શુક્રવાર, 9 ડિસેમ્બર, 2016

આજે સવારે ફ્લેટની નીચે આવ્યો...

'એ' મોજીલા કાકા આજે ચાર-પાંચ દિવસ પછી પાછા દેખાયા!

'જેશીક્રશ્ન' મેં કહ્યું.

એ કશુયે બોલ્યા વિના નજીક આવ્યા.. અને કહ્યું, " ડોશીમાં મરી ગયા છે.."
હજુ પણ એ મજબુતાઈથી બોલી રહ્યા હતા!!  ....જયારે મારે તો છાતીનું પાટિયું બેસી ગયું! હું જેમને રોજ જોતો હતો એ આજે નથી!!

મને કઈ ન સમજાયું શું બોલવું??  કારણ કે મારે 'એ' મોજીલા કાકા સાથે કાકીને લઈને ઘણી મજાક મસ્તી વાતો થતી! 'શું થયું?'.. અને ....'કેવી રીતે થયું?' એ જાણી હું રવાના થયો!

કઈ નક્કી ખરું જીવનનું?

મારા મામા ગુજરી ગયા ત્યારે પણ આવી ફીલિંગ થઇ હતી!! જીવન આખું હાય-વોય કર્યું હોય.. અને મરતા સમયે શરીરને કપડા પણ નસીબ નથી થતા! એ મારા મામાના અગ્નિ-સંસ્કાર વખતે નજરે જોયું!

ભલું થાજો એ લોકોનું.. કે જેઓ એ સત્ય સમજી ચુક્યા હોય છે કે જીવનમાં આપણે કોઈને જો કશું આપી શકીએ એમ હોય તો માત્ર.. ખુશી અને માફી!! જીવીએ ત્યાં સુધી બધાને શક્ય એટલા ખુશ કરીએ.. અને મરતા સમયે દુશ્મનોને પણ માફ કરી દઈએ, ખાલી-ખોટું બદલાની ભાવના રાખી પુન:જન્મ લેવો એના કરતા!! કદાચ આવો ભાવ એટલો સરળ નહિ હોય તો, અશક્ય પણ નહિ હોય! ...મારું આવું માનવું ઈશ્વર કરે સાચું હોય! 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો