लिए और बोला, "आपके गधे ने तो मेरी जिंदगी बना दी। जब तक जीवित था तब तक मेरे रोजगार में मेरी मदद करता था और मरने के बाद मेरी जीविका का साधन बन गया है।"

फकीर हंसते हुए बोले, "बच्चा! जिस मज़ार पर तू नित्य माथा टेकने आता था, वह मज़ार इस गधे की मां की थी।"

बस यूंही चल रहा है 
એકવાર ચાણક્યના એક શિષ્યને થોડીક હવા ભરાઈ ગઈને એણે જાહેર કરી દીધું કે હવે તલવારબાજીમાં મારો કોઈ મુકાબલો ના કરી શકે ,ખુદ ચાણક્ય પણ નહિ ,.

એમાં તો લોકોના અને ચંદ્રગુપ્તના આગ્રહ અને કુતુહલને લઈને ચાણક્ય અને પેલા ચેલા વચ્ચે મુકાબલો નક્કી પણ થઇ ગયો ,.

હવે ચાણક્યને એ ખ્યાલ કે આપણે આ ચેલુંને તલવારબાજીમાં બધું શીખવાડી દીધું છે ,પાછું એમાય ચેલો જુવાનજોધ હાન્ઢયા જેવો છે અને આપણને ઉમર થઇ ગઈ છે, ચેલાને હરાવવો અઘરો છે ,..

કરવું શું ?

વિચારીને ચાણક્યએ એક માણસને કહ્યું કે હું મુકાબલામાં મારી તલવાર બે ઇંચ વધુ લાંબી રાખવાનો છું ,.એ માણસે બીજાને અને બીજાએ ત્રીજાને ,.. એમ કરતા-કરતા ચેલા પાસે વાત પહોચી ત્યાં બે ઈંચનું બે ફૂટ થઇ ગયું,.

મુકાબલાનો દિવસ આવ્યો અને ચેલો બે ફૂટ વધુ લાંબી તલવાર લઈને મેદાનમાં ઉતર્યો ,અને ચાણક્ય રેગ્યુલર તલવાર લઈને ઉતર્યા ,. ચેલુંની તલવારનો વજન જ એવો થઇ ગયો કે એ ચપળતાથી તલવાર ફેરવી જ ના શક્યો અને હાર્યો ,..

એનું ઘમંડ ઉતર્યું ,ચાણક્યએ એને માફ કર્યો અને આ બે ઇંચ-બે ફૂટના પાઠમાંથી કૈક શીખવા કહ્યું .,,,

સ્ટેટ્સ સોર્સ: કાનજીભાઈ

શનિવાર, 29 ઑગસ્ટ, 2020

બોજો હળવો કરો

બે ભાઇઓ ઓફિસથી થાક્યા પાક્યા ઘેર આવ્યા. ઘરે આવ્યા ત્યારે તેને ખબર પડી કે આજે લીફટ બંધ છે અને એ કોઇપણ સંજોગોમાં ચાલુ થઇ શકે તેમ નથી. એમનો ફ્લેટ 80માં માળ પર આવેલો હતો પણ હવે પગથિયા ચઢવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો. એટલે વાતો કરતા કરતા 20 માળ ચઢી ગયા. 20માં માળે પહોંચ્યા પછી વિચાર્યુ કે આપણા ખભા પર આ થેલાઓ લઇને ચઢીએ છીએ પણ આ થેલાઓ તો કાલે પાછા લઇ જ જવાના છે તો એ અહિંયા જ છોડી દઇએ.

20માં માળ પર થેલા છોડીને એ આગળ વધ્યા ભાર હળવો થવાથી હવે એ સરળતાથી આગળ વધી રહ્યા હતા. 40માં માળ પર પહોંચ્યા પછી થોડો થાક લાગ્યો અને કંટાળ્યા પણ હતા એટલે વાતો કરતા કરતા બંને ઝગડવા લાગ્યા. એક બીજાપર દોષોના ટોપલા ઢોળતા જાય અને દાદરા ચઢતા જાય.

60માં માળ પર પહોંચ્યા પછી સમજાયુ કે હવે ક્યાં વધુ ચઢવાનું બાકી છે તો પછી શા માટે ખોટા ઝગડીએ છીએ હવે તો બસ ખાલી 20 દાદરા જ ચઢવાના બાકી છે. બંને ઝગડવાનું બંધ કરીને આગળ વધ્યા અને 80માં માળ પર આવી પહોંચ્યા અને હાશકારો થયો. મોટાભાઇએ નાનાને કહ્યુ, “ઘર પર તો કોઇ છે જ નહી ચાલ ઘરની ચાવી લાવ.” નાનાએ કપાળ પર હાથ દઇને કહ્યુ , “ અરે , ચાવી તો 20માં માળ પર રાખેલા થેલામાં જ રહી ગઇ.”

જીવનમાં પણ કંઇક આવુ જ બને છે પ્રથમ 20 વર્ષ સુધી આપણે માતા-પિતાની અપેક્ષાઓનો બોજો લઇને જ ચાલીએ છીએ. 20 વર્ષ બાદ અપેક્ષાનો બોજો હળવો થતા જ મુકત બનીને જીવીએ કોઇ રોકનાર નહી કોઇ ટોકનાર નહી. 40 વર્ષ પછી સમજાય કે મારે જે કંઇ કરવુ હતુ એ તો થયુ જ નથી એટલે અસંતોષની આગ જીવનને દઝાડે , ઝગડાઓ શરુ થાય. આમ કરતા કરતા 60 વર્ષ પુરા થાય પછી વિચારીએ કે હવે ક્યાં ઝાઝુ ખેંચવાનું છે ખોટી માથાકુટ શું કરવી. જ્યારે 80 વર્ષે પહોંચીએ ત્યારે સમજાય કે મારા 20માં વર્ષે જોયેલા સપનાઓ તો સાર્થક થયા જ નહી. બસ આમ જ જીવન પુરુ થઇ ગયુ.

યુવાનીમાં જોયેલા સપનાઓને સાર્થક કરવાનો શ્રેષ્ઠ સમય યુવાની જ છે. 80 વર્ષે જે જોઇતું હોઇ એ મેળવવાની શરુઆત 20માં વર્ષથી જ કરી દેવી.

આપ નો દિવસ સુખમય રહે 

વાંચતા રહેજો જ્ઞાન સાથે ગમ્મત

રવિવાર, 9 ઑગસ્ટ, 2020

એજ્યુકેશન સિસ્ટમ અને કોમ્પિટિટિવ પરીક્ષાઓ

આ વીડિયો આપણા ઘર-પરિવાર-સમાજ-દેશનો અરીસો છે! 

ખાટલે મોટી ખોડ આપણી એજ્યુકેશન સિસ્ટમમાં છે, જે વર્ષો પહેલાં આપણાં બાપ દાદા પારખી ગયેલા! એ આવું કહી ગયા હોવા છતાં આપણે પણ આપણાં બાળકોને 'કિતાબી જ્ઞાન(!)' આપવાની પાછળ જ પડી રહ્યા કે નઈ?? નગ્ન અને વાસ્તવિક સત્ય એ છે કે આપણે બધાં જ આપણું બાળક નાનું હોય ત્યારથી જ એવું સપનું જોઈએ છીએ કે મારું બાળક 'મોટાં સાહેબ' (મીન્સ, નોકર.. યુ નો?) બને!! એ માટે આપણે તનતોડ મહેનત કરીએ છીએ! બાળકને નાનપણથી જ 'બે પુંઠ્ઠા' વચ્ચેનું બધું આવડે એ માટે મોટી ખાનગી ઇન્ટરનેશનલ અંગ્રેજી શાળાઓમાં ભણાવીએ છીએ, મોંઘાદાટ ટ્યુશનો રખાવીએ છીએ! આપણાંમાંથી બહુ ઓછાના બાળકો માતૃભાષામાં ભણતાં હશે જોઈ લેજો!

હું જ્યારે પણ છાપામાં, ટીવીમાં, સોશિયલ મીડિયામાં કોઈ ગરીબ/મધ્યમ/તવંગર કુટુંબના ૨૫ વર્ષનાં યુવાન કે યુવતીને IAS/IPS કે UPSC જેવી એક્ઝામ પાસ કરતાં જોઉં છું ત્યારે એમનાં પર 'પ્રાઉડ' તો થાય જ છે, પણ એક વિચાર આવ્યા વગર રહેતો નથી!! આવી પરીક્ષાઓ પાસ કરવા માટે આવા યુવાનો/યુવતીઓએ ખૂબ જ મહેનત કરી હશે. એ રોજનાં પંદર-વીસ કલાક વાંચતો હશે! ઊંચી ટકાવારી અને 'વિજ્ઞાન'નો વિદ્યાર્થી હોવા છતાં તે બાળક પોતાને ઘરનાં એક ખૂણામાં પુસ્તકોનાં થોથાની વચ્ચે પૂરી દે છે! માં-બાપ પણ એની મહેનતથી ખુશ છે. એને ભણવામાં ખલેલ ન પહોંચે એ માટે એકાંતમાં રાખવાની બનતી મદદ કરે છે! એ નથી સમાજમાં/મિત્રોમાં હળતો-ભળતો, કે પછી નથી ઘરની બહાર નીકળતો! 'ઇન્ફોર્મેટિવ થોથા'ઓની સાથે સાથે 'પોઝિટિવ થીંકીંગ' અને 'મોટીવેશનલ' પુસ્તકો વાંચીને એ UPSC/GPSC/IAS/IPS જેવી કોઈ હાર્ડ એક્ઝામને પોતાની ઉંમરના ૨૫માં વર્ષે જ ક્રેક કરે છે, અને કલેકટર બને છે!

આવી અઘરી એક્ઝામો પાસ કરનાર બધાં જ ટોપરો (થ્રી ઈડિયટના) 'ચતુર' તો હશે જ, પણ એમાં 'રેંચો' કેટલાં હશે?
જેને 'ઘરનાં ખૂણા'ની જ દુનિયા જોઈ છે, એને સ્ટેટ કે ડિસ્ટ્રિક્ટ ચલાવવા આપીએ તો શું થાય?

નાની ઉંમરમાં કલેકટર બની ગયા, એટલે વાહ.. સપનું પૂરું થયું! પોતે અચાનક લાઈમલાઈટમાં આવી 'સ્ટાર' બની ગયો છે! છાપા-મીડિયા-ટીવીમાં આટલી નાની ઉંમરે એ છવાઈ ગયો છે!એનું પોસ્ટિંગ કોઈ સારી જગ્યાએ છે! માં-બાપ ખુશ છે. હવે એની પાસે જે એનું લક્ષ્ય હતું એ છે - "પાવર"! 
બ્રાવો..!

હવે કહાનીમાં ટ્વિસ્ટ આવે છે...

જેણે ક્યારેય 'ઘર' સાચવવા/ચલાવવામાં પોતાના માં-બાપની મદદ પણ નથી કરી, એ નાની ઉંમરનાં 'મોટાં બાળક'ને આવી એક્ઝામ પાસ કર્યા પછી આખો 'જિલ્લો' કે પછી, પોતાનો 'ક્રાએટેરિયા' ચલાવવાનો પરવાનો મળી જાય છે! (સમજાય છે?.. નાની ઉંમરમાં 'એડમિનિસ્ટ્રેટિવ અધિકારી' બનવાનાં સપનાં ના-લાયક યુવાનો શું કામ જોતાં થઈ જાય છે?? ઘરમાં બેઠેલાં 'નવરાં'ઓ ગર્વથી એવું શું કામ કહેતા હોય છે, 'કોમ્પિટિટિવ એક્ઝામ'ની તૈયારી કરું છું??!! કેમ કે એ જાણે છે કે, 'જો એ પાસ થઈ ગયો તો 'શૂન્ય' પ્રેક્ટિકલ અનુભવે એ 'મોટો સાહેબ' બનશે!! 'ક્ષેત્ર-અનુભવ'નું અહીં કોઈ મહત્વ છે જ નહીં! સિસ્ટમમાં 'સાલું' ક્યાંક તો કશુંક ખૂટે છે!)

જો આ નાની ઉંમરનો 'મોટો સાહેબ'  રેંચો બનશે તો લોકોનું 'ભલું' કરવાં કોઈ લાલચુ નેતાની સામે પડીને પણ કામ કરશે.. બિલકુલ પ્રામાણિકતાથી! ..અને આવા નેતાની સામે પડવા બદલ સતત 'બદલીઓ'નો પુરસ્કાર અને લોકોનો આદર-પ્રેમ મેળવશે! એ એવો અધિકારી ક્યારેય નહિ બને કે જે કોઈનાં માતાપિતાને રાહ જોવડાવ્યા બાદ 'સડસડાટ' જતો રહે! 'ડાઉન ટુ અર્થ' રહીને 'ગ્રાઉન્ડ રિયાલિટી'ને આધારે પોતાનાં નિર્ણયો લેશે!

પરંતુ.. જો આ નાની ઉંમરનો 'મોટો સાહેબ' ચતુર નીકળ્યો તો..???

'ઇન્ફોર્મેટિવ થોથા' વાંચીને 'મોટા સાહેબ' બનેલાં આ યુવાને 'ગ્રાઉન્ડ લેવલ'ની રિયાલિટી/પુસ્તકોની બહારની દુનિયા જોઈ જ નથી! પોતાને 'થ્રી ઈડિયટ'ના 'રેંચો' માનતા આવાં 'ચતુરો' ચોર નેતાઓને એ જ દેખાડે છે, જે એ જોવા માંગે છે! ..અને એમની 'ગુડબુક'માં રહે છે! આ નેતાઓ પણ કેવા? અભણ હોય તો ય ચાલે! હું ખેડૂત નથી, તોય કૃષિમંત્રી બની શકું એવું જ કંઈક!! (એક માણસ પોતાની ભૂખ મટાડવા બીજા માણસના મરવાની રાહ જોતો એની બાજુમાં બેઠો હોય, એવો ભયંકર દુષ્કાળ જ્યારે અમુક સો વર્ષો પહેલાં ચીનમાં પડયો હતો, ત્યારે ચીનના તે સમયના રાજાને નવાઈ લાગતા કહેલું, "આ લોકો માણસને શુ કામ ખાય છે? માણસની જગ્યાએ મુરઘીનો સેરવો કેમ નથી પીતાં?!!" એ રાજા એટલી પણ ગ્રાઉન્ડ રિયાલિટી નહોતો સમજતો, કે જ્યારે કોઈ જાનવર જ બાકી ન રહ્યું હોય, ત્યારે જ લોકો એકબીજાને જ ખાવાના ને!! અંતે, એ રાજાએ લોકો પોતાનાં સંતાનોને વેચી શકશે, એવો ઠરાવેલું! ..જેથી લોકો (સેરવો!!) ખાવા પામી શકે! સંદર્ભ: માર્ચ ૨૦૨૦ સફારી!)

આ નાની ઉંમરના 'મોટાં સાહેબ' પાછાં 'ઉછળતું લોહી' હોઈ, પોતાનાં નિર્ણયોની સામે કોઈ વિરોધ કરે તો..? રિયાલિટી સમજ્યા વગર જ 'કડક હાથે પગલાં' લે! કારણ કે એણે નાનપણમાં 'મોટાં સાહેબો'ને આવાં જ 'ભાવ' ન આપતાં જોયાં છે! આવાં 'ચતુરો'નો વિરોધ કરવાં કરતાં 'ખોટું' કરવું સારું, એવું માનનારા વધે છે! પરિણામે કોઈ પણ કાર્ય, માત્ર ને માત્ર, 'પરિણામ લક્ષી' બને છે, 'વાસ્તવિક લક્ષી' નહિ! ગ્રાઉન્ડ લેવલ'ની રિયાલિટી સામે આંખ આડા કાન થાય છે. મતલબ કે, મારા દીકરી 'ઓનલાઈન' શિક્ષણ લઈ શકે છે, એટલે બધાં જ લોકો લઈ શકે, સમથિંગ એવું જ! હું ૨૦૦૦૦ નો ફોન રાખી શકું તો બધાં રાખી જ શકે.. એવું જ કંઈક! પોતાની આવક કરોડોમાં છે એટલે ગરીબ-મધ્યમવર્ગના લોકોની આવક ૬૦૦૦૦૦ ની ઉપર જ હોય એવું જ કંઈક!! મારુ પેટ ભરેલું છે, એટલે કોઈ ભૂખ્યું નથી એવું જ કંઈક!! પરિણામે સતત નિર્ણયો બદલાતા રહે, કોઈ કામ સ્થાયી થાય જ નહીં! પરિપત્રો 'નિર્ણય' નહિ, પણ 'પ્રયોગ' બને! પોતાનાં તુઘલખી નિર્ણયોને સાચા સાબિત કરવા 'પરિપત્ર પર પરિપત્ર' અને 'પાવર'નો ઉપયોગ થાય, અને પીસાય કોણ? કહેવાની જરૂર ખરી??!!

ક્લાસ વન એકઝામની તૈયારી કરતા 21 થી 25 વર્ષના યુવકો/યુવતીઓ, દિવસના બાર-પંદર કલાક વાંચવા માટે પોતાને ઘરના એક રૂમમાં બંધ કરીને, જયારે GPSC/UPSC જેવી એક્ઝામો પાસ કરે છે અને કોઈ મોટા હોદ્દા પર બેસે છે ત્યારે એમને સામાન્ય પ્રજાજનો/કર્મચારીઓ/પોતાના વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિનો શું ખ્યાલ હોય? જે હજી પરણીને ઘર ચલાવતા નથી થયા એમને પોતાના 'ક્રાયેટેરીયા' વિસ્તાર ચલાવવાનો શું અનુભવ હોય? 'યુવાનીનું ઊછળતું લોહી' પોતાના 'પુસ્તકિયા જ્ઞાન'ના જોરે એ.સી. ઓફિસમાં બેસીને 'બ્યુરોક્રસી' હેઠળ કોઈ અભણ નેતાની ઈચ્છાઓને પૂરી કરવા વાસ્તવિક દુનિયામાં એવા અવાસ્તવિક અને તુઘલખી નિર્ણયો લેતા હોય છે કે જેનાથી સામાન્ય પ્રજાજનોની કમ્મર ભાંગી જાય છે!! ..અને 'વિવેક' 'પ્રમાણિકતા' 'સત્ય' અને 'નિષ્ઠા' માત્ર કાગળ પર રહી જાય છે!! વેલકમ ટુ ન્યુ ઇન્ડિયા.. જ્યાં વર્ષોના અનુભવીઓ નહિ, પણ 'પુસ્તકિયા જ્ઞાની'ઓ મોટા હોદ્દા પર બેસે છે, અને 'નહીવત ભણેલાં' મંત્રીઓ બને છે!

ગધેડાના લીલા ચશ્માં

પંજાબમાં એક ભાઈ જોડે એક ગધેડો હતો. પંજાબી ભાઈ એને રોજ લીલું ઘાસ આપતો.

થોડા સમય પછી પંજાબી ભાઈને આર્થિક કટોકટી આવી એટલે એ ગધેડો વેચવો પડ્યો. એ ગધેડો એક ગુજરાતી ભાઈએ ખરીદ્યો.

પંજાબી ભાઈએ કહ્યું હતું કે મારો ગધેડો ખૂબ મહેનત કરે છે. તમને ખૂબ કામ આવશે. એટલે ગુજરાતી ભાઈ તો ખૂબ રાજી હતો. 

ગુજરાતી ભાઈ ગધેડાને લઈ આવ્યો એ જ દિવસથી કામ ચાલું કરી દીધું. આખો દિવસ ગધેડા જોડે કામ કરાવ્યું. ગધેડો ખરેખર મહેનતુ હતો. એણે પણ હોંશેહોંશે કામ કર્યું. 

સાંજ પડી એટલે ગુજરાતી ભાઈએ ગધેડાને પુળા ( સૂકું ઘાસ ) આપ્યું. તો ગધેડે એ ન ખાધું.

ગુજરાતી ભાઈએ પંજાબી ભાઈને ફોન કર્યો કે આ ગધેડો તો સૂકું ઘાસ નથી ખાતો. અમારે અહીં લીલું ઘાસ ક્યાંથી લાવવું.

પંજાબી ભાઈએ કીધું કે એક કામ કરો ગધેડાને લીલા રંગના ચશ્મા પહેરાવી દો.

બસ પછી તો ગુજરાતી ભાઈએ ગધેડાને લીલા રંગના ચશ્મા પહેરાવી દીધા અને ગધેડો સૂકા ઘાસને લીલું સમજીને ખાવા લાગ્યો.

આ વાત મને હમણાં જ રાજુભાઈએ કહી છે. મેં પૂછ્યું કે અહીં ગધેડો અને ચશ્માં જેના પ્રતીક છે એ બધાને સમજાશે ખરા?

તો રાજુભાઈએ કહ્યું કે ગધેડા નહિ હોય એમને સમજાઈ જશે.

😉😉😉😉😉 

-વિકી ત્રિવેદીની વોલ પરથી
https://m.facebook.com/story.php?story_fbid=1973629572772944&id=100003777606046


હાલો ત્યારે જય માહિસમતી 😉✌️

શુક્રવાર, 31 જુલાઈ, 2020

તન્વી આંગળવાડીમાં જય છે 1.8.18

સાડા ચાર વર્ષે આજથી શુભ શરૂઆત!!

*****

"કઈ સ્કૂલમાં જાય છે??"
"તમે હજુ સુધી તન્વીને સ્કૂલમાં નથી મૂકી??"
"ક્યારે સ્કૂલમાં મૂકશો??"
"નર્સરીમાં મૂકી દેવાય, ત્યાં જતી થશે તો સ્કૂલમાં પણ બેસશે.."

અઢળક સવાલો અને સલાહો!! 
હાલ આપણા સભ્ય સમાજમાં એક ટ્રેન્ડ છે કે બાળક અઢી/ત્રણ વર્ષનું થયું નંઇ કે તરત નર્સરીમાં મૂકી દેવું! એને ત્યાં જવું ના ગમતું હોય તોય ધરાર બધાનાં બાળકો જાય છે એટલે આપણે પણ ત્યાં મોકલવાનું?!! ..પછી ભલેને એ રડતું હોય!! આ કેવું?? મહ્દઅંશે તો એવું જ લાગે છે કે દેખાદેખી અને ઈર્ષામાં જ આ 'કુંમળા છોડ'નો 'નર્સરી'માં ભોગ ચડાવાય છે!! ...અથવા તો આ 'તોફાની'થી ત્રણેક કલાક બચવાનો એક ઉપાય એટલે 'નર્સરી'!!

ઠીક છે, પણ બધાં કરતાં હોય એટલે આપણે પણ કરવું જરુરી તો નથી!! વળી, શિક્ષક હોવાને નાતે જાણું છું કે સાવ નાની ઉંમરમાં સ્કૂલનો ઓટલો ચડાવવો યોગ્ય નથી, એટલે છેક સાડા ચાર વર્ષે આ શુભ દિવસ આવ્યો!! તન્વીબેન હવેથી આંગણવાડીમાં જશે!! તન્વીબેનને ભણવાની અને અમને ભણાવવાની સહેજેય ઉતાવળ નથી, એટલે નર્સરી કરતાં આંગણવાડી ઉપર જ પસંદગી ઉતરી છે!! બસ, આ જ ઉંમર છે.. ખાઓ અને મોજ કરો, બીજું શું વળી!!

ગુરુવાર, 30 જુલાઈ, 2020

'કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા નહિ' સાચો ધર્મ સવાલો પૂછવાનું શીખવે છે, અને દંભી ધર્મ સવાલો પૂછનારને જ ખતમ કરવાનું!!

'કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા નહિ'

સાચો ધર્મ સવાલો પૂછવાનું શીખવે છે, અને દંભી ધર્મ સવાલો પૂછનારને જ ખતમ કરવાનું!!

***************

ધર્મની બાબતમાં સવાલો કરવા કે ઉઠાવવા એ આપણાં સમાજમાં લોકોનાં 'નાકનું ટેરવું અને આંખોના ભવાં' ઊંચા કરાવવા કાફી છે! ન જાણે, ધર્મની બાબતે એવાં એવાં ડર ઘુસાડેલાં છે કે જો આમ કરીશું તો આમ થશે, અને આમ નહિ કરીએ તો તેમ!! હું પોતે જન્મથી હિન્દુ છું, નખશિખ હિન્દુ! નાનપણથી મમ્મી પપ્પાએ અને મારી આસપાસના સમાજ-વાતાવરણે મને ભગવાન જે દ્રષ્ટિએ અને નજરે જોવાનું શીખવ્યું છે, હું મારી ઉંમરના બહુ મોટા પડાવ સુધી એ જ નજરે જોતો રહ્યો છું, એ હું ખાતરીપૂર્વક કહી શકું છું! ..પણ હવે ખબર નહિ, કેમ સવાલો ઉઠે છે..! મને એવું લાગે છે ઉઠવા જોઈએ!! સવાલો તો અર્જુને પણ કરેલાં, પણ અંતે તો એ જ સવાલો એને (પૌરાણિક કથાઓ અનુસાર) ધર્મ તરફ દોરી ગયેલાં! સાચો ધર્મ સવાલો પૂછવાનું શીખવે છે, અને દંભી ધર્મ સવાલો પૂછનારને જ ખતમ કરવાનું એવું હું માનું છું. 

હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ.. શું આ બધા ધર્મો છે? જો હા.. તો બાળકના જન્મ વખતે જ જે તે ધર્મનો થપ્પો હોવો જોઈએ! જો ના.. તો વાસ્તવિક ધર્મ શું છે?

*************

નાનપણમાં સિવિલ પાસે રહેતાં ત્યારે દર શનિવારે સાયકલ લઈને 'કેમ્પ હનુમાન' જતાં. ત્યાં જાતજાતનાં ચિત્રો દોરેલાં હતા. કોઈ ખોટું કામ કરીએ તો યમરાજના દૂતો 'ગરમ તેલમાં નાખીને તળતા હોય! (તેલમાં તળાયા પછી મરીએ કે જીવતાં રહીએ એ સવાલ ઘણી વખત થયેલો, પણ કોઈને પૂછી નહતો શક્યો!) ગાયનું દાન કર્યું હોય તો જ એનું પૂંછડું પકડીને વૈતરણી નદી ક્રોસ થઈ શકે, બાકી આ પાર જ રહી જઈએ! (વૈતરણી નદી પાર કરવા એ નાદાન ઉંમરે, કોઈએ ગાય દાન કરી હોય એવાને, મિત્ર બનાવવાનું વિચારેલું, જેથી એની ગાયનું પૂંછડું પકડીને નદી ક્રોસ થઈ શકે!! તરવાનું શીખવાનું પણ વિચારેલું!! ..અને ત્યારબાદ એક એ પણ આઈડિયા કરેલો કે, કોઈ નદી ક્રોસ કરી લે, પછી ગાય તો નદીમાં જ હોય ને??!!.. એને પકડી લઈશું!!☺️☺️) બીજાં ઘણાં ચિત્રો હતા.. પણ અત્યારે માનસપટ પર આ જ અંકિત છે! દરેક પ્રકારના ભગવાનને સમજવા હું 'વ્રતકથાઓ' ચોપડી આખી વાંચી ગયેલો! એમાંય સંતોષી માતા(એ સમયે લોકો સંતોષીમાંને વધુ માનતા, અત્યારે દશામાંને વધુ માને છે!)નો ડર તો એવો ઘુસી ગયેલો, કે શુક્રવારે ભૂલથી ખાટું ખવાઈ ગયું હોય તો મનમાં ને મનમાં હજાર વખત મરી ગયો હતો, પણ 'જીવતાં રહેવા' ખાટું ખાધું હોવાનું કોઈનેય ન કહેવાનું નક્કી કરેલું! (મમ્મી-પપ્પા ક્યારેય શાળાએ જઈએ ત્યારે પૈસા વાપરવા નહોતા આપતાં. બાપુનગર  ગુજરાતી શાળા નં ૯-૧૦ માં ભણતો અને રહેવાનું છેક ઉત્તમનગર, મણિનગર! એકવાર બસ નહોતી મળી, અને કકડીને ભૂખ લાગેલી! મારી બેન, આશા પાસે કોઈકે વૈભવલક્ષ્મીનું વ્રત ઉજવેલું, એનો દફતરમાં છુપાવેલો ૧ રૂપિયો હતો! એણે ૫૦-૫૦ પૈસાની આમલી ખરીદી. અમે ખુશ થઈ ગયા. આમલી ખાધી, અને... ખલાસ! એ દિવસ શુક્રવાર હતો! પૂરું! ..અમે બંને ધર્મસંકટમાં ફસાયા!! હવે સંતોષી માતા નહિ છોડે એવી બીક લાગી. છેવટે નક્કી કર્યું કે આમલી ફેંકી દઈએ, અને ઘરે કોઈનેય નહિ કહીએ! ..એમ જ કર્યું! એ દિવસે સાંજે ઘરે સંતોષી માં ની પૂજા થઈ ત્યારે જે ગોળ-ચણા નો પ્રસાદ મળ્યો, એ છુપાવી દીધેલો, ખાધો નહતો!!) સાવ ત્રણ-ચાર વર્ષની ઉંમરે તો સવારે નહાઈને જ્યાં સુધી ત્રણ વખત 'શ્રી કૃષ્ણ શરણમમ'ની તુલસીમાળા ન કરું, ત્યાં સુધી મમ્મી મને ચા-ટોસ્ટ પણ ન આપતાં! ચા-ટોસ્ટ ખાવા મળે એ માટે હું કાણી આંખે ફટાફટ માળા ફેરવતો, અને બે મિનિટમાં ત્રણ માળા પૂરી કરતો! એક વખત પરીક્ષામાં પાસ થવા બાપુનગર ગાયત્રી મંદિરે 'ગાયત્રી મંત્ર'ની માળા પણ ફેરવેલી! 

સતત ભાડે રહેતાં હોઈ ગોમતીપુર મુસ્લિમ બિરાદરના મકાનમાં રહેતાં ત્યારે એની વાતોમાં આવીને સત્યાવીસમો  'રોજો' કરવાનું પણ શરૂ કરેલું! જે સાત વર્ષ સુધી કર્યો હતો!! ..અને પડોશમાં રહેતાં ખ્રિસ્તી કુટુંબે એમની આપેલી ઈસુની ચોપડીઓ અને 'નવો કરાર' વાંચીને 'હે પરમપિતા પરમેશ્વર, આ લોકો શુ કરી રહ્યા છે એ લોકો જાણતા નથી, માટે એમને માફ કરજો' એવી પ્રાર્થના કરવાનું પણ શીખેલો! 

એ સમયે અમારાં ઘરે દર અઠવાડિયે 'નાનકા કાકા' આવતાં, જેનાંથી હું ખૂબ પ્રભાવિત હતો! નાનકો માતાજીનો ભુવો હતો. એ અમારા ઘરે આવીને ધૂણતો. એનાં શરીરમાં માતાજી આવતા, એ એવું કહેતો, એટલે હું પણ એવું માનતો! માતાજી આવે એટલે મમ્મી-પપ્પા કંઈક પૂછે અને પેલો ભુવો જવાબ આપે. અચાનક જ માતાજી જતાં રહે, અને મમ્મી-પપ્પાના સવાલો બાકી રહી જાય, એટલે પેલો અઠવાડિયા પછી પાછો આવે!! ધૂણવાનું પૂરું કરે એટલે તરત જ મમ્મી એનાં પગ પાસે પૈસા અને પાણી મૂકે એવું સ્મરણમાં છે.

મમ્મીની દેખીતા ભગવાનોમાં આટલી શ્રદ્ધા હોવા છતાં, પોતાનું ઘર અને પપ્પાની રીક્ષાય વેચાઈ ગઈ! ઘરભાડુ પણ ન ભરી શકતાં જ્યારે ભીડભંજન પાસે ઝૂંપડપટ્ટીમાં રહેવાનું થયું, ત્યારે સૌપ્રથમ ભગવાન પર શંકા થઈ! ..અને સવાલો પેદા થયા!!

************

મૂલતઃ આ બધું લખવાનું કારણ એ કે, ભગવાન એટલો નવરાં હોય ખરાં, કે દરેક પર પર્સનલ ધ્યાન રાખે?? શું ભગવાન ભક્તોની ભૂલો શોધવા જ બેઠાં હોય?? જો ભગવાન 'ભાવ'નો ભૂખ્યો હોય, તો આ 'ભાવ' છે શું??
શું 'ભાવ' એ જ ભગવાન છે કે પછી 'સત્ય' એ જ પરમેશ્વર?? કે પછી 'ભાવ' અને 'સત્ય' જ વાસ્તવિક ધર્મ??

***************

(૧) એક જજ છે. એની સામે એક કેસ આવ્યો, જેમાં એ જાણે છે કે આરોપી વ્યક્તિ એ ખરેખર ગુનેગાર નથી! ..પણ એનાં નિર્દોષ હોવાના કોઈ પુરાવા એની પાસે નથી. દરેક પુરાવા એનાં વિરુદ્ધ જ છે! હવે જજે શું કરવું જોઈએ?? કોનું સત્ય અંતિમ ગણવું જોઈએ?? પુરાવાનું કે પોતાનું?? જજનો 'ભાવ' ન્યાયનો હોઈ એ પુરાવાને આધારે એ વ્યક્તિને સજા કરે છે! હવે માનો કે એ જ દિવસે એ સજા પામનાર વ્યક્તિની નિર્દોષતા વિશે કોઈનેય કીધાં વિના જજ મરી જાય તો વાસ્તવિક સત્યનું શુ થાય?? સત્ય એ જ પરમેશ્વર હોય તો 'પરમેશ્વર' તો એ જજની સાથે જ ચાલ્યા ગયાં! ..અને 'ભાવ' જ ભગવાન હોય તો અહીં ભગવાન ખોટાં છે!!

(૨) પહેલાંના જમાનામાં બહારવટિયાઓ અમીરો(ગરીબોનું લોહી ચૂસનારાંઓ)ને લૂંટી ગરીબોને આપી દેતાં એવું અનેક પુસ્તકોમાં વર્ણન છે. આ બહારવટિયાઓનો 'ભાવ' તો ગરીબોને મદદનો છે, પણ 'સત્ય' એ છે કે એ અમીરોને લૂંટે છે!!

(૩) કોઈ નેતા ખૂબ બધો ભ્રષ્ટાચાર કરીને કરોડો-અબજો કમાયો છે. લોકોને અંદરોઅંદર તો આ ભ્રષ્ટાચારની ગંધ આવી જ ગઇ છે. પણ કોઈ સત્તા સામે વિરોધ નથી કરી શકતા. આ ઉદાહરણમાં દરેકનો 'ભાવ' વિરોધનો તો છે જ, પણ 'સત્ય' એ છે કે 'સત્તા આગળ શાણપણ નકામું!'

(૪) એક ભૂખ્યો મજૂર રાતનાં અંધારે કોઈ માણસને લૂંટે છે/ચોરી કરે છે, કારણ કે એનાં ઘેર એનાં બાળકો ભૂખ્યા છે. પોલીસ એને પકડીને જેલમાં નાંખે છે. બહાર એનાં બાળકો મરી જાય છે/મોટાં થઈને 'ભૂખ' એમને પણ 'ગુનેગાર' બનાવે છે. મજૂરનો 'ભાવ' ક્યારેય ચોરી/લૂંટનો નહતો, પણ 'સત્ય' એ છે કે એનું કુટુંબ બરબાદ થયું અને બાળકો ગુનેગાર!!

(૫) એક પ્રામાણિક અધિકારી ઉપરી અધિકારી/નેતાના દબાણમાં આવીને ભ્રષ્ટાચાર કરે છે. અધિકારીનો 'ભાવ' ભ્રષ્ટાચારનો નથી, પણ 'સત્ય' એ છે કે એ 'ભ્રષ્ટાચાર' કરે છે!! 

(૬) એક એન.જી.ઓ. ગરીબોને મદદનાં બહાને કરોડો કમાય છે. અહીં એનજીઓનો 'ભાવ' પૈસા કમાવાનો છે, પણ લોકોને દેખાતું 'સત્ય' એ છે કે એ ગરીબોને મદદ કરે છે.

.....હજુ આવાં ઘણા ઉદાહરણો આપી શકાય! કહેવાનો ભાવાર્થ એ કે, કહેવાતાં ધાર્મિકોએ (ધર્મ રક્ષકો!) પોતાનો સ્વાર્થ સાધવા સિવાય કશું જ નથી કર્યું! ..અને વાસ્તવિક ધર્મે આપણને 'દંભી' જ બનતાં શીખવ્યું!! 

..રહી વાત 'ભાવ' 'સત્ય' અને 'ભગવાન'ની, તો.. 
'ભાવ' સારો હોય કે ખરાબ, એનો ફરક માત્ર વ્યક્તિને જ પડતો હોય એવું લાગે છે!! 
'સત્ય' ક્યારેય અંતિમ હોતું નથી, પણ હા.. દરેકનું વ્યક્તિગત 'સત્ય' ચોક્કસ અંતિમ હોય છે! 
અને..
'ભગવાન' મારો સ્વાર્થ હોય ત્યારે ડરાવતા નથી, પણ હા, બીજાનો હોય તો ચોક્કસ 'તને પાપ લાગશે' જેવી સ્ટાઇલમાં ડરાવે છે!!

****************

"અલ્યા ભાઈ.. આ સમજાય નહિ એવું ગોળ-ગોળ લખીને પોતાને વિદ્વાન સાબિત કરવા કરતાં ટૂંકમાં કહેને.. 'વાસ્તવિક ધર્મ' શુ હોય છે??" મારો આતમરામ ખીજાયો!!

"વાસ્તવિક ધર્મ એટલે સગવડીયો ધર્મ!! મારું ભલું થતું હોય તો 'ખોટું' કરવામાં કોઈ વાંધો નથી, પણ બીજાં 'ખોટું' કરીને પોતાનું ભલું કરે ત્યારે ઇર્ષ્યાથી પાછળ આગ લાગે છે!"

********

"આ કર્મનો સિદ્ધાંત છે શું?? શું એ 'સત્ય' છે?? ..કે પછી મનમાં ધર્મને લગતો ડર ઘૂસે એટલે રચાયેલો થિયરીકલ 'ભાવ'!!"

.....આ સવાલ મનમાં થતાંની સાથે જ મારા આતમરામે મારી સામે ગુસ્સાથી ડોળા કાઢ્યા!! આખરે સવાલો પૂછવાની મનાઈ છે!! ટૂંકમાં, 'ભગત' બનીએ તો લોકોને ગમીએ.. 'ભગતસિંગ' બનીએ તો નહીં!! ..'પાપ' લાગે!!

https://m.facebook.com/story.php?story_fbid=3086321561476052&id=100002947160151

મંગળવાર, 28 જુલાઈ, 2020

must be our lesson

A wise teacher once brought balloons to school, told her pupils to blow them up and write their name on one. After the children tossed their balloons into the hall, the teacher moved through the hall mixing them all up.

The kids were given five minutes to find the balloon with their name on it, but though they searched frantically, no one found their own balloon.

Then the teacher told them to take the balloon closest to them and give it to the person whose name was on it. In less than two minutes, everyone was holding their own balloon.

The teacher said to the children, “These balloons are like happiness. We won't find it when we're only searching for our own. But if we care about someone else's happiness...it will ultimately help us find our own.”

શનિવાર, 18 જુલાઈ, 2020

તન્વીની વિચાર ડાયરી

"તન્વીની વિચાર ડાયરી"માં આજે મમ્મીનું ગીત : 

"મમ્મી મમ્મી મમ્મી 
         ચારે બાજુ મમ્મી,
આખી દુનિયામાં મમ્મી જેવું કોઈ નહિ,
મમ્મી બાળકોને નાનેથી મોટાં કરે,
મમ્મી આપણું ધ્યાન રાખે,
મમ્મી આપણને સાચાં રસ્તે લઈ જાય,
મમ્મી મમ્મી મમ્મી 
         ચારે બાજુ મમ્મી."

***********

છેલ્લાં ૩ મહિનાથી એ એની કાલી ઘેલી ભાષામાં "વિચાર-ડાયરી" લખે છે. એ એનાં મનમાં ચાલતાં વિચારોને શબ્દોનું સ્વરૂપ આપે છે, અલબત્ત એની ભાષામાં! એક નજર એની વિચાર ડાયરીના વિષયો પર..

(૧) મિત્રો અને ભાઈ-બહેન વિશે (૨૮.૫.૨૦)
(૨) પપ્પા-મમ્મી વિશે એ પોતે શું વિચારે છે એ વિશે (૨૯.૫.૨૦)
(૩) એનાં વાંચન-લેખન અને ન આવડતી ભાષા વિશે (૩૦.૫.૨૦)
(૪) પૃથ્વી વિશે (૩૧.૫.૨૦)
(૫) ભગવાન હોય કે નહીં એ વિશે (૬.૬.૨૦)
(૬) ધ્યાન વિશે (૧૨.૬.૨૦)
(૭) પોતાના વિશે (૧૪.૬.૨૦ અને ૧૬.૬.૨૦)
(૮) રડવા વિશે (૨૩.૬.૨૦)
(૯) એનાં ટીચર વિશે અને મમ્મી-પપ્પા વચ્ચેની નારાજગી વિશે (૨૬.૬.૨૦)
(૧૦) બાળકોની મસ્તી વિશે (૮.૭.૨૦)

અલબત્ત, બધા વિશે એ મોટેરાંઓની જેમ વિગતવાર ન જ લખે, પણ નાનેરાંઓની જેમ એકાદ-બે થી પાંચેક લીટી તો લખી જ શકે! ..અને હા, દરેક પાને એનાં અંગુઠાની છાપ પણ!! જેથી એ યાદ રાખી શકે કે એનો અંગુઠો આવડો નાનો હતો ત્યારે એણે આ બધું લખેલું!!

https://m.facebook.com/story.php?story_fbid=3052670268174515&id=100002947160151

ગુરુવાર, 16 જુલાઈ, 2020

MAGNIFICENT DESOLATION મતલબ ભવ્ય વિરાનગી !! (Walking on the moon)

MAGNIFICENT DESOLATION  મતલબ  ભવ્ય વિરાનગી !! (Walking on the moon)

"ચંદ્ર ઉપર ઉતરતી વખતે રાખવાની થતી દરેક કાળજી મેં કરી છે. મારો સ્પેસશૂટ પણ મેં પહેરી લીધો છે, હવાનું દબાણ બરાબર છે, બધ્ધી જ ગણતરીઓ યોગ્ય છે, અને હવે હું મારા એપોલો યાનનો દરવાજો ખોલી રહ્યો છું..... હૃદય એક થડકારો ચુક્યું, અને.....  આપણા ચાંદામામાની ભવ્ય વિરાનગી મારી નજર સામે જ હતી!! .....મેં ચાંદામામાને હરાવી દીધા અને તેમની ઉપર વિજયી સ્મિત કરીને મારો પગ મુક્યો!!....."

*****

જો હું ચંદ્ર ઉપર ભૂલો પડી જાઉં તો...??? 

...ત્યાંથી પૃથ્વીને જોઇને હું..... મારું કુટુંબ, મારો પરિવાર, મારો સમાજ કે મારા દેશ કરતા બુમો પાડું.....
"મારી પૃથ્વીઈઈ......!! મારી પૃથ્વીઈઈ.......!!"

ધરતીને વેડ્ફનારા પ્રત્યેક લોકો જો એ વિરાનગીમાં ભૂલા પડી જાયને તો.. આપોઆપ એમને પૃથ્વીની કિંમત સમજાઈ જાય!!..

અવકાશમાં જઈને મૃત્યુને ભેટેલા અવકાશયાત્રીઓના જ્યારે નામ અને ફોટા બતાવ્યા ત્યારે મારી નજર તેમાં કલ્પના ચાવલાને શોધતી હતી!!

*****

3D એક એવું મૃગજળ છે, કે જે આપણાથી એક જ ઇંચ દુર હોવા છતાં તેને પકડી શકાતું નથી, છતાંય આપણી તરસ છીપાઈ જાય છે!! તેની સામે D2h  કનેક્શનવાળું ક્લીયર ચિત્ર પણ કયાંય ઝાંખું લાગે!!

..એના મનમાં તો એમ જ છે કે બહાર પિક્ચર જોવા જવું એટલે ચશ્મા પહેરીનેજ જવુ પડે!! 'THE JUNGLE BOOK' થી શરૂ થયેલી એની 3D મુવી જોવાની સફર 'PENGUINS', 
'MADAGASCAR: LEMURS' 
'BORN TO BE WILD' અને હવે..
'MAGNIFICENT DESOLATION (Walking on the moon)' સુધી પહોંચી છે અને ચોક્કસ હજુયે આગળ ચાલુ રહેવાની છે!!

*****
તા. ૫.૭.૧૭

તન્વી ભીંડાનું શાક-રોટલી બનાવે છે. તા.૧૪.૭.૨૦

https://m.facebook.com/story.php?story_fbid=3047261405382068&id=100002947160151

(બાળકને રસોડાનું કામ કરાવતી/શીખવતી વખતે માતા-પિતા કે વડીલનું માર્ગદર્શન જરૂરી છે. તન્વીએ એની મમ્મીનાં માર્ગદર્શન હેઠળ જ બધું કામ કર્યું છે.)

બાળક ચાહે છોકરો હોય કે છોકરી હોય, સાત-આઠ વર્ષનાં થયેથી રસોડાના નાના-મોટાં કામ પ્રત્યે એ ધીમે-ધીમે રસ કેળવે અથવા શીખે એ જરૂરી છે. ગામડામાં નોકરી વખતે જોયેલું કે બહુ નાની ઉંમરથી જ છોકરીઓ (અફસોસ, કે છોકરાંઓને માતા-પિતા રસોડામાં નથી મોકલતા!!☹️) રસોડામાં મમ્મીને મદદ કરવા લાગી હોય છે. કેડે બાળકને ઉંચકીને માર્કેટમાં ફરતી માતા અને જમવાનું બનાવતી વખતે માતાનાં ખોળે રમતું બાળક શ્રેષ્ઠ દ્રશ્ય છે. બાળકનાં બુનિયાદી ઘડતરમાં એ 'પાક'કલામાં શાકભાજી ઓળખે, મસાલાને જાણે, વસ્તુઓ કેવી રીતે બને તથા જરૂરી વસ્તુઓ કેટલી માત્રામાં નંખાય.. એ બધી બાબતો બાળકો જાણે તે જરૂરી છે. અગત્યની બાબત એ કે જાતે કરેલું લાંબા સમય સુધી યાદ રહે છે. શાકભાજી સમારતી વખતે ચપ્પુ પકડવાનું જ્ઞાન અને રોટલી તવા પર નાખવાનો અનુભવ એ જેવો-તેવો નથી.

લીંબાસી પીટીસી વખતે જ્યારે સવારે ઉઠી બુનિયાદી કામ (મેદાન વાળવું, સફાઈ કરવી, પાણી ભરવું, કપડાં ધોવા, જમીને જાતે ડિશ ધોવું, સંડાસ-બાથરૂમની સફાઈની સજા, બાગકામ, શાકભાજી-દૂધ ખરીદવું, અનાજ સફાઈ વગેરે..) કરવાનું થયું, ત્યારે સમજાઈ ગયેલું, કે જે માતા-પિતા પોતાનાં બાળકને ઘરનું કોઈ જ કામ નથી કરવાં દેતાં એ માતા-પિતા ખરેખર તો બાળકનાં ગુનેગાર છે! પીટીસીના રસોડામાં શાકભાજી-મરચાં-આદુ સમારતી વખતે અડધાં દિવસ સુધી બળતો હાથ અને ભર-ગરમીમાં રોટલી છૂટી પાડવા જવું એ કેટલું અઘરું છે એ સમજાતા રજામાં ઘેર જઈએ ત્યારે મમ્મીને રસોડામાં મદદ કરવાનું આત્મજ્ઞાન અમારામાંથી ઘણાને લાધ્યું હશે એવું હું માનું છું! ..અને લગ્ન પછીય પોતાની પત્નીને રસોડામાં મદદ કરવાનું ય વિચાર્યું હશે એ શક્ય છે!

મમ્મી સવારે સાડા ત્રણ વાગે ઉઠીને જમવાનું બનાવે એ દ્રશ્ય મારાં અનુભવમાં અંકિત છે. મમ્મીને રોટલી વણવામાં મદદ કરતાં બનતો નકશો એ દુનિયાનાં કોઈપણ દેશનાં નકશા કરતા પણ વધુ આનંદ આપે છે. ગિરગઢડામાં નોકરી લાગી અને એકલાં રહેવાનું શરૂ થયું ત્યારે મમ્મીને રસોડાનો બધો જ જરૂરી સામાન લઈ આપવા કહેલું, અને ત્યારે ગિરગઢડામાં (હાલ તાલુકા પ્લેસ છે!) કોઈ હોટલ/નાસ્તાની લારી ન મળે! સમ ખાવા પૂરતી એકાદ હતી ખરાં, પણ સાંજ પડતાં સુધીમાં બધું આટોપાઈ જાય! ગામડામાં તમને શું સ્ટ્રીટ ફૂડ મળે?? આ ગોપાલના ગાંઠિયા/નમકીનના પેકેટોનું ચલણ પણ દસ-બાર વર્ષથી જ વધ્યું છે. હું, પુરોહિતભાઈ અને બાલુભાઈએ અઠવાડિયું જેમ-તેમ ખેંચેલું, પણ પછી સમજાઈ ગયેલું, કે પેટની ભૂખ ભાંગવા 'જાત મહેનત જીંદાબાદ' જરૂરી છે. 'રસોડાનું વિજ્ઞાન' સમજવા  'હિંમતે મર્દા તો મદદે ખુદા' કરીને ઝંપલાવ્યું, એટલે શરૂઆતમાં તો ન આવડ્યું, પછી બગડ્યું, પછી સુધર્યું અને પછી આવડી ગયું! 'ભૂખ' શુ ન શીખવાડે??

હાલ અમે જેટલાં નોકરીએ એ સમયે લાગેલાં એ બધાં, કમસેકમ પત્નીજીની ગેરહાજરીમાં ક્યારેય ભૂખ્યા ન રહીએ, અને એમની હાજરીમાં એમને મદદેય કરીયે એવાં પાવરધા છીએ! વર્ષ ૨૦૧૩ માં અમદાવાદ આવ્યા પછી જોયું છે કે જેટલાં નવાં શિક્ષકો ભરતીમાં આવ્યા છે એમાંથી મોટાભાગનાં બહાર જમવાનું/ટિફિન વ્યવસ્થા ગોઠવી લેતાં હોય છે! ઇવન જે બહેનો શિક્ષિકાઓ તરીકે આવી છે એ પણ જાતે જમવા બનાવવાનો સમય ફાળવી શકતી હોવાં છતાં જ્યારે આવી કોઈ વ્યવસ્થા કરે ત્યારે મને, હવે નવાઈ લાગતી નથી! (એક સત્યાવીસ વર્ષની શિક્ષિકાને હજુયે જમવાનું બનાવતાં ન આવડતું હોય તો એનાં માતા-પિતાને હું ધન્યવાદ આપું છું!) માતા-પિતા પણ એવું ઇચ્છતા હોય કે એમનું બાળક જમવા બનાવવાની ભાંજગડમાં પડવા કરતાં કોઈ ટિફિન વ્યવસ્થા/બહાર જમી લેવાનું સૂચવતાં હોય છે. જો ખરેખર એટલું બીઝી શેડ્યુલ હોય કે સમય ન મળે તો આવી વ્યવસ્થા ગોઠવી શકાય, પણ વિકેન્ડમાં ક્યારેક તો જાતે જમવાનું બનાવવાનો આનંદ લેવો જ જોઈએ, એવું હું પર્સનલ માનું છું.

બાળકને બે ચોપડી ઓછી આવડશે તો ચાલશે, પણ રસોડાના વિજ્ઞાનથી એને પરિચિત કરવો એ દરેક માતા-પિતાની ફરજ છે, પછી એ છોકરો હોય કે છોકરી હોય, કોઈ ફરક ન રાખવો જોઈએ. શું ખબર લોકડાઉન જેવા કાળમાં કોઈ હોટલ ચાલુ ન હોય, ત્યારે આ અનુભવ કામ લાગી જાય!😊😊

મંગળવાર, 14 જુલાઈ, 2020

સિંહ મદમસ્ત થયો એમ વાંક કોનો??

https://m.facebook.com/story.php?story_fbid=3041425482632327&id=100002947160151

મદમસ્ત અભિમાની રાજા સિંહ જંગલમાં ફરી રહ્યો છે. રસ્તામાં એને હરણ મળ્યુ. એણે છાકટાઈથી હરણને પૂછ્યું, "એય હરણીના.. જોતો.. મારુ મોઢું ગંધાય છે કે નહીં?"

સાચબોલું હરણ સાચું બોલ્યુ, "હા રાજા.. તમે નિર્બળોનું લોહી ચુસો છો, એટલે તમારું મોં ગંધાય છે."

"હેં..?" સિંહ ગુસ્સે ભરાયો, "તું એક રાજાને એવું કહી રહ્યો છે કે 'તમારું મોં ગંધાય છે'??" ..આટલું બોલીને સિંહે પોતાનો પંજો ઉગામ્યો અને હરણને મારી નાંખ્યું!

દૂર બેઠેલાં ખંધા વાંદરાએ આ જોયું, અને રાજા એને કાંઈ પૂછે એ પહેલાં ત્યાંથી ભાગવા પગ ઉપાડે છે.. ત્યાં જ સિંહની ત્રાડ સંભળાઈ, "એય વાંદરીના.. ઉભો રહે!"

ફફડી ગયેલો વાંદરો ઉભો રહયો! મદમસ્ત રાજા સિંહ એની પાસે આવ્યો અને પૂછ્યું, "એય વાંદરીના.. જોતો.. મારુ મોઢું ગંધાય છે કે નહીં?"

હરણની હાલત જોઈને વાંદરાએ ખોટું બોલવાનું વિચાર્યું, "ના રાજાજી.. તમે તો રાજા કહેવાવ.. તમારું મોં થોડું ગંધાય?? તમારા મોં માંથી તો સરસ સુગંધ આવે છે."

"હેં..?" સિંહ ગુસ્સે ભરાયો, "હું રોજ નિર્બળ પ્રજાજનોનું લોહી પીવું છું, અને 'મારું મોં ગંધાતુ નથી' એવું બોલીને એક રાજાની સામે તું જુઠ્ઠું બોલે છે??" આટલું બોલીને સિંહે ફરી પોતાનો શક્તિશાળી પંજો ઉગામ્યો અને વાંદરાને મારી નાંખ્યો! 

હવે, સસલાનો વારો હતો..! એ જ ઉદ્ધતાઈથી અને એ જ અભિમાનથી રાજા સિંહે સસલાને પૂછ્યું, "એય સસલીના.. જોતો.. મારુ મોઢું ગંધાય છે કે નહીં?"

હરણ અને વાંદરાની જે હાલત થઈ એ નજર સામે હોવાથી ચતુર સસલાએ જવાબ આપ્યો, "માફ કરશો.. રાજાજી.. મને સખત શરદી થઈ છે. મારું નાક બંધ છે માટે હું ચોક્કસપણે એવું નથી કહી શકતો કે તમારું મોં ગંધાય છે કે નહિ?"

સસલાના આવા જવાબથી રાજા મૂંઝાયો અને કહ્યું, "તારું નાક બંધ છે, એટલે તને જવા દઉં છું." 

સસલું જીવ બચાવીને ભાગ્યું!

*************

ઘણાં હરણાં જેવા છે, જે સાચું બોલીને જીવ ગુમાવે છે, નોકરી છોડે છે! ઘણાં વાંદરા જેવાં ગુંડાઓ છે, જે ડરે છે કે ક્યાંક રાજાની સત્યતા બહાર આવી ગઈ તો રાજા એને નહિ છોડે! ઘણાં સસલાં જેવાં છે, જે પોતાનું ઘર-કુટુંબ રખડી ન પડે એટલે ખોટાં બહાના કરીને તલવા ચાટીને પણ નોકરી કરે છે અને તક મળતાં જ છટકી જાય છે! 

સસલું આ જ નીતિને કારણે જીવતું રહ્યું! સાચાબોલા હરણો મરી રહ્યાં છે! ગુંડા વાંદરાઓ ડરે છે કે રાજાનું 'અસત્ય' બહાર ન આવી જાય! સસલું ધારે તો હરણનો સાથ આપીને 'સત્ય'નું પલડું ભારે કરીને રાજાની ઉદ્ધતાઈને મ્હાત આપી શકે એમ છે, પણ એ એવું નથી કરતો.. કારણ કે એનાં જીવનનો એક જ ધ્યેય છે, 'બીજાનું જે થવું હોય એ થાય, આપણે આપણું કરો.' 

સસલાની આ જ નીતિને કારણે રાજા મદમસ્ત બન્યો છે. જંગલરાજ બન્યું છે. નીતિ-નિયમો, કાનૂન બધું નિર્બળોને લાગુ પડે છે. ચાટુકારોનો વાળ પણ વાંકો થતો નથી. 

************

...ઉપરની વાર્તા હજુ અધૂરી છે, મેરે દોસ્ત! 

રાજાની ખુશામતખોરી કરીને જીવી રહેલાં સસલાઓ ઈચ્છે છે કે હવે આ રાજા મરે તો સારું! ..પણ, રાજાનો વિરોધ કરવામાં પોતાનું ઘર પરિવાર રખડી પડે, એ ડરથી સસલાઓ બહાનેબાજ અને ચોર બન્યાં છે! મદમસ્ત થયેલો સિંહ આખા જંગલનાં નિર્બળ પ્રાણીઓને વિના કારણ ઘમરોળી રહ્યો છે! જંગલનાં હાથીને આની ખબર પડતાં એ નક્કી કરે છે કે હવે મદમસ્ત સિંહને ઠમઠોરવો રહ્યો! ..અને એ સિંહનાં રોજિંદા રસ્તે ઉભો રહી જાય છે.

'બેફામ' સિંહ પોતાનાં રસ્તા પર હાથીને ઉભેલો જોઈ તાડૂકે છે, "એય હાથીડાં.. અહીં આવ.. જોતો.. મારુ મોઢું ગંધાય છે કે નહીં?"

હાથીએ સિંહને કોઈ ભાવ ન આપ્યો! એટલે સિંહ ગર્જ્યો, "એય હાથણીના.. બહેરો થઈ ગયો છે કે શું? અહીં આવ.. જો.. મારું મોઢું ગંધાય છે કે નહીં??"

હાથીએ કોઈ જ જવાબ ન આપ્યો, એટલે સિંહે ગુસ્સામાં  ગર્જના કરી, અને હાથીને મારવા પંજો ઉગામ્યો.. 

ત્યાં તો.. 

હાથીએ જ ત્વરાથી સિંહને એની સૂંઢમાં પકડીને એવો ફેરવ્યો.. એવો ફેરવ્યો.. અને ફેરવીને એટલો દૂર ફેંકી દીધો કે એની પીદુડી બહાર નીકળી ગઈ! 

ધૂળમાં રગડોળાયેલો સિંહ માંડ માંડ ઉભો થયો, અને ધૂળ ખંખેરતા કહ્યું, "હાથીભાઈ.. તમારે નહોતું બોલવું તો ના પાડવી'તી, પણ આમ ઉછાળીને ફેંકાય તો નહિ ને??"

સિંહની આવી હાલત જોઈને ખુશ થયેલાં સસલાઓમાં જોમ આવ્યું. એમણે હાથીને રાજા બનવા કહ્યું! ..પણ હાથીએ સસલાઓને કહ્યું, "આ જ કામ જંગલનાં દરેક પ્રાણીઓ ભેગાં મળીને કરી શક્યા હોત! ..પણ તમે નાત-જાત અને સ્વાર્થનાં વાડામાંથી બહાર નીકળો તો કરો ને?? હરણની હાલત જોઈને શિયાળ વિચારે છે કે 'હાશ! હું બચી ગયું!' વાંદરાની હાલત જોઈને મોર પોતે બચી ગયાની ખુશી મનાવે છે! સસલું બચી ગયું એટલે હરણ અને વાંદરા દુઃખી થાય છે! મારા રાજા બન્યા પછી તમે આવું નહિ કરો એની શી ગેરંટી??"

હાથીના આ સવાલનો સસલાઓ પાસે કોઈ જવાબ નહોતો.. એટલે એ ત્યાંથી જતાં રહ્યા!
...અને 'મરી-મરીને જીવવા માટે' અને માત્ર પોતાનું કુટુંબ બરાબર ચાલે એ માટે સિંહના 'નોકર' બનીને નોકરી કરવા માંડ્યા!! ચૂપચાપ.. કોઈપણ જાતનાં વિરોધ વગર..!! 

જેઓ આ મદમસ્ત સિંહને ઠમઠોરી શકે એમ છે, એવાં હાથીઓ રાજા બનવા તૈયાર નથી! સિંહ હાથીને હેરાન કરતો નથી, એટલે હાથીને સિંહનું શાસન બરાબર લાગે છે! સિંહ મદમસ્ત થયો છે એમાં જેટલો વાંક સસલાઓનો છે, એટલો જ હાથીનો પણ છે! 'મરો' તો બિચારા ગરીબ અને નિર્બળ જાનવરોનો થયો છે.. કે જેઓના ઘરમાં જ હાંડલા કુશતી કરતાં હોય ત્યાં શું સિંહનો વિરોધ કરવા નીકળે??

***********

વર્ષ ૨૦૧૫ માં સી.આર.સી.કો.ઓ. તરીકે હતો, ત્યારે શૈક્ષણિક કાર્ય સિવાયના વધારાનાં કામોને લઈને જ્યારે એક સાચા શિક્ષકની ફરિયાદ સાંભળેલી ત્યારે ખૂબ જ વ્યથિત થયેલો! મારા માનસિક દુઃખનો ઉભરો ઠાલવવા મારા ગુરૂ પદે જેમને ગણું છું (..હાલ એચ.ટાટ આચાર્ય છે!) એમની પાસે ગયો અને બધી વાત કરી! એમણે મારા મનનું સમાધાન કરવા ભગવદગીતાનો એક પ્રસંગ કહ્યો..

અર્જુન પોતાનાં જ કુટુંબીજનોને યુદ્ધમાં નહિ મારવાનું કહી જ્યારે શસ્ત્રો હેઠાં મૂકી દે છે, ત્યારે કૃષ્ણ એને સમજાવતા કહે છે કે, "જેમને તું જીવતા સમજે છે એ..  આ તારા કુટુંબીજનો.. વાસ્તવમાં તો મરેલા જ છે! એમને નહિ મારીને તું શું કામ અધર્મ આચરી રહ્યો છે? જો તું એમને નહિ મારે, તો કોઈ બીજું એમને મારીને યશ પામશે, માટે તું જ આ યશ અને કીર્તિ ભોગવ, યુદ્ધ કર."

"મતલબ..?" મેં પૂછ્યું.

મારા ગુરુ મિત્રે કહ્યું, "મતલબ કે.. જેમનું શોષણ થવાનું લખ્યું જ છે, એ કોઈ પણ ભોગે શોષિત થશે જ!! 'આ' એમનું શોષણ કરીને યશ અને કીર્તિ નહિ મેળવે, તો 'પેલો' એમનું શોષણ કરીને યશ અને કીર્તિ મેળવશે! એટલે.. 'આ'-શિક્ષકોનાં કુટુંબીજન જ- શિક્ષકોનું શોષણ કરીને કીર્તિ અને યશ બંને ભોગવી રહ્યા છે."

**********

મને ખબર નહિ, આ કોઈ સમજી શકશે કે કેમ? પણ હવે.. શિક્ષકોને જે કામ સોંપાવાનું છે, એ વોટ્સએપમાં વાંચીને ઉપરનો પાંચ વર્ષ પહેલાનો કિસ્સો યાદ આવી ગયો! શિક્ષકના 'કુટુંબીજનો' જ શિક્ષકનું શોષણ કરીને યશ અને કીર્તિ બંને ભોગવી રહ્યા છે, કારણ કે.. જે 'ભીષ્મ' અને 'દ્રોણાચાર્ય' જેવાં કુટુંબીજન- આ શોષણ અટકાવવાની શક્તિ રાખે છે.. એ બધાં 'ગુડબુક'માં રહેવા ચૂપ થઈ ગયા છે! 

**********

"રંગ દે બસંતી" મુવી આજેય સ્મૃતિપટલ પર ચહેકી રહ્યું છે: 
"जिंदगी जीने के दो ही तरीके होते है.. एक.. जो हो रहा है होने दो.. बर्दाश्त करते जाओ.. या फिर.. जिम्मेदारी उठाओ उसे बदलनेकी.."

શનિવાર, 11 જુલાઈ, 2020

અલગારી રખડપટટી !!

અલગારી રખડપટટી !!

200 મીટર સુધીની ભરબપોરે મારી પોણા બે વષઁની દીકરી સાથે આજે રજાના દવસે કરેલી મોર જોવા માટેની અલગારી રખડપટટી એની નજરને શું શીખવી ગઈ??

ખેતરનાં ખુલ્લા મેદાનમાં પડવુ - આખડવું..
નાના-નાના ફૂલો પર ફૂદા અને ભમરાની ઉડાઉડ..
મોરનાં અવાજ..
ઢોર ચારતાં ગોવાળ 'વિજય'  સાથેની એ મુલાકાત અને સરપ્રાઇઝીંગલી..
એક ભેંસનું પાડાને જણવું!!

અમદાવાદ સીટીની ભાગોળે રહેવાનો ફાયદો શું??
બીજું તો શું હોય??

....માત્ર 200 મીટર દૂર જ.... પ્રકૃતિ!!

બુધવાર, 1 જુલાઈ, 2020

"શૈક્ષણિક સંવાદ" (ફેસબુકમાં અમુક ફોટા કેવી રીતે વાંચવા.. એ સમજાવતી વખતે આ સંવાદ થયો!)

"શૈક્ષણિક સંવાદ" (ફેસબુકમાં અમુક ફોટા કેવી રીતે વાંચવા.. એ સમજાવતી વખતે આ સંવાદ થયો!)

મને એવું લાગે છે કે આ સંવાદ 'વર્તમાન'માં જેમની સાથે થવો જોઈએ, એ સૌ આ વાસ્તવિકતા જાણતાં હોવાં છતાં કશું કરી શકતાં નથી! ..એટલે શું ખબર..? કદાચ 'ભવિષ્ય'ની સાથે સંવાદ કરવાથી આપણી 'એજ્યુકેશન સિસ્ટમ'માં કશુંક ચેન્જ આવે..!! 

***********

એક યુવાન અને એક વૃદ્ધ દાદા પડોશી હતાં. એ બંનેએ ઘરનાં આંગણામાં ફૂલછોડ વાવ્યા. દાદા પોતાનાં ફુલછોડને બહુ ન સાચવે.. ખાતર-પાણીયે બે-ત્રણ દિવસે આપે, ક્યારેક ન પણ આપે! એટલે એમનાં બગીચાના ફૂલ બહુ મોટાં અને સુંદર ન હતા. જ્યારે પેલો યુવાન ફુલછોડની ખૂબ કાળજી રાખે. દરરોજ ખાતર પાણી આપે. એનાં બગીચાના ફૂલ ખૂબ જ મોટાં અને સુંદર હતા.

એક દિવસ વાવાઝોડું આવ્યું. યુવાનના બગીચાના બધાં જ છોડ ઉખડી ગયા, જ્યારે દાદાનાં બગીચાના છોડ બચી ગયા. યુવાને આ જોઈ દાદાને પૂછ્યું, "તમે તો ફુલછોડની એટલી કાળજીયે નહોતાં રાખતા, છતાંય બચી ગયા.. જ્યારે મારા ફુલછોડને હું ખૂબ સાચવતો, છતાંય તૂટી ગયા, ઉખડી ગયા? આવું કેમ થયું?"

દાદાએ કહ્યું, "તમારી જનરેશનની આજ તો ખામી છે કે તમે ફુલછોડને એટલું બધું ખાતર-પાણી આપો છો કે એનાં મૂળિયાં ઊંડે સુધી જતાં જ નથી, એટલે સામાન્ય વાવાઝોડામાંય ઉખડી જાય છે! હું રોજ ખાતર-પાણી નહતો આપતો, એટલે મારા ફૂલછોડે પોતાને સર્વાઈવ કરવા પોતાનાં મૂળિયાં છેક જમીનમાં ઊંડે સુધી મોકલ્યા અને આ વાવાઝોડામાં બચી ગયા!"

************

શાળા નક્કી કરતી વખતે મોટાં ભાગના પેરેન્ટ્સ પોતાનાં બાળકને કોઈ તકલીફ ન પડે એવી શાળાઓ ધ્યાનમાં લે છે! ..ઇવન શાળાઓ પણ હવે પેરેન્ટ્સને આંજી દેવા એમનાં બાળકને કોઈ તકલીફ ન પડે એટલે શાળામાં મળતી ફેસિલિટીની જ એડવર્તાઇઝ કરે છે. કોઈપણ તકલીફ વગર ભણતું બાળક 'સુંદર મોટાં ફૂલ' જેવું તો બને  છે, પણ જીવનની મુશ્કેલી સામે ટકી શકતું નથી. બે-પાંચ કિમિ દૂર શાળા હોય તોય વેન બંધાવી દેતાં વાલીઓ અને આપણી શિક્ષણ સંસ્થાઓ, મારાં મતે, આપણાં દેશને એક ખોખલી પેઢી ભેટ ધરી રહ્યાં હોય એવું લાગે! મેં નજરે જોયું છે કે સહેજ નાણાંકીય સ્થિતિ સારી થતાં વેંત જ વાલી પોતાનાં બાળકને ખાનગી શાળામાં મૂકે છે! કોઈ વિષયમાં સહેજ ઓછાં માર્ક આવે, કે પછી એ વિષય જ ન આવડે તો આપણી શિક્ષણ પદ્ધતિ એવાં બાળકને 'ડોબું' સાબિત કરે છે. 

***************

મારાં વર્ગમાં સચિન તેંડુલકર ભણે છે, એ ક્રિકેટ સારું રમે છે. મારાં વર્ગમાં અમિતાભ બચ્ચન પણ ભણે છે, એ એક્ટિંગ સારી કરે છે. મારા વર્ગમાં કોકિલકંઠી લતા મંગેશકર પણ છે, એ ખૂબ સુંદર ગાય છે. મારા વર્ગમાં એક અબ્દુલ કલામ પણ છે, એ હંમેશા કંઈક નવું વિચારે છે. મારાં વર્ગમાં દારાસિંઘ પણ છે, એ હંમેશા લડવા તત્પર રહે છે. મારા વર્ગમાં એક સરદાર પટેલ પણ છે, એ આખા વર્ગને સારું લીડ કરે છે. અને હા.. વિવેકાનંદ તો રહી જ ગયો, કે જે ઉત્તમ સ્પીચ આપે છે. શકુન્તલાદેવી પણ છે, જે ગણિત સારું કરે છે. મોહનદાસ પણ છે, જે કોઈપણ પરિસ્થિતિમાં સાચું જ બોલે છે. એક સ્ટીવન સ્પીલબર્ગ પણ છે, જે નાટક જ કરતો હોય છે. એક દશરથ માંઝી પણ છે, જે ધૂની મિજાજનો છે. એક ડૉ. બાબાસાહેબ પણ છે, જે ખૂબ હોંશિયાર છે. એક ડિઝાઈનર મનીષ પણ છે, જેને ફેશનની સેન્સ છે. એક ૪૦૦-૫૦૦ કિમિ ચાલતો મજૂર પણ છે, જે ક્યારેય થાકતો નથી. એક મધર ટેરેસા પણ છે, જે પોતાનાં દરેક ભાઈ-બહેન પર કરુણામય છે. એક શૅફ સંજીવ પણ છે, જે સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. એક રવીન્દ્રનાથ ટાગોર પણ છે, જે સુંદર કવિતા લખે છે. એક વિજય માલ્યા પણ છે, જે બધાને છેતરે છે, ચોરી કરે છે. આ બધાની પોતાની આગવી સ્ટાઇલ છે, છટા છે, આવડત છે. એક લિયોનાર્દ વિન્સી પોતાની કલ્પનાઓને રંગો વડે બતાવે છે. આ સિવાય એવાં ઘણાં બાળકો છે, કે જેની શક્તિઓની તો મને પણ ખબર નથી!

હવે પરીક્ષા આવે છે.. એ બધાં બાળકોની! હું એમને પેપર આપું છું. પરીક્ષામાં પુછાયું છે..
પ્ર.૧   E = mc2 સમજાવો.
પ્ર.૨   (a+b) (a-b) = ? 
પ્ર.૩   ફલાણી યોજનાઓ વિશે લખો.
પ્ર.૪   ગ્લોબલ વોર્મિગ કેવી રીતે ઘટાડશો?
પ્ર.૫   અલંકાર-છંદનું ઉદાહરણ આપો.
પ્ર.૬  Write essay on "Importance of ENGLISH."
પ્ર.૭   ઔરંગઝેબની ઉદારતાઓ જણાવો.
પ્ર.૮   સજીવની રચના સમજાવો.
પ્ર.૯   લોકશાહી એટલે શું?
પ્ર.૧૦ "મલ્ટીનેશનલ કંપની અને આર્થિક પ્રગતિ" નોંધ લખો.

ત્રણ કલાક 'આવડે એવી ઊલટી' કર્યા પછી મારા વર્ગનું પર્ફોર્મન્સ નબળું દેખાય છે. આ પરફોર્મન્સથી હું તો નિરાશ છું જ, સાથે સાથે  બાળક, પેરેન્ટ્સ અને આખો સમાજ નિરાશ થાય છે. મારા વર્ગના અમુક બાળકોએ ખૂબ સારું પરફોર્મન્સ પણ આપ્યું છે. આવાં 'ટોપર' બાળકો જ્યારે જીવન સ્ટાર્ટ કરે છે, ત્યારે આ સવાલોનું કોઈ જ મહત્વ ન રહેતાં 'ટોપરાં'ની જેમ છીણાય છે, અને એમાંથી એકાદ 'આત્મહત્યા' પણ કરે છે! નાનપણથી જ મારાં માર્ક્સ વધુ આવે એવું વિચારતો બાળક મોટો થઈને સ્વાર્થી બને છે. સંવેદના ન શીખતું બાળક બીજાનાં દુઃખને સમજી શકતો નથી, અને પોતાનાં ફાયદા માટે ખોટું કરતાં અચકાતો નથી. ઘરડાં ઘર ભરાતાં જાય છે. અમીર-ગરીબની ખાઈ મોટી થતી જાય છે. સમાનતા, સ્વતંત્રતા, પ્રામાણિકતા બધું જ 'ટૂંકનોંધો'માં જ રહી જાય છે. સુવિચારો દીવાલ પર શોભે છે. આત્મ સમ્માન ગીરવે મુકાય છે, ખુશામત ખોરી શરૂ થાય છે. 'ખોટું કરવું' એ સત્ય બને છે. ગુંડાઓ પૂજાય છે. 

મેં પરીક્ષા વખતે બાળકને ગમે તે ચોપડી ખોલી એવું પૂછ્યું, "આ વાંચ તો.." .......એનાં કરતાં એમ પૂછ્યું હોત.. કે, "બેટા, આ બે પુંઠ્ઠા વચ્ચેનું છોડ.. તને શું આવડે છે, એ તું બતાવ.. આના આધારે તું હોંશિયાર કે નબળો, એ નક્કી થશે.."

....તો કદાચ મારા વર્ગનું દરેક બાળક પોતાની શક્તિઓ પિછાણીને 'આત્મનિર્ભર' બની શક્યું હોત! વર્ગમાં પોતાની આવડતનો ડંકો વગાડનાર વિશ્વમાં ડંકો વગાડવા સજ્જ બન્યું હોત! બધાં ને બધું આવડવું જરૂરી નથી એવું વાલીઓ સમજતા હોત..! બીજું બધું છોડો.. કમસે કમ પોતાની શક્તિઓ પર ગર્વ કરતું બાળક "આત્મહત્યા" તો ન જ કરતું! 'આત્મનિર્ભર' અને 'આત્મસમ્માન' શબ્દ સમજતા હોત! પોતાની સમજતું બાળક બીજાને સમજી શકત! ઘરડાઘર ન ભરાતાં! માર્કસનું મહત્વ ન રહેતા પરમાર્થનું વિચારત! ખુશામતખોરીની જગ્યાએ સાચાંને સાચું અને ખોટાને ખોટું કહેતાં શીખત! સિંહ ભલે ન બનત, પણ ઘેટુંય ન બનત! 

કદાચ મારા વાક્યો ઓવર હોઈ શકે, પણ ક્યાંક તો સત્ય હશે જ! તક્ષશિલા, વલભી અને નાલંદા જેવી 'વન' નંબરની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો ભારતમાં ભૂતકાળમાં હતી, અને હવે? પ્રથમ પચાસમાંય આવવા ફાંફા મારવા પડે, તો સમજો.. ભારતનો ભૂતકાળ ભવ્ય હતો, કેમકે શિક્ષણ પ્રણાલી સ્વદેશી હતી! માર્ક્સ વાળી.. અને વાદી નહિ! ખાટલે મોટી ખોડ.. 'એજ્યુકેશન સિસ્ટમ'માં છે, અને આપણે શોધીએ છીએ..??!! ક્યાં..??!!

***********

"તક્ષશિલા, વલભી અને નાલંદા જેવી વિદ્યાપીઠો વિદેશી આક્રમણ સામે જ્યારે તૂટતી હતી, ત્યારે એ સમયના/રાજ્યના રાજાઓ/લોકો શુ કરતાં હશે??"
.
.
"મારે શું?? આનો જવાબ આપીને મને શું મળવાનું?? તે હું જવાબ આપું?? જેને શોધવું હોય એ શોધે."

વિડિઓ નીચેની લિન્કમાં..👇👇

https://m.facebook.com/story.php?story_fbid=3005111419597067&id=100002947160151

બુધવાર, 24 જૂન, 2020

*ટપાલ ખાતુ:- સાચે જ ટપાલો ખાઈ જાય છે!!*

*ટપાલ ખાતુ:- 
સાચે જ ટપાલો ખાઈ જાય છે!!*

દાદાનો જન્મદિવસ હતો, એટલે તન્વીએ સરસ મજાનું બર્થડે કાર્ડ બનાવ્યુ. પોસ્ટ ઓફિસે નાંખ્યુ પણ ખરું!! ..પણ પોસ્ટ ખાતુ જો પોસ્ટ નિયત સરનામે પહોંચાડી દે તો ક્યાંક સૂરજ પશ્ચિમે ન ઉગી જાય?? ..એટલે માનવજાતને બચાવવા આ વખતે ફરી પોસ્ટખાતાએ પત્ર નિયત સરનામે ન પહોંચાડ્યો!!

કેટલાંય કાગળો(સરકારી/ખાનગી બધાં..), કે જે બાય પોસ્ટ ઘરે આવવાના હોય છે, એ આવતાં જ નથી! પોસ્ટમેનને ફોન કર્યો, 'પોસ્ટ આવે તો ફોન તો કરો, હું આવીને લઈ જઈશ..' તો જવાબ મળે છે, 'તમારી પોસ્ટ આવશે તો તમને મળી જશે, મને ફોન નહિ કરવાનો!'
..અરે ભાઈ, કોઇ આને સમજાવો કે બે-બે મહિના થઈ ગયાં હોવાં છતાં જો કાગળ ઘરે ના પહોંચે તો માણસ તમને ફોન પણ ના કરે??

કારણો ચાહે જે હોય એ.. જો પોસ્ટ નિયત સરનામે પહોંચવાની જ ના હોય, તો સરકારે શાળાકીય પુસ્તકોમાંથી પોસ્ટખાતાનું ચેપ્ટર જ કાઢી નાંખવું જોઈએ. ખાલીખોટી આશા બાંધવી કે 'આજે પોસ્ટ આવશે!!'

રવિવાર, 21 જૂન, 2020

Happy Father's day 21 jun 2020

"ટીનું, તારે આવવું હોય તો ચાલ.. બેટા.. આવતાં મોડું થશે." હું કહી-કહીને થાક્યો, પણ એ ન આવી તે ન જ આવી! ઘરે જ રહી. બજારમાંથી આવ્યો ત્યારે એ ખુશ હતી. હું નાહીને ડીસઈન્ફેકટ થઈ જેવો બેઠો કે એક કાગળને ગોળ ફિન્ડલું વાળીને એ આવી અને મને કહે, "પપ્પા, આ તમારું સરપ્રાઈઝ!"

અંદરખાને તો મને ખબર હતી કે આવું કશુંક તો કરશે જ! ..પણ સૌથી વધુ અચંબો મોબાઈલમાં અમારા બંનેનો એક ફોટો એણે એની જાતે જ એડિટ કર્યો, એ વાતનો રહ્યો! જ્યારથી એને ફોટાનું એડિટિંગ કરવાનો ચસ્કો લાગ્યો છે, ત્યારથી એને મોબાઈલ દિવસના અમુક કલાકો આપું છું ખરા! શું ખબર કદાચ આ જ એડીટિંગનું ફિલ્ડ એનું કેરિયર બને! રહી વાત મોબાઇલની તો એમાં સારું પણ છે અને ખરાબ પણ! આખો દિવસ મોબાઈલમાં ગેમ રમતાં બાળકો કરતાં આ એડિટિંગ કરવું એ કૈક 'હટકે' લાગે છે, એટલે 'પાવર ડીરેકટર' એપ પણ મોબાઈલમાં રાખી છે. સૌથી સુંદર રહ્યું, એનું અને મારું જાતે જ દોરેલું ચિત્ર!

બજારમાંથી આવ્યા બાદ ફરી 'કન્ટ્રોલ સેન્ટર'ની ડ્યુટી પર જવા તૈયાર થયો, તો એણે એક ચિઠ્ઠી આપી! મેં વાંચી, અને આજે ન ગયો! આખરે મારી દીકરી હું આજે એની સાથે રહું, એમ ઈચ્છે છે! એક દિવસ તો હું એનાં માટે કાઢી જ શકું ને? આટલી મોડી રાતે આ પોસ્ટ કરવાનું એક કારણ આ પણ છે કે 'હું' આજે 'એની' સાથે જ રહ્યો!

થેંક્યું તન્વી!.. આજનો દિવસ મેમોરેબલ બનાવવા માટે!!
#fathersday


શનિવાર, 13 જૂન, 2020

"ઓનલાઈન શિક્ષણ" અને "કૂપમંડુકો"

"ઓનલાઈન શિક્ષણ"

(બહુ જ બધુ લખાયું છે આનાં ઉપર! લખાતું પણ રહેશે! ભવિષ્ય પણ કદાચ આ જ હશે! પરિવર્તન જરૂરી પણ છે! પરંતુ.. ક્યાંક કશુંક ખૂટે છે!)

**********

મારી ૬ વર્ષની નાનકડી દીકરીનાં હાલ 'મેન્ટલ એરિથમેટિક'નાં વર્ગો ઓનલાઈન ચાલે છે. અઠવાડિયે એક વખત કલાસ લેવાય છે. હું પોતે સરકારી કર્મચારી હોઈ ૨૦૦૦૦ નો ફોન એફોર્ડ કરી શકું છું. મારી પાસે જુના મોબાઈલ છે. જેમાં આ ઓનલાઈન ક્લાસની 'ઝૂમ' એપ્લિકેશન એક્સેસ થતી જ નથી. દર સોમવારે કલાસ આવવાનો હોઈ મારે ફરજિયાત પણે જ્યાં હોઉં ત્યાંથી ૬ વાગતાં પહેલાં ઘરે આવી જઉં પડે, અને ફોન દીકરીના કલાસ માટે આપી દેવો પડે! ફ્લેટમાં રહું છું, એટલે હું અંદરના રૂમમાં જતો રહું. ઘરમાં લગભગ શાંતિ છવાઈ જાય. મારાં અનુભવે મેં જોયું છે કે મારી દીકરી ઓનલાઈન ભણતી હોય ત્યારે હું ખાલી જોવાં આવું તો ય એનું ભણવામાંથી ધ્યાન હટી જતું હોય છે, ત્યાં જો એક જ રૂમ/રૂમ રસોડાનું ઘર હોય અને રહેવાવાળા ઝાઝા હોય તો ઓનલાઈન ક્લાસમાં ભણવું સંભવે જ નહીં, આ વાસ્તવિકતા છે! ઘરમાં ૫-૭ જણ રહેતાં હોય, એમાંય નાનાં બાળકો હોય તો પણ ઓનલાઈન ક્લાસમાં બાળકનું ભણવામાંથી ધ્યાન હટે/લાગે જ નહીં એવુંય બને! ટીચરની રૂબરૂ હાજરીમાં મારી દીકરી જેવું પર્ફોર્મન્સ આપતી હતી એ પર્ફોર્મન્સમાં ઓગણીસ-વીસનો ફરક આવ્યો છે. ક્લાસિસમાં ટીચરની મળતી 'હૂંફ' એને મોબાઈલમાં ન જ મળે! ઘણીવખત કોઈ અઘરો ટોપિક ન સમજાય ત્યારે ટીચરની હૂંફ આવશ્યક છે. હું અને મારી અર્ધાંગિની, બંને ટીચર જ છીએ, અને છતાંય એવું કહી શકીએ કે મારી દીકરી માટે એનાં ટીચર જે કહે એ જ અંતિમ સત્ય છે! આ શક્તિ છે એક શિક્ષકની! ..અને આ ભરોસો છે એક વિદ્યાર્થીનો એનાં ટીચર પ્રત્યેનો! ..જે ઓનલાઇન શિક્ષણમાં ઝાંખું પડે છે.  ઓનલાઈન ભણતી વખતે ટીચર કશુંક લેશન કે ટેક્સ્ટ મોકલે, વળી ક્યારેક નેટ જતું રહે, એકસાથે ઘણાં બાળકો બોલતા હોય, સ્ક્રીન છેડછાડ થતી હોય.. ત્યારે ખરેખર બાળક મૂંઝાય છે. બે કલાક ચાલતા કલાસ દરમિયાન ફરજિયાતપણે મારી અર્ધાંગિનીને મારી દીકરી પાસે બેસવું જ પડે, એવી સ્થિતિ છે! આતો સારું છે કે, એ પોતે ગણિતની ટીચર છે એટલે દીકરીને કશું ન સમજાય તો બધું સમજાવે છે. જો એ ટીચર ન હોત તો..? અથવા ગણિતમાં મારી જેમ હોત તો..? મારી દીકરીને ભણવામાં પડતી મુશ્કેલીઓ મોબાઈલમાં બેઠેલી ટીચર ન જ સમજી શકે એ દેખીતું છે. માત્ર ૫-૬ બાળકોને, એ પણ 'એજ્યુકેટેડ અને સધ્ધર' ફેમિલીના છે એવાં બાળકોને ઓનલાઈન ભણાવવાના હોવાં છતાં એ ટીચર બે કલાકના અંતે થાકી જતાં હોય એવું લાગે! વીડિયોમાં અમે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે દરેક બાળકની સાથે એનાં વાલી બેઠાં જ હોય છે, પ્લસ ટીચર પણ ઓનલાઈન હોય.. આમ એક બાળકની પાછળ વનપ્લસ લોકોનો માનવકલાક વેડફાય! બીજું એક સખત.. સબળુ-નબળું જે ગણો એ.. પાસું એ છે કે મારી દીકરી હવે, મોબાઇલની પાછળ રોજીંદો વધુ સમય ફાળવે છે, જેનું રેડિએશન આવનારા સમયમાં શુ નુકસાન કરશે, એ નક્કી નથી!

આ વાત થઈ એવાં લોકોની કે જેઓ ઓનલાઈન કલાસ એફોર્ડ કરી શકે છે. હવે વાત કરું એવાં લોકોની કે જેઓની દુનિયા જ કંઈક અલગ છે! વાત કરું છું, 'ગ્રાઉન્ડ  રિયાલિટી'ની! મધ્યમ-ગરીબ બાળકો અને એમનાં વાલીઓની!

આગળ જણાવ્યું તેમ હું એક એવી જગ્યાએ બાળકોને ભણાવતો સરકારી શિક્ષક છું જ્યાં ભણવા આવનારા બાળકો અને એમનાં વાલીઓ 'રોજનું કમાઈને રોજનું ખાવાવાળા' છે! આવાં લોકોનાં ઘરમાં એવરેજ ૪-૫ બાળકો હોય તે દેખીતું છે! ભાગ્યે જ કોઈક ઘર એવું મળે કે જેમના ઘરમાં બાળકોને 'માંગે એ મળે' જેવું વાતાવરણ હોય! સરકારી ધોરણે ઘણું અભ્યાસિક મટીરીયલ હવે વોટ્સએપ થ્રુ વાલી-બાળકને પહોંચાડવાનું હોય છે, જેથી બાળક ઘરે ભણી શકે! કોન્સેપ્ટ સારો છે, પણ સહેજેય વાસ્તવિક નથી! મારાં વર્ગમાં ભણતાં ૧૧૦ બાળકોમાંથી મારા વોટ્સએપ કોન્ટેક્ટમાં જેમનું નામ ફ્લેશ થતું હોય એવાં ફુલ્લી ૫૦ બાળકો માંડ છે! આવું મટીરીયલ એકસાથે બધાં બાળકોને પહોંચાડી શકાય એટલે મેં ગ્રુપ બનાવ્યું તો એક જ દિવસમાં પંદરેક જણ 'લેફ્ટ' થઈ ગયા! ફોન કરીને કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે એ વોટ્સએપ વાળા નંબર કાંતો પડોશીના હતાં, કાંતો સગા-વહાલાંના, કે જેમને આ મટીરીયલ સાથે કોઈ લેવાં-દેવાં ન હતું! બાકી વધ્યા એમાંથી, આ ભણવાનું મટીરીયલ મારા મોકલ્યા પછી 'SEEN' કરતાં હોય એવા માંડ ૧૨-૧૫ જણ છે, અને આમાંથી બાળકોને ઘરે બેસીને ભણાવી શકે એવા ગણીને માત્ર ૬-૭! મતલબ પૂરાં ૧૦ ટકાય નહિ! કોઈ મટીરીયલ હું મોકલું એટલે તરત જ ૬-૭ વાલીઓ ફોન કરે અને પૂછે, "એ ક્યાં ભેજા હૈ તુમને?" મારે બધું સમજાવવું પડે! વાલી પૂછે, "ઇસકો નોટમેં લીખનેકા યું??" હું 'હા' પાડુ એટલે 'જેવું મોકલ્યું એવી જ' સવાલો લખેલી નોટ તૈયાર થાય! બાળક મોબાઈલમાં જોઈ-જોઈને નોટમાં 'ઉતારો' કરે એને વાલી એવું સમજે કે 'મેરા બચ્ચા ફોન સે પઢતા હૈ!' સરકારી શાળાઓમાં ભણતાં બાળકોની/વાલીઓની/શિક્ષકોની વધતેઓછે અંશે દરેક જગ્યાએ (રિપીટ, દરેક જગ્યાએ!) આ જ વાસ્તવિકતા છે!

આ લોકડાઉન દરમિયાન અમારે ઘણાં વાલીઓનો કોન્ટેક્ટ કરવાનો થયો છે, પણ અડધા અડધ વાલીઓના મોબાઈલ બંધ આવ્યા. કોરોના ને લઈ રૂબરૂ જવું જોખમી હોવાં છતાં જ્યારે હું રૂબરૂ ગયો છું, ત્યારે જાણવા મળ્યું કે 'ઘરમેં ખાને કે વાંધે હો, વહાં મોબાઈલ કા રિચાર્જ કહાં સે કરવાએ?' સાડા ડબલાવાળા ફોનમાં પણ કંઈક ૩૬₹ વાળું રિચાર્જ કરાવવું પડે છે. લોકડાઉનમાં બધાં ઘરે જ હોય તો રિચાર્જની જરૂર રહેતી નથી! કોઈક વાલીનાં બેંક એકાઉન્ટમાં બાળકોના MDM ના પૈસા જમા થાય એ માટે વોટ્સએપથી ખાતાં નંબર મંગાવીએ તો અડધી કલાકે ખબર પડે કે આજુબાજુ કોઈની પાસે નેટ ચાલુ જ નથી. વોટ્સએપ ક્યાંથી કરે? ખાતા નમ્બર ક્યો કહેવાય એ પણ ન સમજી શકતાં અને પોતાનું બાળક ક્યાં ધોરણમાં છે એ પણ ખબર ના હોય એવાં મહત્તમ વાલીઓ જો ઓનલાઈન શિક્ષણ ચાલુ થાય તો બાળકને અભ્યાસમાં શુ મદદ કરે? એ મોટો પ્રશ્ન છે! એક રૂમમાં ૫-૮ લોકો રહેતાં હોય તો કઈ શાંત જગ્યાએ જઈ બાળક ભણે એ પણ સવાલ છે! ...અને સૌથી મોટી વિકરાળ સમસ્યા એ છે કે 'બાળકો બધું જ સમજતાં હોય છે!' જે ઘરમાં હાંડલા કુસ્તી કરતાં હોય ત્યાં બાળકો ભણવામાં ધ્યાન ન જ આપી શકે, કેમકે પહેલાં ધોરણમાં ભણતું પાંચ વર્ષનું બાળક પણ બધ્ધુ જ સમજે છે કે કેવી રીતે એનાં મમ્મી-પપ્પા આ મહામારીમાં સર્વાઇવ કરે છે??!! 'ભૂખ્યા પેટે ભણવાનું ન જ થાય ગોપાલા!'

***********

મારી દીકરી તન્વીએ હાલમાં જ 'ફુલણજી દેડકા'ની વાર્તા કરેલી, કે જેમાં 'કુવામાંના દેડકાં' એ કુવાની બહારની દુનિયા જોઈ જ નથી! કદાચ, આપણાં નિર્ણાયકો મંત્રીઓ અને અધિકારીઓ આવા જ કહી શકાય! કેમ કે..

હું જ્યારે પણ છાપામાં, ટીવીમાં, સોશિયલ મીડિયામાં કોઈ ગરીબ/મધ્યમ/તવંગર કુટુંબના ૨૫ વર્ષનાં યુવાન કે યુવતીને IAS/IPS કે UPSC જેવી એક્ઝામ પાસ કરતાં જોઉં છું ત્યારે એમનાં પર 'પ્રાઉડ' તો થાય જ છે, પણ એક વિચાર આવ્યા વગર રહેતો નથી!! આવી પરીક્ષાઓ પાસ કરવા માટે આવા યુવાનો/યુવતીઓએ ખૂબ જ મહેનત કરી હશે. દિવસોના દિવસો સુધી પોતાને ઘરના એક ખૂણામાં બંધ કરી દીધી હશે. અઢાર-વીસ કલાકનું વાંચન કર્યું હશે. પોતાને સમાજ-ઘર-પરિવારથી અલગ કરી દીધાં હશે. આવી અઘરી એક્ઝામો પાસ કરનાર બધાં જ ટોપરો 'ચતુર' તો હશે જ, પણ એમાં 'રેંચો' કેટલાં હશે?
જેને 'ઘરનાં ખૂણા'ની જ દુનિયા જોઈ છે, એને સ્ટેટ કે ડિસ્ટ્રિક્ટ ચલાવવા આપીએ તો શું થાય?

એક દ્રશ્ય મનમાં આવે છે:

કોઈ માં-બાપ અને એનું બાળક કોઈ કારણસર મોટી ઓફિસમાં જાય છે. એમને કોઈ કાગળમાં 'મોટાં સાહેબ'ની સહી કરાવવી છે. 'સાહેબ' એમની ઓફિસમાં મિટિંગમાં બેઠાં છે. પટાવાળો એ લોકોને બહાર બેસવાનું કહે છે. થોડીવારમાં એ સાહેબ મિટિંગ પૂરી કરીને બહાર નીકળે છે, અને કેટલીયે વખતથી એમની રાહ જોઈ રહેલાં એ કુટુંબની સામે જોયા વગર જ 'સડસડાટ' જતાં રહે છે!પટાવાળો એમને થોડીવાર પછી અથવા તો કાલે આવવાનું કહે છે! આ કુટુંબ એક એવાં અધિકારીનાં રુતબાને નજરે જુએ છે, કે જેની પાછળ 'સાહેબ..સાહેબ..' કરીને ફરનારાની મોટી ફોજ છે, એ.સી.ઓફીસ છે, સરકારી ગાડી છે, બંગલો છે, અને સૌથી અગત્યનું એની પાસે 'પાવર' છે!

હવે, જે બાળકે નાનપણમાં આ દ્રશ્ય જોયું છે, એ પોતાનાં માં-બાપની સામે જુએ છે, અને નક્કી કરે છે કે 'હું પણ આવો બનીશ. મોટો સાહેબ.. સૂટ-બૂટ પહેરેલો.. અને હંમેશા 'બીઝી' દેખાતો.. અકડાઇને ચાલતો.. કોઈને 'ભાવ' ન આપતો.. વગેરે.. વગેરે..'

અથવા તો..

આ જ દ્રશ્યને ઊલટું વિચારીએ, તો 'મોટાં સાહેબ'નાં આવા રુતબાને જોઈને માં/બાપ પોતાનાં બાળકને ખૂબ ભણી-ગણીને આવા 'મોટાં સાહેબ' બને એવી ઈચ્છા રાખે છે.

અહીં સુધી બધું બરાબર છે. હવે, આ કાલ્પનિક દ્રશ્યને આગળ વધારીએ..

હવે આ બાળક 'મોટાં સાહેબ' બનવા માટે તનતોડ મહેનત કરે છે. એનું એક જ લક્ષ્ય છે-"મોટાં સાહેબ બનવું!"
એ રોજનાં પંદર-વીસ કલાક વાંચે છે. ટકાવારી ઊંચી અને 'વિજ્ઞાન'નાં વિદ્યાર્થી બનવાની લાયકાત હોવા છતાં તે બાળક પોતાને ઘરનાં એક ખૂણામાં પુસ્તકોનાં થોથાની વચ્ચે પૂરી દે છે. માં-બાપ પણ એની મહેનતથી ખુશ છે. એને એકાંતમાં રાખવાની બનતી મદદ કરે છે. એ નથી સમાજમાં/મિત્રોમાં હળતો-ભળતો, કે પછી નથી ઘરની બહાર નીકળતો. 'ઇન્ફોર્મેટિવ થોથા'ઓની સાથે સાથે 'પોઝિટિવ થીંકીંગ' અને 'મોટીવેશનલ' પુસ્તકો વાંચીને એ UPSC/GPSC/IAS/IPS જેવી કોઈ હાર્ડ એક્ઝામને પોતાની ઉંમરના ૨૫માં વર્ષે જ ક્રેક કરે છે, અને કલેકટર બને છે.

વાહ.. સપનું પૂરું થયું! પોતે અચાનક લાઈમલાઈટમાં આવી 'સ્ટાર' બની ગયો છે. છાપા-મીડિયા-ટીવીમાં આટલી નાની ઉંમરે એ છવાઈ ગયો છે. એનું પોસ્ટિંગ કોઈ સારી જગ્યાએ છે. માં-બાપ ખુશ છે. હવે એની પાસે જે એનું લક્ષ્ય હતું એ છે - "પાવર"!
બ્રાવો..!

હવે કહાનીમાં ટ્વિસ્ટ આવે છે...

જેણે ક્યારેય 'ઘર' સાચવવા/ચલાવવામાં પોતાના માં-બાપની મદદ પણ નથી કરી, એ નાની ઉંમરનાં 'મોટાં બાળક'ને આવી એક્ઝામ પાસ કર્યા પછી આખો 'જિલ્લો' કે પછી, પોતાનો 'ક્રાએટેરિયા' ચલાવવાનો પરવાનો મળી જાય છે! (સમજાય છે?.. નાની ઉંમરમાં 'એડમિનિસ્ટ્રેટિવ અધિકારી' બનવાનાં સપનાં ના-લાયક યુવાનો શું કામ જોતાં થઈ જાય છે?? ઘરમાં બેઠેલાં 'નવરાં'ઓ ગર્વથી એવું શું કામ કહેતા હોય છે, 'કોમ્પિટિટિવ એક્ઝામ'ની તૈયારી કરું છું??!! કેમ કે એ જાણે છે કે, 'જો એ પાસ થઈ ગયો તો 'શૂન્ય' પ્રેક્ટિકલ અનુભવે એ 'મોટો સાહેબ' બનશે!! 'ક્ષેત્ર-અનુભવ'નું અહીં કોઈ મહત્વ છે જ નહીં! સિસ્ટમમાં 'સાલું' ક્યાંક તો કશુંક ખૂટે છે!)

જો આ નાની ઉંમરનો 'મોટો સાહેબ'  રેંચો બનશે તો લોકોનું 'ભલું' કરવાં કોઈ લાલચુ નેતાની સામે પડીને પણ કામ કરશે.. બિલકુલ પ્રામાણિકતાથી! ..અને આવા નેતાની સામે પડવા બદલ સતત 'બદલીઓ'નો પુરસ્કાર અને લોકોનો આદર-પ્રેમ મેળવશે! એ એવો અધિકારી ક્યારેય નહિ બને કે જે કોઈનાં માતાપિતાને રાહ જોવડાવ્યા બાદ 'સડસડાટ' જતો રહે! 'ડાઉન ટુ અર્થ' રહીને 'ગ્રાઉન્ડ રિયાલિટી'ને આધારે પોતાનાં નિર્ણયો લેશે!

પરંતુ.. જો આ નાની ઉંમરનો 'મોટો સાહેબ' ચતુર નીકળ્યો તો..???

'ઇન્ફોર્મેટિવ થોથા' વાંચીને 'મોટા સાહેબ' બનેલાં આ યુવાને 'ગ્રાઉન્ડ લેવલ'ની રિયાલિટી/પુસ્તકોની બહારની દુનિયા જોઈ જ નથી! પોતાને 'થ્રી ઈડિયટ'ના 'રેંચો' માનતા આવાં 'ચતુરો' ચોર નેતાઓને એ જ દેખાડે છે, જે એ જોવા માંગે છે! ..અને એમની 'ગુડબુક'માં રહે છે! આ નેતાઓ પણ કેવા? અભણ હોય તો ય ચાલે! હું ખેડૂત નથી, તોય કૃષિમંત્રી બની શકું એવું જ કંઈક!! (એક માણસ પોતાની ભૂખ મટાડવા બીજા માણસના મરવાની રાહ જોતો એની બાજુમાં બેઠો હોય, એવો ભયંકર દુષ્કાળ જ્યારે અમુક સો વર્ષો પહેલાં ચીનમાં પડયો હતો, ત્યારે ચીનના તે સમયના રાજાને નવાઈ લાગતા કહેલું, "આ લોકો માણસને શુ કામ ખાય છે? માણસની જગ્યાએ મુરઘીનો સેરવો કેમ નથી પીતાં?!!" એ રાજા એટલી પણ ગ્રાઉન્ડ રિયાલિટી નહોતો સમજતો, કે જ્યારે કોઈ જાનવર જ બાકી ન રહ્યું હોય, ત્યારે જ લોકો એકબીજાને જ ખાવાના ને!! અંતે, એ રાજાએ લોકો પોતાનાં સંતાનોને વેચી શકશે, એવો ઠરાવેલું! ..જેથી લોકો (સેરવો!! હા.. હા..😁😁) ખાવા પામી શકે! સંદર્ભ: માર્ચ ૨૦૨૦ સફારી!)

આ નાની ઉંમરના 'મોટાં સાહેબ' પાછાં 'ઉછળતું લોહી' હોઈ, પોતાનાં નિર્ણયોની સામે કોઈ વિરોધ કરે તો..? રિયાલિટી સમજ્યા વગર જ 'કડક હાથે પગલાં' લે! કારણ કે એણે નાનપણમાં 'મોટાં સાહેબો'ને આવાં જ 'ભાવ' ન આપતાં જોયાં છે! આવાં 'ચતુરો'નો વિરોધ કરવાં કરતાં 'ખોટું' કરવું સારું, એવું માનનારા વધે છે! પરિણામે કોઈ પણ કાર્ય, માત્ર ને માત્ર, 'પરિણામ લક્ષી' બને છે, 'વાસ્તવિક લક્ષી' નહિ! ગ્રાઉન્ડ લેવલ'ની રિયાલિટી સામે આંખ આડા કાન થાય છે. મતલબ કે, મારા દીકરી 'ઓનલાઈન' શિક્ષણ લઈ શકે છે, એટલે બધાં જ લોકો લઈ શકે, સમથિંગ એવું જ! હું ૨૦૦૦૦ નો ફોન રાખી શકું તો બધાં રાખી જ શકે.. એવું જ કંઈક! પોતાની આવક કરોડોમાં છે એટલે ગરીબ-મધ્યમવર્ગના લોકોની આવક ૬૦૦૦૦૦-૧૮૦૦૦૦ વચ્ચે છે એવું જ કંઈક!! મારુ પેટ ભરેલું છે, એટલે કોઈ ભૂખ્યું નથી એવું જ કંઈક!! પરિણામે સતત નિર્ણયો બદલાતા રહે, કોઈ કામ સ્થાયી થાય જ નહીં! પરિપત્રો 'નિર્ણય' નહિ, પણ 'પ્રયોગ' બને! પોતાનાં તુઘલખી નિર્ણયોને સાચા સાબિત કરવા 'પરિપત્ર પર પરિપત્ર' અને 'પાવર'નો ઉપયોગ થાય, અને પીસાય કોણ? કહેવાની જરૂર ખરી??!!

ક્લાસ વન એકઝામની તૈયારી કરતા 21 થી 25 વર્ષના યુવકો/યુવતીઓ, દિવસના બાર-પંદર કલાક વાંચવા માટે પોતાને ઘરના એક રૂમમાં બંધ કરીને, જયારે GPSC/UPSC જેવી એક્ઝામો પાસ કરે છે અને કોઈ મોટા હોદ્દા પર બેસે છે ત્યારે એમને સામાન્ય પ્રજાજનો/કર્મચારીઓ/પોતાના વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિનો શું ખ્યાલ હોય? જે હજી પરણીને ઘર ચલાવતા નથી થયા એમને પોતાના 'ક્રાયેટેરીયા' વિસ્તાર ચલાવવાનો શું અનુભવ હોય? 'યુવાનીનું ઊછળતું લોહી' પોતાના 'પુસ્તકિયા જ્ઞાન'ના જોરે એ.સી. ઓફિસમાં બેસીને 'બ્યુરોક્રસી' હેઠળ કોઈ અભણ નેતાની ઈચ્છાઓને પૂરી કરવા વાસ્તવિક દુનિયામાં એવા અવાસ્તવિક અને તુઘલખી નિર્ણયો લેતા હોય છે કે જેનાથી સામાન્ય પ્રજાજનોની કમ્મર ભાંગી જાય છે!! ..અને 'વિવેક' 'પ્રમાણિકતા' 'સત્ય' અને 'નિષ્ઠા' માત્ર કાગળ પર રહી જાય છે!! વેલકમ ટુ ન્યુ ઇન્ડિયા.. જ્યાં વર્ષોના અનુભવીઓ નહિ, પણ 'પુસ્તકિયા જ્ઞાની'ઓ મોટા હોદ્દા પર બેસે છે, અને 'નહીવત ભણેલાં' મંત્રીઓ બને છે!

રવિવાર, 7 જૂન, 2020

તન્વીની ભવિષ્યની વાર્તાઓ

વિચાર મંથન – સતીશ વ[1] યક્ષ પ્રશ્ન

મહાભારતમાં એક પ્રસંગ આવે છે. પાંચ પાંડવો અને દ્રૌપદી વનમાંથી પસાર થતાં હોય છે ત્યાં દ્રૌપદીને તરસ લાગે છે. એટલે ભીમ પાણી લેવા જાય છે. નજીકના સરોવરમાંથી પાણી લેતાં આકાશવાણી થાય છે કે મારા સવાલનો જવાબ આપ. પછી જ તું પાણી લઈ શકીશ. જો એમ ને એમ પાણી લઈશ તો તારું મોત થશે. અહંકારી ભીમ માનતો નથી ને પાણી લે છે. તત્કાળ એ બેભાન થઈ જાય છે. આ તરફ ભીમને આવતાં વાર થઈ એટલે અર્જુન જાય છે. એના પણ એ જ હાલ થાય છે. નકુલ અને સહદેવની પણ એ જ સ્થિતિ થાય છે. છેવટે યુધિષ્ઠિર અને દ્રૌપદી ત્યાં આવે છે. ચારેય પાંડવને બેભાન જુએ છે. યુધિષ્ઠિર પાણી લેવા જાય છે ત્યારે તેમને પણ એ વાણી સંભળાય છે. યુધિષ્ઠિર કહે છે, પ્રશ્ન પૂછો હું જવાબ આપીશ.

આ સરોવર યક્ષરાજ ચિત્રરથનું હોય છે. યક્ષ કહે છે કે જો જવાબ ખોટો હશે તો મસ્તકના ટુકડા થઈ જશે. યુધિષ્ઠિર કબૂલ થાય છે. યક્ષના એક પછી એક પ્રશ્નોના જવાબ આપતાં જાય છે. આ પ્રશ્નો યક્ષ પ્રશ્ન તરીકે ઓળખાય છે. આ પ્રશ્નોત્તરી જ્ઞાનનો ભંડાર છે. એમાં યક્ષ પૂછે છે, ‘કિમ આશ્ચર્યમ્ – દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય કયું છે ?’. યુધિષ્ઠિર જવાબ આપે છે કે માણસ પોતાના સ્વજનો, માતા-પિતા, મિત્રોને નજર સામે મરતાં જુએ છે, સ્મશાને વળાવે છે, અગ્નિસંસ્કાર કરે છે ને છતાં બીજા દિવસથી એટલા ઉત્સાહથી જીવે છે, જાણે કે મૃત્યુનું અસ્તિત્વ જ નથી. દુનિયામાં આનાથી મોટું કોઈ આશ્ચર્ય નથી.

 

[2] કર્મનું ફળ

એક પૌરાણિક પ્રસંગ છે. એક મહર્ષિ પોતાના આશ્રમમાં તપ કરતા હતા. એ પ્રદેશના રાજાને ત્યાં ચોરી થઈ. ચોરોની પાછળ સિપાહીઓ પડ્યા. એટલે ચોરો ભાગ્યા. રસ્તામાં આ મહર્ષિનો આશ્રમ આવ્યો. એટલે ચોરોએ સામાન આશ્રમમાં નાખ્યો અને ભાગી ગયા. સિપાહીઓને સામાન આશ્રમમાંથી મળી આવ્યો એટલે મહર્ષિને ચોર સમજીને પકડ્યા અને રાજાના દરબારમાં ઊભા કરી દીધા. રાજાએ કાંઈ પણ વિચાર્યા વગર ફાંસીની સજા કરી. મહર્ષિને ફાંસીના માંચડે લઈ જવામાં આવ્યા. ત્યાં આકાશવાણી થઈ કે મહર્ષિ નિર્દોષ છે, તેમણે ચોરી નથી કરી. એટલે રાજાએ ભરદરબારમાં એમની માફી માગી અને સન્માન સહિત આશ્રમમાં પહોંચાડ્યા.

આ પછી ઋષિએ વિધાતા સાથે ઝઘડો કર્યો કે મારા કોઈ વાંકગુના વિના મને આ સજા, આ હેરાનગતિ શા માટે કરી ? વિધાતા કહે છે કે ‘મહર્ષિ આ જન્મમાં તમે જ્યારે કિશોર હતા ત્યારે પતંગિયાને પકડીને બાવળના કાંટા પર લટકાવતા હતા. એ પાપની આ સજા છે.’ મહર્ષિએ કહ્યું : ‘મેં તો એ કામ અજાણતાં જ કરેલું. મને સારા-ખોટાની સમજ નહોતી.’ વિધાતા કહે કે, ‘ગુનો એ ગુનો છે અને એની સજા ભોગવવી જ પડે. તમે અજાણતાં પણ સળગતો અંગારો પકડો તોપણ દાઝી તો જવાય જ ને ?’

 

[3] બોલ્યા બોલ્યાનો ફેર

એક ગુરૂ અને બે શિષ્યો યાત્રા કરતા હતા. ગુરૂએ શિષ્યોને સમજાવ્યું કે સાચું બોલવું, પણ પ્રિય બોલવું. એવી રીતે સત્ય બોલવું કે સામાવાળાને સાંભળવું ગમે. એક શિષ્ય કબૂલ થયો. પણ બીજા શિષ્યે વિરોધ કર્યો કે ‘એથી શો ફરક પડે છે ? સત્ય આખરે સત્ય જ રહે છે.’

રસ્તામાં એક ગામ આવ્યું. પહેલો શિષ્ય ભિક્ષા માગવા ગયો. એક ઘર આગળ જઈ કહ્યું : ‘મૈયા, ભિક્ષા દે દે.’ ગૃહિણીએ તરત સાધુને ભોજન આપ્યું. શિષ્ય એ ભોજન લઈ ગુરુ પાસે આવ્યો. બીજા શિષ્યે આખી વાત સાંભળી. તેને થયું – હું પણ જઈને ભિક્ષા માગી આવું. બીજો શિષ્ય પણ એ જ ઘર પાસે ગયો, કારણ કે એ જ ઘર ગામમાં સૌથી પહેલું આવતું હતું. શિષ્યે ભિક્ષા માગતાં કહ્યું : ‘એ મેરે બાપ કી ઔરત, કુછ ભિક્ષા દે દે.’ ગૃહિણીએ આ સાંભળ્યું ને ધોકો લઈને મારવા દોડી. શિષ્ય જીવ બચાવવા દોડ્યો ને ગુરુ પાસે આવ્યો. આવીને વાત કરી. ગુરુ કહે : ‘મા’ અને ‘બાપ કી ઓરત’ નો અર્થ એક જ છે. હવે તને ફરક સમજાયો ને ? સાચું બોલવું, પણ પ્રિયકર બોલવું. કાગડો કોઈનું કંઈ લઈ લેતો નથી કે કોકિલ કંઈ આપી જતી નથી, છતાં લોકો કાગડાને ઉડાડી મૂકે છે અને કોકિલનો ટહુકો ધ્યાનથી સાંભળે છે.

 

[4] ગુણવત્તા

એકવાર અકબર બાદશાહે દરબારમાં સંગીતસમ્રાટ તાનસેનનું સંગીત સાંભળ્યું ને આફરીન પોકારી ગયો કે વાહ, શું ગાયકી છે. તેને થયું કે તાનસેન આટલું સુંદર ગાઈ શકે છે, તો એના ગુરુ કેટલું સરસ ગાતા હશે ? બાદશાહે પોતાનો વિચાર તાનસેનને કહ્યો. તાનસેને પોતાના ગુરુ સ્વામી હરિદાસનાં વખાણ કર્યાં. એમની દિવ્ય ગાયકીનાં વખાણ કર્યા. બાદશાહ કહે, આપણે એમને દરબારમાં બોલાવીએ. તાનસેન કહે, એ દરબારમાં ન આવે. એમને સાંભળવા આપણે ત્યાં જવું પડે. અકબર બાદશાહ કબૂલ થયા. બંને જણા વેશ બદલીને ગયા. સ્વામી હરિદાસ સવારના પહોરમાં રિયાઝ કરતા હતા ત્યારે પહોંચ્યા અને છુપાઈને ભજન સાંભળ્યા. અકબર બાદશાહ ભાવવિભોર થઈ ગયા. તેમણે તાનસેનને કહ્યું તું આ જ ભજન ગાય છે, પણ આટલી સારી રીતે નથી ગાઈ શકતો. એનું શું કારણ ?
તાનસેન કહે, બાદશાહ, હું તમારા કહેવાથી તમને ખુશ કરવા ગાઉં છું, જ્યારે સ્વામીજી અંતરના ઊંડાણથી ભગવાનને રીઝવવા ગાય છે. કોણ કોના માટે ગાય છે એના પર એની ગુણવત્તાનો આધાર છે.

 

[5] કૃષ્ણનું રથાવરોહણ

મહાભારતના યુદ્ધનો પ્રસંગ છે. અઢાર દિવસનું યુદ્ધ પૂરું થયું પછી છેલ્લે દિવસે રથ લઈને કૃષ્ણ પાછા આવ્યા ને અર્જુનને કહ્યું કે તું પહેલાં રથમાંથી નીચે ઊતરી જા. અર્જુનને નવાઈ લાગી કે કૃષ્ણ કેમ આમ કહે છે ? તેણે તરત કારણ પૂછ્યું. કૃષ્ણ કહે – પહેલાં તું નીચે ઉતર પછી તને કારણ સમજાશે. અર્જુન રથમાંથી નીચે ઉતર્યો પછી કૃષ્ણ નીચે ઉતર્યા અને કહેવાય છે કે રથ આખો ભડભડ સળગી ઉઠ્યો. તેના અસ્તિત્વનું હવે કોઈ કારણ રહ્યું નહોતું. આ દુનિયા પર તેનું કામ પૂરું થયું હતું. અર્જુન હતપ્રભ થઈને જોઈ રહ્યો. તેને સમજાયું નહીં કે આ શું થઈ રહ્યું છે ? કૃષ્ણે સમજાવ્યું કે હું રથમાં હતો એટલે રથ ટક્યો હતો. બાકી તો એ ક્યારનોય સળગી ઉઠ્યો હોત.

આપણા દેહરૂપી રથમાં કૃષ્ણ નામે ચૈતન્ય અસવાર છે ત્યાં સુધી જ એ ચાલે છે. એ ચૈતન્ય રથમાંથી જતું રહે પછી દેહ પણ ભડભડ સળગાવી જ દેવાય છે ને !

 

[6] એક રાતની વાત

વરસમાં એક જ વાર ખીલતા બ્રહ્મકમળ નામના ફૂલને જોવા હું ગયો. મને થયું – કેવું કહેવાય ! વરસમાં એક જ વાર ખીલે, એ પણ થોડા કલાકો માટે ! બ્રહકમળ કહે ‘મને તો આનંદ છે. ભલેને થોડા સમય માટે, પણ દુનિયા તો જોવા મળે છે ને !’
મેં કહ્યું, ‘પણ આટલા સમયમાં શું ખીલવું ને શું જોવું ? એમાંય તારું કોઈ ખાસ રૂપ નહીં.’
‘તોય બધાં મને જોવા આવે છે ને ! આખુ વર્ષ ખીલતાં ફૂલો જોવા ખાસ કોણ જાય છે ?’ બ્રહ્મકમળે કહ્યું.
‘એ વાત સાચી, પણ તને આવી ટૂંકી આવરદાનો અફસોસ થતો નથી ?’ મેં પૂછ્યું.
‘ના, જરાય નહિ, ઉપરથી હું તો ખુશ છું કે આટલા થોડા સમય માટે પણ હું સમસ્ત વાતાવરણને મારી સુગંધથી મહેકાવી શકું છું.’ આનંદથી બ્રહ્મકમળે કહ્યું.
‘પણ એમાં તો તને….’
મને બોલતો અટકાવીને બ્રહ્મકમળ કહે – તમે અફસોસ કરવામાં સમય વેડફવાને બદલે જે મળ્યું છે તે માણો ને ? નહીં તો એટલુંય નહીં થઈ શકે. મને થયું કે એની વાત સાચી છે ને મેં ધ્યાનથી એનું નિરિક્ષણ કરવા માંડ્યું. એને જેમ ધ્યાનથી જોતો ગયો એમ હું મુગ્ધ બનતો ગયો. સફેદ રંગના વિવિધ શેડ બ્રહ્મકમળમાં જોવા મળ્યા.

એની વાત સાવ સાચી હતી. આપણે સામે જે છે એને જ માણવાનું ભૂલી જઈએ છીએ ને પછી તો ખોટી તથા નકામી વાતોમાં અટવાયા કરીએ છીએ. જે સમયે આપણને જે મળે તેને ઈશ્વરની દેન સમજી તેના જ આનંદમાં ખોવાઈ જઈએ, તેમાં જ સાચું સુખ છે.

 

[7] સૌથી મોટું કોણ ?

એકવાર ભૃગુ ઋષિને દેવોની પરીક્ષા લેવાનું મન થયું. તેમને થયું કે સૌથી મહાન કોણ છે ? ભૃગુ ઋષિ સૌપ્રથમ બ્રહ્માજી પાસે ગયા અને જેમતેમ બોલવા લાગ્યા. બ્રહ્માજી ગુસ્સે થઈ ગયા અને ઋષિને શાપ આપવા તૈયાર થયા. ઋષિએ માફી માગી લીધી અને ત્યાંથી કૈલાસ જવા નીકળ્યા. કૈલાસ પર્વત પર સદાશિવ પાર્વતી સાથે બેઠા હતા. ત્યાં જઈને ભૃગુ ઋષિ એલફેલ બોલવા માંડ્યા. શંકર ગુસ્સે થઈ ગયા અને ત્રિશુલ લઈને મારવા દોડ્યા. ઋષિએ માફી માગી અને પાર્વતીએ સમજાવ્યા ત્યારે શિવજી શાંત થયા. ત્યાંથી નીકળીને ઋષિ વૈકુંઠમાં જઈ પહોંચ્યા. વૈકુંઠમાં વિષ્ણુ ભગવાન શેષશૈય્યા પર સૂતા હતા. ભૃગુ ઋષિએ જઈને વિષ્ણુને છાતીમાં લાત મારી અને કહ્યું, ‘એક ઋષિ આવે ત્યારે આમ પડ્યા રહેતાં શરમ નથી આવતી ?’

વિષ્ણુ ભગવાન ઊભા થઈ ગયા. તેમણે ઋષિના પગ દબાવ્યા કે મારી વજ્ર જેવી છાતી પર પ્રહાર કરવાથી તમને ક્યાંક વાગ્યું તો નથી ને ? ક્રોધને જીતનાર વિષ્ણુને મહાન જાહેર કરતાં ભૃગુ ઋષિએ કહ્યું, ‘લક્ષ્મી તમને વરે એ જ યોગ્ય છે.’ આમ, ક્રોધને જીતનાર સૌથી મોટો વિજેતા છે.2025માં તમે 2020ની વાર્તા કેવી રીતે સંભળાવશો? - એન. રઘુરામન
 
તાજેતરમાં યુએન પોપ્યુલેશન ફંડ દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા ડેટામાં એવો દાવો કરવામાં આવ્યો છે કે લૉકડાઉનને કારણે લગભગ 70 લાખ ‘અનઇન્ટેડેડ’ પ્રેગનેન્સી હોઈ શકે છે કે જેનું પ્લાનિંગ કરવામાં આવ્યું ન હોય. જો આ સાચું છે, તો પછી ચારથી પાંચ વર્ષ પછી આપણે આ બાળકોને આજની વાર્તા કહેવી પડશે, જે આ પ્રકારે કંઈક હશે: બાળક કહે છે, “કૃપા કરી મને મારી પ્રિય વાર્તા સંભળાવો કે, જ્યારે હું જન્મ્યો હતો અને વિશ્વમાં વાઇરસનો હુમલો કરવામાં આવ્યો હતો.” પિતા વાર્તાની શરૂઆત કરે છે, “તે કચરો અને અજાયબીની દુનિયા હતી.” અમે ટૂંકા ગાળામાં ઊંચી ઇમારતો બનાવી, થોડા અઠવાડિયામાં પુલ બનાવ્યાં અને અમે જે હાંસલ કરવા માંગીએ છીએ તે બધું પ્રાપ્ત કર્યું. અમે દુનિયાના કોઈ પણ ખૂણામાંથી જે જોઈએ તે 24 કલાકમાં મેળવી શકતા હતા, કારણ કે ત્યારે આકાશમાં પક્ષીઓ ઓછા અને વિમાન વધારે હતા. પરંતુ આ પ્રક્રિયામાં અમે કચરો ઘટાડવાનું ભૂલી ગયા અને અમારી હેસિયતથી બહારની બેહિસાબ ખરીદારીથી બીમારી થઇ ગઇ. અમે બધું પ્લાસ્ટિક દરિયામાં ફેંકી દીધું, જેથી વ્હેલ જેવા પ્રાણીઓ પણ મરી ગયા. ઉદ્યોગોએ વધુમાં વધુ સામાન બનાવવા માટે અમે વૃક્ષ કાપ્યા, જેટલું થઇ શકે તેટલું તેલ કાઢ્યું, ચોવીસ કલાક અને સાત દિવસ ફેક્ટરીઓ ચલાવી, પરંતુ આ સમજી શક્યા નહિ કે અમે નીલા આકાશને કાળું કરી રહ્યા છે. પછી અમે મોબાઇલ ફોનની શોધ કરી, જે બધાની પાસે હતો. અહીં સુધી કે તારા જેવા બાળકો પાસે પણ. ત્યારબાદ લોકો એક જ રૂમમાં હતા ત્યારે પણ એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દીધું. અમે પ્રાર્થના અને કસરત પણ ઑનલાઇન કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે એકલતા ફેલાવા લાગી, ખાસ કરીને બાળકો તેને અનુભવવા લાગ્યા. ત્યારબાદ 2020 માં વાઇરસ આવ્યો. લાખો લોકો મરી ગયા. અમે બધા મૃત્યુના ડરથી મહિનાઓ સુધી કેદ હતા. અમે એકબીજા સાથે વાત કરી, સાથે નાચ્યાં, વાર્તાઓ વાંચી, બીજા માટે ભોજન રાંધ્યું, જરૂરિયાતમંદોને મદદ કરી. અચાનક માણસોએ બીજા માટે જીવવાનું શરૂ કર્યું, પોતાના માટે નહીં, જેમ કે આપણે આજે કરીએ છીએ. ફક્ત અમારા માતાપિતા જ નહીં પણ અમારા દાદા-દાદી પણ જીવનમાં જે કંઇ કર્યું છે, તેને અમે અમારું બનાવી લીધું છે અને આ ધરતીને ફરી તમારા બધા માટે સુંદર બનાવી છે. પ્રકૃતિ સાથે રહેવાની નવી આદતથી પ્રકૃતિને નુકસાન કરવાની જૂની ટેવ સમાપ્ત થઈ ગઈ. આથી જ તમે કિનારા પર દરિયાઇ કાચબા, ફુટપાથ પર નૃત્ય કરતા મોર, રસ્તાના ડિવાઇડર પર સૂતાં હરણ અને બેડરૂમની બારી પર કલરવ કરતા પક્ષીઓ જોઈ શકો છો. ‘જીજ્ઞાસુ બાળકએ પૂછ્યું, ‘આ માનવતા માટે સારું છે, તમને આ કહેવા માટે વાઇરસની જરૂર કેમ હતી?’ આ સાંભળીને બાળકના જન્મદિવસ માટે કેક બનાવતી માતાએ કહ્યું, “હું સમજાવું છું.” તેણે બાળકને ગળે લગાવ્યું અને પૂછ્યું, “શું તને કેક ગમે છે?” બાળક બોલ્યો, “હા, ઘણી” માતાએ તેના કપાળ પર ચુંબન કર્યું અને પૂછ્યું, “તો પછી તમે કાચા ઇંડા કેમ નથી ખાતા?” બાળકે કહ્યું, “છી, હું ખાઈ શકતો નથી.”પછી માતાએ બેકિંગ સોડા, થોડું લોટ અને કડવો કોકો સહિત બધી વસ્તુઓ ખસેડી. બાળકે તેમને સ્પર્શ કરવાનો ઇનકાર કર્યો. ત્યારે માતાએ કહ્યું, ‘જ્યારે તમે આ બધી વસ્તુઓને યોગ્ય માત્રામાં ભળી દો છો, ત્યારે જ મારા રાજા દીકરા માટે શાનદાર ચોકલેટ કેક બનાવવામાં આવે છે, બરાબર ?’ બાળક સંમત થયું અને માતાને ચુંબન કર્યું. માતાએ આંખો બંધ કરી અને બાળકનો પ્રેમ માણ્યો અને કહ્યું, ‘ભગવાન પણ એવું જ કામ કરે છે. જ્યારે તમે તેમની રચનાઓનો સન્માન કરતા નથી અને તેમને નષ્ટ કરશો, ત્યારે તેઓ તમને થોડી મુશ્કેલ તબક્કામાં મુકે છે. પરંતુ ભગવાન જાણે છે કે જ્યારે તેઓ આ બધી બાબતોને યોગ્ય રીતે મૂકશે, ત્યારે બધા માનવતાના હિતમાં કામ કરશે. ભગવાન તમને ખૂબ પ્રેમ કરે છે. તેઓ દરરોજ સવારે તાજા ફૂલો સાથે તડકો મોકલે છે. કારણ કે તેમને લાગે છે કે તમે ખાસ છો કારણ કે તમે 2020 ના દાયકામાં જન્મ્યા હતા, જ્યારે માણસોએ તેમની રચનાઓનું સન્માન કરવાનું શરૂ કર્યું હતું. ‘વાર્તા પૂરી થાય ત્યાં સુધી કેક બનાવવામાં આવી હતી.

 

ફંડા એ છે કે, આ લૉકડાઉનમાં થતા નાના નાના ફેરફારોને પણ યાદોના લિસ્ટમાં ઉમેરો. બની શકે કે આ શીખ આપણા બાળકો પૌત્રીઓની માટે 2025માં શાનદાર સ્ટોરીઓ બની શકે.

KYA HUM BHI?

એક શહેરના મધ્યભાગમાં
બેકરીની એક દુકાન હતી.

બેકરીની
અમુક વસ્તુઓ બનાવવા માટે 
એને માખણની જરુર પડતી હતી.

આ માખણ
બાજુમાં આવેલા ગામડામાંથી
એક ભરવાડ પાસેથી ખરીદવામાં આવતું હતુ.

એકદિવસ
બેકરીના માલિકને એવુ લાગ્યુ
કે માખણ જેટલુ મંગાવ્યુ
એના કરતા થોડું ઓછુ છે.

એણે
નોકરને બોલાવીને
માખણનું વજન કરવાની સુચના આપી. 

નોકર માખણનું વજન કરીને લાવ્યો. 

માખણનું વજન 900ગ્રામ હતું.

એકકીલો માખણ ખરીદવામાં આવેલું
પણ
તેના બદલે 100 ગ્રામ ઓછુ માખણ
મળતા વેપારીને બહુ ગુસ્સો આવ્યો.

વેપારીએ નક્કી કર્યુ કે
આવુ કેટલા દિવસ ચાલે છે,
તે જોવુ છે

એણે ભરવાડને
માખણ ઓછુ હોવા વિષે
કોઇ વાત ન કરી.
રોજ માખણ ઓછુ જ આવતુ હતું.

થોડા દિવસ સુધી આ જોયા બાદ
વેપારીએ ભરવાડની સામે કોર્ટમાં છેતરપીંડીની ફરીયાદ કરી.

કોર્ટ દ્વારા
કેઇસની સુનાવણી હાથ ધરવામાં આવી
ત્યારે ન્યાયધીશે ભરવાડને પુછ્યુ ,
" તારી સામે જે આરોપ મુકવામાં આવ્યા છે
તેના બચાવમાં તારે કોઇ રજુઆત કરવી છે કે કોઇ વકીલ રોકવા છે ?"

ભરવાડે હાથ જોડીને કહ્યુ ,
 " જજ સાહેબ,
હું તો ગામડામાં રહેતો
સાવ અભણ માણસ છું.
માખણનું વજન કરવા માટે
મારા ઘરમાં વજનીયા નથી.
અમે ગામડાના માણસો
નાના પથ્થરના વજનીયા બનાવીને
જ વસ્તુ આપીએ.
પણ અમારા આ પથ્થરના વજનીયા વેપારીના વજનીયા કરતા વધુ વજનદાર હોય બસ એટલી મને ખબર છે."

જજે સામે પ્રશ્ન પુછ્યો,
 , "તો પછી રોજ 100 ગ્રામ માખણ ઓછુ કેમ આવે છે ? "

ભરવાડ કહે , " સાહેબ , એનો જવાબ તો આ વેપારી જ આપી શકશે.
કારણ કે હું રોજ
એમને ત્યાંથી એક કીલો બ્રેડ ખરીદુ છું
અને
એમની પાસેથી ખરીદેલી બ્રેડને જ
વજનીયા તરીકે ઉપયોગ કરીને એમને એક કીલો માખણ આપુ છું."

મિત્રો ,
જીવનમાં
બીજા કરતા ઓછું મળે
ત્યારે રાડારાડી કરવાને બદલે
જરા વિચાર કરવાની જરુર છે,
કે મેં બીજાને શું આપ્યુ છે ?

આપણે
જે બીજાને આપીએ,
એ જ અન્ય દ્વારા આપણા તરફ પરત
આવતું હોય છે.

એટલે જ કહેવાય છે
કે કુદરતે જયારે તમને કઈ આપ્યું
ત્યારે તમે વિચાર ના કર્યો 
કે "મને જ કેમ ?"

તો
જયારે
કુદરત તમારી પાસેથી લઇ લે છે
ત્યારે તમને ફરિયાદ કરવાનો કઈ અધિકાર નથી !

SU~ PRABHAT Yunus Makwana

एक बार यह कहानी जरूर पढिये । आपके जीवन में जरूर बदलाव लाएगी ।
गिद्धों का एक झुण्ड खाने की तलाश में भटक रहा था।
उड़ते – उड़ते वे एक टापू पे पहुँच गए। वो जगह उनके लिए स्वर्ग के समान थी। हर तरफ खाने के लिए मेंढक, मछलियाँ और समुद्री जीव मौजूद थे और इससे भी बड़ी बात ये थी कि वहां इन गिद्धों का शिकार करने वाला कोई जंगली जानवर नहीं था और वे बिना किसी भय के वहाँ रह सकते थे।
युवा गिद्ध कुछ ज्यादा ही उत्साहित थे, उनमे से एक ने बोला:-
” वाह ! मजा आ गया, अब तो मैं यहाँ से कहीं नहीं जाने वाला, यहाँ तो बिना किसी मेहनत के ही हमें बैठे -बैठे खाने को मिल रहा है!”
बाकी गिद्ध भी उसकी हाँ में हाँ मिला ख़ुशी से झूमने लगे।
सबके दिन मौज -मस्ती में बीत रहे थे लेकिन झुण्ड का सबसे बूढ़ा गिद्ध इससे खुश नहीं था।

एक दिन अपनी चिंता जाहिर करते हुए वो बोला:-
” भाइयों, हम गिद्ध हैं, हमें हमारी ऊँची उड़ान और अचूक वार करने की ताकत के लिए जाना जाता है। पर जबसे हम यहाँ आये हैं हर कोई आराम तलब हो गया है …ऊँची उड़ान तो दूर ज्यादातर गिद्ध तो कई महीनो से उड़े तक नहीं हैं…और आसानी से मिलने वाले भोजन की वजह से अब हम सब शिकार करना भी भूल रहे हैं … ये हमारे भविष्य के लिए अच्छा नहीं है …मैंने फैसला किया है कि मैं इस टापू को छोड़ वापस उन पुराने जंगलो में लौट जाऊँगा …अगर मेरे साथ कोई चलना चाहे तो चल सकता है !”
बूढ़े गिद्ध की बात सुन बाकी गिद्ध हंसने लगे। किसी ने उसे पागल कहा तो कोई उसे मूर्ख की उपाधि देने लगा। बेचारा बूढ़ा गिद्ध अकेले ही वापस लौट गया।
समय बीता, कुछ वर्षों बाद बूढ़े गिद्ध ने सोचा, ” ना जाने मैं अब कितने दिन जीवित रहूँ, क्यों न एक बार चल कर अपने पुराने साथियों से मिल लिया जाए!”
लम्बी यात्रा के बाद जब वो टापू पे पहुंचा तो वहां का दृश्य भयावह था।
ज्यादातर गिद्ध मारे जा चुके थे और जो बचे थे वे बुरी तरह घायल थे।
“ये कैसे हो गया ?”, बूढ़े गिद्ध ने पूछा।
कराहते हुए एक घायल गिद्ध बोला, “हमे क्षमा कीजियेगा, हमने आपकी बातों को गंभीरता से नहीं लिया और आपका मजाक तक उड़ाया … दरअसल, आपके जाने के कुछ महीनो बाद एक बड़ी सी जहाज इस टापू पे आई …और चीतों का एक दल यहाँ छोड़ गयी। चीतों ने पहले तो हम पर हमला नहीं किया, पर जैसे ही उन्हें पता चला कि हम सब न ऊँचा उड़ सकते हैं और न अपने पंजो से हमला कर सकते हैं…उन्होंने हमे खाना शुरू कर दिया। अब हमारी आबादी खत्म होने की कगार पर है .. बस हम जैसे कुछ घायल गिद्ध ही ज़िंदा बचे हैं !”
बूढ़ा गिद्ध उन्हें देखकर बस अफ़सोस कर सकता था, वो वापस जंगलों की तरफ उड़ चला।
दोस्तों, अगर हम अपनी किसी शक्ति का प्रयोग नहीं करते तो धीरे-धीरे हम उसे खो देते हैं।
उदाहरण के तौर पर अगर हम अपने brain का use नहीं करते तो उसकी sharpness घटती जाती है, अगर हम अपनी muscles का use नही करते तो
उनकी ताकत घट जाती है… इसी तरह अगर हम अपनी skills को polish नहीं करते तो हमारी काम करने की efficiency कम होती जाती है!
तेजी से बदलती इस दुनिया में हमें खुद को बदलाव के लिए तैयार रखना चाहिए। पर बहुत बार हम अपनी current job या business में इतने comfortable हो जाते हैं कि बदलाव के बारे में सोचते ही नहीं और अपने अन्दर कोई नयी skills add नहीं करते, अपनी knowledge बढ़ाने के लिए कोई किताब नहीं पढ़ते कोई training program नहीं attend करते, यहाँ तक की हम उन चीजों में भी dull हो जाते हैं जिनकी वजह से कभी हमे जाना जाता था और फिर जब market conditions change होती हैं और हमारी नौकरी या बिज़नेस पे आंच आती है तो हम हालात को दोष देने लगते हैं।
ऐसा मत करिए…अपनी काबिलियत, अपनी ताकत को जिंदा रखिये…अपने कौशल, अपने हुनर को और तराशिये…उसपे धूल मत जमने दीजिये…और जब आप ऐसा करेंगे तो बड़ी से बड़ी मुसीबत आने पर भी आप ऊँची उड़ान भर पायेंगे!Must important education will to win. 
Wish you wellth so alwaya update your life


વર્ષો પહેલાની વાત છે. એક યુવાન એક ગામથી બીજા ગામ જઇ રહ્યો હતો. રસ્તામાં મોટી નદી આવતી હતી.ઉપરવાસ ખુબ વરસાદ પડવાને લીધે નદીમાં પુર આવ્યુ હતુ. નદીને પાર કરવી મુશ્કેલ હતી. યુવાને પાછા જવાનો વિચાર કર્યો પણ ચાલીને થાકી ગયો હતો અને સાંજ પડી ગઇ હતી આથી પાછા જવાનો વિચાર માંડી વાળ્યો. રાત નદી કાંઠે જ પસાર કરીને સવારે પાણી ઉતરે એટલે નદી પાર કરીને સામેની બાજુ પર આવેલા ગામ જવાનો નિર્ણય કર્યો. હવે તો રાત પડી ગઇ હતી. અંધારુ પણ થઇ ગયુ હતુ. સમય પસાર કરવા એ નદીના કાંઠે આમ તેમ આંટા મારી રહ્યો હતો. અચાનક એના પગ સાથે કંઇક અથડાયુ એણે જોયુ તો એક વજનદાર થેલો હતો. અંધારામાં બીજુ કંઇ દેખાતુ નહોતુ પણ થેલાને ઉપાડતા એ ખુબ વજનદાર લાગ્યો. અંદર હાથ નાંખીને જોયુ તો નાના-નાના કાંકરાઓ હતા. યુવાન થેલો પોતાની સાથે લઇને નદીના કાંઠા પર બેસી ગયો.થેલામાંથી એક કાંકરો લઇને નદીમાં ફેંક્યો એમ કરવામાં એને મજા આવી એટલે બીજો કાંકરો ફેંક્યો. પછી તો આખી રાત એક પછી એક કાંકરો થેલીમાંથી લઇને નદીમાં ફેંકતો રહ્યો. થેલીમાં રહેલો છેલ્લો કાંકરો લઇને ફેંકવા જતો હતો ત્યાં એને વિચાર આવ્યો કે હવે થોડુ અજવાળુ છે તો જરા જોઉં તો ખરો કે આ કાંકરો કેવો છે. એણે એ કાંકરા સામે જોયુ અને આંખો આશ્વર્યથી પહોળી થઇ ગઇ કારણકે એ કોઇ સામાન્ય પથ્થર નહોતો પણ કીંમતી હીરો હતો.હવે એને પારાવાર પસ્તાવો થવા લાગ્યો કે આખી રાત બેઠા બેઠા આ હીરાને પાણીમાં નાંખી દીધા.
મિત્રો , આપણા જીવનમાં પણ કંઇક આવુ જ થાય છે. અજાણતા અને ગાફલાઇમાં હીરા જેવી કીમતી સમયની એક એક ક્ષણને ફેંકી રહ્યા છીએ. અને જ્યારે સમજણનું અજવાળુ થાય ત્યારે ખબર પડે છે કે મેં શું ગુમાવી દીધુ છે ! જીવનની પ્રત્યેક ક્ષણનો પૂર્ણ ઉપયોગ કરીએ.



ખરેખર વાંચવા જેવી પોસ્ટ છે મિત્રો...

એક મોટા ડૉક્ટર.
ડૉક્ટર ભારે ભલા. ગરીબ લોકો પર ઘણો પ્રેમ રાખે. ગમે તેવું કામ મૂકીને ય કોઈ ગરીબની સેવા કરવા દોડી જાય. પૈસાવાળા પાસે ઘણા પૈસા લે. પણ એ જ દવા જો ગરીબને આપવાની હોય તો મફતને ભાવે આપે. પૈસા વગરના બિચારા લોકો બીજું તો કશું આપી શકે નહીં. એટલે ડૉક્ટરને આશીર્વાદ આપે.

એક દિવસ કોઈએ ડૉક્ટરને પૂછ્યું : ‘ડૉક્ટર સાહેબ, તમે ગરીબોની દવા મફત કેમ કરો છો ? બીજા ડૉક્ટરો તો બરાબર કસીને ફી લે છે. ગરીબ કે પૈસાદાર કશું જોતા નથી. બે વરસમાં તો ઘણાય ઘરના બંગલા બંધાવીને બેઠા છે ને તમે દયાનું પૂછડું કેમ પકડીને બેઠા છો ?’
પેલા ભાઈની વાત સાંભળીને ડૉક્ટર હસ્યા. બે-ત્રણ માણસો ત્યાં બેઠા હતા. એમાંથી એક કહે : ‘કાં ડૉક્ટર, હસ્યા કેમ ?’
ડૉક્ટર કહે : ‘મને જૂની વાત યાદ આવી ગઈ એટલે હસવું આવી ગયું.’
બધા કહે : ‘એવું હોય તો અમને ય કહો, અમે પણ હસીશું.’
ડૉક્ટર કહે : ‘સાંભળો ત્યારે.’

ઘણાં વરસ પહેલાંની વાત છે.
હું તે વખતે તાજો-તાજો જ ડૉક્ટર થયેલો. મારા બાપુજીએ દેવું કરીને મને ભણાવ્યો હતો. મોટામાં મોટી ડિગ્રી મને મળે એટલા માટે પૈસા ખરચવામાં પાછું વાળીને જોયું નહોતું. મારે વધારે ભણવા માટે વિલાયત જવાનું હતું. તે વખતે બાપુજી પાસે પૈસા નહીં એટલે ઘર વેચીને એમણે મને વિલાયત મોકલેલો. હું વિલાયત ભણી આવ્યો. ઘણો મોટો ડૉક્ટર બનીને પાછો આવ્યો. દેશમાં આવીને દવાખાનું ખોલ્યું એટલે દર્દીઓની લાઈન લાગી. રૂપિયાની છોળો ઊડવા લાગી. મારું નામ ખૂબ જાણીતું બની ગયું.

એક વખત રાતના સમયે હું ઘરની બહાર વરંડામાં એક ખુરસી નાખીને બેઠો હતો. એવામાં જ એક ગામડિયો બંગલામાં ઘૂસી આવ્યો. આવ્યો એવો જ મારા પગમાં પડી ગયો. બે હાથ જોડીને કહે, ‘ડૉક્ટર સાહેબ, હમણાં ને હમણાં ચાલો મારી સાથે. મારી પત્ની બીમાર પડી ગઈ છે. તમારા વિના એને કોઈ બચાવી શકે એવું નથી.’ ગામડિયો ગંદો હતો. એણે મારા પગ પકડ્યા એથી મારું પાટલૂન મેલું થયું હતું. મેં પગ ખસેડી લઈને કહ્યું :
‘તને કંઈ વિવેકનું ભાન છે કે નહીં ?’
ગામડિયો બાઘા જેવો બનીને મારી સામે જોઈ રહ્યો હતો. મેં કહ્યું : ‘શું થયું છે તારી પત્નીને ?’
ગામડિયો કહે : ‘એ બેઠી હતી ત્યાંથી એકદમ ગબડી પડી છે. બોલાતું પણ નથી. આપ ઝટ મારી સાથે ચાલો, નહીં તો કોણ જાણે શુંયે થશે ?’
મેં કહ્યું : ‘તને ખબર છે કે ડૉક્ટરને ઘેર બોલાવવા હોય તો ગાડી લાવવી પડે !’
ગામડિયો કહે : ‘ગાડી તો હું હમણાં લઈ આવું છું, સાહેબ. આપ તૈયાર થઈ જાવ.’ એમ કહીને એ ઊભો થયો.
મેં કહ્યું : ‘મારી ફીનું શું છે ?’
ગામડિયાએ ફાળિયાને છેડે બાંધેલા પાંચ રૂપિયા કાઢીને મારા હાથમાં મૂક્યા. કહે : ‘મારી પાસે તો આટલા પૈસા છે સાહેબ. આપ બધા લઈ લો પણ મારી સાથે ચાલો.’

મને તે વખતે ખૂબ અભિમાન હતું. મેં પાંચની નોટ ફેંકી દીધી. કહ્યું :
‘તારા જેવા ભિખારીની દવા મારાથી નહીં થાય. હું તો એક વિઝિટના પચ્ચીસ રૂપિયા લઉં છું. એટલા પૈસા હોય તો કહે ને નહીં તો રસ્તો માપ.’
ગામડિયો કાલાવાલા કરવા લાગ્યો. મારા પગ પકડીને રડવા લાગ્યો. કહે : ‘વધારે પૈસા ક્યાંથી લાવું, સાહેબ ! અનાજ લાવવા આટલા રાખી મૂક્યા હતા તે આપું છું.’ ગામડિયે ઘણી વિનંતી કરી પણ મેં એની એકેય વાત ન સાંભળી તે ના જ સાંભળી.

આવું ચાલતું હતું એવામાં જ અંદરથી મારા બાપુજીએ મારા નામની બૂમ પાડી. હું અંદર ગયો. બાપુજીએ મને જોતાં જ પૂછ્યું : ‘બહાર કોણ રડે છે ?’
મેં કહ્યું : ‘એક ગામડિયો આવ્યો છે તે આ બધી ધમાલ કરે છે. જવાનું કહું છું પણ જતો નથી.’
બાપુજી કહે : ‘ગામડિયો શું કામ આવ્યો છે ?’
મેં કહ્યું : ‘એની પત્ની બીમાર છે એટલે મને તેડી જવા આવ્યો છે.’
બાપુજી કહે : ‘તો તું હજી અહીં કેમ ઊભો છે ? ગયો કેમ નથી ?’
મેં કહ્યું : ‘જાઉં કેવી રીતે ? દર્દીને જોવા જવાની મારી ફી પચ્ચીસ રૂપિયા છે અને એની પાસે તો પાંચ જ રૂપિયા છે. મેં એને કહી દીધું કે બીજા ડૉક્ટર પાસે જા. પણ માનતો નથી.’ હું આમ બોલતો હતો એવામાં જ બાપુજીનો હાથ ઊંચો થયો ને ફટાક કરતો એક તમાચો એમણે મારા ગાલ ઉપર ફટકારી દીધો. મારો ગાલ ચમચમી ઊઠ્યો. હું તો આભો બની ગાલ ઉપર હાથ મૂકીને બાપુજીની સામે ફાટી આંખે જોઈ રહ્યો.

બાપુજી લાલ-લાલ આંખો કરીને કહે : ‘નાલાયક પાજી ! આટલા માટે દુઃખ વેઠીને તને ભણાવ્યો હતો ? કોઈ બિચારાનો જીવ જતો હોય તે વખતે તું પૈસાનો લોભ છોડી શકતો નથી ? ડૉક્ટરનો ધંધો તો સેવાનો ધંધો છે. તું ભણીગણીને મોટો ડૉક્ટર થાય, ગરીબોની સેવા કરે એટલા માટે તો મેં ઘરબાર વેચીને તને ભણાવ્યો છે. આવા ગરીબોને તો તારે મફત દવા આપવી જોઈએ. ઉપરથી ફળફળાદિ લાવવાના પૈસા પણ આપવા જોઈએ, એને બદલે તું રાક્ષસ જેવો બની ગયો છે ?
મેં ડરતાં ડરતાં કહ્યું : ‘પણ બાપુજી…..’
બાપુજી કહે : ‘તારી એક વાત પણ મારે સાંભળવી નથી. મેં તને ભણાવવા માટે જેટલા પૈસા ખરચ્યા છે એ બધા મને આપી દે. હમણાં ને હમણાં મારા ઘરમાંથી નીકળી જા. નહીં તો બીજા ગાલ ઉપર બીજો તમાચો ફટકારી દઈશ !’
મેં કહ્યું : ‘બાપુજી, હું આ ગામડિયાની દવા કરવા જાઉં છું. ને હવે કોઈ ગરીબ પાસે પૈસા નહીં લઉં.’

બાપુજી રાજી થયા.
તે દિવસથી હું ગરીબોની સેવા કરતો રહું છું. કોઈ વાર મનમાં લોભ જાગે ત્યારે બાપુજીનો તમાચો યાદ આવી જાય છે. અને હાથ ગાલ તરફ વળે છે. બાપુજીના તમાચાએ મારી આંખો ખોલી નાખી છે. ડૉક્ટર સાહેબે વાત પૂરી કરી.

Dax.com
Send Me Friend Request..
For Latest Story & Post..One day, all the disciples went to their master' and said, "Master, Master, we all are going on a pilgrimage.
 
Master: Why you want to go on a pilgrimage trip?
 
Disciples: So that we can improve our devotion.
 
Master: OK. Then do me a favour. Please take this Karela (bitter gourd) along with you and wherever you go and whichever temple you visit, place it in the alter of the Deity, take the blessings and bring it back.
 
So, not only the disciples but the Karela also went on pilgrimage, temple to temple.
 
And finally when they came back, the Master said, "cook that Karela and serve it to me."
 
The disciples cooked it and served it to the master. After having the first bite, the master said,
 
"Surprising"!
 
Disciples: What's so surprising?
 
Master: Even after the pilgrimage the karela is still bitter. How come???'
 
Disciples: But that's the very nature of the Karela, Master.
 
Master: That's what I am saying. Unless you change your nature, pilgrimage will not make any difference.
 
So, you I, if we do not change ourselves no teacher or guru can make a difference in our lives.