રવિવાર, 7 જૂન, 2020

તન્વીની ભવિષ્યની વાર્તાઓ

વિચાર મંથન – સતીશ વ[1] યક્ષ પ્રશ્ન

મહાભારતમાં એક પ્રસંગ આવે છે. પાંચ પાંડવો અને દ્રૌપદી વનમાંથી પસાર થતાં હોય છે ત્યાં દ્રૌપદીને તરસ લાગે છે. એટલે ભીમ પાણી લેવા જાય છે. નજીકના સરોવરમાંથી પાણી લેતાં આકાશવાણી થાય છે કે મારા સવાલનો જવાબ આપ. પછી જ તું પાણી લઈ શકીશ. જો એમ ને એમ પાણી લઈશ તો તારું મોત થશે. અહંકારી ભીમ માનતો નથી ને પાણી લે છે. તત્કાળ એ બેભાન થઈ જાય છે. આ તરફ ભીમને આવતાં વાર થઈ એટલે અર્જુન જાય છે. એના પણ એ જ હાલ થાય છે. નકુલ અને સહદેવની પણ એ જ સ્થિતિ થાય છે. છેવટે યુધિષ્ઠિર અને દ્રૌપદી ત્યાં આવે છે. ચારેય પાંડવને બેભાન જુએ છે. યુધિષ્ઠિર પાણી લેવા જાય છે ત્યારે તેમને પણ એ વાણી સંભળાય છે. યુધિષ્ઠિર કહે છે, પ્રશ્ન પૂછો હું જવાબ આપીશ.

આ સરોવર યક્ષરાજ ચિત્રરથનું હોય છે. યક્ષ કહે છે કે જો જવાબ ખોટો હશે તો મસ્તકના ટુકડા થઈ જશે. યુધિષ્ઠિર કબૂલ થાય છે. યક્ષના એક પછી એક પ્રશ્નોના જવાબ આપતાં જાય છે. આ પ્રશ્નો યક્ષ પ્રશ્ન તરીકે ઓળખાય છે. આ પ્રશ્નોત્તરી જ્ઞાનનો ભંડાર છે. એમાં યક્ષ પૂછે છે, ‘કિમ આશ્ચર્યમ્ – દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય કયું છે ?’. યુધિષ્ઠિર જવાબ આપે છે કે માણસ પોતાના સ્વજનો, માતા-પિતા, મિત્રોને નજર સામે મરતાં જુએ છે, સ્મશાને વળાવે છે, અગ્નિસંસ્કાર કરે છે ને છતાં બીજા દિવસથી એટલા ઉત્સાહથી જીવે છે, જાણે કે મૃત્યુનું અસ્તિત્વ જ નથી. દુનિયામાં આનાથી મોટું કોઈ આશ્ચર્ય નથી.

 

[2] કર્મનું ફળ

એક પૌરાણિક પ્રસંગ છે. એક મહર્ષિ પોતાના આશ્રમમાં તપ કરતા હતા. એ પ્રદેશના રાજાને ત્યાં ચોરી થઈ. ચોરોની પાછળ સિપાહીઓ પડ્યા. એટલે ચોરો ભાગ્યા. રસ્તામાં આ મહર્ષિનો આશ્રમ આવ્યો. એટલે ચોરોએ સામાન આશ્રમમાં નાખ્યો અને ભાગી ગયા. સિપાહીઓને સામાન આશ્રમમાંથી મળી આવ્યો એટલે મહર્ષિને ચોર સમજીને પકડ્યા અને રાજાના દરબારમાં ઊભા કરી દીધા. રાજાએ કાંઈ પણ વિચાર્યા વગર ફાંસીની સજા કરી. મહર્ષિને ફાંસીના માંચડે લઈ જવામાં આવ્યા. ત્યાં આકાશવાણી થઈ કે મહર્ષિ નિર્દોષ છે, તેમણે ચોરી નથી કરી. એટલે રાજાએ ભરદરબારમાં એમની માફી માગી અને સન્માન સહિત આશ્રમમાં પહોંચાડ્યા.

આ પછી ઋષિએ વિધાતા સાથે ઝઘડો કર્યો કે મારા કોઈ વાંકગુના વિના મને આ સજા, આ હેરાનગતિ શા માટે કરી ? વિધાતા કહે છે કે ‘મહર્ષિ આ જન્મમાં તમે જ્યારે કિશોર હતા ત્યારે પતંગિયાને પકડીને બાવળના કાંટા પર લટકાવતા હતા. એ પાપની આ સજા છે.’ મહર્ષિએ કહ્યું : ‘મેં તો એ કામ અજાણતાં જ કરેલું. મને સારા-ખોટાની સમજ નહોતી.’ વિધાતા કહે કે, ‘ગુનો એ ગુનો છે અને એની સજા ભોગવવી જ પડે. તમે અજાણતાં પણ સળગતો અંગારો પકડો તોપણ દાઝી તો જવાય જ ને ?’

 

[3] બોલ્યા બોલ્યાનો ફેર

એક ગુરૂ અને બે શિષ્યો યાત્રા કરતા હતા. ગુરૂએ શિષ્યોને સમજાવ્યું કે સાચું બોલવું, પણ પ્રિય બોલવું. એવી રીતે સત્ય બોલવું કે સામાવાળાને સાંભળવું ગમે. એક શિષ્ય કબૂલ થયો. પણ બીજા શિષ્યે વિરોધ કર્યો કે ‘એથી શો ફરક પડે છે ? સત્ય આખરે સત્ય જ રહે છે.’

રસ્તામાં એક ગામ આવ્યું. પહેલો શિષ્ય ભિક્ષા માગવા ગયો. એક ઘર આગળ જઈ કહ્યું : ‘મૈયા, ભિક્ષા દે દે.’ ગૃહિણીએ તરત સાધુને ભોજન આપ્યું. શિષ્ય એ ભોજન લઈ ગુરુ પાસે આવ્યો. બીજા શિષ્યે આખી વાત સાંભળી. તેને થયું – હું પણ જઈને ભિક્ષા માગી આવું. બીજો શિષ્ય પણ એ જ ઘર પાસે ગયો, કારણ કે એ જ ઘર ગામમાં સૌથી પહેલું આવતું હતું. શિષ્યે ભિક્ષા માગતાં કહ્યું : ‘એ મેરે બાપ કી ઔરત, કુછ ભિક્ષા દે દે.’ ગૃહિણીએ આ સાંભળ્યું ને ધોકો લઈને મારવા દોડી. શિષ્ય જીવ બચાવવા દોડ્યો ને ગુરુ પાસે આવ્યો. આવીને વાત કરી. ગુરુ કહે : ‘મા’ અને ‘બાપ કી ઓરત’ નો અર્થ એક જ છે. હવે તને ફરક સમજાયો ને ? સાચું બોલવું, પણ પ્રિયકર બોલવું. કાગડો કોઈનું કંઈ લઈ લેતો નથી કે કોકિલ કંઈ આપી જતી નથી, છતાં લોકો કાગડાને ઉડાડી મૂકે છે અને કોકિલનો ટહુકો ધ્યાનથી સાંભળે છે.

 

[4] ગુણવત્તા

એકવાર અકબર બાદશાહે દરબારમાં સંગીતસમ્રાટ તાનસેનનું સંગીત સાંભળ્યું ને આફરીન પોકારી ગયો કે વાહ, શું ગાયકી છે. તેને થયું કે તાનસેન આટલું સુંદર ગાઈ શકે છે, તો એના ગુરુ કેટલું સરસ ગાતા હશે ? બાદશાહે પોતાનો વિચાર તાનસેનને કહ્યો. તાનસેને પોતાના ગુરુ સ્વામી હરિદાસનાં વખાણ કર્યાં. એમની દિવ્ય ગાયકીનાં વખાણ કર્યા. બાદશાહ કહે, આપણે એમને દરબારમાં બોલાવીએ. તાનસેન કહે, એ દરબારમાં ન આવે. એમને સાંભળવા આપણે ત્યાં જવું પડે. અકબર બાદશાહ કબૂલ થયા. બંને જણા વેશ બદલીને ગયા. સ્વામી હરિદાસ સવારના પહોરમાં રિયાઝ કરતા હતા ત્યારે પહોંચ્યા અને છુપાઈને ભજન સાંભળ્યા. અકબર બાદશાહ ભાવવિભોર થઈ ગયા. તેમણે તાનસેનને કહ્યું તું આ જ ભજન ગાય છે, પણ આટલી સારી રીતે નથી ગાઈ શકતો. એનું શું કારણ ?
તાનસેન કહે, બાદશાહ, હું તમારા કહેવાથી તમને ખુશ કરવા ગાઉં છું, જ્યારે સ્વામીજી અંતરના ઊંડાણથી ભગવાનને રીઝવવા ગાય છે. કોણ કોના માટે ગાય છે એના પર એની ગુણવત્તાનો આધાર છે.

 

[5] કૃષ્ણનું રથાવરોહણ

મહાભારતના યુદ્ધનો પ્રસંગ છે. અઢાર દિવસનું યુદ્ધ પૂરું થયું પછી છેલ્લે દિવસે રથ લઈને કૃષ્ણ પાછા આવ્યા ને અર્જુનને કહ્યું કે તું પહેલાં રથમાંથી નીચે ઊતરી જા. અર્જુનને નવાઈ લાગી કે કૃષ્ણ કેમ આમ કહે છે ? તેણે તરત કારણ પૂછ્યું. કૃષ્ણ કહે – પહેલાં તું નીચે ઉતર પછી તને કારણ સમજાશે. અર્જુન રથમાંથી નીચે ઉતર્યો પછી કૃષ્ણ નીચે ઉતર્યા અને કહેવાય છે કે રથ આખો ભડભડ સળગી ઉઠ્યો. તેના અસ્તિત્વનું હવે કોઈ કારણ રહ્યું નહોતું. આ દુનિયા પર તેનું કામ પૂરું થયું હતું. અર્જુન હતપ્રભ થઈને જોઈ રહ્યો. તેને સમજાયું નહીં કે આ શું થઈ રહ્યું છે ? કૃષ્ણે સમજાવ્યું કે હું રથમાં હતો એટલે રથ ટક્યો હતો. બાકી તો એ ક્યારનોય સળગી ઉઠ્યો હોત.

આપણા દેહરૂપી રથમાં કૃષ્ણ નામે ચૈતન્ય અસવાર છે ત્યાં સુધી જ એ ચાલે છે. એ ચૈતન્ય રથમાંથી જતું રહે પછી દેહ પણ ભડભડ સળગાવી જ દેવાય છે ને !

 

[6] એક રાતની વાત

વરસમાં એક જ વાર ખીલતા બ્રહ્મકમળ નામના ફૂલને જોવા હું ગયો. મને થયું – કેવું કહેવાય ! વરસમાં એક જ વાર ખીલે, એ પણ થોડા કલાકો માટે ! બ્રહકમળ કહે ‘મને તો આનંદ છે. ભલેને થોડા સમય માટે, પણ દુનિયા તો જોવા મળે છે ને !’
મેં કહ્યું, ‘પણ આટલા સમયમાં શું ખીલવું ને શું જોવું ? એમાંય તારું કોઈ ખાસ રૂપ નહીં.’
‘તોય બધાં મને જોવા આવે છે ને ! આખુ વર્ષ ખીલતાં ફૂલો જોવા ખાસ કોણ જાય છે ?’ બ્રહ્મકમળે કહ્યું.
‘એ વાત સાચી, પણ તને આવી ટૂંકી આવરદાનો અફસોસ થતો નથી ?’ મેં પૂછ્યું.
‘ના, જરાય નહિ, ઉપરથી હું તો ખુશ છું કે આટલા થોડા સમય માટે પણ હું સમસ્ત વાતાવરણને મારી સુગંધથી મહેકાવી શકું છું.’ આનંદથી બ્રહ્મકમળે કહ્યું.
‘પણ એમાં તો તને….’
મને બોલતો અટકાવીને બ્રહ્મકમળ કહે – તમે અફસોસ કરવામાં સમય વેડફવાને બદલે જે મળ્યું છે તે માણો ને ? નહીં તો એટલુંય નહીં થઈ શકે. મને થયું કે એની વાત સાચી છે ને મેં ધ્યાનથી એનું નિરિક્ષણ કરવા માંડ્યું. એને જેમ ધ્યાનથી જોતો ગયો એમ હું મુગ્ધ બનતો ગયો. સફેદ રંગના વિવિધ શેડ બ્રહ્મકમળમાં જોવા મળ્યા.

એની વાત સાવ સાચી હતી. આપણે સામે જે છે એને જ માણવાનું ભૂલી જઈએ છીએ ને પછી તો ખોટી તથા નકામી વાતોમાં અટવાયા કરીએ છીએ. જે સમયે આપણને જે મળે તેને ઈશ્વરની દેન સમજી તેના જ આનંદમાં ખોવાઈ જઈએ, તેમાં જ સાચું સુખ છે.

 

[7] સૌથી મોટું કોણ ?

એકવાર ભૃગુ ઋષિને દેવોની પરીક્ષા લેવાનું મન થયું. તેમને થયું કે સૌથી મહાન કોણ છે ? ભૃગુ ઋષિ સૌપ્રથમ બ્રહ્માજી પાસે ગયા અને જેમતેમ બોલવા લાગ્યા. બ્રહ્માજી ગુસ્સે થઈ ગયા અને ઋષિને શાપ આપવા તૈયાર થયા. ઋષિએ માફી માગી લીધી અને ત્યાંથી કૈલાસ જવા નીકળ્યા. કૈલાસ પર્વત પર સદાશિવ પાર્વતી સાથે બેઠા હતા. ત્યાં જઈને ભૃગુ ઋષિ એલફેલ બોલવા માંડ્યા. શંકર ગુસ્સે થઈ ગયા અને ત્રિશુલ લઈને મારવા દોડ્યા. ઋષિએ માફી માગી અને પાર્વતીએ સમજાવ્યા ત્યારે શિવજી શાંત થયા. ત્યાંથી નીકળીને ઋષિ વૈકુંઠમાં જઈ પહોંચ્યા. વૈકુંઠમાં વિષ્ણુ ભગવાન શેષશૈય્યા પર સૂતા હતા. ભૃગુ ઋષિએ જઈને વિષ્ણુને છાતીમાં લાત મારી અને કહ્યું, ‘એક ઋષિ આવે ત્યારે આમ પડ્યા રહેતાં શરમ નથી આવતી ?’

વિષ્ણુ ભગવાન ઊભા થઈ ગયા. તેમણે ઋષિના પગ દબાવ્યા કે મારી વજ્ર જેવી છાતી પર પ્રહાર કરવાથી તમને ક્યાંક વાગ્યું તો નથી ને ? ક્રોધને જીતનાર વિષ્ણુને મહાન જાહેર કરતાં ભૃગુ ઋષિએ કહ્યું, ‘લક્ષ્મી તમને વરે એ જ યોગ્ય છે.’ આમ, ક્રોધને જીતનાર સૌથી મોટો વિજેતા છે.2025માં તમે 2020ની વાર્તા કેવી રીતે સંભળાવશો? - એન. રઘુરામન
 
તાજેતરમાં યુએન પોપ્યુલેશન ફંડ દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા ડેટામાં એવો દાવો કરવામાં આવ્યો છે કે લૉકડાઉનને કારણે લગભગ 70 લાખ ‘અનઇન્ટેડેડ’ પ્રેગનેન્સી હોઈ શકે છે કે જેનું પ્લાનિંગ કરવામાં આવ્યું ન હોય. જો આ સાચું છે, તો પછી ચારથી પાંચ વર્ષ પછી આપણે આ બાળકોને આજની વાર્તા કહેવી પડશે, જે આ પ્રકારે કંઈક હશે: બાળક કહે છે, “કૃપા કરી મને મારી પ્રિય વાર્તા સંભળાવો કે, જ્યારે હું જન્મ્યો હતો અને વિશ્વમાં વાઇરસનો હુમલો કરવામાં આવ્યો હતો.” પિતા વાર્તાની શરૂઆત કરે છે, “તે કચરો અને અજાયબીની દુનિયા હતી.” અમે ટૂંકા ગાળામાં ઊંચી ઇમારતો બનાવી, થોડા અઠવાડિયામાં પુલ બનાવ્યાં અને અમે જે હાંસલ કરવા માંગીએ છીએ તે બધું પ્રાપ્ત કર્યું. અમે દુનિયાના કોઈ પણ ખૂણામાંથી જે જોઈએ તે 24 કલાકમાં મેળવી શકતા હતા, કારણ કે ત્યારે આકાશમાં પક્ષીઓ ઓછા અને વિમાન વધારે હતા. પરંતુ આ પ્રક્રિયામાં અમે કચરો ઘટાડવાનું ભૂલી ગયા અને અમારી હેસિયતથી બહારની બેહિસાબ ખરીદારીથી બીમારી થઇ ગઇ. અમે બધું પ્લાસ્ટિક દરિયામાં ફેંકી દીધું, જેથી વ્હેલ જેવા પ્રાણીઓ પણ મરી ગયા. ઉદ્યોગોએ વધુમાં વધુ સામાન બનાવવા માટે અમે વૃક્ષ કાપ્યા, જેટલું થઇ શકે તેટલું તેલ કાઢ્યું, ચોવીસ કલાક અને સાત દિવસ ફેક્ટરીઓ ચલાવી, પરંતુ આ સમજી શક્યા નહિ કે અમે નીલા આકાશને કાળું કરી રહ્યા છે. પછી અમે મોબાઇલ ફોનની શોધ કરી, જે બધાની પાસે હતો. અહીં સુધી કે તારા જેવા બાળકો પાસે પણ. ત્યારબાદ લોકો એક જ રૂમમાં હતા ત્યારે પણ એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દીધું. અમે પ્રાર્થના અને કસરત પણ ઑનલાઇન કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે એકલતા ફેલાવા લાગી, ખાસ કરીને બાળકો તેને અનુભવવા લાગ્યા. ત્યારબાદ 2020 માં વાઇરસ આવ્યો. લાખો લોકો મરી ગયા. અમે બધા મૃત્યુના ડરથી મહિનાઓ સુધી કેદ હતા. અમે એકબીજા સાથે વાત કરી, સાથે નાચ્યાં, વાર્તાઓ વાંચી, બીજા માટે ભોજન રાંધ્યું, જરૂરિયાતમંદોને મદદ કરી. અચાનક માણસોએ બીજા માટે જીવવાનું શરૂ કર્યું, પોતાના માટે નહીં, જેમ કે આપણે આજે કરીએ છીએ. ફક્ત અમારા માતાપિતા જ નહીં પણ અમારા દાદા-દાદી પણ જીવનમાં જે કંઇ કર્યું છે, તેને અમે અમારું બનાવી લીધું છે અને આ ધરતીને ફરી તમારા બધા માટે સુંદર બનાવી છે. પ્રકૃતિ સાથે રહેવાની નવી આદતથી પ્રકૃતિને નુકસાન કરવાની જૂની ટેવ સમાપ્ત થઈ ગઈ. આથી જ તમે કિનારા પર દરિયાઇ કાચબા, ફુટપાથ પર નૃત્ય કરતા મોર, રસ્તાના ડિવાઇડર પર સૂતાં હરણ અને બેડરૂમની બારી પર કલરવ કરતા પક્ષીઓ જોઈ શકો છો. ‘જીજ્ઞાસુ બાળકએ પૂછ્યું, ‘આ માનવતા માટે સારું છે, તમને આ કહેવા માટે વાઇરસની જરૂર કેમ હતી?’ આ સાંભળીને બાળકના જન્મદિવસ માટે કેક બનાવતી માતાએ કહ્યું, “હું સમજાવું છું.” તેણે બાળકને ગળે લગાવ્યું અને પૂછ્યું, “શું તને કેક ગમે છે?” બાળક બોલ્યો, “હા, ઘણી” માતાએ તેના કપાળ પર ચુંબન કર્યું અને પૂછ્યું, “તો પછી તમે કાચા ઇંડા કેમ નથી ખાતા?” બાળકે કહ્યું, “છી, હું ખાઈ શકતો નથી.”પછી માતાએ બેકિંગ સોડા, થોડું લોટ અને કડવો કોકો સહિત બધી વસ્તુઓ ખસેડી. બાળકે તેમને સ્પર્શ કરવાનો ઇનકાર કર્યો. ત્યારે માતાએ કહ્યું, ‘જ્યારે તમે આ બધી વસ્તુઓને યોગ્ય માત્રામાં ભળી દો છો, ત્યારે જ મારા રાજા દીકરા માટે શાનદાર ચોકલેટ કેક બનાવવામાં આવે છે, બરાબર ?’ બાળક સંમત થયું અને માતાને ચુંબન કર્યું. માતાએ આંખો બંધ કરી અને બાળકનો પ્રેમ માણ્યો અને કહ્યું, ‘ભગવાન પણ એવું જ કામ કરે છે. જ્યારે તમે તેમની રચનાઓનો સન્માન કરતા નથી અને તેમને નષ્ટ કરશો, ત્યારે તેઓ તમને થોડી મુશ્કેલ તબક્કામાં મુકે છે. પરંતુ ભગવાન જાણે છે કે જ્યારે તેઓ આ બધી બાબતોને યોગ્ય રીતે મૂકશે, ત્યારે બધા માનવતાના હિતમાં કામ કરશે. ભગવાન તમને ખૂબ પ્રેમ કરે છે. તેઓ દરરોજ સવારે તાજા ફૂલો સાથે તડકો મોકલે છે. કારણ કે તેમને લાગે છે કે તમે ખાસ છો કારણ કે તમે 2020 ના દાયકામાં જન્મ્યા હતા, જ્યારે માણસોએ તેમની રચનાઓનું સન્માન કરવાનું શરૂ કર્યું હતું. ‘વાર્તા પૂરી થાય ત્યાં સુધી કેક બનાવવામાં આવી હતી.

 

ફંડા એ છે કે, આ લૉકડાઉનમાં થતા નાના નાના ફેરફારોને પણ યાદોના લિસ્ટમાં ઉમેરો. બની શકે કે આ શીખ આપણા બાળકો પૌત્રીઓની માટે 2025માં શાનદાર સ્ટોરીઓ બની શકે.

KYA HUM BHI?

એક શહેરના મધ્યભાગમાં
બેકરીની એક દુકાન હતી.

બેકરીની
અમુક વસ્તુઓ બનાવવા માટે 
એને માખણની જરુર પડતી હતી.

આ માખણ
બાજુમાં આવેલા ગામડામાંથી
એક ભરવાડ પાસેથી ખરીદવામાં આવતું હતુ.

એકદિવસ
બેકરીના માલિકને એવુ લાગ્યુ
કે માખણ જેટલુ મંગાવ્યુ
એના કરતા થોડું ઓછુ છે.

એણે
નોકરને બોલાવીને
માખણનું વજન કરવાની સુચના આપી. 

નોકર માખણનું વજન કરીને લાવ્યો. 

માખણનું વજન 900ગ્રામ હતું.

એકકીલો માખણ ખરીદવામાં આવેલું
પણ
તેના બદલે 100 ગ્રામ ઓછુ માખણ
મળતા વેપારીને બહુ ગુસ્સો આવ્યો.

વેપારીએ નક્કી કર્યુ કે
આવુ કેટલા દિવસ ચાલે છે,
તે જોવુ છે

એણે ભરવાડને
માખણ ઓછુ હોવા વિષે
કોઇ વાત ન કરી.
રોજ માખણ ઓછુ જ આવતુ હતું.

થોડા દિવસ સુધી આ જોયા બાદ
વેપારીએ ભરવાડની સામે કોર્ટમાં છેતરપીંડીની ફરીયાદ કરી.

કોર્ટ દ્વારા
કેઇસની સુનાવણી હાથ ધરવામાં આવી
ત્યારે ન્યાયધીશે ભરવાડને પુછ્યુ ,
" તારી સામે જે આરોપ મુકવામાં આવ્યા છે
તેના બચાવમાં તારે કોઇ રજુઆત કરવી છે કે કોઇ વકીલ રોકવા છે ?"

ભરવાડે હાથ જોડીને કહ્યુ ,
 " જજ સાહેબ,
હું તો ગામડામાં રહેતો
સાવ અભણ માણસ છું.
માખણનું વજન કરવા માટે
મારા ઘરમાં વજનીયા નથી.
અમે ગામડાના માણસો
નાના પથ્થરના વજનીયા બનાવીને
જ વસ્તુ આપીએ.
પણ અમારા આ પથ્થરના વજનીયા વેપારીના વજનીયા કરતા વધુ વજનદાર હોય બસ એટલી મને ખબર છે."

જજે સામે પ્રશ્ન પુછ્યો,
 , "તો પછી રોજ 100 ગ્રામ માખણ ઓછુ કેમ આવે છે ? "

ભરવાડ કહે , " સાહેબ , એનો જવાબ તો આ વેપારી જ આપી શકશે.
કારણ કે હું રોજ
એમને ત્યાંથી એક કીલો બ્રેડ ખરીદુ છું
અને
એમની પાસેથી ખરીદેલી બ્રેડને જ
વજનીયા તરીકે ઉપયોગ કરીને એમને એક કીલો માખણ આપુ છું."

મિત્રો ,
જીવનમાં
બીજા કરતા ઓછું મળે
ત્યારે રાડારાડી કરવાને બદલે
જરા વિચાર કરવાની જરુર છે,
કે મેં બીજાને શું આપ્યુ છે ?

આપણે
જે બીજાને આપીએ,
એ જ અન્ય દ્વારા આપણા તરફ પરત
આવતું હોય છે.

એટલે જ કહેવાય છે
કે કુદરતે જયારે તમને કઈ આપ્યું
ત્યારે તમે વિચાર ના કર્યો 
કે "મને જ કેમ ?"

તો
જયારે
કુદરત તમારી પાસેથી લઇ લે છે
ત્યારે તમને ફરિયાદ કરવાનો કઈ અધિકાર નથી !

SU~ PRABHAT Yunus Makwana

एक बार यह कहानी जरूर पढिये । आपके जीवन में जरूर बदलाव लाएगी ।
गिद्धों का एक झुण्ड खाने की तलाश में भटक रहा था।
उड़ते – उड़ते वे एक टापू पे पहुँच गए। वो जगह उनके लिए स्वर्ग के समान थी। हर तरफ खाने के लिए मेंढक, मछलियाँ और समुद्री जीव मौजूद थे और इससे भी बड़ी बात ये थी कि वहां इन गिद्धों का शिकार करने वाला कोई जंगली जानवर नहीं था और वे बिना किसी भय के वहाँ रह सकते थे।
युवा गिद्ध कुछ ज्यादा ही उत्साहित थे, उनमे से एक ने बोला:-
” वाह ! मजा आ गया, अब तो मैं यहाँ से कहीं नहीं जाने वाला, यहाँ तो बिना किसी मेहनत के ही हमें बैठे -बैठे खाने को मिल रहा है!”
बाकी गिद्ध भी उसकी हाँ में हाँ मिला ख़ुशी से झूमने लगे।
सबके दिन मौज -मस्ती में बीत रहे थे लेकिन झुण्ड का सबसे बूढ़ा गिद्ध इससे खुश नहीं था।

एक दिन अपनी चिंता जाहिर करते हुए वो बोला:-
” भाइयों, हम गिद्ध हैं, हमें हमारी ऊँची उड़ान और अचूक वार करने की ताकत के लिए जाना जाता है। पर जबसे हम यहाँ आये हैं हर कोई आराम तलब हो गया है …ऊँची उड़ान तो दूर ज्यादातर गिद्ध तो कई महीनो से उड़े तक नहीं हैं…और आसानी से मिलने वाले भोजन की वजह से अब हम सब शिकार करना भी भूल रहे हैं … ये हमारे भविष्य के लिए अच्छा नहीं है …मैंने फैसला किया है कि मैं इस टापू को छोड़ वापस उन पुराने जंगलो में लौट जाऊँगा …अगर मेरे साथ कोई चलना चाहे तो चल सकता है !”
बूढ़े गिद्ध की बात सुन बाकी गिद्ध हंसने लगे। किसी ने उसे पागल कहा तो कोई उसे मूर्ख की उपाधि देने लगा। बेचारा बूढ़ा गिद्ध अकेले ही वापस लौट गया।
समय बीता, कुछ वर्षों बाद बूढ़े गिद्ध ने सोचा, ” ना जाने मैं अब कितने दिन जीवित रहूँ, क्यों न एक बार चल कर अपने पुराने साथियों से मिल लिया जाए!”
लम्बी यात्रा के बाद जब वो टापू पे पहुंचा तो वहां का दृश्य भयावह था।
ज्यादातर गिद्ध मारे जा चुके थे और जो बचे थे वे बुरी तरह घायल थे।
“ये कैसे हो गया ?”, बूढ़े गिद्ध ने पूछा।
कराहते हुए एक घायल गिद्ध बोला, “हमे क्षमा कीजियेगा, हमने आपकी बातों को गंभीरता से नहीं लिया और आपका मजाक तक उड़ाया … दरअसल, आपके जाने के कुछ महीनो बाद एक बड़ी सी जहाज इस टापू पे आई …और चीतों का एक दल यहाँ छोड़ गयी। चीतों ने पहले तो हम पर हमला नहीं किया, पर जैसे ही उन्हें पता चला कि हम सब न ऊँचा उड़ सकते हैं और न अपने पंजो से हमला कर सकते हैं…उन्होंने हमे खाना शुरू कर दिया। अब हमारी आबादी खत्म होने की कगार पर है .. बस हम जैसे कुछ घायल गिद्ध ही ज़िंदा बचे हैं !”
बूढ़ा गिद्ध उन्हें देखकर बस अफ़सोस कर सकता था, वो वापस जंगलों की तरफ उड़ चला।
दोस्तों, अगर हम अपनी किसी शक्ति का प्रयोग नहीं करते तो धीरे-धीरे हम उसे खो देते हैं।
उदाहरण के तौर पर अगर हम अपने brain का use नहीं करते तो उसकी sharpness घटती जाती है, अगर हम अपनी muscles का use नही करते तो
उनकी ताकत घट जाती है… इसी तरह अगर हम अपनी skills को polish नहीं करते तो हमारी काम करने की efficiency कम होती जाती है!
तेजी से बदलती इस दुनिया में हमें खुद को बदलाव के लिए तैयार रखना चाहिए। पर बहुत बार हम अपनी current job या business में इतने comfortable हो जाते हैं कि बदलाव के बारे में सोचते ही नहीं और अपने अन्दर कोई नयी skills add नहीं करते, अपनी knowledge बढ़ाने के लिए कोई किताब नहीं पढ़ते कोई training program नहीं attend करते, यहाँ तक की हम उन चीजों में भी dull हो जाते हैं जिनकी वजह से कभी हमे जाना जाता था और फिर जब market conditions change होती हैं और हमारी नौकरी या बिज़नेस पे आंच आती है तो हम हालात को दोष देने लगते हैं।
ऐसा मत करिए…अपनी काबिलियत, अपनी ताकत को जिंदा रखिये…अपने कौशल, अपने हुनर को और तराशिये…उसपे धूल मत जमने दीजिये…और जब आप ऐसा करेंगे तो बड़ी से बड़ी मुसीबत आने पर भी आप ऊँची उड़ान भर पायेंगे!Must important education will to win. 
Wish you wellth so alwaya update your life


વર્ષો પહેલાની વાત છે. એક યુવાન એક ગામથી બીજા ગામ જઇ રહ્યો હતો. રસ્તામાં મોટી નદી આવતી હતી.ઉપરવાસ ખુબ વરસાદ પડવાને લીધે નદીમાં પુર આવ્યુ હતુ. નદીને પાર કરવી મુશ્કેલ હતી. યુવાને પાછા જવાનો વિચાર કર્યો પણ ચાલીને થાકી ગયો હતો અને સાંજ પડી ગઇ હતી આથી પાછા જવાનો વિચાર માંડી વાળ્યો. રાત નદી કાંઠે જ પસાર કરીને સવારે પાણી ઉતરે એટલે નદી પાર કરીને સામેની બાજુ પર આવેલા ગામ જવાનો નિર્ણય કર્યો. હવે તો રાત પડી ગઇ હતી. અંધારુ પણ થઇ ગયુ હતુ. સમય પસાર કરવા એ નદીના કાંઠે આમ તેમ આંટા મારી રહ્યો હતો. અચાનક એના પગ સાથે કંઇક અથડાયુ એણે જોયુ તો એક વજનદાર થેલો હતો. અંધારામાં બીજુ કંઇ દેખાતુ નહોતુ પણ થેલાને ઉપાડતા એ ખુબ વજનદાર લાગ્યો. અંદર હાથ નાંખીને જોયુ તો નાના-નાના કાંકરાઓ હતા. યુવાન થેલો પોતાની સાથે લઇને નદીના કાંઠા પર બેસી ગયો.થેલામાંથી એક કાંકરો લઇને નદીમાં ફેંક્યો એમ કરવામાં એને મજા આવી એટલે બીજો કાંકરો ફેંક્યો. પછી તો આખી રાત એક પછી એક કાંકરો થેલીમાંથી લઇને નદીમાં ફેંકતો રહ્યો. થેલીમાં રહેલો છેલ્લો કાંકરો લઇને ફેંકવા જતો હતો ત્યાં એને વિચાર આવ્યો કે હવે થોડુ અજવાળુ છે તો જરા જોઉં તો ખરો કે આ કાંકરો કેવો છે. એણે એ કાંકરા સામે જોયુ અને આંખો આશ્વર્યથી પહોળી થઇ ગઇ કારણકે એ કોઇ સામાન્ય પથ્થર નહોતો પણ કીંમતી હીરો હતો.હવે એને પારાવાર પસ્તાવો થવા લાગ્યો કે આખી રાત બેઠા બેઠા આ હીરાને પાણીમાં નાંખી દીધા.
મિત્રો , આપણા જીવનમાં પણ કંઇક આવુ જ થાય છે. અજાણતા અને ગાફલાઇમાં હીરા જેવી કીમતી સમયની એક એક ક્ષણને ફેંકી રહ્યા છીએ. અને જ્યારે સમજણનું અજવાળુ થાય ત્યારે ખબર પડે છે કે મેં શું ગુમાવી દીધુ છે ! જીવનની પ્રત્યેક ક્ષણનો પૂર્ણ ઉપયોગ કરીએ.



ખરેખર વાંચવા જેવી પોસ્ટ છે મિત્રો...

એક મોટા ડૉક્ટર.
ડૉક્ટર ભારે ભલા. ગરીબ લોકો પર ઘણો પ્રેમ રાખે. ગમે તેવું કામ મૂકીને ય કોઈ ગરીબની સેવા કરવા દોડી જાય. પૈસાવાળા પાસે ઘણા પૈસા લે. પણ એ જ દવા જો ગરીબને આપવાની હોય તો મફતને ભાવે આપે. પૈસા વગરના બિચારા લોકો બીજું તો કશું આપી શકે નહીં. એટલે ડૉક્ટરને આશીર્વાદ આપે.

એક દિવસ કોઈએ ડૉક્ટરને પૂછ્યું : ‘ડૉક્ટર સાહેબ, તમે ગરીબોની દવા મફત કેમ કરો છો ? બીજા ડૉક્ટરો તો બરાબર કસીને ફી લે છે. ગરીબ કે પૈસાદાર કશું જોતા નથી. બે વરસમાં તો ઘણાય ઘરના બંગલા બંધાવીને બેઠા છે ને તમે દયાનું પૂછડું કેમ પકડીને બેઠા છો ?’
પેલા ભાઈની વાત સાંભળીને ડૉક્ટર હસ્યા. બે-ત્રણ માણસો ત્યાં બેઠા હતા. એમાંથી એક કહે : ‘કાં ડૉક્ટર, હસ્યા કેમ ?’
ડૉક્ટર કહે : ‘મને જૂની વાત યાદ આવી ગઈ એટલે હસવું આવી ગયું.’
બધા કહે : ‘એવું હોય તો અમને ય કહો, અમે પણ હસીશું.’
ડૉક્ટર કહે : ‘સાંભળો ત્યારે.’

ઘણાં વરસ પહેલાંની વાત છે.
હું તે વખતે તાજો-તાજો જ ડૉક્ટર થયેલો. મારા બાપુજીએ દેવું કરીને મને ભણાવ્યો હતો. મોટામાં મોટી ડિગ્રી મને મળે એટલા માટે પૈસા ખરચવામાં પાછું વાળીને જોયું નહોતું. મારે વધારે ભણવા માટે વિલાયત જવાનું હતું. તે વખતે બાપુજી પાસે પૈસા નહીં એટલે ઘર વેચીને એમણે મને વિલાયત મોકલેલો. હું વિલાયત ભણી આવ્યો. ઘણો મોટો ડૉક્ટર બનીને પાછો આવ્યો. દેશમાં આવીને દવાખાનું ખોલ્યું એટલે દર્દીઓની લાઈન લાગી. રૂપિયાની છોળો ઊડવા લાગી. મારું નામ ખૂબ જાણીતું બની ગયું.

એક વખત રાતના સમયે હું ઘરની બહાર વરંડામાં એક ખુરસી નાખીને બેઠો હતો. એવામાં જ એક ગામડિયો બંગલામાં ઘૂસી આવ્યો. આવ્યો એવો જ મારા પગમાં પડી ગયો. બે હાથ જોડીને કહે, ‘ડૉક્ટર સાહેબ, હમણાં ને હમણાં ચાલો મારી સાથે. મારી પત્ની બીમાર પડી ગઈ છે. તમારા વિના એને કોઈ બચાવી શકે એવું નથી.’ ગામડિયો ગંદો હતો. એણે મારા પગ પકડ્યા એથી મારું પાટલૂન મેલું થયું હતું. મેં પગ ખસેડી લઈને કહ્યું :
‘તને કંઈ વિવેકનું ભાન છે કે નહીં ?’
ગામડિયો બાઘા જેવો બનીને મારી સામે જોઈ રહ્યો હતો. મેં કહ્યું : ‘શું થયું છે તારી પત્નીને ?’
ગામડિયો કહે : ‘એ બેઠી હતી ત્યાંથી એકદમ ગબડી પડી છે. બોલાતું પણ નથી. આપ ઝટ મારી સાથે ચાલો, નહીં તો કોણ જાણે શુંયે થશે ?’
મેં કહ્યું : ‘તને ખબર છે કે ડૉક્ટરને ઘેર બોલાવવા હોય તો ગાડી લાવવી પડે !’
ગામડિયો કહે : ‘ગાડી તો હું હમણાં લઈ આવું છું, સાહેબ. આપ તૈયાર થઈ જાવ.’ એમ કહીને એ ઊભો થયો.
મેં કહ્યું : ‘મારી ફીનું શું છે ?’
ગામડિયાએ ફાળિયાને છેડે બાંધેલા પાંચ રૂપિયા કાઢીને મારા હાથમાં મૂક્યા. કહે : ‘મારી પાસે તો આટલા પૈસા છે સાહેબ. આપ બધા લઈ લો પણ મારી સાથે ચાલો.’

મને તે વખતે ખૂબ અભિમાન હતું. મેં પાંચની નોટ ફેંકી દીધી. કહ્યું :
‘તારા જેવા ભિખારીની દવા મારાથી નહીં થાય. હું તો એક વિઝિટના પચ્ચીસ રૂપિયા લઉં છું. એટલા પૈસા હોય તો કહે ને નહીં તો રસ્તો માપ.’
ગામડિયો કાલાવાલા કરવા લાગ્યો. મારા પગ પકડીને રડવા લાગ્યો. કહે : ‘વધારે પૈસા ક્યાંથી લાવું, સાહેબ ! અનાજ લાવવા આટલા રાખી મૂક્યા હતા તે આપું છું.’ ગામડિયે ઘણી વિનંતી કરી પણ મેં એની એકેય વાત ન સાંભળી તે ના જ સાંભળી.

આવું ચાલતું હતું એવામાં જ અંદરથી મારા બાપુજીએ મારા નામની બૂમ પાડી. હું અંદર ગયો. બાપુજીએ મને જોતાં જ પૂછ્યું : ‘બહાર કોણ રડે છે ?’
મેં કહ્યું : ‘એક ગામડિયો આવ્યો છે તે આ બધી ધમાલ કરે છે. જવાનું કહું છું પણ જતો નથી.’
બાપુજી કહે : ‘ગામડિયો શું કામ આવ્યો છે ?’
મેં કહ્યું : ‘એની પત્ની બીમાર છે એટલે મને તેડી જવા આવ્યો છે.’
બાપુજી કહે : ‘તો તું હજી અહીં કેમ ઊભો છે ? ગયો કેમ નથી ?’
મેં કહ્યું : ‘જાઉં કેવી રીતે ? દર્દીને જોવા જવાની મારી ફી પચ્ચીસ રૂપિયા છે અને એની પાસે તો પાંચ જ રૂપિયા છે. મેં એને કહી દીધું કે બીજા ડૉક્ટર પાસે જા. પણ માનતો નથી.’ હું આમ બોલતો હતો એવામાં જ બાપુજીનો હાથ ઊંચો થયો ને ફટાક કરતો એક તમાચો એમણે મારા ગાલ ઉપર ફટકારી દીધો. મારો ગાલ ચમચમી ઊઠ્યો. હું તો આભો બની ગાલ ઉપર હાથ મૂકીને બાપુજીની સામે ફાટી આંખે જોઈ રહ્યો.

બાપુજી લાલ-લાલ આંખો કરીને કહે : ‘નાલાયક પાજી ! આટલા માટે દુઃખ વેઠીને તને ભણાવ્યો હતો ? કોઈ બિચારાનો જીવ જતો હોય તે વખતે તું પૈસાનો લોભ છોડી શકતો નથી ? ડૉક્ટરનો ધંધો તો સેવાનો ધંધો છે. તું ભણીગણીને મોટો ડૉક્ટર થાય, ગરીબોની સેવા કરે એટલા માટે તો મેં ઘરબાર વેચીને તને ભણાવ્યો છે. આવા ગરીબોને તો તારે મફત દવા આપવી જોઈએ. ઉપરથી ફળફળાદિ લાવવાના પૈસા પણ આપવા જોઈએ, એને બદલે તું રાક્ષસ જેવો બની ગયો છે ?
મેં ડરતાં ડરતાં કહ્યું : ‘પણ બાપુજી…..’
બાપુજી કહે : ‘તારી એક વાત પણ મારે સાંભળવી નથી. મેં તને ભણાવવા માટે જેટલા પૈસા ખરચ્યા છે એ બધા મને આપી દે. હમણાં ને હમણાં મારા ઘરમાંથી નીકળી જા. નહીં તો બીજા ગાલ ઉપર બીજો તમાચો ફટકારી દઈશ !’
મેં કહ્યું : ‘બાપુજી, હું આ ગામડિયાની દવા કરવા જાઉં છું. ને હવે કોઈ ગરીબ પાસે પૈસા નહીં લઉં.’

બાપુજી રાજી થયા.
તે દિવસથી હું ગરીબોની સેવા કરતો રહું છું. કોઈ વાર મનમાં લોભ જાગે ત્યારે બાપુજીનો તમાચો યાદ આવી જાય છે. અને હાથ ગાલ તરફ વળે છે. બાપુજીના તમાચાએ મારી આંખો ખોલી નાખી છે. ડૉક્ટર સાહેબે વાત પૂરી કરી.

Dax.com
Send Me Friend Request..
For Latest Story & Post..One day, all the disciples went to their master' and said, "Master, Master, we all are going on a pilgrimage.
 
Master: Why you want to go on a pilgrimage trip?
 
Disciples: So that we can improve our devotion.
 
Master: OK. Then do me a favour. Please take this Karela (bitter gourd) along with you and wherever you go and whichever temple you visit, place it in the alter of the Deity, take the blessings and bring it back.
 
So, not only the disciples but the Karela also went on pilgrimage, temple to temple.
 
And finally when they came back, the Master said, "cook that Karela and serve it to me."
 
The disciples cooked it and served it to the master. After having the first bite, the master said,
 
"Surprising"!
 
Disciples: What's so surprising?
 
Master: Even after the pilgrimage the karela is still bitter. How come???'
 
Disciples: But that's the very nature of the Karela, Master.
 
Master: That's what I am saying. Unless you change your nature, pilgrimage will not make any difference.
 
So, you I, if we do not change ourselves no teacher or guru can make a difference in our lives.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો