શનિવાર, 16 નવેમ્બર, 2024

દિલસે ની દિલસે અલવિદા

https://www.facebook.com/share/p/1BKQFxVphe/



બધાં ભલે નવું વાહન લેવાનાં ફોટા મૂકે..
મારે તો.. 'દિલ સે..'ની દિલથી અલવિદા!
********
હજુ તો પંદરેક દિવસ પહેલાં જ કોઈકે પૂછેલું, "સાહેબ, પેલી 'દિલ સે..' બાઇક હજુ છે કે વેચી નાંખી??"
"એ હજુ પાંચ વર્ષ ચાલે એમ છે.. હજુયે અડીખમ છે.. મારી જેમ!" એ મારું ગર્વ હતી, એટલે જ હું 'ગર્વ'થી બોલી શકતો!!
********
વર્ષ- માર્ચ 2007.. સૌરાષ્ટ્રમાં ગિરગઢડા ખાતે શિક્ષકની નોકરીમાં લાગ્યો, ત્યારે બાઇક આવડતું પણ નહિ કે હતું પણ નહીં! અમદાવાદમાં બે વર્ષ નિકોલ ખાતે 'શ્રી રંગ' પ્રાઇવેટ શાળામાં નોકરી કરી એ દરમિયાન રહેવાનું છેક નારોલ હતું, તોયે હીરોઇનના ગાલ જેવા રસ્તે અંદાજે રોજનું 35-40 કિમિ સાયકલિંગ, થાકી જવાય તોયે, પ્રમાણમાં સરળતાથી થતું.. પણ અહીં ગિરગઢડા થી 10-11 કિમિ દૂર વેલાકોટ પ્રા. શાળાએ 'ઉબડ-ખાબડ' રસ્તે કેવી રીતે જવું.. એ પ્રાણપ્રશ્ન બન્યો!!
શરૂઆતમાં એક શિક્ષકમિત્ર સાથે જતો.. પણ હું આજેય દ્રઢપણે એવું માનું છું કે ત્યાં બહુ ઓછા લોકો 'પંક્ચ્યુઅલ' છે! ગિરગઢડા મેઈન બજાર/સ્ટેશને સવારના 7 વાગ્યાથી આ શિક્ષક મિત્રની રાહ જોતો હોઉં, ત્યાં એ છેક સવા/સાડા આઠે આવે.. એટલે એવી અનિયમિત પાર્ટનરશીપ પંદરેક દિવસથી વધુ ન ચાલી! વળી, મને હંમેશા એવું લાગતું કે એ શિક્ષકમિત્ર સ્ત્રીઓને પોતાની બાઇકમાં બેસાડવા વધુ રસ ધરાવતાં હતા! સ્ટાફના સ્થાનિક મિત્રોએ શાળાએ પહોંચવા એકબીજા સાથેનું શેરિંગ શોધી કાઢ્યું.. પણ હું રહ્યો 'અમદાવાદી'.. એટલે લોકલ લેંગ્વેજમાં કહું તો 'હરામજાદી' તો હોવાનો જ!!
..આખરે મારી અમદાવાદી 'પંક્ચયુઆલિટી'નું સ્વમાન જાળવવા એક 'હરામજાદી' વિચાર કર્યો.. હું પણ બાઇક લઈશ.. જાતે જ લઈશ.. ખુદના પૈસાથી.. ત્યાં સુધી શાળાએ જવા..?? 'અપના પગ.. જગન્નાથ..'!!
'ખુદના પૈસાથી જ લઈશ' ..આવો હઠાગ્રહ એટલે કરેલો કેમ કે જો કુટુંબ સધ્ધર હોત તો અમદાવાદમાં બે વર્ષ રોજના 35-40 કિમીના હિસાબે 'સાયકલિંગ' થોડો કરતો હોત??!!
૨૫૦૦ રું ના માસિક પગારે તો બાઇક આવી રહ્યું! જૂન-2007 થી ડિસેમ્બર-2007 સુધી બાઇક માટે પૈસા ભેગાં કરવાં 'કંજુસાઈ'ની હદ સુધી ગયેલો! આ છ માસમાંથી પ્રથમ ચાર મહિના તો ગિરગઢડાથી વેલાકોટ ચાલીને ગયો.. પણ અંતે અતિશય કૃશ થઈ ગયેલા શરીરને 'પોરો' આપવા છેલ્લાં બે મહિના એક સાયકલ પણ લીધેલી!
અંતે.. ડિસેમ્બર-2007 ઘરે અમદાવાદ આવ્યો, અને રોકડાં 18000૱ આપ્યા.. એક જૂનું બાઇક લેવા! મારાં મમ્મીજી બાપુનગર 'ચિરાગ ડાયમંડ'ની સામે હીરો-હોન્ડા શૉ-રૂમમાં સફાઈ કરવા જતાં.. એટલે ત્યાંની આવી 'નાનકડી' ઓળખાણથી ભાઈએ નવું બાઇક પસંદ કર્યું.. 'સ્પ્લેન્ડર NXG'!! ..અને બાઇક ઉપર લખાવ્યું.. 'દિલસે..'!! ..કારણ કે મારું ફેવરિટ મુવી 'દિલ સે' છે!!
હજુયે બાઇક એવું તો પાક્કું નહોતું જ આવડતું.. પણ રોજનાં 20-22 કિમિ ચાલવા કરતાં.. બાઇક ચલાવવું સહેલું પડશે એવુ વિચારીને ભાઈ સાથે અમદાવાદથી ગિરગઢડાની 380 કિમીની પહેલી લાંબી સફર શરૂ કરી!!
2008ના નવા વર્ષના પહેલાં જ દિવસે શાળામાં બાઇક લઈને મેં એન્ટ્રી મારી.. અને જાણે કે વર્ષોનો મારો થાક ઉતરી ગયો!! ગિરગઢડામાં હજુયે ઘણાં મિત્રો મને 'દિલ સે..'થી જ ઓળખે છે!!
*********
લમસમ 14 વર્ષથી એ હદયની નજીક રહી છે!! આ જ બાઈકથી લગભગ 80% ગુજરાત ફરી ચુક્યો છું!! ક્યાંય જવાનું નક્કી થયું કે બાઇક લઈને જ જવું.. એ વણલખ્યો નિયમ બની ગયો.. પછી એ આખું સૌરાષ્ટ્ર હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, પાટણ હોય કે છોટા ઉદેપુર હોય.. કે પછી ગિરગઢડાથી અમદાવાદનું રૂટિન વેકેશનમાં આવવું-જવું હોય.. ગમે તે હોય!! બાપાનાં પૈસે આવી હોત તો ક્યારનીયે 'ખતમ' થઈ ગઈ હોત.. પણ ખુદના પૈસે આવી હતી એટલે ક્યારેય 55 ની ઉપર નથી ગઈ!!
આખરે ગયા વર્ષે એણે મને એની 'વૃદ્ધતા'નો પરિચય કરાવ્યો.. ડેડીયાપાડાનાં જંગલમાં!! એ અટકી ગઈ.. અને મને પહેલીવખત એવું થયું કે હવે એ 'વિદાય' માંગી રહી છે! કીક મારતાં થાકી ગયો.. અંતે અચાનક ચાલુ થઈ! આગળની સફર અધૂરી મૂકીને હું પરત ફરી ગયો! જોકે ત્યારબાદ એ પાછી ક્યારેય બંધ નથી પડી!!
**********
અચાનક જ એવાં સંજોગો ઊભાં થઈ ગયા કે જાણે એણે જ વિદાય લેવાનું નક્કી ન કર્યું હોય?!! હજુ પંદરેક દિવસ પહેલાં જ હું કોઈકને ગર્વથી કહેતો હતો કે, ""એ હજુ પાંચ વર્ષ ચાલે એમ છે.. હજુયે અડીખમ છે.. મારી જેમ!"
જી હા.. હું થોડો ભાવુક છું અત્યારે..
*નવી બાઇકની ખુશી તો છે જ!!*🤗🤗
..પણ 'દિલસે' તો ગર્વ હતી! હું અભિમાનથી કોઈનેય કહી શકતો.. કે 200-500 કિમિ મારી બાઇક રમતાં-રમતાં ખેંચી લેશે.. વચ્ચે દગો નહિ આપે!
**********
-યજ્ઞેશ રાજપુત
લ.તા. 12.7.21

Yagnesh Rajput added 2 new photos to the album આતમરામ —  feeling nostalgic.

બધાં ભલે નવું વાહન લેવાનાં ફોટા મૂકે..
મારે તો.. 'દિલ સે..'ની દિલથી અલવિદા!
********
હજુ તો પંદરેક દિવસ પહેલાં જ કોઈકે પૂછેલું, "સાહેબ, પેલી 'દિલ સે..' બાઇક હજુ છે કે વેચી નાંખી??"
"એ હજુ પાંચ વર્ષ ચાલે એમ છે.. હજુયે અડીખમ છે.. મારી જેમ!" એ મારું ગર્વ હતી, એટલે જ હું 'ગર્વ'થી બોલી શકતો!!
********
વર્ષ- માર્ચ 2007.. સૌરાષ્ટ્રમાં ગિરગઢડા ખાતે શિક્ષકની નોકરીમાં લાગ્યો, ત્યારે બાઇક આવડતું પણ નહિ કે હતું પણ નહીં! અમદાવાદમાં બે વર્ષ નિકોલ ખાતે 'શ્રી રંગ' પ્રાઇવેટ શાળામાં નોકરી કરી એ દરમિયાન રહેવાનું છેક નારોલ હતું, તોયે હીરોઇનના ગાલ જેવા રસ્તે અંદાજે રોજનું 35-40 કિમિ સાયકલિંગ, થાકી જવાય તોયે, પ્રમાણમાં સરળતાથી થતું.. પણ અહીં ગિરગઢડા થી 10-11 કિમિ દૂર વેલાકોટ પ્રા. શાળાએ 'ઉબડ-ખાબડ' રસ્તે કેવી રીતે જવું.. એ પ્રાણપ્રશ્ન બન્યો!!
શરૂઆતમાં એક શિક્ષકમિત્ર સાથે જતો.. પણ હું આજેય દ્રઢપણે એવું માનું છું કે ત્યાં બહુ ઓછા લોકો 'પંક્ચ્યુઅલ' છે! ગિરગઢડા મેઈન બજાર/સ્ટેશને સવારના 7 વાગ્યાથી આ શિક્ષક મિત્રની રાહ જોતો હોઉં, ત્યાં એ છેક સવા/સાડા આઠે આવે.. એટલે એવી અનિયમિત પાર્ટનરશીપ પંદરેક દિવસથી વધુ ન ચાલી! વળી, મને હંમેશા એવું લાગતું કે એ શિક્ષકમિત્ર સ્ત્રીઓને પોતાની બાઇકમાં બેસાડવા વધુ રસ ધરાવતાં હતા! સ્ટાફના સ્થાનિક મિત્રોએ શાળાએ પહોંચવા એકબીજા સાથેનું શેરિંગ શોધી કાઢ્યું.. પણ હું રહ્યો 'અમદાવાદી'.. એટલે લોકલ લેંગ્વેજમાં કહું તો 'હરામજાદી' તો હોવાનો જ!!
..આખરે મારી અમદાવાદી 'પંક્ચયુઆલિટી'નું સ્વમાન જાળવવા એક 'હરામજાદી' વિચાર કર્યો.. હું પણ બાઇક લઈશ.. જાતે જ લઈશ.. ખુદના પૈસાથી.. ત્યાં સુધી શાળાએ જવા..?? 'અપના પગ.. જગન્નાથ..'!!
'ખુદના પૈસાથી જ લઈશ' ..આવો હઠાગ્રહ એટલે કરેલો કેમ કે જો કુટુંબ સધ્ધર હોત તો અમદાવાદમાં બે વર્ષ રોજના 35-40 કિમીના હિસાબે 'સાયકલિંગ' થોડો કરતો હોત??!!
૨૫૦૦ રું ના માસિક પગારે તો બાઇક આવી રહ્યું! જૂન-2007 થી ડિસેમ્બર-2007 સુધી બાઇક માટે પૈસા ભેગાં કરવાં 'કંજુસાઈ'ની હદ સુધી ગયેલો! આ છ માસમાંથી પ્રથમ ચાર મહિના તો ગિરગઢડાથી વેલાકોટ ચાલીને ગયો.. પણ અંતે અતિશય કૃશ થઈ ગયેલા શરીરને 'પોરો' આપવા છેલ્લાં બે મહિના એક સાયકલ પણ લીધેલી!
અંતે.. ડિસેમ્બર-2007 ઘરે અમદાવાદ આવ્યો, અને રોકડાં 18000૱ આપ્યા.. એક જૂનું બાઇક લેવા! મારાં મમ્મીજી બાપુનગર 'ચિરાગ ડાયમંડ'ની સામે હીરો-હોન્ડા શૉ-રૂમમાં સફાઈ કરવા જતાં.. એટલે ત્યાંની આવી 'નાનકડી' ઓળખાણથી ભાઈએ નવું બાઇક પસંદ કર્યું.. 'સ્પ્લેન્ડર NXG'!! ..અને બાઇક ઉપર લખાવ્યું.. 'દિલસે..'!! ..કારણ કે મારું ફેવરિટ મુવી 'દિલ સે' છે!!
હજુયે બાઇક એવું તો પાક્કું નહોતું જ આવડતું.. પણ રોજનાં 20-22 કિમિ ચાલવા કરતાં.. બાઇક ચલાવવું સહેલું પડશે એવુ વિચારીને ભાઈ સાથે અમદાવાદથી ગિરગઢડાની 380 કિમીની પહેલી લાંબી સફર શરૂ કરી!!
2008ના નવા વર્ષના પહેલાં જ દિવસે શાળામાં બાઇક લઈને મેં એન્ટ્રી મારી.. અને જાણે કે વર્ષોનો મારો થાક ઉતરી ગયો!! ગિરગઢડામાં હજુયે ઘણાં મિત્રો મને 'દિલ સે..'થી જ ઓળખે છે!!
*********
લમસમ 14 વર્ષથી એ હદયની નજીક રહી છે!! આ જ બાઈકથી લગભગ 80% ગુજરાત ફરી ચુક્યો છું!! ક્યાંય જવાનું નક્કી થયું કે બાઇક લઈને જ જવું.. એ વણલખ્યો નિયમ બની ગયો.. પછી એ આખું સૌરાષ્ટ્ર હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, પાટણ હોય કે છોટા ઉદેપુર હોય.. કે પછી ગિરગઢડાથી અમદાવાદનું રૂટિન વેકેશનમાં આવવું-જવું હોય.. ગમે તે હોય!! બાપાનાં પૈસે આવી હોત તો ક્યારનીયે 'ખતમ' થઈ ગઈ હોત.. પણ ખુદના પૈસે આવી હતી એટલે ક્યારેય 55 ની ઉપર નથી ગઈ!!
આખરે ગયા વર્ષે એણે મને એની 'વૃદ્ધતા'નો પરિચય કરાવ્યો.. ડેડીયાપાડાનાં જંગલમાં!! એ અટકી ગઈ.. અને મને પહેલીવખત એવું થયું કે હવે એ 'વિદાય' માંગી રહી છે! કીક મારતાં થાકી ગયો.. અંતે અચાનક ચાલુ થઈ! આગળની સફર અધૂરી મૂકીને હું પરત ફરી ગયો! જોકે ત્યારબાદ એ પાછી ક્યારેય બંધ નથી પડી!!
**********
અચાનક જ એવાં સંજોગો ઊભાં થઈ ગયા કે જાણે એણે જ વિદાય લેવાનું નક્કી ન કર્યું હોય?!! હજુ પંદરેક દિવસ પહેલાં જ હું કોઈકને ગર્વથી કહેતો હતો કે, ""એ હજુ પાંચ વર્ષ ચાલે એમ છે.. હજુયે અડીખમ છે.. મારી જેમ!"
જી હા.. હું થોડો ભાવુક છું અત્યારે..
*નવી બાઇકની ખુશી તો છે જ!!*🤗🤗
..પણ 'દિલસે' તો ગર્વ હતી! હું અભિમાનથી કોઈનેય કહી શકતો.. કે 200-500 કિમિ મારી બાઇક રમતાં-રમતાં ખેંચી લેશે.. વચ્ચે દગો નહિ આપે!
**********
-યજ્ઞેશ રાજપુત
લ.તા. 12.7.21




સાચો જીવનસાથી

કિસ્સો ૧:

એક પ્રેમીયુગલને (અથવા પતિ-પત્ની ધારી લો!) કોરો કાગળ આપવામાં આવે છે, અને કહેવામાં આવે છે કે પોતાનાં પાર્ટનરની ખામીઓ લખો. પ્રેમિકા(અથવા પ્રેમી!) કાગળ ભરીને પોતાનાં પ્રેમીની ખામીઓ લખે છે. જ્યારે પ્રેમી પોતાની પ્રેમિકાની એકેય ખામીઓ  કશુંયે લખી શકતો નથી અને કાગળ કોરું રાખી દે છે. કારણ આપતા કહે છે, "મને મારી પ્રેમિકા જેવી છે એવી પસંદ છે." 

કિસ્સો ૨:

લગ્ન બાદની પહેલી સવારે પતિ પોતાની પત્ની માટે કોફી બનાવીને લાવે છે. પત્ની ખુશ થઈને કોફી પીવે છે. પતિ પોતાની પત્નીની ખુશી જોઈને નક્કી કરે છે કે એ હવેથી દરરોજ સવારે એનાં માટે કોફી બનાવશે. લગ્નજીવનના ઘણાં વર્ષો સુધી પતિ પોતાનું કોફી બનાવીને પત્નીને આપવાનું રૂટિન ક્યારેય ચૂકતો નથી. પચાસમી એનિવર્સરીનાં ધ્રુજતા હાથે જ્યારે એ પોતાની પત્નીને કોફી આપે છે ત્યારે પત્નીજી રડવા લાગે છે. પતિ કારણ પૂછે છે તો એ કહે છે, "લગ્નના પહેલા દિવસે તો મેં તમારું માન રાખવા કોફી પી લીધી, પણ મને ખબર નહોતી કે આવી ખરાબ કોફી પચાસ વર્ષ સુધી મારે પીવી પડશે. તમે ક્યારેય પૂછ્યું ખરાં કે મને કોફી ભાવે છે ખરાં??"
***********

મિત્રોની બાબતમાં આપણી માન્યતા છે કે સાચો મિત્ર એવો હોય કે જે આપણે ખોટું કરતા હોઈએ તો ખોટું છે એમ આપણા મોંઢામોઢ કહે, અને સાચું કરતા હોઈએ તો આપણા પડખે ઉભો રહે. જો કોઈ મિત્ર આવી હિંમત ના રાખે તો એ મિત્રતા સ્વાર્થી કહી શકાય.

...પણ જીવનસાથીની બાબતમાં આપણે આવુ માનતા નથી. પ્રથમ કિસ્સામાં જ્યારે પ્રેમી એવું કહે કે, "એ જેવી છે એવી મને પસંદ છે" ..તો એ પ્રેમ નથી, પણ સ્વાર્થ છે. શા માટે એ જેવી છે/અથવા જેવો છે એવો પસંદ હોવો જોઈએ?? બીજા કિસ્સામાં પણ જીવનભર શા માટે પત્નીએ કોફી પીવી જોઈએ?? પહેલાં જ કહી દીધું હોત તો કદાચ પતિ પચાસ વર્ષ સુધી ઘસડાતો ના હોત! જો પત્ની/પતિ કંઇક ખરાબ/ખોટું કરે તો શા માટે પતિ/પત્નીએ એને 'એ ખોટું કરે છે' એવું કહીને શા માટે ના સુધારવો જોઈએ?? શુ જીવનભર વેંઢારવું જરૂરી છે??

આપણી ખરાબ બાબતો પર ટકોર કરીને આપણને સુધારીને ઉચ્ચ કક્ષાએ લઈ જાય એ જ જીવનસાથી સાચો કહેવાય અને આવો જ જીવનસાથી સાચો મિત્ર પણ બની શકે! બાકી પતિ/પત્નીમાં માત્ર 'ગીવ એન્ડ ટેક'નો જ સંબંધ રહી જાય છે.

આપણા પિતૃસત્તા સમાજમાં સ્ત્રીની ભૂલ બતાવવાનો ઇજારો માત્ર પુરુષ પાસે જ છે. પત્નીની ભૂલને પતિ જાહેરમાં કહી શકે છે, પણ પત્ની પોતાનાં પતિની ભૂલ જાહેરમાં કહી શકતી નથી. 
*********

આ લખવાનું મન ખાસ તો એટલે થયું કારણ કે હાલમાંજ અમારી ટ્રીપ દરમિયાન અમારે એક રિલેટિવને ત્યાં જવાનું થયું. ત્યાં એમનાં કોઈ વડીલ રિલેટિવ દિવાળી નિમિત્તે મળવા આવેલા. વાતવાતમાં એ વડીલે કહ્યું, "એક વાર હું અને મારા વાઈફ રસ્તામાં જતા હતા તો એણે કંઈક ભૂલ કરી તો મેં એને એક લપ્પડ જમાવી દીધી."

લપ્પડ એટલે શું એ ખબર હોવા છતાં મેં સ્પષ્ટતા કરવા પૂછ્યું, "લપ્પડ એટલે??"

"થપ્પડ.." એ હસતાં હસતાં બોલ્યા.

મેં વિરોધ નોંધાવતા કહ્યું, "માની શકાય કે એમની કોઈ ભૂલ હશે, પણ તમે એમને થપ્પડ મારી એને આટલું ઇઝીલી અને હસતાં હસતાં જાહેરમાં વાત કરીને.. નોર્મલાઈઝ શું કામ કરો છો?"

..તો એ વડીલ રિલેટિવ મને કહે, "અરે ગુસ્સામાં હાથ ઉપાડ્યો તો એમાં શું થઈ ગયું??"

મેં કહ્યું, "જુઓ, મેટર તમારી છે. મારે બોલવાનો હક નથી પણ તમે એને જાહેરમાં બોલીને નોર્મલાઈઝ શું કામ કરો છો, મારું એમ કહેવું છે..!! તમારી અંગત મેટરને શું તમે અંગત ના રાખી શકો?? માનો કે તમારી કોઈ ભૂલ બાબતે એમણે તમને જાહેરમાં થપ્પડ મારી હોત, તો શું તમે આટલું જ નોર્મલ બનીને હસતાં હસતાં વાત કરતાં હોત ખરાં?? તમારી દીકરીને એનો પતિ જાહેરમાં મારે તો તમે આટલું જ નોર્મલ બનીને મને વાત કરશો ખરાં??"

..એ શોકડ થઈને ચૂપ થઈ ગયા! 

થોડીવારમાં એમનો કોઈ જવાબ ના આવતાં એ વડીલ રિલેટિવના બચાવમાં એમનાં વૃદ્ધ (અને જડ!) પિતા આંશિક ગુસ્સામાં બોલ્યા, "અરે યહી તો સમાજ કી રીત હૈ, ઔર સમાજ ઐસે હી ચલતા હૈ. તુમ અભી કે છોકરે લોગ યે બાત નહિ સમજોગે."
***********

ડોન્ટ થિંક એવર:

લગ્નમંડપમાં મજાક કરતા પત્નીની નાની બહેનને જોઈ પતિ બોલ્યો, "સાળી તો અડધી ઘરવાળી હોય છે."
આ સાંભળી બધા મજાકમાં હસવા લાગ્યા! 

પતિની બાજુમાં જ ઉભેલા એનાં નાના ભાઈને જોઈ પત્નીએ પણ લલકાર્યું, "દેવર પણ હવેથી મારો અડધો ઘરવાળો છે." 

...આ સાંભળતાની સાથે જ હસનારા બધાનાં મોં સિવાઈ ગયા!!

-યજ્ઞેશ રાજપુત

બુધવાર, 13 નવેમ્બર, 2024

એક શિક્ષક દંપતીની *જલ, સ્થલ અને વાયુની રોમાંચક સફર: "ચલો અબ કુદતે હૈ, ખોલ દો દરવાજા.. લેટ્સ જમ્પ"

https://www.facebook.com/share/p/v7kLG3H3BryvGzZp/

એક શિક્ષક દંપતીની *જલ, સ્થલ અને વાયુની રોમાંચક સફર*
********

"ચલો અબ કુદતે હૈ, ખોલ દો દરવાજા.. લેટ્સ જમ્પ"

મારા આવું કહેતાંની સાથે જ રશિયન ડાઈવર 'યૂ' અને મારી સાથેનાં ઈન્ડિયન ડાઈવર કમલે પ્લેનનો દરવાજો ખોલ્યો. 'ધડામ' દઈને ચીરી નાંખતો ઠંડો પવન જોરથી મારા મોં પર ભટકાયો. એ સાથે જ પ્લેન થોડું ડગમગાયું.. ડાઈવર કમલે મને બંને પગ ચાલુ પ્લેનની બહાર કાઢવા સૂચના આપી. ઉડતાં પ્લેનમાં સખત પવનને કારણે હું જ્યાં મારુ શરીર પણ ન હલાવી શકું, ત્યાં મારે મારા બે પગ બહાર કાઢીને વધીને અંદાજે 20 સેમી પહોળા અને 3 ફૂટ લાંબા પ્લેનનાં પાટિયાં પર મૂકીને લટકવાનું હતું. મેં બે હાથે મારા પગને સાથળેથી પકડીને પૂરો જોર લગાવીને બહાર એ સાવ નાનકડાં પાટિયાં પર મૂક્યાં. 10000 ફિટની ઊંચાઈ પર 200/350 કિમીની ઝડપે ઉડતાં ચાલુ પ્લેનમાં હું હવે લટકી રહ્યો હતો. ડાઈવર કમલે મારું માથું એનાં ખભા પર ઢાળવા કહ્યું. ..અને મારી નજર સામે કાઉન્ટ ડાઉન શરૂ થયું..

"1...2...3... અને થંબ્સ અપ.."

..એ સાથે જ દુનિયાનાં સૌથી એક્સ્ટ્રીમ એડવેન્ચર સ્કાય ડાઇવિંગની માત્ર 15 સેકંડની રોમાંચક સફર શરૂ થઈ!
**********

સ્કાય ડાઇવિંગ માટે એક મોટી રકમ મારે ભેગી કરવાની હતી. બે-ત્રણ વર્ષ પહેલાં જ હું આના માટે ગુગલ સર્ચ કરી ચૂક્યો હતો. ભારતમાં અમુક જગ્યાએ થતું હતું. પણ અમદાવાદથી ઘણું દૂર હતું. સાથે કુટુંબ અને નોકરીની જવાબદારીઓ પણ ખરાં! કોવિડમાં મજૂરો અને મોટાભાગનાં મધ્યમ વર્ગોની હાલતે એ પણ શીખવેલું કે જ્યાં સુધી એકાદ વર્ષ સુધી શાંતિથી ખાઈ શકીએ એટલું ભેગું ના થાય ત્યાં સુધી આવા ખર્ચા ન કરવા! દિવસો વીતતાં જતાં હતાં અને સ્કાય ડાઇવિંગ બકેટ લિસ્ટમાં પાછળને પાછળ ધકેલાતું જતું હતું! 

એક દિવસ અચાનક ધ્યાનમાં આવ્યું કે હરિયાણા નારગોલમાં સ્કાય ડાઇવિંગ ફેસ્ટિવલ શરૂ થયો છે. પૈસાની વ્યવસ્થા પૂરતી ન હતી. વળી, ચાલુ સ્કૂલે હરિયાણા જવું અને પાછા આવવું..?? ..મન નહોતું માનતું! કોઈને કોઈ કારણે ડિલે થતાં આખરે મન મનાવ્યું.. ફરી ક્યારેક! ત્યાં જ એક મેસેજ મળ્યો.. વર્ષોથી પેન્ડિંગ બિલના નાણાં ખાતામાં જમા થવાના હતા. આ પૈસાથી પહેલો વિચાર આવ્યો કે ઘરમાં ત્રણ વર્ષથી રંગરોગાન અને ફર્નિચરનું વિચારી રહ્યા છીએ એ કરાવીએ.. હોમ લૉન પણ ઓછી થઈ શકે એમ હતું.. દીકરીના નામે મૂકી શકાય અથવા હજુ વધુ પૈસા જોડીને એક સેકન્ડ હેન્ડ કાર પણ લઇ શકાતી હતી  જેથી ભારત ભ્રમણ થઈ શકે! ...અંતે બધું એક બાજુ રહ્યું અને નક્કી કરી નાખ્યું.. સ્કાય ડાઇવિંગ કરીશું!! 

સ્કાય હાઈ નો કોન્ટેકટ કર્યો! સૌથી પહેલી શરત જ એ હતી કે વજન વધુમાં વધુ 90 કિલો હોય તો જ સ્કાય ડાઇવિંગ થઈ શકે! મારું વજન 100 કિલો હતું. વજન ઘટાડવું કેટલું મુશ્કેલ છે એ સૌ જાણે છે. મારી પાસે દિવાળી વેકેશનનો માત્ર એક મહિનો બાકી હતો. એક મહિનામાં 10 કિલો વજન ઘટાડવાનું હતું.. અને આ સંઘર્ષ શરૂ થયો!
*********

મારો માનસિક નિર્ણય ખૂબ જ સ્ટ્રોંગ હોય છે એ હું ખૂબ પહેલાંથી જાણી ચુક્યો છું! રોજનાં 22 કિમિ ચાલીને સ્કૂલે આવવા-જવાનું હોય, 44 કિમીનું રોજનું સાયકલિંગ હોય, 8 દિવસનો નકોરડો માત્ર પાણી પરનો ઉપવાસ હોય, કે 14-14 કલાક સુધી બાઇક ચલાવવાનું હોય.. એકવાર કોઈ નિર્ણય લીધો એટલે લીધો.. હું મારી જાતને ક્યારેય બક્ષતો નથી! 

તા.29.9.24 એ સાંજે એક છેલ્લું હેવી ડિનર લીધું અને ઘરમાં જાહેર કર્યું, "કાલથી મારા માટે સવારે બે રોટી અને સાંજે એક રોટી બનાવવી, એનાંથી વધુ નહિ! ..અને હું સવારે વહેલો ઉઠી હવેથી વોકિંગ કરીશ."

સવારે અડધી કલાકના વોકિંગમાં જ પગનાં ગોટલા ભરાઈ ગયા! આખો દિવસ શરીર દુખ્યું. શાળામાં કારણ વગરનો કોઈ પણ નાસ્તો બંધ કર્યો. બેસીને ખાવાનું બંધ કર્યું. ભૂખ લાગે તો અડધી રોટલી ખાવી, પછી પાછી બે કલાક પછી અડધી રોટલી ખાઉં! બીજા દિવસે સખત થાકી ગયો હોવાં છતાં પોણો કલાક ચાલ્યો! શરીર જેમ દુઃખે, ના પાડે, ઊંઘ આવે કે ભૂખ લાગે.. એમ એક સવાલ મનમાં ઉઠે, "સ્કાય ડાઇવિંગ કરવું છે ને?? ..તો બેટા ઉઠ, ચાલ અને ખાવાનું ઓછું કર.. આના સિવાય કોઈ ઉપાય નથી!" ..અને સવારે સાડા ચારે ઉઠીને ચાલવા લાગતો! 

એક અઠવાડિયાને અંતે વજન માપ્યું.. 98.1 kg!! એક અઠવાડિયામાં લગભગ પોણા બે કિલો જેટલું વજન ઉતર્યું! રોજની 12-12 રોટલી ખાતો હું.. માત્ર બે રોટલી અને 1 ચમચા ભાત પર આવી ગયો. અને મેં નોંધ્યું કે ખરેખર આપણા શરીરને આટલા બધા ખોરાકની જરૂર છે જ નહિ! મેં ક્યાંક વાંચેલું કે 1 સમોસું 7 કિમિ ચાલવાની શક્તિ આપે છે ત્યારે હસેલો, પણ હવે સાચું લાગતું હતું!  અડધો કલાકનું ચાલવાનું હવે 2 કલાક સુધી પહોંચી ચૂક્યું હતું.. સવારનાં 5 થી 7! હજુ બીજા બે અઠવાડિયા પછી વજન માપ્યું.. 94.4!! ..મતલબ લગભગ હજુ 4 કિલો ઉતર્યું!

હરિયાણા નારગોલમાં સ્કાય ડાઇવિંગ ફેસ્ટિવલ પૂર્ણ થવાની છેલ્લી તારીખ હતી 27.10.24! એ લોકોની દિવાળી સ્પેશિયલ ઑફર પણ એ જ દિવસે પૂરી થવાની હતી, જેમાં મારે લગભગ 15-16 હજારનો ફાયદો થવાનો હતો! ..પણ મારી પાસે હવે એક જ અઠવાડિયું હતું! મેં ઇન્કવાયરી કરી.. એક પોઝિટિવ સમાચાર મળ્યા..!! હરિયાણા પછી ઉજ્જૈન-મ.પ્ર.માં 9.11.24 થી આ ફેસ્ટિવલ શરૂ થવાનો હતો! મેં નક્કી કર્યું, હવે ગમે તેમ કરી 4 કિલો વજન ઉતારવું! મેં બીજા દિવસથી દોરડાં કુદવાનું શરૂ કર્યું..!! દસ વખતની કુદમાં જ ટાંટિયા ધ્રુજી ગયા અને હું પડવા જેવો થઈ ગયો! 94.4 કિલોનું શરીર પોતાનું જ વજન ઉંચકવા સક્ષમ નહોતું!

મેં હવે અઢી કલાક સુધી ચાલવાનું શરૂ કર્યું. વચ્ચે વચ્ચે દર પંદરમી મિનિટે 10-10ના સેટમાં દોરડાં કૂદતો.. એમ કરતાં કરતાં 100 સુધી અને 5 મી તારીખે 200 વખત દોરડાં કૂદી ગયો!! હવે પાછું વજન મપાવ્યું.. 92.4 kg!! 
*********

મને ભરોસો હતો 11 મી તારીખ સુધીમાં હું 90 કિલો સુધી આવી જ જઈશ! જમવાનું પૂર્ણ કંટ્રોલમાં હતું અને હવે તો હોજરી પણ ટેવાઈ ગઈ હતી કે વધુ ખવાય તો પેટ બગડતું! ..પણ આ દરમિયાન ટ્રાવેલિંગનાં કારણે વચ્ચે 3 દિવસ સુધી ચાલી ના શક્યો! 

8 તારીખે અમે બાઇક લઈને સૌથી પહેલાં 480કિમિ અંતર કાપી ઓમકારેશ્વર પહોંચ્યા! હું નાસ્તિક બની ચૂક્યો છું એટલે મંદિરે જવાની કોઈ લાલચ નહોતી પણ નર્મદામાં નહાવાની ઈચ્છા હતી! ..એટલે નર્મદામાં ખૂબ નહાયો! લોકો ધર્મના નામે નર્મદાને જે રીતે ગંદી કરી રહ્યા છે એ જોઈને ખૂબ દુઃખી થયો!

બીજા દિવસે ઇન્દોર રોકાયા, અને પછીની સવારે વહેલાં ઉજ્જૈન સ્કાય ડાઇવિંગ કરવા બાઇકને કીક મારી!! ..અને ખબર નહિ શુ થયું કે મનમાં એક ફડક પેઠી.. "હું સ્કાય ડાઇવિંગ નહિ કરી શકું!"

મેં ઊંડો શ્વાસ લીધો! ..અને ઉજ્જૈન એરસ્ટ્રીપ પહોંચ્યા! અમારો 11/11/24નો 10 વાગ્યાનો સ્લોટ હતો! લગભગ પાંત્રીસ-ચાલીસ જગ્યાએ "તમે મરી પણ શકો છો" ની શરતોમાં સહીઓ કરી! (હું આ શરત પહેલેથી જ જાણતો હતો! સ્કાય ડાઇવિંગ દુનિયાનું સૌથી એક્સ્ટ્રિમ એડવેન્ચર છે, જેમાં કોઈ નાનકડી એરર પણ આપણા મૃત્યુ માટે કાફી છે! જોકે *કંપનીઓ નાનકડી ચૂક પણ ના થાય એ માટે પૂરતી સેફટી રાખે જ છે,* છતાંય કશું પણ ન બનવાનું બને અને મારું મૃત્યુ/ઇજા/જીંદગીભરની ખોડ થાય તો સર વિનોદ વામજાની પ્રેરણાથી બનાવેલી 'મારી ડેથવીલ' મારા નજીકના સંબંધીઓને મેં આગલે દિવસે રાત્રે જ મોકલી આપી હતી! જે અહીં વાંચી શકશો..   https://threecolour.blogspot.com/2024/11/blog-post.html  )

હવે 'હું સ્કાય ડાઇવિંગ નહિ કરી શકું' ની જે ફડક પેઠેલી એ સામે આવ્યું! મારું વજન માપવામાં આવ્યું.. 92 kg! 

છેલ્લાં એક અઠવાડિયામાં હું જે કસરત નહોતો કરી શક્યો એ નડયું.. માત્ર 400 ગ્રામ વજન જ ઘટ્યું! 
**********

"પ્રતિ kg 300 રૂ.લેખે તમારે 600 રૂપિયા એકસ્ટ્રા પે કરવા પડશે કેમ કે તમારું વજન 90 kg થી વધુ છે એટલે! અમે વધુમાં વધુ 94/95kg સુધી એકસ્ટ્રા પૈસા લઈને સ્કાય ડાઇવિંગની પરમિશન આપીએ છીએ."

"ઓ ભાઈ કોઈ વાંધો નહિ.. હું એક મહિનામાં કોઈ પણ જાતનું ડૉક્ટરી ડાયેટ કે જીમ વગર 100 kg થી 92 kg પર આવી શક્યો એમાં હું રાજી છું." મને હાશકારો થયો. 

......ખબર નહિ કેમ પણ છતાંય હજુયે એક 'દેજાવું' થતું હતું કે 'હું કદાચ આજે સ્કાય ડાઇવિંગ નહિ કરી શકું!!' 
**********

સૌ પ્રથમ મારા પત્નીજી સ્કાય ડાઇવિંગ કરી આવ્યા! (રસ્તામાં એમણે મને કહેલું, 'જો મને કંઈ થાય અને તમે આજે સ્કાય ડાઇવિંગ ના કરી શકો તો તમે પછી પણ ગમે ત્યારે કરજો ખરાં!)

સ્કાય ડાઇવિંગ બાદ પત્નીજીનાં ચહેરા પર આનંદ સમાતો નહોતો! આનંદની એટલી ઉચ્ચતમ ભવ્યતા એ અનુભવી શક્યા હતા કે એ શબ્દોમાં કશું જ વર્ણવી શકતાં નહોતાં! બસ.. એમણે જીવનની એક અદભુત મેમરી બનાવી હતી જે એમનાં ચહેરા પર જોઈ શકાતી હતી! એમણે મને કહ્યું, "જોજો.. તમને મારા કરતાં પણ વધુ આનંદ આવશે!"

એમનાં પછીના રાઉન્ડમાં મારો વારો હતો. મને મારા ડાઈવર કમલે બૂમ પાડી બોલાવ્યો! પંદર મિનિટની જરૂરી ટ્રેનિંગ આપી અને કહ્યું, "બી રેડી, આઈ વિલ કૉલ યુ આફ્ટર 5 મિનિટ! પહેલાં અવિનાશજી જશે પછી આપણે જઈશું!"

હું માનસિક રીતે ક્યારનોય રેડી હતો. મારા પહેલાં કોઇમ્બતુરથી આવેલા અવિનાશને સ્કાય ડાઇવિંગ માટે જવાનું હતું. હારનેસ પહેરાવી એમને રેડી કરવામાં આવ્યા! હું મારા વારાની રાહ જોતાં વેઈટિંગચેર પર બેઠો!
**********

થોડીવારમાં મેં જોયું કે અવિનાશ હારનેસ કાઢીને મારી બાજુની વેઈટિંગ ચેર પર આવીને બેઠો છે! મને નવાઈ લાગી.. કેમ કે અવિનાશ તો રેડી થઈને પ્લેનમાં બેસીને જવાનો હતો??!!

"શુ થયું??" મેં પૂછ્યું.

"પતા નહિ, કોઈ પોલિટિકલ એક્ટિવિટીને કારણે સ્કાય ડાઇવિંગને અટકાવી દેવામાં આવ્યું છે."

મને જે 'ફડક' સવારની પેઠી હતી એ સાચી પડી રહી હોય એવું લાગતું હતું! કોઈ પણ પોલિટિકલ એક્ટિવિટી હોય ત્યારે શું થતું હોય છે એ કહેવાની મારે જરુંર ખરી?? 

મારો ડાઈવર મારી પાસે આવ્યો અને કહ્યું, "ડયું ટુ સમ પોલિટિકલ એક્ટિવિટી, કદાચ અડધો કલાક સુધી સ્કાય ડાઇવિંગની પરમિશન નથી.. તમારે કંઈ ચા-કૉફી પીવી હોય તો કેન્ટીનમાં જઈને પી શકો છો."

હું શોકડ થઈ ગયો.. ઘણી વખત આપણી અંતરાત્મા આપણને અગાઉથી જ જે બનવાનું હોય એનો નિર્દેશ આપી દેતી હોય છે!
*************

અડધો કલાક થયો.. 
એક કલાક થયો.. 
બે કલાક થયા.. 
ત્રણ કલાક થયા..

હું નિરાશ થઈ ગયો!! મારા પત્નીજી મારો ચહેરો વાંચી શકયા અને કહ્યું, "થઈ જશે.. શુ કામ ચિંતા કરો છો??"

હું લગભગ રડવા જેવો થઈ ગયો! મેં કહ્યું, "તને ખબર તો છે કે જ્યારે કોઈ પોલિટિકલ એક્ટીવીટી હોય ત્યારે શુ થાય છે??.. મને સવારથી જ આવો જ ડર હતો કે 'હું કદાચ સ્કાય ડાઇવિંગ નહિ કરી શકું!" 

..એટલામાં સ્કાયહાઈના એક બીજા ડાઈવરે અમને સૂચના આપી કે '2000 ફીટ સુધી જ ઉડવાની મંજૂરી મળી છે. એટલામાં આપણે સ્કાય ડાઇવિંગ ના કરી શકીએ."

હું લગભગ રડું-રડું થઈ ગયો! જોકે મારા પત્નીજી હજુયે પોતે કરેલાં સ્કાય ડાઇવિંગના અનુભવને વિઝ્યુઅલાઇઝ કરી રહ્યા હતા! મને 'થ્રિ ઈડિયટ'નો એ ડાયલોગ યાદ આવી ગયો.. "જ્યારે તમે ફેલ થાઓ છો ત્યારે તમને દુઃખ લાગે એ સ્વાભાવિક છે, પણ જો તમારો મિત્ર પાસ થઈ જાય તો તમારું દુઃખ અસહ્ય બની જાય છે."

રાહ જોવા-જોવામાં હજુ એક કલાક વીતી ગયો! ચાર-ચાર કલાકથી હું રાહ જોઈ રહ્યો હતો.. અને હજુ વધુ રાહ જોવાને બદલે મેં પત્નીજીને કહ્યું, "ચાલ આપણે ઘેર જતાં રહીએ."

પત્નીજી મારા પર અકળાઈને બોલ્યા, "થઈ જશે.. મેં કહ્યુંને??!!"
**********

સાંજે 4 વાગે કોઇમ્બતુરથી સ્કાય ડાઇવિંગ કરવા આવેલો અવિનાશ મારી પાસે આવ્યો અને કહ્યું, "હું ચા પીને આવું છું. જો રેડી થવા બોલાવે તો કહેજો."

"લાગતું નથી કે પરમિશન મળે, સાંજ તો પડી ગઈ. તમતમારે નિશ્ચિન્ત બનીને જાઓ." મેં કહ્યું.

"પોસીબલ છે કે હું ગેટ પર પહોંચું ને પરમિશન મળે.." અવિનાશે હસતાં હસતાં કહ્યું.

મારા હદયમાં કંઇક 'ક્લિક' થયું! હદયમાંથી અવાજ આવ્યો, "આ હિંટ છે બેટા.. બસ હવે પરમિશન મળી જશે." ...હું અવિનાશને ગેટ સુધી તાકી રહ્યો, એ નજરમાંથી ગાયબ થયો ત્યાં સુધી! મેં નિરાશ થઈને માથું ઢાળી દીધું, અને આંખો બંધ કરી દીધી!
*********

મારી આંખ બંધ કર્યાની બીજી જ મિનિટે મારા ડાઈવર કમલનો અવાજ આવ્યો, "યજ્ઞેશજી, બી રેડી.. પરમિશન મળી ગઈ છે. ફ્રેશ થઈ જાઓ.. પાંચ જ મિનિટમાં આપણે સ્કાય ડાઇવિંગ માટે રેડી થવાનું છે." 

...શું આ પોસીબલ છે?? પણ આવું જ થયું છે જે સત્ય છે!

મેં ઠંડા પાણીથી મોઢું ધોયું. "હવે થઈ જ જશે.." હદયમાંથી અવાજ આવતો હતો, પણ મગજ હજુ પણ શંકા કરતું હતું અને કહેતું હતું, "જ્યાં સુધી થાય નહિ ત્યાં સુધી માનવું નહિ."

(વીડિયોની શરૂઆતના ઇન્ટરવ્યૂમાં મારો નિરાશાભર્યો અને ડરેલો અવાજ શા માટે છે એ સમજી શકાશે!!)
************

હું, મારા ડાઈવર કમલ અને રશિયન ડાઈવર 'યૂ' પ્લેનમાં ગોઠવાઈ ગયા છીએ! ..પણ પાઇલટ ફોન પર ફોન કરી રહ્યો છે. મેં પૂછ્યું, "શુ થયું?"

પાઈલટે કહ્યું, "ફાઇનલ પરમિશન તો લેનાં પડતાં હૈ ના!"

મારું મગજ વિજેતા બની હસવા લાગ્યું, પણ હદય શાંત હતું! મને ચિંતા થઈ.. "ક્યાંક પાછું..??"!! હું પ્લેનમાં પરસેવે રેબઝેબ થઈ ગયો!

પંદર મિનિટ પછી ફાઇનલ પરમિશન મળી ગઈ. ડાઈવર કમલે 'થંબ્સ અપ' કરતાં કહ્યું, "આપકો ટ્રેનીંગમે જો શિખાયા ગયા હૈ, ઉસ પર ફોક્સ કિજીયે."

પાઇલટ બેસી ગયો, પ્લેન ચાલુ કર્યું! ઘરરરરર... બસ, અવાજ આવી રહ્યો છે, પણ પ્લેન ટેકઓફ નથી કરી રહ્યું!  

પાઈલટે પ્લેન ઉડાવવા વધુ ફોર્સ કર્યો! 
ઘરરરરરર... અવાજ વધુ ઘેરો બન્યો! ..પણ પ્લેન ટેકઓફ નથી થઈ રહ્યું! મારું મગજ ફરી વિજેતા બની હસવા લાગ્યું, પણ હદય શાંત હતું!

ડાઈવર 'યૂ' અને કમલ, બંનેએ પાઈલટને 'વ્હોટ હેપન્ડ'નો ઈશારો કર્યો. પાઈલટે 'નથિંગ' કહ્યું. હું ચિંતાથી પાઇલટ સામે જોઈ રહ્યો. કમલે ફરીથી મને કહ્યું, "આપકો ટ્રેનીંગમે જો શિખાયા ગયા હૈ, ઉસ પર ફોક્સ કિજીયે."

..અને અંતે પ્લેન એક નાનકડા ઝટકા સાથે ટેક્ઓફ થયું! હું ધીમે-ધીમે સ્પીડનો અનુભવ કરી રહયો હતો! પ્લેને સ્પીડ પકડી, અને હું રોમાંચિત થઈ ગયો! આખરે પ્લેન એરસ્ટ્રીપને અલવિદા કરી હવામાં ઉડયું!
************

પ્લેન ઉપર ને ઉપર જ જઈ રહ્યું છે. એને 10000 ફિટની ઊંચાઈ સર કરવાની છે. હું અનુભવી રહ્યો હતો કે સહેજ પણ પ્લેન જો આડું થાય કે ધ્રૂજે તો ચકડોળમાં બેઠાં પછી જે ડરનો અહેસાસ થાય એનાં કરતાં આ ડર અનેક ગણો વધારે હતો. જેમ-જેમ ઊંચાઈ વધતી હતી એમ-એમ કાન હવાનાં દબાણને કારણે ખોલ-બંધ થતાં હતાં. આવો જ અનુભવ અમને લેહ-લદાખની બાઇક ટ્રીપ વખતે 18380 ફિટ પર પહોંચવા દરમિયાન અનેક વખત થયેલો! થોડી-થોડી વારે ડાઈવર કમલ મને ટ્રેનીંગમાં જે શીખવાડ્યું હતું એવું કરવા કૉન્સ્ટન્ટ સૂચના આપતાં હતાં. ધરતી પરના વિશાળ ખેતરો, હાઇવે અને ઇલેક્ટ્રિક થાંભલાઓ હવે કીડી જેટલાં નાના થઈ ગયા હતા. થોડીથોડી વારે બંને ડાઈવર મને 'થંબ્સ અપ'નો ઈશારો કરી પ્રોત્સાહિત કરી રહ્યા હતા. થોડીજ વારમાં બાહ્યઆકાશ ધૂંધળું થઈ ગયું. વાદળ અને ધૂમમ્સની ઝાંયમાં હું ધરતી પરનું કશું જ જોઈ શકતો ન હતો. જાણે કે અમે ક્યાંક સ્વર્ગમાં હતા!! પ્લેનની કાન ફાડી નાંખતી ઘરઘરાટીમાં મેં જોરથી કહ્યું, "હમ ફોગ કે બીચમેં હૈ!" જવાબમાં ડાઈવર કમલે કહ્યું, "અભી તો હમ ઔર ઉપર જાએગે."

થોડીજ વારમાં મેં વાદળ/ધૂમમ્સને અને આકાશને અલગ પાડતી રેખા જોઈ. હવે અમે એકદમ સ્વચ્છ પ્રદુષણ રહિત બ્લ્યુ આકાશમાં ઉડી રહ્યા હતા. હદય શાંત હોવા છતાં ભય, રોમાંચ અને ખુશીથી ધબકી રહ્યું હતું. આટલી બધી ઘરઘરાટીમાં પણ હું મારી જાતને ફીલ કરી રહયો છું.  હું દરેક મોમેન્ટને કેપ્ચર કરી રહયો છું. 

બસ.. આજ મોમેન્ટ છે કે જ્યાં હું જોરથી બોલ્યો, "ચલો અબ કુદતે હૈ, ખોલ દો દરવાજા.. લેટ્સ જમ્પ!"

મારા આવું કહેતાંની સાથે જ રશિયન ડાઈવર 'યૂ' અને મારી સાથેનાં ઈન્ડિયન ડાઈવર કમલે પ્લેનનો દરવાજો ખોલ્યો. 'ધડામ' દઈને ચીરી નાંખતો ઠંડો પવન જોરથી મારા મોં પર ભટકાયો. એ સાથે જ પ્લેન થોડું ડગમગાયું.. ડાઈવર કમલે મને બંને પગ ચાલુ પ્લેનની બહાર કાઢવા સૂચના આપી. ઉડતાં પ્લેનમાં સખત પવનને કારણે હું જ્યાં મારુ શરીર પણ ન હલાવી શકું, ત્યાં મારે મારા બે પગ બહાર કાઢીને વધીને અંદાજે માત્ર 20 સેમી પહોળા અને 3 ફૂટ લાંબા પ્લેનનાં પાટિયાં પર મૂકીને લટકવાનું હતું! મેં બે હાથે મારા પગને સાથળેથી પકડીને પૂરો જોર લગાવીને બહાર એ સાવ નાનકડાં પાટિયાં પર મૂક્યાં. 10000 ફિટની ઊંચાઈ પર 200/350 કિમીની ઝડપે ઉડતાં ચાલુ પ્લેનમાં હું હવે લટકી રહ્યો હતો. ડાઈવર કમલે મારું માથું એનાં ખભા પર ઢાળવા કહ્યું. ..અને મારી નજર સામે ડાઈવર કમલે કાઉન્ટ ડાઉન શરૂ કર્યું..

"1...2...3... અને થંબ્સ અપ.."

..એ સાથે જ દુનિયાનાં સૌથી એક્સ્ટ્રીમ એડવેન્ચર સ્કાય ડાઇવિંગની માત્ર 15 સેકંડની રોમાંચક સફર શરૂ થઈ!
*************

હું પૂર્ણ જાગૃત અવસ્થામાં છું. હદય શાંત હોવા છતાં એનો ધબકારો અનુભવી રહયો છું. હું એકેક મોમેન્ટને કેપ્ચર કરી રહ્યો છું. કૂદતાંની સાથે જ હું પ્લેનનો ખુલ્લો દરવાજો, ચમકતો સૂર્ય, બ્લ્યુ આકાશ અને ડાઈવર 'યૂ'ને જોઈ રહ્યો છું. ઠંડો પવન મને ચીરી રહ્યો છે. હું ખુલ્લા આકાશમાં 10000 ફિટની ઊંચાઈ પર હવામાં ગુલાટીઓ ખાઈ રહ્યો છું. મને ઘડીકમાં ના સમજાયું કે જમીન/પૃથ્વી ક્યાં છે?? હું પ્રતિ સેકન્ડ 200/250/300 ફિટની ઝડપે નીચે આવી રહ્યો હોવાં છતાં ઉડી રહ્યો છું. મેં તરત જ મારા હાથ ખોલી નાંખ્યા.. આંગળા સુધ્ધાં ખોલી નાંખ્યા.. અને જાણે કે હું મારી અંદરને અંદર ઉતરી રહ્યો છું!!

"હું જોઈ રહ્યો છું કે હું કેટલો નાનો છું..આ આકાશ કેટલું મોટું છે.. આ પૃથ્વી કેટલી વિશાળ છે.. મારી નાનકડી આંખો પૃથ્વીની ગોળાઈને જોઈ રહી છે.. 360 ડીગ્રી જાણે કે મારી નજર સામે છે.. મને મૃત્યુનો કોઈ ડર નથી.. જીવનની કોઈ લાલચ નથી.. ઈચ્છા નથી.. બસ.. આ સ્પીડે ઉડતાં રહેવું છે.. ઉડતાં રહેવું છે.."

..અને એટલામાં જ એક જોરથી ઝટકો લાગ્યો, અને પેરાશૂટ ખૂલી ગયું! 
*************

આપણે કેટલી તુચ્છ બાબતોમાં આપણું જીવન વિતાવી રહ્યા છીએ?? કેટલી બધી બાબતો છે કે જે હજુ આપણે  જોઈ નથી.. જાણતાં નથી.. શીખતાં નથી.. સમજતા નથી..?? અરે.. શીખવા માંગતા પણ નથી!! આપણે બસ ધર્મ/જાતિ/ભ્રષ્ટાચાર/દંભ/પાખંડ/દેખાડા વાળું જીવન જીવી રહ્યા છીએ. આપણી મૂલ્યનિષ્ઠા આપણા જીવન અને લોકો માટેના ષડયંત્રોમાં જ સીમિત રહી ગઈ છે. જે પ્રકૃતિ છે એને ભોગવવામાં આપણે કશું બાકી રાખ્યું નથી. ચાલ્યા આવતા રીતિરિવાજો આપણને  એક માનવ તરીકે નીચેને નીચે પાડી રહ્યા હોવા છતાં આપણે ગુલામીને જ આપણી સ્વતંત્રતા માની ચૂક્યા છીએ. 

..આવી તો ઘણી બધી બાબતોમાં હું મારી અંદરને અંદર ઉતરી રહયો છું. જિંદગી સાચે જ આપણને ઘણું શીખવાડી રહી છે. મરતાં પહેલાં શીખી લેવું.. બાકી જીવીને પણ આપણે શું ઉખાડી લીધું છે?? હું જાણું છું કે થોડાં જ સમયમાં હું પાછો જાનવર જેવી રૂટિન લાઈફમાં ઘૂસી જવાનો છું, પણ મૃત્યુ સમયે કશુંક કર્યાની મેમરી મેં કલેક્ટ કરી લીધી છે!
************

જો તમને એમ લાગતું હોય કે 'જિંદગી ના મિલેગી દોબારા' મૂવીમાં જે બતાવ્યું છે એ ખાલી મૂવીમાં જ સારું લાગે, રિયલ લાઈફમાં નહિ.. તો તમે સાચું જ વિચારો છો!! આ લેખ તમારા માટે નથી.

લેહ-લદાખની બાઇક ટ્રીપ વખતના લેખમાં મેં છેલ્લે એક લીટી લખી હતી કે 'એક રોટલી ખાઓ, ..પણ ફરો.' 

હું કોઈ કરોડપતિ ફેમિલીમાંથી નથી કે નથી કોઈ કરોડપતિ! બાળપણ સખત અભાવોમાં અને ઝૂંપડામાં વીત્યું છે. ભણવાનો ખર્ચો પણ વેકેશનમાં મજૂરી કરી કાઢ્યો છે. આજેય મારી ફોન ગેલેરીમાં "Always remember what you are" નામનું ફોલ્ડર છે જેમાં મકાનભાડુ ના ભરી શકતાં મકાનમાલિકે સામાન બહાર ફેંકી દીધેલો અને ઝૂંપડામાં રહેતાં હોવાનાં ફોટા છે! ટ્યુશન વગર સખત મહેનતથી ભણ્યો છું કે જેમાં લાકડાનાં પાટિયાં પર બેસીને રાતે વાંચવાને કારણે શરીરની 'seat' પર ફોડલા થઈ ગયા હતા. નોકરી દરમિયાન શરૂઆતનાં સંઘર્ષ વિશે અને એક બાઇક લેવા માટે કંજૂસાઈની હદ સુધી જવા વિશે હું પહેલાં લખી ચુક્યો છું! આમ છતાં, બકેટ લિસ્ટમાંની ઈચ્છાઓ પૂરી કરવા અને 'શારીરિક સ્વ' પર ખર્ચો કરવાને બદલે 'આંતરિક સ્વ'ના વિકાસ માટે મહિનાઓ અને વર્ષો સુધી નાની નાની રકમ બચાવીને ઘણી મોટી સફર કરી છે. ભલે બાહ્ય સ્કેલ નાનું હોય પણ આંતરિક સ્કેલ વિશાળ છે!

અમે દરિયાની અંદર જઈ સ્કૂબા ડાઇવિંગ (જલ) કર્યું! નાનકડી બાઇક પર 5 સ્ટેટની એક અદભુત સફર કરી 18380 ફિટ ઉપર ખારડુંગ-લા (સ્થલ) પહોંચ્યા! ..અને આજે સ્કાય ડાઇવિંગ (વાયુ) કર્યું! અમારી આ જલ, સ્થલ અને વાયુની સફર દરમિયાન અમે 8 વર્ષમાં માત્ર મેમરી જ ભેગી કરી છે!! આતમરામને ઓળખવા કરોડપતિ હોવું જરૂરી નથી. એની નાનીનાની અલપઝલપ મુલાકાત કાફી છે- જીવનને માણવા, સમજવા, ઓળખવા અને સંવેદનશીલ બનવા!!

મેં એક વીડિયોમાં જોયું હતું કે કરોડપતિ લોકો પણ જ્યારે હોસ્પિટલમાં મૃત્યુની નજીક હોય છે ત્યારે એ પોતાની પાસે કરોડો રૂપિયા હોવા છતાં ખુશ નથી કેમ કે તેઓ પોતાની અંદરનાં (રિપીટ.. પોતાની 'અંદર'નાં!!) કરોડપતિને ક્યારેય મળ્યા નથી! 
************

ત્યાં કોઈએ એક ડાઈવર સાહેબને પૂછ્યું, "સ્કાય ડાઇવિંગનો અંદાજો છે મને.. છતાંય મને કહો કેવું લાગે??"

ડાઈવર સાહેબે હસતાં હસતાં કહ્યું, "Sky diving is like a virgin sex, you can't feel it without experience it."

આ દુનિયાનું એક્સ્ટ્રીમ એડવેન્ચર કહી શકાય કારણ કે આટલી ઊંચાઈ પર કશું પણ થઈ શકે છે. જો તમને ધાબા પરથી નીચે જોવામાં પણ ડર લાગતો હોય તો ખાલી-ખાલી ફિશિયારી કરવા કરતાં સ્કાય ડાઇવિંગ ના કરવું હિતાવહ છે. જો તમને તમારા શરીર સાથે પ્રેમ છે તો ન જ કરશો.. પણ 'સ્વ' સાથે પ્રેમ હોય તો એકવાર ચોક્કસ કરવું જોઈએ.

લેખનાં અંતે હું ફરીવાર લખું છું.. "એક રોટલી ખાઓ, પણ ફરો અને વાંચો."

યજ્ઞેશ રાજપુત
લ.તા.12.11.24

રવિવાર, 10 નવેમ્બર, 2024

મારું વસિયતનામુ

*મારું વસીયતનામું*

(સર વિનોદ વામજાની પ્રેરણાથી)

*આજથી હું મારું વસિયતનામું લખી રહ્યો છું. જેમાં હું જો જીવતો રહીશ તો સમયાન્તરે સમજણ વધતાં સુધારા–વધારા કરતો રહીશ. જો આજે જ મરી જાઉં તો આ જ વસિયતનામાને અંતિમ ગણવું. મારા કુટુમ્બીજનો–મીત્રોને અનુરોધ કરું છું કે પોતાના અંગત મોહને બાજુ પર રાખી આ વસીયતને અનુસરે.*

*- યજ્ઞેશ રાજપુત*

આપણાં હીન્દુશાસ્ત્રોના મુખ્ય ગ્રંથ ભાગવત ગીતા અનુસાર શરીરમાંથી આત્મા નીકળી ગયા પછી આ મૃત શરીરની કાંઈ કીમ્મત નથી. પરંતુ હું કોઈ જ પ્રકારની આત્મામાં માનતો નથી. જેમ ઓક્સિજન અને હાઇડ્રોજન ભેગાં મળીને પાણી બને, એમ કોઈ ચોક્કસ તત્ત્વો ભેગાં મળીને મારુ શરીર બન્યું હશે અને આવા જ કોઈ રાસાયણિક પ્રક્રિયાથી હું સજીવ થયો હોઈશ એવું હું માનુ છું. કર્મ શુ છે અને એનું ફળ મળે કે ના મળે, પુનર્જન્મ હોય કે નહિ.. આ બધા સવાલોનો જ્યાં સુધી મને સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી હું કોઈ જ પ્રકારના કર્મના સિદ્ધાંતને માનતો નથી. આપણા સમાજમાં મૃતદેહને ટીલાં–ટપકાં, (ક્રીયા–કર્મકાંડ) કરવામાં આવે છે. તથા સમય, શક્તી અને સામગ્રીનો ઘણો બગાડ થાય છે. તેનાથી સમાજ અને રાષ્ટ્રને ભારે નુકસાન થઈ રહ્યું છે. રુઢી–રીવાજ–પરંપરા માત્ર બ્રાહ્મણવાદને પોષનારા રહ્યા છે. બીજી કોઈ રીતે તર્કસંગત કે અર્થપૂર્ણ લાગતા નથી, કે નથી શાસ્ત્રસંગત. નિશ્ચેતન મડદાને લાડ લડાવવા કરતાં જીવતા મનુષ્ય પ્રત્યે માનવતા દાખવવી આદર્શ ગણાય. શબ પ્રત્યે સહાનુભુતિ દર્શાવવા કરતાં તેના કુટુંબને સહકાર આપવો વધારે સારું ગણાય. હાલનાં બદલાયેલાં માનવમૂલ્યોના સંદર્ભમાં વિચારવાનો સમય પાકી ગયો છે.

મારા મૃત્યુથી તેમને દુઃખ થતું હશે જેમનો હું આધાર હતો, જેમને હું ચાહતો હતો. પરંતુ જે બની ગયું તે તો કુદરતનો ક્રમ છે. પ્રકૃતિની પ્રક્રિયા છે. મૃત્યુને નિવારી શકાતું નથી. તેથી કોઈએ શોક કરવો નહીં અને બધાએ દુઃખ ભુલી હળવા (રીલેક્સ) થવાનો પ્રયત્ન કરવો. મારા આત્માની શાંતિની ચિંતા કરવાને બદલે પોતાના જ મનની સ્વસ્થતા કેળવવી.

મારા જીવન દરમિયાન જેમણે મને પ્રેમ, લાગણી અને હુંફ આપ્યાં છે, સહકાર અને મદદ કરી છે તે સર્વનો હું આભાર માનું છું. તથા મારાથી કાંઈ ભુલ થઈ હોય, દુઃખ થયું હોય, લાગણી દુભાઈ હોય તો તે બધાની અંતઃકરણપુર્વક માફી માગું છું. જો કે મેં મારી જીન્દગીમાં કોઈને કારણ–અકારણ કષ્ટ આપવાનો પ્રયત્ન સુધ્ધાં કર્યો નથી.

મારા મૃત્યુ બાદ માત્ર ઇષ્ટદેવને પ્રાર્થના કરજો. બધી ધાર્મીક વીધીનાં પ્રતીક રુપે મુખમાં તુલસીપત્ર મુકજો. પરન્તુ ગંગાજળ, ચન્દનનું તીલક કે ઘીનો દીવો વગેરે કાંઈ કરશો નહીં. સુગંધીત અગરબત્તી કરતાં રહી વાતાવરણ હળવું કરજો. મારા દેહને માટીમાં જ ભળવાનું હોવાથી નવડાવવાની વીધી કરશો નહીં.

હું કદાચ મોટો માણસ થઈ જાઉં તો પણ મારા શબને નમન કે પ્રણામ કરશો નહીં. ફુલહારના ઢગલા કે અત્તર છાંટવાની ક્રીયા કરશો નહીં. અખબારમાં ફોટા કે શ્રદ્ધાંજલી આપી છાપાંની કીમતી જગ્યા રોકશો નહીં. લાંબી સ્મશાનયાત્રા કાઢવાની ચેષ્ટા કરશો નહીં. જો કે અત્યારે મારા જેવા અતિસામાન્ય માણસ માટે આવું થવાની કોઈ શક્યતા નથી.  પણ મારો હેતુ જનસમાજને સારી પ્રેરણા મળે તે છે.

મારા મૃતદેહ સમક્ષ દર્દભરી રીતે ભજન–કીર્તન કે ધુન ગાવાં નહીં કે રોકકોળ કરવી નહીં. તેનાથી આસપાસનાં બાળકો, બીમાર અને સંવેદનશીલ માણસો પર ગંભીર માનસિક અસર પડતી હોય છે. જ્યાં ખુબ રોવાનો (છાજીયાં લેવાનો) રીવાજ હોય તે બંધ કરાવવો ઘટે. આવું કરવાથી મરનાર, જીવીત થવાનો નથી; પણ કુટુમ્બીજનોના દુઃખમાં વધારો થાય છે, એટલી સમજણ દાખવીએ; છતાં કોઈને શોક પાળવો હોય તો વ્યસન/ બીનજરુરી ખર્ચ પર કાપ મુકે. મારા શબને અગ્નિ દેવાનો અધિકાર હું મારી પત્નીને સૌ પ્રથમ આપું છું. સમાજ/કુટુંબના લોકો સ્ત્રીઓ સ્મશાને ના આવે એવું કહે એટલે મારી પત્ની મને અગ્નિસંસ્કાર ના આપે એવું ના બને. જો મારી પત્ની પોતાની ઈચ્છાથી મને અગ્નિસંસ્કાર આપવા ના માંગતી હોય તો મારી દીકરીને આ અધિકાર આપું છું. મારા અગ્નિસંસ્કાર બાબતે મેં જે કંઈ લખ્યું છે એ મારી પત્ની અને દીકરી બંનેને લાગુ પડે છે. જો એ બંને પણ પોતાની ઈચ્છાથી મને અગ્નિસંસ્કારની ના પાડે તો મારા અંગત કુટુંબીજનોમાંથી કોઈ પણ મને અગ્નિ આપી શકશે.

મારા મૃત્યુ પછી ઘરનું વાતાવરણ ઝડપથી સામાન્ય બની જાય તેમ કરવું. વાર તિથિના બાધ વગર બેસણું માત્ર એક દિવસનું જ  રાખવું. તેમાંય કોઈને આવવાનો આગ્રહ કરવો નહીં. કોણ આવ્યા ને, કોણ નથી આવ્યા તેની પુછપરછ ન કરવી. કોઈ ન આવ્યું હોય તેનું માઠું લગાડવું નહીં. સ્ત્રીઓએ પણ પુરુષોની જેમ સામાન્ય પોશાકમાં આવવું. કુટુંબીઓએ થોડા જ સમયમાં કામકાજમાં લાગી જઈ, મન હળવું બનાવવાનો પ્રત્યન કરવો. મારા જેવાનાં મૃત્યુનો કાંઈ શોક ના હોય!

લોકો તેમનાં કામધંધા, નોકરી, અભ્યાસ છોડીને મારા ઘર સુધી આવે તો જ શોક પ્રગટ થાય તેવું હું માનતો નથી. સાચું દુઃખ દિલમાં હોય છે. અને પ્રદર્શન (દંભ) વ્યક્ત કરવાનો કોઈ અર્થ નથી. અંગત લોકો સિવાય કોઈએ બહારગામથી તો આવવું જ નહીં. પોતાના ઘરે જ શોક મનાવી આશ્વાસનપત્ર વોટ્સએપ/મેસેજ/ફોનથી પાઠવે તેવું બધાને સ્પષ્ટ જણાવવું. નજીક રહેનારા  લોકો પણ આવું કરી શકે છે. આપણા સમાજમાં આ બાબતે જે ખોટા (દંભી) રીવાજો પડી ગયા છે તેને તાત્કાલીક અટકાવવા જોઈએ.

મારા મૃત્યુને કારણે પરીવારના કે સમાજના કોઈ સારા પ્રસંગને અટકાવશો નહીં. મૃત્યુ દરમિયાન કોઈ તહેવાર હોય તો ઠીક લાગે એમ કરવું પણ બાદમાં આવતાં તહેવારો મન ભરીને ઉજવવા.  એટલું જ નહીં; પણ જે સગાં–સંબંધીને ત્યાં પ્રસંગ હોય તેને સામે ચાલીને પ્રસંગ ચાલુ રાખવા સંદેશો મોકલવો. મારું મૃત્યુ રાત્રે થયું હોય તો અન્ય લોકોને સવારે જ જાણ કરાવી. રાત્રે જાણ કરી કોઈને એમની  ઉંઘમાં ખલેલ (ડીસ્ટર્બ) કરવા નહીં.

મારા મૃત્યુ બાદ મારાં પત્નીનાં કપડાં, શૃંગાર કે અન્ય અલંકાર–શોખમાં કાંઈ ફેરફાર કરવાની જરુર નથી. તે ઈચ્છે તો જરુર પુનર્લગ્ન કરે. બાળકો અંગે વિચારવાનો અધીકાર તેને જ આપવો તે ન્યાયી ગણાશે. પણ મારી દીકરી પુખ્ત હોય તો તે પોતાની રીતે જીવી શકે છે. કુટુંબનો કોઈ સભ્ય સુતક, મુંડન કે અન્ય શોક પ્રદર્શિત ન કરે. 

મારા અન્તકાળ સમયે નજીકની નેત્રહૉસ્પીટલ, મેડીકલ કૉલેજને જાણ કરી નેત્રદાન, દેહદાનની વ્યવસ્થા કરી દેવી. મારું મૃત્યુ મગજ ફેઈલથી થયું હોય તો હૃદય, કીડની… વગેરે અંગોનાં દાન કરી દેવાં. સંજોગોવસાત દેહદાન વગેરે કાંઈ ના થઈ શકે તો અગ્નિસંસ્કાર કરવો. અગ્નિસંસ્કાર વખતે જો ઉપલબ્ધ હોય તો ઇલેક્ટ્રિકરીતે શબને બાળવું. લાકડાં વાપરી પર્યાવરણને નુકશાન ના કરવું. મારું મૃત્યુ, મારા ઘર બહાર, ટ્રેન, બસ, પ્લેન કે પછી કોઈ અકસ્માત વગેરેમાં થયું હોય તો જે તે સ્થળે સમુહમાં જેમ થતું હોય તેમ કરવું.

મારું મૃત્યુ ઘર/વતનથી દુર કે હૉસ્પીટલમાં થયું હોય તો મારા દેહને ઘરે લઈ આવવાનો આગ્રહ ન રાખવો; પરન્તુ ત્યાંથી જ મારી ઈચ્છા મુજબ દેહદાન, નેત્રદાન કે ભુમીસંસ્કાર કરવાં. મારું મૃત્યુ જો કોઈ ગમ્ભીર અકસ્માત કે રહસ્યમય સંજોગોમાં થયું હોય તો અન્તીમ ક્રીયા અનુકુળતા પ્રમાણે કરવી. તેવા સંજોગોમાં પોસ્ટમોર્ટમ કે અન્ય કાનુની પ્રક્રીયાને જરુરી માન/સહકાર આપવાં.

વૃદ્ધાવસ્થાનાં અન્તીમ દીવસોમાં હું ગમ્ભીર–અસાધ્ય રોગથી પીડાતો હોઉં અને સભાન અવસ્થામાં ન હોઉં તો મને દવા–ઈન્જેક્શનથી લાંબો સમય જીવડવાનો આગ્રહ રાખશો નહીં. ઈચ્છામૃત્યુ કાયદેસર હોય તો મને દર્દરહીત મૃત્યુ આપી દેવું. અને તે દરમીયાન હૃદય, કીડની, લીવર સ્કીન વગેરે શક્ય તમામ અંગોનું દાન કરી દેવું. મારી માંદગીથી બધા હેરાન થાય, કુટુમ્બ આર્થીક બોજમાં દબાઈ જાય તેવું ઈચ્છતો નથી. માણસ કેટલું જીવ્યા કરતાં; કેવું જીવ્યો તે મહત્ત્વનું છે.

મારા મૃત્યુ નીમીત્તે કોઈ પણ પ્રકારની મરણોત્તર ધાર્મીક વીધી કરવી નહીં. બારમું–તેરમું (પાણીઢોળ) કથા–સપ્તાહ–કીર્તન, શ્રાદ્ધ, તર્પણ, વરસી, પીંડદાન, બ્રહ્મભોજન વગેરે કરાવવાં નહીં. આ બધા કર્મકાંડો બ્રાહ્મણોએ સ્વલક્ષી–સ્વહીતમાં ઉભા કર્યા છે; તે સમાજલક્ષી કે ગરીબલક્ષી થવા જોઈએ. ઘણા લોકો ટેક્સચોરી કે ગરીબોનું શોષણ કરીને આવકના 10% ધર્મ–કર્મકાંડ–મન્દીર પાછળ ખર્ચતા હોય તેનો શો અર્થ? ‘ગાય દોહીને કુતરાને પાવા જેવું!’ મારાં માતા–પિતા જીવતાં હોય તો તેઓની સામાન્ય ધાર્મિક ઈચ્છાને માન આપવું. પણ જો તેઓ કોઈ પણ જાતની પૂજા-પાઠ, ધાર્મિક વિધિ, કર્મકાંડ કે બ્રાહ્મણવાદીઓને ઉત્તેજન આપે એવું કંઈ પણ કરવાનું કહે તો પણ કશું કરવું નહિ. માત્ર આગળ જણાવ્યું તેમ મુખમાં તુલસીપત્ર મૂકવું. એનાથી વિશેષ કશું જ ન કરવું.

મેં મારું જીવન પ્રામાણીકતા અને માનવતાવાદી રીતે જીવવાનો પ્રયત્ન કર્યો છે. તેનો મને સન્તોષ છે. હું ભુત–પ્રેતમાં માનતો નથી. તો મર્યા પછી મારે કોઈને નડવાનું કોઈ કારણ નથી. આમેય કુટુમ્બ માટે આજીવન ભોગ આપનાર, મર્યા પછી અચાનક શા માટે નડે? તેમ છતાં મારી કોઈ ઈચ્છા/વાસના (હશે તો) પુરી કરવા નડવું હશે, તો દેશના દુશ્મનોને નડીશ. બધા ભારતીયો આમ કરે તો દુશ્મનો આમ જ ખતમ થઈ જાય! શું આ શક્ય છે? તો ખરેખર, સમાજને કોણ નડે છે? ‘નડતર’નો વીચાર ફેલાવનાર જ!

મારા મૃત્યુ બાદ મારી મીલકત માટે (જો હોય તો) ઝઘડવું નહીં કે વારસા સમ્બન્ધી વાદ–વીવાદ કરવા નહીં. મારા આર્થીક વીલ મુજબ મારી સમ્પત્તીની વહેંચણીની બાબતો મેં મારી પત્નીને સમજાવેલી જ છે. એ જે કરે એને માન આપવું. અને મને મારી પત્ની પર પૂર્ણ ભરોસો છે કે તે મારે જેને જે આપવાનું છે એ નિર્વિવાદ લોભ લાલચ વગર આપી જ દેશે. આ ઉપરાંત, હું ઇચ્છીશ  કે મારી પત્ની નીચેનામાંથી કંઈક સામાજિક દાન એની ઈચ્છા મુજબ કરે. 

(1) શાળાઓમાં બાળકોને નોટબુક, પેન્સીલ, પેન, ચોકલેટ, બીસ્કીટનું વીતરણ કરવું.

(2) ગરીબ વીદ્યાર્થીઓને પુસ્તકો તથા સ્કોલરશીપ આપવી.

(3) ગરીબ–પછાત લોકોને પૈસા તથા અનાજ લઈ આપવું.

(4) નજીકનાં વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, બહેરા–મુંગા–અન્ધજનની શાળા/આશ્રમમાં દાન અને ભોજન પ્રબન્ધ કરવો.

(5) સાર્વજનીક નેત્ર, રક્ત હૉસ્પીટલમાં દાન કે દર્દીઓ માટે દવા–ભોજન વ્યવસ્થા કરવી.

(6) યુદ્ધ–કટોકટી જેવા સમયમાં રાષ્ટ્રને મદદ કરવી તથા સૈનીકોનાં વારસદારોને આર્થીક સહાય કરાવી.

(7) અન્ય સમાજ ઉપયોગી કાર્યમાં મદદ કરવી.

(8) લાઈબ્રેરીમાં સમાજસુધારકોનાં પુસ્તકો લઈ આપવાં.

(10) સર્વ પ્રાણીઓને સમાનભાવે ઘાસચારો આપવો.

(11) મારા નામે ઓછામાં ઓછું એક વૃક્ષ ઉછેરવું.

(12) આ વસ્તી વીસ્ફોટમાં નો ચાઈલ્ડ, વન ચાઈલ્ડ ગરીબ દમ્પતીને પ્રોત્સાહક પુરસ્કાર આપવાં. વસ્તી નીયન્ત્રણ આજના સમયની સૌથી મોટી સેવા છે.

લોકો આવું કરે તેવું હું ઈચ્છું છું જેથી આપણા સમાજના ઘણા પ્રશ્નો હલ થાય. ઈશ્વરના નામે સ્વાર્થી વર્ગ પ્રજાના ધનને ધર્મ/મન્દીર તરફ (પોતા તરફ) વાળે છે. તેમાં કાપ મુકવો જરુરી છે. આ વસીયત મેં મારી બુદ્ધી પ્રમાણે તૈયાર કર્યું છે. આ મારા અંગત વીચારો છે. ખામી જણાય તો મારી અલ્પમતી માટે ક્ષમા કરશો. સર્વને બધું જ સર્વસ્વીકૃત ન પણ બને. મારો હેતુ લોકો અને સમગ્ર રાષ્ટ્રના હીત માટે છે. તે સર્વ કોઈ સમજી શકશે.

– યજ્ઞેશ રાજપૂત

શુક્રવાર, 31 મે, 2024

(અંધ)ભગત સાહેબ સાથે ચર્ચા

 


આજે મારા એક વડીલ કહી શકાય એવા પરમમિત્ર (અંધ)ભગતસાહેબ સાથે ચર્ચા થઇ. એમને મને છેલ્લે જયશ્રી રામ કહીને અલવિદા કર્યું..!! કોઇપણ બાબત ફેક્ટચેક કર્યા વગર ન સ્વીકારવું એની હું હવે સ્વાભાવિક પ્રેક્ટીસ કરી રહ્યો છું! ..એટલે કોઈ બાબતને લઈને કૈક વાત થાય એટલે હું મને આવડે એવું સત્ય વડીલ સમક્ષ રજુ કરું! ..અંતે ભગતસાહેબ ‘હિંદુ-મુસ્લિમ’ ‘હિંદુરાષ્ટ્ર’ અને ‘લવજેહાદ’ પર ઉતરી આવે!

વોટ્સેપ યુનીવર્સીટી દ્વારા બ્રેઈનવોશ થયેલા ઘણા જડબુદ્ધિ ઝોમ્બીઓથી સમાજ ખદબદી રહ્યો છે! ..અને એમાંય ઉંમર વધવાની સાથે બુદ્ધિની વિચારશક્તિનું વાયરીંગ પણ હવે જામ થઇ ચુક્યું હોય એટલે અપરિવર્તનશીલ વૃધ્ધો મોટેભાગે સત્ય ન સમજી શકે કે ન સ્વીકારી શકે એવા બની ચુક્યા હોય છે! ‘પોતાને બધી જ ખબર છે અને તમને કઈ ખબર નથી’ ની જડ માનસિકતા સાથે સત્ય ન સમજે ન સમજવા માંગે.. નજર સામે દેખાતી બાબતને પણ ન સ્વીકારવું એ વૃદ્ધતાની નિશાની છે! આ બાબત કદાચ એમને ખટકી ગઈ.. અને જયશ્રીરામ કહીને અલવિદા કર્યું!

સાચું કહું તો મને કોઈ ફર્ક નથી પડ્યો આ બાબતનો! ઉલટાનું સારું થયું.. એવું લાગ્યું! ..કેમ કે જે પરીવર્તન સ્વીકારતા નથી એવા નેગેટીવ લોકોથી જેટલા દુર રહી શકાય એટલા દુર જ રહેવું યોગ્ય છે! હા.. ફર્ક એ વાતનો પડ્યો છે મારો માંહ્યલો મને જ સવાલ પૂછે છે કે બીજાને બદલવાવાળો હું કોણ? મારે શા માટે બીજાને બદલવાની કોશિશ કરવી જોઈએ? શું હું જે વિચારું છું એ સત્ય જ અંતિમ છે?? પોસીબલ છે કે એ ખોટું પણ હોય??  ..તો આનો ઉપાય શું??

..લોકો જેમ છે એમ જ રહેવા દો! મારું કામ મારા બાળકનું ભવિષ્ય સુધારવા માટે જે પણ કઈ કરી શકાય એ કરવાનું છે.. મૃત્યુની નજીક પહોચેલા બુધ્ધાઓને બદલવાનો શો મતલબ??

-યજ્ઞેશ રાજપુત

લ.તા. ૩૧.૫.૨૪  

"રણમાં ખીલ્યું ગુલાબ" સાહિદનું અપડેશન!!

 "સ્કૂલ કબ છુટેગી??" એવું બોલનાર સાહિદ આજે ધોરણ 5 માં ફરી મારા વર્ગમાં જ હતો. નવી જ બુકને અઠવાડિયામાં ફાડી નાંખનાર સાહીદ ધોરણ 5 માં 86% મેળવીને બીજા નંબરે પાસ થયો!! 

મોટેભાગે લોકોના મનમાં સરકારી શાળાની એક વિશેષ છાપ છે. અને જે સરકારી શિક્ષકો છે એ એમનાં માંહ્યલાને પૂછે તો કદાચ જવાબ મળે કે,  "90-95% શિક્ષકો બાળકોને પરીક્ષામાં જવાબો બતાવી દેવાનું શાપિત કામ કરી રહ્યા છે!" હું ગર્વથી એ કહી શકું છું કે નોકરીને આજે 19 વર્ષ થયાં, આ 19 વર્ષમાં એક પણ વખત બાળકોને પરીક્ષામાં જવાબો બતાવ્યા નથી. બસ.. બાળકોને ભણાવ્યા છે. દિલસે!!

સાહિદને આવેલા 86% એનાં પોતાનાં છે! જવાબો એણે જાતે લખેલા છે. આશા રાખું છું કે આગળ એને એવો શિક્ષક મળશે, કે જે એને 'ભણાવશે..!' અહીં 'ભણાવશે' શબ્દ પર એટલા માટે ભાર મુકું છું કેમ કે ઘણાં શિક્ષકો (ઘણાં - એટલે મેજોરીટી શિક્ષકો!) બાળકોને  માત્ર  'ઉઠાં' ભણાવતા શીખવાડી રહ્યા છે! ...અને સાચા શિક્ષકો મૂકપ્રેક્ષક બનીને જોઈ રહે છે!! 

શાહિદની ૩ ફેબ્રુઆરી 2020 ના રોજ લખાયેલી મારા બ્લોગપોસ્ટની લીંક અહીં શેર કરી રહ્યો છું! આશા રાખું છું કે આપ સૌને ગમશે!

https://threecolour.blogspot.com/2020/02/blog-post.html


સોમવાર, 3 ફેબ્રુઆરી, 2020

'રણમાં ખીલ્યું ગુલાબ!' (આર્તનાદ ભાગ ૧૩)

નવો ચોપડો લાવ્યે હજી માંડ અઠવાડિયું થયું ત્યાં તો હાલત એવી છે કે જાણે... *રણમાં ખીલ્યું ગુલાબ!!*
*******

"સ્કૂલ કબ છુટેગી?" 

જ્યારે ધોરણ ૧ શરૂ થયું ત્યારે હંમેશા રડતાં રડતાં આ સવાલ પૂછતો સાહીદ હવે આ જ સવાલ હસતાં હસતાં પૂછે છે! કારણ કે એને ખબર છે કે હું એક જ જવાબ આપીશ, "તીન બજે!!"

...બસ, ફરક એ છે કે એ હવે હસતાં હસતાં કહે છે, "તીન બજે નહીં, સાડે પાંચ બજે સ્કૂલ છૂટતી હૈ!"
********

મારાં ગુરુદેવ સાથે જ્યારે પણ વાત થાય, ત્યારે એ ચોક્કસ સવાલ પૂછે કે, "પહેલાંના સાધુઓ તપ કરવા વનમાં કેમ જતાં? કારણકે વન એ પ્રકૃતિ છે. ત્યાં તમને કોઈ ડિસ્ટર્બન્સ નહિ થાય! જે જેમ છે એમ જ દેખાશે. તકલીફ ત્યાં જ થાય છે જ્યારે આપણે એને ઉપવન બનાવવાની કોશિશ કરીએ છીએ. વનમાં જે શાંતિ મળે એ ઉપવનમાં તો ન જ મળે!"

ધોરણ ૧ માં ભણતો સાહીદ- પ્રકૃતિનો ચહેરો છે! ત્યાં કોઈ ચિંતા નથી! માત્ર હાસ્ય છે! પાનું ફાટ્યું તોય શું અને ના ફાટ્યું તોય શું? જરૂરી એ છે કે એણે લખ્યું! ..એને આવડ્યું! આટલું ગંદુ-ફાટેલું લેખન કરીને જ્યારે એ મારી પાસે 'નિર્ભયતા'થી આવે અને બતાવે, ત્યારે એની હજાર ભૂલો માફ! કારણ કે નિર્ભયતા એ જ મોટો ગુણ! 

ધોરણ ૧/૨ માં ભણતાં 'વન' 'ઉપવન' બનવાનાં જ છે.. પણ ભયભીત થઈને નહિ! ..વાર લાગશે- સમય લેશે- પણ નિર્ભયતાથી ઉપવન બનશે! 
********

*ડોન્ટ થિંક એવર*

શિક્ષકો/અધિકારીઓ જ ભયભીત હોય, તો એ ક્યાંથી નિર્ભયતા શીખવે? 'ઉપવન' બનાવવાની લ્હાયમાં ક્યાંક 'ઉકરડો' ન બની જાય!!