મંગળવાર, 26 માર્ચ, 2019

*"અંધેરી બિલ્ડીંગ ને..??!!"*.....

*"અંધેરી બિલ્ડીંગ ને..??!!"*.....

સમજનેવાલે સમજ ગયે હૈ ના સમજે વો અનાડી હૈ!!

******

એક બિલ્ડીંગ(ફ્લેટ)માં 5 ફ્લોર છે. બિલ્ડીંગનો સેક્રેટરી ફ્લેટની વીજળી બચે અને રહેવાસીઓનું સ્વાસ્થ્ય પણ સારું રહે એ માટે નિયમ બનાવે છે, કે ફ્લેટમાં બપોરના ૧૧ થી ૫ સૌએ સ્વેચ્છાએ સીડીનો ઉપયોગ કરવો! નિયમ સારો હોઈ લગભગ ૬૦% લોકો એનું પાલન કરે છે, પરંતુ ૪૦% જેટલાં વિધ્ન સંતોષીઓ આ નિયમનું પાલન નથી કરતા..!!

પરિણામે રાજા તાત્કાલિક એક બેઠક બોલાવે છે અને બધાને પૂછે છે કે "ફ્લેટનાં સારા ભવિષ્ય માટે બધા આ નિયમનું પાલન કરે એ માટે કોને દંડ કરવો જોઈએ?"

મંત્રીઓ ખૂબ વિચારીને ફ્લેટનાં એકજણ પર દોષનો ટોપલો નાંખે છે. એ કોણ હશે?? સોચો... સોચો...  વિચારો... વિચારો...!!!

તમે માનો યા ના માનો... દંડ ફ્લેટના સેક્રેટરીને થાય છે!! કારણ કે એ બધાને નિયમમાં ના રાખી શક્યો!!

....અને દંડ પણ કેવો? ફ્લેટનું જેટલું લાઈટબીલ આવે છે એ સેક્રેટરીએ ભરવાનું!! ..અને સિડી ચડીને જેના પગ દુઃખતા હોય એમને રાજા તરફથી આપવામાં આવતો દેશીમલમ લગાડી આપવાનો/પગ દબાવી આપવાના!! ફ્લેટના બધા રહેવાસીઓના આરોગ્યનું ધ્યાન રાખવાનું!! ફ્લેટના લોકોની માહિતીઓ રાખવાની!!આ ઉપરાંત, ફ્લેટની સફાઈ કરવાની, મંત્રીઓના કાર્યક્રમોમાં જવાનું, ઉત્સવો ઉજવવાના, સ્પર્ધાઓ કરવાની,  બધાના બેન્ક એકાઉન્ટ ખોલાવી આપવાના, આધાર કાર્ડ અને ચૂંટણીકાર્ડ બનાવી આપવાના, ફ્લેટમાં બધાંનાં બાળકોને સાચવવાના, કોઈના ઘરે મહેમાન આવે તો ચા-નાસ્તાની વ્યવસ્થા કરવાની.. વગેરે.. વગેરે..!! પાછું આ બધ્ધું સેક્રેટરી પોતે જ કરે છે, એનાં પુરાવારૂપે રાજાને ફોટા/અહેવાલો પણ મોકલવાના!!

....વધુમાં મંત્રીઓએ ઠરાવ્યું કે પેલાં ૪૦% લોકો, કે જેઓ સીડી ચડતાં નથી, એ લોકો સીડી ચડતા થાય એ માટે 'સેક્રેટરી'(!?!?) ને સીડી ચડવાની તાલીમ આપવામાં આવશે!! રોજેરોજ કેટલા લોકો સીડી ચડ્યા અને કેટલા લોકો લિફ્ટમાં ગયા એના ઓનલાઈન આંકડા માંગવામાં આવશે!! એકેએકને ટ્રેક કરીને ઘરે ઘરે જઈને માઈક્રોપ્લાનિંગ કરીને લોકસંપર્ક રજીસ્ટર નિભાવવાનુ રહેશે, અને એમાં દરેકને સમજાવ્યા બદલની સહી કરાવવાની રહેશે!!

ભારોભાર મુશ્કેલીઓ વેઠીને ગમેતેમ કરીને સેક્રેટરી ૯૫% ને નિયમ પાળતા કરી દે છે!

 વર્ષાંતે રાજાનાં મંત્રીઓ આવીને મૂલ્યાંકન કરે છે અને સેક્રેટરીની ભૂલો કાઢતા તેને નોટિસ આપે છે!!

(૧) જે ૯૫% લોકો સીડી ચડતાં થઈ ગયા છે એમાંથી ૫% લોકો બહારગામ ગયા હોવાં છતાં  લોકસંપર્ક રજીસ્ટરમાં સેક્રેટરીએ પોતાની અને એમની સહી અને તારીખ નહોતી લખી!!

(૨) આ ૯૫% લોકોમાંથી મોટાંભાગનાએ બપોરનાં ૧૧ થી ૫ નીચે આવવાનું/ઉપર ચડવાનું બંધ કરી દીધું હોવાથી સ્વાસ્થ્યનો મુખ્ય હેતુ સરતો નથી.

(૩) લોકોનાં પગ દુ:ખતા બંધ થઈ ગયા હોવાથી રાજા તરફથી આપવામાં આવતો દેશીમલમ વપરાયો નથી, જેની સંપૂર્ણ જવાબદારી સેક્રેટરીની ફીક્સ કરવામાં આવી.

(૪) ફ્લેટના ૫% લોકો કે જેઓ સીડી નથી ચડી શકતા.. જેમાં (a) બીમાર લોકો-જયાં સુધી સાજા ન થઈ જાય, (b) વૃદ્ધો- સ્વર્ગવાસી ન થઈ જાય અને (c) નાના બાળકો- જયાં સુધી મોટા ન થઈ જાય ત્યાં સુધી સેક્રેટરીએ જાતે જ એમને પોતાના ખભા પર ઊંચકીને ઉપર/નીચે કરાવવાનું રહેશે. એ દરેકની તારીખ અને સમયવાર લોકસંપર્ક રજીસ્ટરમાં અને ઓનલાઈન નોંધ કરવાની રહેશે.

(૫) ઉપરોક્ત (a),(b) અને (c)  માં જે લોકોનો સમાવેશ થાય છે, એ લોકોની કમિટી બનાવી સેક્રેટરીનું ધ્યાન રાખવાનું કહેવામાં આવશે કે સેક્રેટરી નિયમિત લિફ્ટની લાઈટ ચાલુ કરે છે કે નઈ!!

...ઉપરોક્ત પાંચેય સૂચનોનો ચુસ્તરીતે અમલ નહિ થાય તો,  સેક્રેટરીને IPC નિયમ નં ૮૪ હેઠળ ફ્લેટ ખાલી કરવાની ફરજ પાડવામાં આવશે!!

..............બોલો, છે ને "અંધેરી બિલ્ડીંગ ને..??!!"..........

🔥 *આર્તનાદ* 🔥

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો