બુધવાર, 4 માર્ચ, 2020

દરિદ્રતા: અનિલ અને વિષ્ણુ

વીડિયો જોવામાં આ વાંચવાનું ના ભૂલતા!!
👇👇

દરિદ્રતા..??
કરુણા..??
દુઃખ..??
ખુશી..??
ભૂખ..??
અભાવ..??
બાળ મજુરી..??
ખાનાબદોશી..??
ગરીબી..??
મુફલિસી..??
ખુદદારી..??
ખુમારી..??
.
.
શું કહેશો આને?? આજે વોટ્સએપમાં ફરતું ફરતું આવ્યું..!

માનો કે આ બાળકો તમારી શાળામાં/વર્ગમાં હોય અને નિયમિત ન હોય તો તમે શું કરશો?? પહેલીવાત તો એ કે આ બાળકોને કઈ શાળા એડમિશન આપશે?.. ખાનગી કે સરકારી?? ખાનગી શાળાનાં "સ્માર્ટ" બાળકો યુનિફોર્મ માપનો ન હોય તોય શાળાએ ન જાય.. અને આની સરખામણીમાં સરકારી શાળામાં ભણતાં આવા હજારો બાળકો માં-બાપના અભાવમાં પણ હસીને વાત કરી શકતાં હોય તો આમાંથી તમે કોને વધુ જીંદાદીલ કહેશો?? "અક્ષરજ્ઞાન"ની સરખામણીમાં "સર્વાઇવલ અને જીંદાદિલી" નામના મૂલ્યશિક્ષણનું કોઈ મહત્વ જ નહીં??
લાખો-કરોડોમાં આળોટતા બાળકો ફિલ્મ-ટીવીમાં કલાને નામે મજુરી કરે અને આવા હજારો બાળકો જીવવા માટે કામ કરે.. તો ખરેખર બાળમજૂરી કઈ?? ..અને માનસિક બાલમજૂર કોણ?? કાલની એક પોસ્ટ પર એક સાહેબે કહ્યું, "અમે વહીવટી અને કન્ટેન્ટ બંને વિષયોમાં પાસ થઈને 'મોટાં સાહેબ' બન્યા છીએ! એટલે અમે શિક્ષણનાં જીવ તો છીએ જ!" 

"અરે ભલા માણસ.. મોટાં સાહેબ બનવા અને ચાઈલ્ડ સાયકોલોજી સમજવા 'થોથા' નહીં, 'સમય' ફાળવવો પડે- આવા બાળકોની સાથે બેસવાનો અને એમની સાથે વાત કરવાનો..!! એક જ દિવસ શાળામાં 'મિત્ર નહિં, પણ સાહેબ' થઈને આવો, અને એક વર્ગમાં માત્ર પંદર મિનિટ ફાળવો, એમાં તમે કોઈ બાળકને અમુક બાબત કેમ નથી આવડતી, અને શિક્ષકોએ કરેલાં પ્રયત્નોની આંકણી તમે નહિ કરી શકો! આ આંકણી કરવા 'કાન અને હદય' બંને જોઈએ, જે તમને મળેલી 'ડિગ્રી'ઓના ભારથી છેક નીચે દબાઈ ગયા છે!"

'બધ્ધાને બધ્ધુ આવડવું જ જોઈએ' એવી માનસિકતામાં રાચતા 'ભણેલાં સાહેબો'ને ચાઈલ્ડ-સાઇકોલોજીનું એટલુંયે જ્ઞાન નહિ હોય કે "ભૂખ્યા ભણવા જવાય ના ગોપાલા!!"

https://m.facebook.com/story.php?story_fbid=2698675243574021&id=100002947160151

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો