રવિવાર, 24 માર્ચ, 2019

લાઇફ મેનેજમેન્ટ

ધર્મ ડેસ્કઃ- એક વખત એક નવયુવક કોઈ સાધુ પાસે પહોંચ્યા અને બોલ્યા - ગુરુદેવ, હું મારા જીવનથી ખૂબ પરેશાન છું, કૃપા આ પરેશાનીથી નીકળવાનો ઉપાય જણાવો. સાધુએ કહ્યુ - એક ગ્લાસ પાણીમાં એક મુઠ્ઠી મીઠું નાખો અને તેને પી જાઓ.

યુવકે એવું જ કર્યુ. સાધુએ પૂછ્યુ - તેનો સ્વાદ કેવો લાગ્યો. યુવકે પાણી થૂકતા કહ્યુ - ખૂબ જ ખરાબ, એકદમ ખારું. સાધુએ હસતા કહ્યુ - એક વખત ફરી પોતાના હાથમાં એક મુઠ્ઠી મીઠું લો અને મારી પાછલ-પાછળ આવો.

બંને ધીમે-ધીમે આગળ વધવા લાગ્યા અને થોડા દૂર જઈને સાફ પાણીના એક ઝરણાં સામે રોકાઇ ગયા. સાધુએ યુવકને કહ્યુ - તારી મુઠ્ઠીમાં જે મીઠું છે તેને આ ઝરણાંના પાણીમાં નાખી દે. યુવકે એવું જ કર્યુ. તેના પછી સાધુએ યુવકને કહ્યુ - હવે આ ઝરણાંનું પાણી પીવો. યુવકે પાણી પીધું.

એક વખત ફરી સાધુએ પૂછ્યુ - જણાવો તેનો સ્વાદ કેવો છે, શું અત્યારે પણ તને આ ખારો લાગી રહ્યો છે? યુવકે કહ્યુ - ના, ગુરુદેવ, આ તો મીઠું છે, ખૂબ સારું છે.

સાધુ અને યુવક ઝરણાંના કિનારે બેસી ગયા. સાધુએ યુવકને ખૂબ જ શાંતિથી કહ્યુ - જીવનના દુઃખ એકદમ મીઠાંની જેમ છે ન તેનાથી ઓછું ન વધુ.
આપણે કેટલા દુઃખનો સ્વાદ લઇએ છીએ એ તેના ઉપર નિર્ભર કરે છે કે આપણે તેને કયા પાત્રમાં નાખી રહ્યા છીએ એટલે જ્યારે તમે દુઃખી હોવ તો માત્ર આટલું કરી શકો છો કે સ્વયંને ઝરણાં જેટલું મોટું બનાવી લો, ગ્લાસ ન બન્યા રહો.

લાઇફ મેનેજમેન્ટ

દુઃખ આપણાં જીવનનો એક ભાગ છે, એ આપણે નક્કી કરવાનું છે કે આપણે આપણાં દુઃખની સાથે કેવી રીતે જીવન જીવવું છે. કાં તો આપણે કાયમ આપણાં દુઃખના ભાર નીચે દબાયેલા રહીએ અથવા પછી તે દુઃખોને દૂર કરવાનો ઉપાય શોધીએ. તમારા મનને ઝરણાંના સમાન વિશાળ બનાવો ન કે ગ્લાસની જેમ નાનો.
ધર્મ ડેસ્કઃ- આજે રામકૃષ્ણ પરમહંસજીની જયંતી ઉજવવામાં આવી છે. પરમહંસજી સ્વામી વિવેકાનંદના ગુરુ હતા. તેમના જીવનના અનેક એવા પ્રસંગ પ્રચલિત છે જેમાં સુખી જીવનના રહસ્ય છુપાયેલા છે. અહીં જાણો એક પ્રસંગ, જેમાં જણાવવામાં આવ્યો છે કે લક્ષ્ય સુધી કેવી રીતે પહોંચી શકો છો.

- એક વખત રામકૃષ્ણ પરમહંસ પોતાના શિષ્યની સાથે ચાલતા-ચાલતા નદીના કિનારે પહોંચ્યા. કિનારા પર તેમણે જોયું કે માછીમાર માછલી પકડી રહ્યો છે. પરમહંસજીએ શિષ્યને કહ્યુ કે જાળમાં ફંસાયેલી આ માછલીઓને ધ્યાનથી જુઓ. જાળમાં અનેક માંછલીઓ ફંસાયેલી હતી.

- ગુરુએ શિષ્યને કહ્યુ કે આ જાળમાં ત્રણ પ્રકારની માછલીઓ છે. પહેલી એ જે એવું માની ચૂકી છે કે હવે તેમનું જીવન પૂરું થઈ ગયું છે. તેના કારણે તે પ્રાણ બચાવવાના પ્રયાસ જ નથી કરી રહી. બીજી માછલીઓ એ છે બચવાના પ્રયાસ કરી રહી છે પરંતુ જાળમાંથી બહાર નથી નીકળી શકતી. ત્રીજા પ્રકારની માછલીઓ સૌથી ખાસ છે જે જાળથી બહાર નીકળવાના પ્રયાસ કરી રહી છે. આ માછલીઓ બહાર નીકળવામાં સફળ પણ થઈ ગઈ અને પ્રાણ બચાવીને તરીને દૂર નીકળી ગઈ.

- એવી જ રીતે મનુષ્યોના પણ ત્રણ પ્રકાર છે. પહેલા એવા લોકો જે પરેશાનીઓને અને દુઃખોને પોતાનું નસીબ માનીને એવી જ સ્થિતિમાં મૃત્યુની પ્રતીક્ષા કરી રહ્યા છે. બીજા એવા લોકો છે જે દુઃખો દૂર કરવાના પ્રયાસ કરે છે પરંતુ તેમને મુક્તિનો કોઈ માર્ગ નથી મળી શકતો. ત્રીજા પ્રકારના લોકો જે પ્રયાસ પણ કરે છે અને પોતાના લક્ષ્ય સુધી પહોંચે પણ છે.

- જો આપણે કોઈ લક્ષ્ય સુધી પહોંચવા ઈચ્છીએ છીએ તો તેના માટે સતત પ્રયાસ કરવા જોઈએ. પ્રયાસ ત્યાં સુધી કરતા રહેવા જોઈએ જ્યાં સુધી સફળતા ન મળી જાય.

ધર્મ ડેસ્કઃ- આ એક લોકકથા છે. કોઈ નગરમાં એક કઠિયારો હતો. તેની પત્ની એક દિવસ ખૂબ બીમાર થઈ ગઈ. કઠિયારો તેને વૈદ્ય પાસે લઈ ગયો. વૈદ્યે કઠિયારાને કહ્યુ કે તારે કેટલાક દુર્લભા ફળ અને ઔષધીઓ તારી પત્નીને ખવડાવવી પડશે. થોડાં દિવસ સુધી તે સતત આ વસ્તુઓ ખાશે તો ઠીક થઈ જશે. નજરની આજુબાજુના જંગલોમાં આવી ઔષધીઓ અને ફળ નહોતા મળી રહ્યા. વૈદ્યે કઠિયારાને કહ્યુ કે રાજમહેલના બગીચામાં આ પ્રકારના ફળ અને ઔષધીઓ છે.
રાજાના મહેલથી રોજ ફળ અને ઔષધીઓ લાવવી શક્ય ન હતી. કઠિયારો એર વિદ્યા જાણતો હતો જેનાથી તે મંત્રોના માધ્યમથી વૃક્ષની ડાળખીઓ પોતાની તરફ ઝૂકાવી શકતા હતા. તે રોજ બગીચાની બહારની દીવાલ પાસે ઊભા રહીને તેના માધ્યમથી ફળ અને ઔષધીઓ તોડીને લઈ જતો. એક દિવસ ચોકીદારે આ જોઇ લીધું. તેણે કઠિયારાને પકડીને રાજા સામે પ્રસ્તુત કર્યો. રાજા આ જાણીને ચકિત હતા કે કોઈ તાકાત વિના વૃક્ષોની ડાળખીઓ પોતાની તરફ કેવી રીતે ઝૂકાવી શકે છે. રાજાએ તેને માફ કર્યો અને રોજ જરૂરી ઔષધીઓ અને ફળ તેના ઘરે મોકલવાનો આદેશ પણ સૈનિકોને આપ્યો પરંતુ રાજાએ એક શરત રાખી કે તેને રાજાને આ વિદ્યા શીખવવી પડશે. કઠિયારો માની ગયો. તે રોજ આવીને રાજા સામે બેસીને તેમને શીખવવા લાગ્યો. મહિનો વીતી ગયો પરંતુ રાજા બધા પ્રયાસો કરવા છતાં પણ શીખી નહોતા શકતા. રાજા પરેશાન હતા. આ વાત તેમણે એક મંત્રીને જણાવી. મંત્રીએ રાજાને પૂછ્યુ તો રાજાએ જણાવ્યું કે કઠિયારો રોજ શીખવવા આવે છે પરંતુ બધા અભ્યાસ પછી પણ હું કંઈ શીખી નથી શકતો. મંત્રીએ રાજાને કહ્યુ કે તમે એક મોટી ભૂલ કરી રહ્યા છો. તેના કારણે તે વિદ્યા તમે શીખી નથી શકતા. રાજાએ કહ્યુ કેવી ભૂલ.
મંત્રીએ કહ્યુ તમે સિંહાસન પર બેસીને કઠિયારાને પોતાની સામે બેસાડો છો. રાજાએ કહ્યુ હા તો તેમાં શું ખોટું છે. મંત્રીએ કહ્યુ કે તમે તેની પાસે કંઈક શીખવા ઈચ્છો છો એટલે તે તમારો ગુરુ છે, તમે તમારા ગુરુની બરાબરીમાં બેસીને ક્યારેય કંઈ નથી શીખી શકવાના. તે ભલે તમારા રાજ્યનો એક સામાન્ય કઠિયારો હોય પરંતુ તમે તેની પાસે એક વિદ્યા શીખી રહ્યા છો, પહેલા તેને ગુરુના સમાન સન્માન આપો. તેને ઉપર બેસાડીને જેમ શિષ્ય નીચે બેસીને શીખે છે એવી રીતે શીખો. રાજાને પોતાની ભૂલનો અહેસાસ થયો.
બીજા દિવસે રાજાએ એવું જ કર્યુ અને ધીમે-ધીમે તેને કઠિયારાની વિદ્યા સમજ આવવા લાગી. થોડાં દિવસમાં રાજાએ તે વિદ્યા સંપૂર્ણ રીતે શીખી લીધી. તેના પછી ગુરુ દક્ષિણમાં કઠિયારાને રાજમહેલના બગીચા જેવો જ એક બગીચો બનાવીને દાન કર્યો
કથાનો સાર
જો તમે કોઈ પાસે કંઈ શીખવા ઈચ્છો છો તો તેની યોગ્ય રીત છે કે શીખવાનારને ગુરુની જેમ સંપૂર્ણ સન્માન આપો. જો ગુરુ પ્રત્યે સન્માન નહીં રહે તો તમારી શીખેલી વિદ્યા તમારા કામ નથી આવી શકતી.

પૌરાણિક સમયમાં એક વ્યક્તિને તેની પત્ની સાથે વારંવાર ઝગડા થતા હતા. રોજ-રોજના ઝગડાથી કંટાળીને બધુ જ ત્યાગી જંગલમાં જતો રહ્યો. થોડે દૂર નીકળ્યા બાદ તેણે મહાત્મા બુદ્ધ અને તેમના શિષ્યો જોયા. બુદ્ધ તેમના શિષ્યો સાથે એ જ જંગલમાં રહી રહ્યા હતા. તેણે બુદ્ધને ગુરૂ માની એ જ જંગલમાં રહેવાનું શરૂ કર્યું.

થોડા દિવસ બાદ બુદ્ધે એ વ્યક્તિને કહ્યું કે, મને તરસ લાગી છે, પાસેની નદીમાંથી પાણી લઈ આવ. ગુરૂની આજ્ઞા માની તે પાણી લેવા નદી કિનારે ગયો.
નદી કિનારે પહોંચીને તેણે જોયું કે, જંગલી પ્રાણીઓની ઉછળ-કૂદના કારણે પાણી ગંદુ થઈ ગયું હતું. નીચે જામેલી માટી ઉપર આવી ગઈ હતી. તેણે વિચાર્યું કે, આવું પાણી લઈ જવાનો કોઇ જ ફાયદો નથી.
પાછા ફરીને તેણે ગુરૂદેવને આખી વાત જણાવી. થોડીવાર બાદ બુદ્ધે તેને ફરી પાણી લાવવાનું કહ્યું.

- ગુરૂનો આદેશ માની એ વ્યક્તિ પાછો નદી તરફ ગયો. રસ્તામાં તેણે વિચાર્યું કે, ગુરૂજીએ મને કારણ વગર જ ફરી મોકલ્યો. પાણી એટલું ગંદુ છે કે, તેને પી જ ન શકાય.

- વ્યક્તિ નદી કિનારે પહોંચ્યો તો, તેણે જોયું કે, પાણી એકદમ ચોખ્ખુ હતું. નદીની ગંદકી નીચે બેસી ગઈ હતી. આ જોઇને તેને આશ્ચર્ય થયું.

- પાણી લઈને તે બુદ્ધ પાસે પહોંચ્યો. તેણે ગુરૂજીને પૂછ્યું કે, તમને કેવી રીતે ખબર પડી કે, હવે પાણી ચોખ્ખુ મળશે?

- બુદ્ધે તેને સમજાવ્યું કે, પ્રાણીઓ પાણીમાં ઉછળ-કૂદ કરી રહ્યાં હતાં એટલે પાણી ગંદુ થઈ ગયું હતું. થોડીવારમાં પ્રાણીઓ ત્યાંથી જતાં રહ્યાં એટલે નદીનું પાણી શાંત થઈ ગયું. ધીરે-ધીરે બધી જ ગંદકી પણ નીચે બેસી ગઈ.

- બુદ્ધે આગળ જણાવ્યું કે, આવું જ આપણી સાથે પણ થાય છે. જ્યારે આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે ત્યારે મનમાં ઉથલ-પુથલ થવા લાગે છે અને શાંતિ ભંગ થાય છે. આવી સ્થિતિમાં મોટાભાગે આપણે ખોટો નિર્ણય કઈ લઈએ છીએ. મનની ઉથલ-પુથલ શાંત થવાની રાહ જોવી જોઇએ. ધીરજ ધરી રાખવી જોઇએ. શાંત મને કોઇ નિર્ણય લઈએ તો, યોગ્ય નિર્ણય લઈ શકાય છે.

- એ વ્યક્તિને સમજાઇ ગયું કે, તેણે ઘર છોડવાનો નિર્ણય અશાંત મને લીધો હતો, જે ખોટો હતો. તેણે બુદ્ધની પાછા ફરવાની આજ્ઞા લીધી અને પત્ની પાસે પાછો ફરી ગયો.

કથાની શીખ

આ કથાની શીખ એ છે કે, પતિ-પત્ની વચ્ચે વાદ-વિવાદ થાય તો એ સમયે બંનેએ ધીરજથી કામ લેવું જોઇએ. બધુ શાંત થયા બાદ બંનેને બધુ જ સરખી રીતે સમજાઇ જશે અને ખોટો નિર્ણય લેવાશે નહીં. ધીરજથી કામ લેવાથી પતિ-પત્ની વચ્ચે ઝગડા થતા અટકે છે.

ભિખારી અને રૂપિયાની કહાની તમને જીવન નું મૂલ્ય સમજવી દેશે

એક રાજાનો જન્મદિવ હતો. સવારે જયારે તે નીકળ્યા ત્યારે તેણે નક્કી કર્યું હતું કે તે રસ્તા માં મળનારા સૌથી પહેલા વ્યક્તિ ને આજે પુરી રીતે સંતુષ્ટ કરી દેશે. એવામાં તેને એક ભિખારી મળ્યો. ભિખારી એ જયારે રાજા ની સામે ભીખ માંગી તો રાજા એ એક તાંબા નો સિક્કો તેના તરફ ઉછાળ્યો. સિક્કો ભિખારી ના હાથ ને અડીને બાજુની ગટર માં જઈને પડી ગયો. ભિખારી આ ગટર માં હાથ નાખીને તાંબા ના સિક્કા ને શોધવા લાગ્યો. રાજા એ તેને બોલાવીને બીજો તાંબા નો સિક્કો આપ્યો. ભિખારી એ ખુશ થઈને તે સિક્કાને પોતાના ખિસ્સા માં મૂકી દીધો, અને પાછો જઈને ગટર માં પડેલા સિક્કા ને શોધવા લાગ્યો. એવામાં રાજા ને લાગ્યું કે આ ભિખારી ખુબ જ ગરીબ છે..
રાજા એ ભિખારીને પાછો પોતાની પાસે બોલાવ્યો અને ચાંદી નો એક સિક્કો આપ્યો. રાજા નો જય-જયકાર કરતા ચાંદી નો સિક્કો ભિખારીએ લઇ લીધો અને ફરીથી જઈને ગટરમાં પડેલો તાંબા નો સિક્કો શોધવા લાગ્યો. રાજા એ ફરીથી તે ભિખારીને પોતાની પાસે બોલાવ્યો અને એક સોનાનો સિક્કો આપ્યો.
ભિખારી ખુશીમાં નાચવા લાગ્યો અને ફરીથી તે ગટર ના તરફ વધવા લાગ્યો. એવામાં રાજા ને ખુબ જ ખોટું લાગ્યું. તેણે પોતે નક્કી કરેલી વાત યાદ આવી ગઈ કે સૌ પ્રથમ મળનારા વ્યક્તિ ને આજે સંતુષ્ટ કરવાનો છે. તેણે ભિખારીને ફરીથી બોલાવ્યો અને કહ્યું કે હું તને 1000 અશર્ફિયાઁ આપું છું. હવે તો ખુશ અને સંતુષ્ટ થઇ જા. ભીખારી બોલ્યો-”સરકાર હું ખુશ અને સંતુષ્ટ ત્યારે જ થઇ શકીશ, જયારે ગટર માં પડેલો પહેલો તાંબા નો સિક્કો મને મળી જાશે”.
આપણો હાલ પણ આ ભિખારી જેવો જ છે. ”આપણને પરમાત્મા એ માનવ રૂપી એક અનમોલ ખજાનો આપ્યો છે અને આપણે તેને ભૂલીને સંસાર રૂપી ગટર માં તાંબા ના સિક્કા ને શોધવામાં પૂરું જીવન વ્યતીત કરી નાખીએ છીએ. આ અનમોલ માનવ જીવનનનો દરેક કોઈએ ઉપીયોગ કરવો જોઈએ, આપણું જીવન ધન્ય થઇ જાશે. સૌથી મોટું ધન છે સંતોષ, જેની પાસે સંતોષ નથી હોતું તેના વ્યર્થ ની ચિંતાઓ નો અંત છેલ્લા શ્વાશ સુધી પણ નથી થાતો.
એક દારૂડિયો પહોંચ્યો વિનોબા ભાવે પાસે, તેણે કહ્યું, હું રોજ દારૂ છોડવાનો પ્રયત્ન કરું છું, પરંતુ મારાથી છૂટતો જ નથી, તેમણે દારૂડિયાને એક થાંભલા દ્વારા આપ્યું સમાધાન

આ ઘટના કેટલાક દશક પહેલાંની છે. ભારતના મહાન વિચારક મહાત્મા વિનોબા ભાવે દરરોજ કેટલાક લોકોને મળતા હતા. લોકો મોટાભાગે તેમની સમસ્યાઓ લઈને જતા હતા, મહાત્મા ભાવે પોતાની શૈલીમાં તેમને સમજાવતા હતા. એક દિવસ તેઓ કેટલાક લોકો સાથે બેઠા હતા. ત્યારે એક વ્યક્તિ તેમને મળવા આવી. તે પોતાની દારૂની આદતથી કંટાળી ગયો હતો. દરૂ છોડવા ઇચ્છે છે, છતાં છૂટી નથી રહ્યો.
દારૂડિયાએ હાથ જોડીને મહાત્મા ભાવેને પ્રાર્થના કરી કે, ભાવેજી, હું રોજ સંકલ્પ કરું છું કે આજે જ દારૂ છોડી દઈશ, પરંતુ દરરોજ સંકલ્પ તૂટી જાય છે. દારૂની આદતે તેની જાતને એ રીતે પકડી રાખી છે કે, તે છોડી જ નથી શકતો.

મહાત્મા ભાવેએ જવાબ આપ્યો, 'તું પોતે જ તારી પરિસ્થિતિ માટે જવાબદાર છે.'

દારૂડિયાએ જવાબ આપ્યો, "નહીં મહાત્માજી, હું તો રોજ છોડવા ઇચ્છું છું, પરંતુ મારી આ આદતે મને બહુ ખરાબ રીતે ઘેરી રાખ્યો છે. આ લત છૂટી જ નથી રહી."

મહાત્મા ભાવેએ કહ્યું, "આવું નથી, તું ભ્રમમાં જીવી રહ્યો છે. તારી સંકલ્પશક્તિ નબળી છે."

દારૂડિયાએ ફરી કહ્યું, "ના મહાત્માજી, હું સાચે જ દારૂ છોડવા ઇચ્છી રહ્યો છું, પરંતુ તે છૂટી જ નથી રહ્યો."

મહાત્મા ભાવે એ દારૂડિયાની મુશ્કેલી સમજી ગયા. તેમણે કહ્યું કે, તું સાંજે મારા ઘરે આવીને મને મળ. હું તને સમાધાન જણાવી દઈશ. દારૂની લત છૂટી જશે. નક્કી કરેલ સમયે દારૂડિયો મહાત્મા ભાવેના ઘરે પહોંચ્યો. તેણે જોયું કે, મહાત્મા ભાવે એક થાંભલાને બંને હાથે પકડી ઊભા હતા. દારૂડિયાને જોઇને તે જોર-જોરથી બૂમો પાડવા લાગ્યા. આ થાંભલાએ મને પકડી રાખ્યો છે, તું મારી મદદ કર. મને આનાથી છોડાવ પછી જ હું તને તારું સમાધાન આપી શકીશ. દારૂડિયો આશ્ચર્યથી જોઇ રહ્યો હતો. તેણે કહ્યું, મહાત્માજી, થાંભલાએ તમને નહીં, તમે થાંભલાને પકડી રાખ્યો છે. તમે જ તો થાંભલાને પકડી રાખ્યો છે. તમે હાથ દૂર કરી લો, જાતે જ છૂટી જશે.

મહાત્મા ભાવે હસ્યા. થાંભલાને છોડીને તેઓ દારૂડિયા પાસે આવ્યા અને બોલ્યા બસ ભાઈ હું પણ તને આ જ સમજાવવા ઇચ્છું છું. દારૂએ તને નહીં, તેં દારૂને પકડી રાખ્યું છે. જ્યાં સુધી તું જાતે પ્રયત્ન નહીં કરે ત્યાં સુધી દારૂ નહીં છોડી શકે. દારૂડિયાને વાત સમજાઇ ગઈ. તે મહાત્માના ભાવેના પગમાં પડી ગયો.

લાઇફ મેનેજમેન્ટ- જીવનમાં એવી ઘણી ખરાબ આદતો હોય છે, જેમાં આપણે બંધાયેલા છીએ, પરંતુ એમ માનીએ છીએ કે, આ આદતોએ આપણને બાંધીને રાખ્યા છે. જો જીવનમાં સફળતા ઇચ્છતા હોય તો, આ ખરાબીઓને છોડવાનો સંકલ્પ આપણો જ હોવો જોઇએ. આપણી ખરાબીઓ આપણા સિવાય બીજું કોઇજ આપણાથી દૂર નથી કરી શકતું.
❤️💔❤️💖

આપણે જીવન મા પાપ નથી કર્યા.. છતાં આપણાં જીવન માં કષ્ટ ક્યાંથી આવ્યાં..???

એક રાજા પોતાના મહેલના આંગણમાં બ્રાહ્મણોને ભોજન કરાવી રહ્યો હતો.
રાજાનો રસોઇયો ખુલ્લા આંગણમાં જ રસોઇ બનાવી રહ્યો હતો. એ જ સમયે એક સમડી પોતાના પગના પંજામાં એક જીવતો સાપ લઈને રાજાના મહેલ પરથી પસાર થઈ.
આ જ સમયે આત્મરક્ષા માટે સાપે સમડી પર ઝહેર આંક્યું.
આ ઝેર બ્રાહ્મણો માટે બની રહેલ ભોજનમાં પડ્યું. કોઇને આ વાતની જાણ જ નહોંતી થઈ. ઝેરી ભોજન ખાવાથી બ્રાહ્મણોનું મૃત્યું થઈ ગયું. રાજાને આ વાતનું ખૂબજ દુ:ખ થયું. આ પરિસ્થિતિમાં યમરાજ માટે પણ નિર્ણય લેવો મુશ્કેલ થઈ ગયો કે, આ પાપ કર્મ કોના ખાતામાં જશે?

રાજા- જેને ખબર જ નહોંતી કે ભોજન ઝેરી બની ગયું છે.. કે
રસોઇયો- જેને ખબર જ નહોંતી કે રસોઇ બનાવતી વખતે એ ઝેરી બની ગયું છે... કે
સમડી- જે ઝેરી સાપને લઈને રાજા ના મહેલ પરથી પસાર થઈ... કે
સાપ- જેણે પોતાની રક્ષા માટે ઝહેર આંક્યું હતું...

આ પાપ કર્મ કોના ખાતામાં લખવું એ નિર્ણય લઈ નહોંતા શકતા યમરાજ. ઘટના બાદ એક દિવસ થોડા બ્રાહ્મણ રાજાને મળવા આવ્યા અને તેમણે કોઇ મહિલાને મહેલ જવા માટેનો રસ્તો પૂછ્યો. મહિલાએ રસ્તો બતાવ્યો અને સાથે એ પણ જણાવ્યું કે, આ રાજા બ્રાહ્મણોના ભોજનમાં ઝેર ભેળવીને તેમને મારી નાખે છે...

જેવા મહિલાએ આ શબ્દો કહ્યા કે, એ જ સમયે યમરાજે નક્કી કરી દીધું કે, એ મૃત બ્રાહ્મણોના મૃત્યુનું પાપ એ મહિલાના ખાતામાં જશે અને તેણે જ એ પાપનું ફળ ભોગવવું પડશે. યમદૂતોએ જ્યારે આનું કારણ પૂછ્યું ત્યારે યમરાજે કહ્યું કે, જ્યારે કોઇ વ્યક્તિ પાપ કરે છે ત્યારે તેને ખૂબજ આંદ મળે છે.

એ બ્રાહ્મણોની હત્યાથી રાજાને આનંદ નહોંતો મળ્યો કે રસોઇયાને પણ નહોંતો મળ્યો, સાપ કે સમડીને પણ આનંદ નહોંતો મળ્યો. પરંતુ આ પાપ કર્મ ઘટનાની નિંદા કરવાનો ભાવ રાખતી એ મહિલાને ચોક્કસથી આનંદ મળ્યો. માટે રાજાથી અજાણતાં થયેલ એ પાપ-કર્મનું ફળ હવે આ મહિલાના ખાતામાં જશે.

એક વિચાર:-
મોટાભાગે આપણે વિચારીએ છીએ કે, આપણે જીવનમાં કોઇ જ પાપ નથી કર્યાં, છતાં આપણા જીવનમાં કષ્ટ કેવી રીતે આવ્યાં? આ કષ્ટ બીજે ક્યાંયથી નહીં, પણ લોકોની નિંદા કરવાથી થતાં પાપ કર્મોમાંથી આવે છે. ઘણીવાર લોકોથી ભૂલથી પાપ થઈ જાય છે અને લોકો બહુ ઉત્સાહથી એકબીજાને જણાવે છે. આ જ તેમની સૌથી મોટી ભૂલ હોય છે. માટે ક્યારેય કોઇની નિંદા ન કરવી જોઇએ.

ખરાબ કામ કરનારા, બીજાને દુઃખ પહોંચાડનાર અને બીજાનું ધન લૂંટનાર વ્યક્તિને ક્યારેય અતિથિ ન બનાવવા જોઈએ



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો