શુક્રવાર, 31 જુલાઈ, 2020

તન્વી આંગળવાડીમાં જય છે 1.8.18

સાડા ચાર વર્ષે આજથી શુભ શરૂઆત!!

*****

"કઈ સ્કૂલમાં જાય છે??"
"તમે હજુ સુધી તન્વીને સ્કૂલમાં નથી મૂકી??"
"ક્યારે સ્કૂલમાં મૂકશો??"
"નર્સરીમાં મૂકી દેવાય, ત્યાં જતી થશે તો સ્કૂલમાં પણ બેસશે.."

અઢળક સવાલો અને સલાહો!! 
હાલ આપણા સભ્ય સમાજમાં એક ટ્રેન્ડ છે કે બાળક અઢી/ત્રણ વર્ષનું થયું નંઇ કે તરત નર્સરીમાં મૂકી દેવું! એને ત્યાં જવું ના ગમતું હોય તોય ધરાર બધાનાં બાળકો જાય છે એટલે આપણે પણ ત્યાં મોકલવાનું?!! ..પછી ભલેને એ રડતું હોય!! આ કેવું?? મહ્દઅંશે તો એવું જ લાગે છે કે દેખાદેખી અને ઈર્ષામાં જ આ 'કુંમળા છોડ'નો 'નર્સરી'માં ભોગ ચડાવાય છે!! ...અથવા તો આ 'તોફાની'થી ત્રણેક કલાક બચવાનો એક ઉપાય એટલે 'નર્સરી'!!

ઠીક છે, પણ બધાં કરતાં હોય એટલે આપણે પણ કરવું જરુરી તો નથી!! વળી, શિક્ષક હોવાને નાતે જાણું છું કે સાવ નાની ઉંમરમાં સ્કૂલનો ઓટલો ચડાવવો યોગ્ય નથી, એટલે છેક સાડા ચાર વર્ષે આ શુભ દિવસ આવ્યો!! તન્વીબેન હવેથી આંગણવાડીમાં જશે!! તન્વીબેનને ભણવાની અને અમને ભણાવવાની સહેજેય ઉતાવળ નથી, એટલે નર્સરી કરતાં આંગણવાડી ઉપર જ પસંદગી ઉતરી છે!! બસ, આ જ ઉંમર છે.. ખાઓ અને મોજ કરો, બીજું શું વળી!!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો