શુક્રવાર, 30 ઑક્ટોબર, 2020

એકવાર ચાણક્યના એક શિષ્યને થોડીક હવા ભરાઈ ગઈને એણે જાહેર કરી દીધું કે હવે તલવારબાજીમાં મારો કોઈ મુકાબલો ના કરી શકે ,ખુદ ચાણક્ય પણ નહિ ,.

એમાં તો લોકોના અને ચંદ્રગુપ્તના આગ્રહ અને કુતુહલને લઈને ચાણક્ય અને પેલા ચેલા વચ્ચે મુકાબલો નક્કી પણ થઇ ગયો ,.

હવે ચાણક્યને એ ખ્યાલ કે આપણે આ ચેલુંને તલવારબાજીમાં બધું શીખવાડી દીધું છે ,પાછું એમાય ચેલો જુવાનજોધ હાન્ઢયા જેવો છે અને આપણને ઉમર થઇ ગઈ છે, ચેલાને હરાવવો અઘરો છે ,..

કરવું શું ?

વિચારીને ચાણક્યએ એક માણસને કહ્યું કે હું મુકાબલામાં મારી તલવાર બે ઇંચ વધુ લાંબી રાખવાનો છું ,.એ માણસે બીજાને અને બીજાએ ત્રીજાને ,.. એમ કરતા-કરતા ચેલા પાસે વાત પહોચી ત્યાં બે ઈંચનું બે ફૂટ થઇ ગયું,.

મુકાબલાનો દિવસ આવ્યો અને ચેલો બે ફૂટ વધુ લાંબી તલવાર લઈને મેદાનમાં ઉતર્યો ,અને ચાણક્ય રેગ્યુલર તલવાર લઈને ઉતર્યા ,. ચેલુંની તલવારનો વજન જ એવો થઇ ગયો કે એ ચપળતાથી તલવાર ફેરવી જ ના શક્યો અને હાર્યો ,..

એનું ઘમંડ ઉતર્યું ,ચાણક્યએ એને માફ કર્યો અને આ બે ઇંચ-બે ફૂટના પાઠમાંથી કૈક શીખવા કહ્યું .,,,

સ્ટેટ્સ સોર્સ: કાનજીભાઈ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો